________________
[ ૨૫૭
જેસલમેર પવધારા
રા. રા. સી. ડી. દલાલે જે ગ્રંથોનાં પાનાંઓ સંખ્યાબંધ નોંધ્યાં છે તે, મને લાગે છે કે, અમુક પાનાનો નંબર જોઈ એ નોંધ્યો છે. ઉ.ત. કુત્તત વક્રોક્તિજીવિતનાં પાનાં તેમણે ૩૦૦ નોંધ્યાં છે. આજે એનાં પાનાં માત્ર ગણતરીનાં છે. અને ત્રુટક પોથીઓ અને જેટલી ખોલી તે બધીઓમાંથી એક-બે-ચાર પાનાં મળતાં જ રહ્યાં છે. છેવટે નાના ટુકડા પણ હાથ લાગ્યા છે. અને ઉપર જણાવેલ કચરામાંથી પણ ૫-૧૦ પાનાંના મોટા ટુકડાઓ હાથ લાગ્યા છે. આચારાંગચૂર્ણિ વગેરે સંખ્યાબંધ ગ્રંથો ઓળખી ન શકાવાને કારણે નોંધ્યા સિવાયના જ રહ્યા છે. અને અધૂરા ગ્રંથોનાં નામે વગેરે નોંધ્યા સિવાય જ રહી ગયું છે. બે ચાર્જિક ગ્રંથો
- બે ચાચિક ગ્રંથ અહી છે, જે પૈકીનો એક ગ્રંથ પદ્યસૂરિકૃત છે, અને બીજો જિનપતિસૂરિ કૃત આ બને ગ્રંથનો વિષય એ છે કે આશાપલ્લીમાંના ઉદયનત જૈન મૂર્તિઓ વંદનીય ખરી કે નહીં? જિનપતિસૂરિએ એ પ્રતિમાઓ વંદનીય ન હોવાનું પુરવાર કર્યું છે, જ્યારે શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તે વંદનીય હોવાનું પુરવાર કર્યું છે. આ બન્નેય ગ્રંથોનાં નામ સી. ડી. દલાલના લિસ્ટમાં નોંધાયા જ નથી. પણ એક ભ્રામક નામ તરીકે જ તે નોંધાયેલ છે. આવાં આવાં તો ઘણું નામો ભ્રામક છે અને કેટલાંય નેંધાયાં નથી. દાર્શનિક ગ્રંથાને નાશ
અહીંના ભંડારોમાં જે દાર્શનિક ગ્રંથો છે તે તો મોટે ભાગે ભાંગીને ભૂક્કો જ થઈ ગયા છે, અને એ બધીય નકલે બારમા-તેરમા સૈકામાં લખાયેલી છે. પાછળના જમાનામાં દાર્શનિક ગ્રંથો તરફની રસવૃત્તિ તૂટી ગઈ અને ચરિત્રો તરફનો ઝોક વધતો ગયો તેમ તેમ આ સાહિત્ય વીસરાતું ગયું અને તેની નકલ કરવા પ્રત્યેની ઉદાસીનતા પણ પરિણામે આજે આપણા ભંડારોમાંથી અનેકવિધ સાહિત્ય નષ્ટ થઈ ગયું. વાદિદેવસૂરિ, આચાર્ય મલયગિરિ, આચાર્ય હેમચંદ્ર, શીલાંકાચાર્ય, માલધારી હેમચંદ્રાચાર્ય વગેરે પોતાના ગ્રંથોમાં જે દાર્શનિક વગેરે સાહિત્યગ્રંથની નેંધ કરે છે એ ગ્રંથનું નામનિશાન આજે આપણે ત્યાં નથી. જૈનોની જ્ઞાનભક્તિ અને ઉદારતા
છતાંય આપણે આનંદ માનવા જેવું છે કે તૂટીફૂટી હાલતમાં પણ આજે આપણી જ્ઞાનભંડારોને લીધે એ સાહિત્ય અને એના વિશિષ્ટ અવશેષો સચવાઈ રહ્યા છે. જેની પ્રજાએ જેમ જ્ઞાનભક્તિ નિમિત્તે કેટલુંક બગાડયું છે તેમ, આપણે જ્ઞાનભક્તિ નિમિત્તે સાચવી પણ ઘણું જાણ્યું છે. સર્વદેશીય ગ્રંથ
ગ્રહ જેન ભંડારે સિવાય બીજે જ મુશ્કેલ છે. જેન ભંડારોની વિશેષતા અને મહત્તા હોય તો તે એ જ છે કે, “ મિયાત લાગી જશે” એવા તુચ્છ વિચારપ્રવાહને ક્યારેય પણ જેનોએ અને જૈનાચાર્યોએ પ્રાચીન યુગમાં સ્થાન નહોતું આપ્યું અને સંગ્રહની દષ્ટિએ આજે પણ અપવાદ બાદ કરીએ તો એ જ બેય ચાલું છે. આગમોની પ્રાચીન પ્રતિ
જૈન આગમોની, સંશોધનમાં કામ આવી શકે તેવી કેટલીય પ્રાચીન પ્રતિઓ છે કે જે તેરમા સૈકાના પૂર્વાર્ધમાં લખાયેલી છે. આ પ્રતિઓ જ વાસ્તવિક રીતે આપણું આગમોના સંશોધન માટે આધારસ્તંભ છે. ખંભાત, પાટણ વગેરેમાં પણ આગમગ્રંથની એવી ઘણી પ્રતિઓ છે, જે સંશોધન માટેના આધારસ્તંભ સમાન છે. જ્ઞાનાં. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org