________________
અભિવાદન
[ ૧૦૭
સારરૂપ અને પંદરમે વર્ષ પહેલાં મહાન પ્રભાવક શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે કરેલ આગમસકલન જેવુ શકવર્તી અને સુદીર્ઘ કાલ સુધી ઉપકારક જ લેખાવું જોઈએ.
પ્રતિઓના નિષ્ણાત પારખુ અને ઉદ્ધારક—પ્રાચીન જીર્ણશીર્ણ હસ્તપ્રતા તે જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પેાતાની આપવીતી કહેવા લાગે છે! પ્રત નાની હોય કે મેાટી, સુરક્ષિત હાય કે છ, અધૂરી હાય કે પૂરી દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલેાકન કરે છે; અને કેાઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પરખ કરે એટલી ચીવટથી એનું મૂલ્યાંકન કરે છે. મહારાજશ્રી ગ્રંથલેખનની અને પ્રચાની સાચવણીની પ્રાચીન તેમ જ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમ જ આધુનિક વૈજ્ઞાનિક સાધનાથી પૂર્ણ પરિચિત હાવાને કારણે કયા ષ્ણે ગ્રંથના પુનરુદ્ધાર માટે કેવી માવજત કરવાની જરૂર છે તે તેએ બરાબર જાણે છે. પ્રાચીન ગ્રંથૈાના એકસરખા માપનાં સેળભેળ થઈ ગયેલાં પાનાંએમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથૈાના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથાને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા હેરત પમાડે એવી છે. ચાટીતે રોટલા થઈ ગયેલી કંઈક પ્રતે એમના હાથે નવજીવન પામી છે. પ્રતિએના ઉદ્ધારના તેએના આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનેા પણ સમાવેશ થાય છે. મતલબ કે જે રીતે બને તે રીતે તે પ્રાચીન પ્રતાને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરતા જ રહે છે.
ગ્રંથભ‘ડારાના ઉદ્ધાર્-મહારાજશ્રી તથા એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડાદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સ`ખ્યાબંધ ગ્રંથભડારાને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીએ તૈયાર કરી આપી અને કેટલાકની સવિસ્તર સૂચીએતે મુદ્રિત કરી આપી; વળી કયાંક રેપરા, બંધના, ડાબડા કે પેટીએ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારાને નામશેષ થતા બચાવી લીધા છે. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી છે, અને જે કષ્ટસાધ્ય વિહારા કર્યા છે, તે બીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સેાનેરી અક્ષરે અ ંકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારાની સાચવણી માટે સાળ-સાળ મહિના સુધી તેએએ જે તપ કર્યું છે, એને ઇતિહાસ તા જેવા પ્રેરક છે એવા જ રોમાંચક છે. આ કામાં જેમ અનેક મુશ્કેલી આવી તેમ એમાં સહાયકે પણ આપમેળે આવી મળ્યા હતા. જેસલમેરના ભંડારના ઉલ્હારના અનુસંધાનમાં ત્રણ બાબતે વિશેષ નોંધપાત્ર બની તેને નિર્દેશ અહીં કરવા પ્રસ ંગેાચિત છે.
(૧) વિ. સ’. ૨૦૦૬ના કારતક વિષે સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યાં. એ વખતે શેડ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરમતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તેએ જેસલમેર જઈ ને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયુ. ઉપરાંત કયારેક તેને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચ'દ્રાચાર્ય' જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારાના રક્ષણ અને ભારતીય સ'સ્કૃતિ તથા જૈન સ`સ્કૃતિના અધ્યયન માટે કઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સ'સ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપનામાં આવ્યું.
(૨) જેસલમેરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુ ંજથી તેએએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યાં. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને ન જોયુ. અને ગરનાળાથી ૧૫–૧૭ ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org