________________
જ્ઞાનાંજલિ વાપરવામાં આવે છે. એટલે કે તેઓ કોતરીને લખેલા તાડપત્રના ઉપર તે મેષને ચોપડી તેને કપડાથી સાફ કરી નાખે છે, ત્યારે કેરેલે ભાગ કાળો થઈ આખું પાનું જેવું હોય તેવું થઈ જાય છે.
કાગળ પર લખવાની શાહી– ૧–“ જિનતા કાજળ બળ, તેથી દૂણું ગુંદ ઝાળ;
જો રસભાંગરાનો ભળે, અક્ષરે અક્ષરે દીવા બળે. ૮ ૧.” २-" मष्यर्धे क्षिप सद्गुन्दं, गुन्दार्धे बोलमेव च ।
નાક્ષા–વીય–૧રસેનોવૈદ્રત્તા પ્રમાણને શા. ૩–“બીઆ બોલ અનઈ લકખારસ, કજલ જજલ (?) નઈ અંબારસ. - ભોજરાજ મિસિ નીપાઈ પાનઉ ફાઈ મિસિ નવિ જાઈ. ૧”
૪–“કાજલ ટાંક ૬, બીજાઓલ ટાંક ૧૨, ખેરનો ગુંદ ટાંક ૩૬, અફીણ ટાંક મા, અલતા પોથી ટાંક ૩, ફટકડી કાચી ટાંક છે, નિંબના ઘેટાનું દિન સાત ત્રાંબાના પાત્રમાં ઘૂંટવી.”
૫–“કાથાના પાણીને કાજળમાં નાખી તેને ખૂબ ઘૂંટવું. કાળે નાંદોદી, જે કાળો આવે છે, તે સમજવો."
૮. કાજળને કલવાય તેટલા ગૌમૂત્રમાં અને હીરાબોળ તથા ગુંદરને સામાન્ય પાતળો રસ થાય તેટલા પાણીમાં આખી રાત ભીંજાવી રાખી, ત્રણેને ત્રાંબાની કે લોઢાની કડાઈમાં કપડાથી ગાળીને એકઠાં ભેળવી, ત્રાંબાની ખેાળી ચઢાવેલા લાકડાના ઘૂંટાથી ખૂબ ઘૂંટવા. જ્યારે ચૂંટાતા ઘૂંટાતા તેમાંનું પાણી લગભગ સ્વયં શેષાઈ જાય, ત્યારે તેને સુકાવી દેવી. આમાં પાણી નાખી ભીંજાયા પછી ઘૂંટવાથી લખવાની શાહી તૈયાર થાય છે. જે ભાંગરાનો રસ મળે, તે ઉપર્યુક્ત ત્રણ વસ્તુઓ નાખતી વખતે જ નાખવો, જેથી શાહી ઘણી જ ભભકાવાળી અને તેજદાર થશે.
૯ લાક્ષારસનું વિધાન–ચોખા પાણીને ખૂબ ગરમ કરવું. જ્યારે તે પાણી ખદબદતું થાય ત્યારે તેમાં લાખો ભૂકો નાખતા જવું અને હલાવતા જવું, જેથી તેને લોંદો ન બાઝે. તાપ સખ્ત કરવો. ત્યાર બાદ દસ મિનિટે દરને ભૂકો નાખો. તદનંતર દસ મિનિટે ટંકણખાર નાખો પછી તે પાણીની અમદાવાદી ચોપડાના કાગળ ઉપર લીટી દેવી. જે નીચે ફૂટે નહિ, તો તેને ઉતારી લેવું, અને ઠરવા દઈ વાપરવું. આ પાણી એ જ લાક્ષારસ સમજવો. દરેક વસ્તુનું વજન આ પ્રમાણેઃ પાશેર સાદુ પાણી, રૂ. ૧ ભાર પીંપળાની સારી સુકી લાખ, જેને દાણલાખ કહે છે, રૂ. ભાર પઠાણી લેજર અને એક આની ભાર ટંકણખાર. જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવો હોય તે તે પ્રમાણમાં દરેક વસ્તુઓનું પ્રમાણ સમજવું. જે તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરે હોય, તો તેમાં લેટરની સાથે લાખથી પાણે હિસ્સે મજીઠું નાખવી, જેથી વધારે રંગદાર લાક્ષારસ થી કઈ કઈ ઠેકાણે ટંકણખારને બદલે પાપડિયો કે સાજીખાર નાખવાનું વિધાન પણ જોવામાં આવે છે.
૧૦. બિયારસ–બિયા નામની વનસ્પતિ વિશેષનાં લાકડાનાં છેતરાને ભૂકે કરી તેને પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે બિયારસ જાણવો. આ રસને શાહીમાં નાખવાથી શાહીની કાળાશમાં અત્યંત વૃદ્ધિ થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે જે તે રસ પ્રમાણતિરિક્ત શાહીમાં પડી જાય છે તો તે શાહી તદ્દન નકામી થઈ જાય છે, કારણ કે તેને સ્વભાવ શુષ્ક હોઈ તે તેમાં પડેલ ગુંદરની ચીકાશનો જડમૂળથી નાશ કરે છે. એટલે તે શાહીથી લખેલું સુકાઈ જતાં તરત જ સ્વયં ઊખડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org