________________
૨૫૮ ]
જ્ઞાનાંજલિ અત્યારે તો ભંડારને તપાસવાનું અને વ્યવસ્થિત કરવાનું કામ ચાલે છે, એટલે સંશોધનકાર્ય સ્થિગિતપ્રાય જેવું છે; છતાંય સહજસાજ ચાલે જાય છે.
અમારા પ્રદર્શનનું જેમણે દર્શન કરવું હોય તેમણે તે એક મહિનામાં જ જેસલમેર આવવું જોઈએ. ધર્મકાર્યમાં આદર રાખશો, દેવદર્શનમાં સંભારશે. ધર્મરનેમાં ઉમેરો કરશો,
દ. પુણ્યવિ. તરફથી સસ્નેહ ધર્મલાભ.
[ “ જન' સાપ્તાહિક, તા. ૩૦ એપ્રિલ, ૧૫૦ ]
(૨) [ સં. ૨૦૦૬ના વૈશાખ સુદ ૧૦ના રોજ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી] સાથીઓને ભેટે અને વિહારયાત્રાની સમીક્ષા
તમે છેલ્લા છેલ્લા સાબરમતી મળ્યા તે પછી અમે સતત વિહાર કરીને, ધાર્યા સમયે, જેસલમેર પહોંચ્યા તો ખરા જ. અમારે જે દિવસે જેસલમેરમાં પ્રવેશ હતો તે દિવસે જે બનાવ બન્યો તેથી તમને આનંદ અને આશ્ચર્ય થશે. ભાઈ ફતેચંદ બેલાણી, પંડિત અમૃતલાલ, ભાઈ નગીનદાસ અને ભાઈ ચિમનલાલ વગેરે, જેઓ જેસલમેર મારી સાથે રહી કામમાં મદદ કરવાના હતા, તે બધાય અમારી કામ કરવાની પુસ્તકાદિની સમગ્ર સામગ્રી સાથે મોટરમાં આવી પહોંચ્યા. અને લગભગ જેસલમેર સાત માઈલ જેટલું દૂર હશે તે સ્થળે આવીને અમને ભેટી ગયા. અને બધાય મોટરમાંથી ઊતરી પડ્યા. અણધારી રીતે જંગલમાં મંગલની જેમ અમારા સૌનો ભેટો થયે એથી અને અણધારી રીતે અમારી સમગ્ર સામગ્રી અમારી સાથે જ પહોંચી એથી અમારા સૌના આનંદનો પાર ન રહ્યો. અમારા સૌને માટે આ પ્રસંગ એક મંગળરૂપ જ હતે. અમારે સૌએ ક્યાં રહેવું ? કાર્યક્રમ કેમ ગોઠવે ? અને એકબીજાએ કેવી વ્યવસ્થા કરવી ?—એની સત્વર ગોઠવણ થઈ ગઈ અને નિશ્ચિતપણે એક પણ ઘડી કે મિનિટ બગાડડ્યા વિના અમારા દરેક કામની ગોઠવણ થઈ ગઈ
જંગલના વચમાં અમને ભેટી જતાં સૌ મોટરમાંથી ઊતરી પડ્યા અને વિનયવંદન વિધિ પતાવીને સૌ સાથે ચાલવા તૈયાર થઈ ગયા, પરંતુ સાથે પુસ્તકાદિ સામાનથી ભરચક લદાયેલી આખી મોટર હતી તેની વ્યવસ્થા કરવાની હોઈ ભાઈ બેલાણી અને અમૃતલાલ પંડિત અમારી સાથે રહ્યા અને બીજાઓ મોટરમાં બેસી જેસલમેર આગળ આવી પહોંચ્યા અને અમે સાધુઓએ અને ભાઈ બેલાણી વગેરેએ બરાબર માહ શુદિ ૧૫ ને દિવસે સાંજના સયાચાર અને સાડાચારના વચમાં જેસલમેરના દરવાજામાં પ્રવેશ કર્યો. અમારું આ મુહૂર્ત ગમે તેવું હોય પણ અમારા માટે તો એ સમય અત્યંત મંગળમય મુહૂર્તરૂપ જ હતો કે જે સમયે અમે અમારી વિહારયાત્રા નિર્વિધનપણે સમાપ્ત કરી હતી. સતત ઉગ્ર અને લાંબો વિહાર
અમારા વડીલ પૂજ્ય મેઘવિજયજી મહારાજજી અને શ્રી રમણીકવિજયજીની તબિયત રસ્તામાં શિથિલ થઈ હતી, તેમ છતાં સૌએ સત્સાહપણે અવિરત વિહાર કર્યો જ રાખ્યો હતો. હું તે ધર્મપસાથે મારી સહજ સ્થિતિએ જ આ તરફ આનંદથી વિહાર કરીને આવ્યો છું. વિહાર અમારા લગભગ ચૌદ-પંદર માલિના તો ઘણા જ થાય છે અને છેલા વિહારે તો સોળ અને અઢાર માઈલને જ હતા છતાં અમારા ધાર્યા પ્રમાણે નિર્વિદનપણે અમે જેસલમેર પહોંચ્યા અને તે ઉપરાંત અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org