________________
આચાય શ્રી મલયગિરિ અને તેમનુ શબ્દાનુશાસન
[ ૧૮૩
રાાસને તદ્ધિતે દ્વિતીયાઘ્યાયે દ્વિતીય: વાવ: સમાપ્ત: આ મુજબની પુષ્પિકા અને તે પછી સપ્તમ-અમ આદિ પાદોની સમાપ્તિને લગતી પુષ્પિકાએ આવે છે તેને આધારે નક્કી કરી શકાય છે.
વાડીપાર્શ્વનાથના ભડારની પ્રતિ કે જે કૃત્તિ સુધી સમાપ્ત છે, તેમાં પાદસખ્યા આ પ્રમાણે છેઃ પચસ'ધિના પાંચ પાદ, નામના નવ પાદ, આખ્યાતના દેશ પાદ અને કૃતના છ પાદ. આ રીતે પાંચસ ંધિ અને ત્રણ વૃત્તિનાં મળી એકંદર ૩૦ પાદ થાય છે, અર્થાત વાડીપાર્શ્વનાથની પ્રતિ અયાયના હિસાબે અમાધ્યાય દ્વિતીયપાદ પન્તની છે એમ કહી શકાય. આમાં ખીને અઢાર પાદ જેટલે વિભાગ ઉમેરીએ ત્યારે બાર અધ્યાય પ્રમાણ મલયગિરિશબ્દાનુશાસન વ્યાકરણ સંપૂર્ણ બને. સંધવીના પાડાની ખંડિત તાડપત્રીય પ્રતિના લગભગ ૪૦૦મા પાનામાં રૂતિ શ્રીમલયાિરવિરચિતે શવાનુરાગસને તહિતે ગમ: પાયઃ સમાપ્ત: એ પ્રમાણે આવ્યું છે, એટલે તે પછીનાં પાનાંમાં ખીજા આર્ડ પાદ હાવા માટે જરાય શંકાને સ્થાન નથી. અને એ મુજબ આચાર્ય શ્રી મલયગિરિષ્કૃત શબ્દાનુશાસન બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્ત થવા વિષે પણ શકા જેવું કશું જ નથી.
આ શ્રી મલયગિરિએ પેાતાના શબ્દાનુશાસન સાથે સંબંધ ધરાવતા સ્વતંત્ર ધાતુપાઠ, ઉષ્ણાદિ ગણુ આદિની રચના કરી હેાય તેમ જણાતું નથી. એમના શબ્દાનુશાસનના અભ્યાસીઓને એ માટે તે અન્ય આચાકૃત ધાતુપાડ આદિ તરફ જ નજર કરવી પડે તેવુ છે.
શ્રી મલયગિરિસૂરિના શબ્દાનુશાસનને પટ્ટન-પાન માટે ખાસ ઉપયોગ થયા હોય તેવું દેખાતુ નથી. એ જ કારણ છે કે એની નકલા સિહહેમ વ્યાકરણની માફક વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. આમ છતાં આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પસૂત્રની ટીકાના અનુસંધાનની ઉત્થાનિકામાં શરૂનુशासनादिविश्वविद्यामयज्योतिः पुञ्जपरमाणुघटितमूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्र पिपादैविवरणकरणमुपનમે આ પ્રમાણે શ્રી મલયગિરિના શબ્દાનુશાસનની ખાસ નોંધ લીધી છે. એ ઉપરથી એમના વ્યાકરણના વિદ્વાનેમાં અમુક પ્રકારના વિશિષ્ટ પ્રભાવ તા જરૂરી હતા એમાં જરાય શક નથી.
પ્રસ્તુત વ્યાકરણગ્રંથ અપૂર્ણ હાઈ એના અંતની પ્રશિસ્તમાં શ્રી મલયગિરિએ કઈ કઈ ખાસ વસ્તુની નોંધ કરી હશે એ કહી શકાય એમ નથી. તેમ છતાં એની શરૂઆતમાં આવતા વેંતમङ्गलविधान: परिपूर्णमल्पग्रथं लघुपाय आचार्यो मलयगिरिः शब्दानुशासनमारभते या उल्लेग्नमां તેમણે પેાતાને આચા` તરીકે ઓળખાવ્યા છે. એ વસ્તુ તદ્દન નવી છે કે જે તેમના અન્ન કાઈ ગ્રંથમાંય નોંધાયેલ નથી,
આચાર્ય શ્રી ભલયગિરિસૂરિવરના શબ્દાનુશાસનને લગતી આટલી સ`ક્ષિપ્ત નોંધ લખી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે.
આ શ્રીમલયગિરિના જીવનના સ ંક્ષિપ્ત છતાં અતિવિશિષ્ટ પરિચય મેળવવા ઇચ્છનારને શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલ સૌૌ રાતવ-સપ્તતિવાળો વÆમપદૌ ર્મપ્રસ્થૌની મારી લખેલી ગૂજરાતી પ્રસ્તાવના જેવા ભલામણ છે.
[‘શ્રી જૈન સત્ય પ્રકાશ', દીપેાત્સવી અંક, ભાદરવેા-આસે, સ’. ૧૯૯૭ ]
૧. નામના નવ પાદમાં લિંગ, સ્ત્રીપ્રત્યય, કારક અને સમાસપ્રકરણના સમાવેશ કરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org