________________
જ્ઞાનપ્રભા તપસ્વિની*
શ્રદ્ધેય મહાનુભાવ મહાપુરુષોનું પરમપાવન જીવન એ, આપણી આંતરપ્રેરણા માટેનું અજોડ સાધન છે. એ શ્રદ્ધેય મહાપુરુષો સાથે નિકટતા અને એકરૂપતા સાધી તેમના ગુણાનુ આદરભાવે પૃથક્કરણ કરી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ એ જ મહાપુરુષોનુ' સાચુ' જીવનચરિત્ર અને એ જ આપણા માટે મહામૂલી વસ્તુ. આમ છતાં મહાપુરુષોનાં વન વિષે આપણે આંકેલી સીમા એ તેમના જીવનની કે જીવનચરિત્રની સીમા ન ગણાય. અપૂર્ણ માનવે, મહાપુરુષોને પેાતાની વનસીમાનાં માનદ ડથી માપેલા હાઈ ને, એ માટેતેા સાચા માનદંડ બની જ ન શકે. તેમ છતાં જીવનચરિત્રને જયારે તટસ્થ અને સાહજિક ભાવે સ્પવામાં આવે ત્યારે ગમે તે પ્રકારનું જીવનચરિત્ર પેાતાના સાચા રૂપમાં ઠીક ઠીક દીપી તેા ઊઠે જ છે. આજે એવુ જ એક સાખીશ્રીનું જીવનચરિત્ર આપણી નજર સામે આવે છે, જેમાં કૃત્રિમતા કે કૃત્રિમ ગુણાને આરેપ કરવાની વૃત્તિ આપણે શ્વેતા નથી. પેાતાના સહજ સ્વરૂપમાં એ આલેખાઈ ગયુ છે અને એથી એની આદેયતા સવિશેષ વધી પડી છે. જીવનચરિત્રની જે લાક્ષણિકતા ગણી શકાય તે આમાં અમુક અંશે સચવાઈ છે.
પ્રસ્તુત જીવનચરિત્ર સાધ્વીજી શ્રી ૧૦૦૮ શ્રી દાનશ્રીજી મહારાજનું છે. એ સાધ્વીશ્રી પંચાસ વર્ષ-અધી સદી જેટલા દીપર્યાયનું ચારિત્ર પાળીને પરલેાકવાસી થયાં છે. એમના જીવનચરિત્રના આમુખમાં એમના જીવનની હકીકતા વિષે તે અહીં મારે કશું' જ ઉમેરવાનું ન હોય, તે છતાં અમુક વસ્તુ તે। તેાંધવી જ જોઈ એ.
જે કુટુંબમાં શ્રીમતી દાનશ્રીજી મહારાજ જન્મ્યાં હતાં એ કુટુંબ સાચે જ એક બડભાગી કુટુંબ ગણાય, જેમાંથી એક પછી એક કાકા, ખે ભત્રીજા, એક ભત્રીજી, એક ભત્રીજા વહુ અને ભત્રીતએની માતાએ દીક્ષા લઈ જૈનશાસનને દીપાવ્યુ` છે અને પેાતાના આત્માનું કલ્યાણ સાધ્યું છે. શ્રીમતી દાનશ્રીજી મહારાજના જીવનમાં આપણે સહજભાવે જ્ઞાન અને ચારિત્રને વિશિષ્ટ પ્રભાવ જોઈ શકીએ છીએ, જેતે લીધે તેમના સહવાસથી પ્રતિબેાધ પામી અનેકાનેક ઉચ્ચ કુટુંબની શ્રાવિકા નાની નાની વયમાં દીક્ષિત થઈ છે. જેમણે શ્રીમતી દાનશ્રીજી મહારાજનાં દર્શન કર્યાં છે તેને તે
*‘જ્ઞાનપ્રભા તપસ્વિની સાધ્વી શ્રી દાનશ્રીજી 'તુ (પ્રયાજક : શ્રી. ફૂલચંદ હરિચ ંદ દેશી; પ્રકાશક માણેક શેઠાણી શ્રાવિકા ઉપાશ્રય, કપડવંજ, ઈ. સ. ૧૯૫૨) આમુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org