________________
૧૪૨]
જ્ઞાનાંજલિ એ બે ગ્રંથો આમાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે, પણ બાકીના ત્રણ ગ્રંથને આચાર્યો કેરી રીતે સમાવેશ કર્યો છે એ સ્પષ્ટ રીતે સમજવું ઘણું કઠિન છે. ખાસ કરીને આજે જે બે ગ્રંથો આપણને મળતા નથી એવા સત્કર્મ અને કષાયપ્રાભૃતને સમાવેશ આચાર્યો કયે ઠેકાણે અને કેવી રીતે કર્યો છે એ સમજવાનું કે કલ્પના કરવાનું કામ તો અત્યારે આપણે માટે અશક્ય જ છે. આ સ્થિતિમાં આપણે એટલું અનુમાન કરી શકીએ કે કર્મપ્રતિ અને સંતતિકા એ બે ગ્રંથના વિષયે અતિ સ્વતંત્ર હોઈ આચાર્યો એ બે ગ્રંથને સ્વતંત્ર રીતે આમાં સંગ્રહ્યા છે અને બાકીના ત્રણ ગ્રંથનો વિષય પરસ્પર સંમિલિત થઈ જતો હોઈ તે ગ્રંથને સંમિલિત રૂપે સંગ્રહ્યા હશે.
ભગવાન શ્રી ચંદ્રર્ષિ મહત્તરે પ્રસ્તુત ગ્રંથમાં શતક આદિ જે પાંચ ગ્રંથન સંગ્રહ કર્યો છે, તે પૈકી એક પણ ગ્રંથના નામનો સાક્ષી તરીકે સ્વોપ ટીકામાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આચાર્ય શ્રી મલયગિરિની ટીકામાં કષાયપ્રાભૃત સિવાયના ચાર ગ્રંથોનો પ્રમાણ તરીકે અનેક ઠેકાણે ઉલ્લેખ થયેલું જોવામાં આવે છે. સત્કર્મનો ઉલ્લેખ તેમણે બે ઠેકાણે કર્યો છે પણ તે એક જ રૂ૫ ઈ ખરી રીતે એ એક જ ગણી શકાય. શતક, સપ્તતિકા અને કર્મ પ્રકૃતિ એ ત્રણ ગ્રંથ અત્યારે અલભ્ય હાઈ એ વિષે આપણે ખાસ કશું જાણે કે કહી શકતા નથી.
આ ઠેકાણે આપણે એટલું કહી શકીએ કે, આચાર્ય શ્રી મલયગિરિ સમક્ષ સકર્મશાસ્ત્ર વિદ્યમાન હતું, પરંતુ કષાયપ્રાભૃત ગ્રંથ તો તેમને આપણી જેમ લભ્ય નહોતે જ; નહિ તો તેઓ આ ગ્રંથનો ઉલ્લેખ કઈ ને કઈ ઠેકાણે કર્યા સિવાય રહે નહિ.
આચાર્ય શ્રી ચંદ્રર્ષિ મહત્તરે પંચસંગ્રહ ગ્રંથમાં જે પાંચ ગ્રંથોને સંગ્રહ કર્યો છે તે પૈકી શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ મૌલિક ગ્રંથ કહેતાંબરાચાર્ય કૃત જ છે એ વસ્તુ અત્યારે મળતા આ ત્રણ ગ્રંથે સાથે પંચસંગ્રહમાં સંગૃહીત વિષયની સરખામણી કરતાં નિર્વિવાદ રીતે સમજી શકાય છે. ફક્ત સત્કર્મ અને કષાયપ્રાભૃત એ બે શાસ્ત્ર, જે અત્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં લભ્ય ન હોઈ દિગંબર સંપ્રદાયમાં લભ્ય હોવાનું માનવામાં આવે છે. એટલે આચાર્ય શ્રી ચંદ્રષિએ સંગૃહીત સત્કર્મ અને કષાયપ્રાભૃત ગ્રંથે દિગંબરમાન્ય ગ્રંથો હશે કે શ્વેતાંબરમાન્ય સ્વતંત્ર ગ્રંથ હશે એ શંકા સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત થયા સિવાય રહી શકતી નથી. આનું સમાધાન સ્પષ્ટ રૂપે કરવું ધારી લઈએ તેટલું સરળ ભલે ન હોય, તે છતાં એટલી વાત તો નિર્વિવાદ છે કે પ્રસ્તુત પંચસંગ્રહ શાસ્ત્રમાં શ્વેતાંબરાચાર્ય કૃત પ્રકરણોના સંગ્રહનો જ સંભવ અધિક સંગત તેમ જ ઔચિત્યપૂર્ણ છે.
અહીં એક વસ્તુ સ્પષ્ટ કરી દેવી ગ્ય છે કે, “કષાયપ્રાભૂત એ નામ પ્રાભૃતશબ્દાન્ત હોઈ સમયપ્રાભૃત, ષાભૂત વગેરે પ્રાભૃતાન્ત ગ્રં દિગંબર સંપ્રદાયના હોઈ કષાયપ્રાભૂત ગ્રંથ પણ દિગંબરચાટ્યકૃત હોવો જોઈએ,’ એમ કોઈને લાગે; આ સામે એટલું જ કહેવું બસ છે કે, શ્વેતાંબરમાન્ય ગ્રંથરાશિમાં સિદ્ધપાહુડ, સિદ્ધપ્રાભૃત, કર્મપ્રાભૂત વગેરે ગ્રંથે સુપ્રસિદ્ધ છે, એ રીતે તાંબર સંપ્રદાયમાં કષાયપ્રભૂત ગ્રંથ હોવામાં બાધક થવાને કશું જ કારણ નથી. પંચસંગ્રહ વગેરેની જેમ સમાન નામના અને સમાન વિષયના ગ્રંથ આજે પણ લભ્ય છે.
१. ये पुनः सत्कर्माभिधग्रन्थकारादयस्ते क्षपकक्षीणमोहान् व्यतिरिच्य शेषाणामेव निद्राद्विकस्योસમિતિ તથા ર તથ:- નાદુરારા ૩૬ો, વીજ(૪) વવજે ઘરે '' તમને तेनोदीरणाऽपि इत्यादि । मुक्ता० आवृत्ति, पत्र ११६ ।
તદુ સર્મથે-“નિદ્દાદુપરત ૩૯ો, વીળાવવો ” = રર૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org