________________
૩૩૭
ત્રણે ગઢ વચ્ચે અંતર तथोक्तं - पीअसिअरत्तसामा सुरवणजोइभवणा रयणवप्पे ।
धणुदंडपासगयहत्य सोमजमवरुणधणयक्खा ॥५६३॥ तस्य वप्रस्य मध्ये च पीठं स्यात्समभूतलं । धनुःशतानि षट्क्रोशमेकं च विस्तृतायतं ॥५६४॥ एतावदेव विस्तार-मानमाद्यद्वितीययोः ।
वप्रयोरंतरे किंतु तत्पार्श्वद्वयमीलनात् ॥५६५॥ तथाहि - स्याद्रूप्यवप्रात्पंचाश-द्धनूंषि प्रतरोऽग्रतः ।
शताश्च द्वादशाध्य‘ः सोपानधनुषां ततः ॥५६६॥ त्रयोदशशतान्येवं धनुषामेकतोंतरं ।। रूप्यस्वर्णवप्रयोः स्यात् परतोऽपि तथैव च ॥५६७॥ पार्श्वयोरुभयोश्चैवं स्याद्विस्तारे समुच्चिते ।। एक: क्रोशः षट् च चापशतमानं यथोदितं ॥५६८॥ मानमेवं स्वर्णरत्नवप्रांतरेऽपि विस्तृतेः । एकः क्रोशः षट् शतानि धनुषां भाव्यतां स्वयं ॥५६९॥
કહ્યું છે, કે –ત્રીજા રત્નના ગઢમાં સોમ, યમ, વરુણ અને ધનદ અનુક્રમે પીત, શ્વેત, રક્ત અને શ્યામ વર્ણવાળા, વૈમાનિક, વ્યંતર, જ્યોતિષ અને ભવનપતિજાતિના તથા ધનુષ, પાશ, દંડ અને ગદાને હાથમાં ધારણ કરનારા હોય છે. પ૩.
હવે તે ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ એવું પીઠ છે, તે એક ગાઉ ને છસો ધનુષ્ય લાંબું-પહોળું છે. ૫૬૪.
એ જ પ્રમાણે વિસ્તારનું માન પહેલા અને બીજા ગઢના અંતરનું છે, પરંતુ બે બાજુનું મળીને છે. ૫૬૫.
તે આ પ્રમાણે-રૂપાના ગઢથી આગળ પચાસ ધનુષ્યનું પ્રતર છે અને પ000 પગથીઆના ૧૨૫૦ ધનુષ્યો થાય છે. એ પ્રમાણે એક બાજુનું અંતર ૧૩૦૦ ધનુષનું, રૂપાસોનાના ગઢ વચ્ચે છે. તે જ પ્રમાણે બીજી બાજુનું અંતર છે. બે બાજુના વિસ્તારને એકત્ર કરીએ એટલે એક ગાઉ ને ૬૦૦ ધનુષ ઉપર કહ્યા તે થાય છે. ૫૬૬૫૬૮.
એ જ પ્રમાણે સોનાના ને રત્નના ગઢની વચ્ચેના અંતરના વિસ્તારનું માન પણ એક ગાઉ ને 600 ધનુષનું છે, તે સ્વયમેવ સમજી લેવું. ૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org