________________
અભિવાદન
[ ૯
એ રીતે હું એક કાપીન સિવાય બીજી કોઈ વસ્ત્ર ધારણ નહીં કરવાની ટૈગંબરી જીવનચર્યાનું અનુશરણુ કરનાર બટુક સંન્યાસી બન્યા. પરંતુ ૬-છ મહિના પછી, એ ખાખી બાવાનાં દુરિત્રા જોઈ મને ભયજનક ત્રાસ થયા; અને એક અંધારી મધ્ય રાત્રીએ હું એના ટાળામાંથી જીવ લઈ ને નાસી છૂટયો. ત્યાર પછી વિ. સ. ૧૯૫૯ના આસે માસમાં જૈન સંપ્રદાયના સ્થાનકવાસી તપસ્વી સાધુને પરિચય થતાં એ સામાર્ગની દીક્ષા લીધી, જેનું મે ૭-૮ વર્ષ સુધી બરાબર પાલન કર્યું. પરંતુ એ દરમ્યાન મને જે તીવ્ર જ્ઞાનપિપાસા થવા લાગી તેની તૃપ્તિ એ સંપ્રદાયમાં પૂર્ણ થાય તેવુ ન લાગવાથી હું જે માગે જવાથી મારી જ્ઞાનવૃદ્ધિ થાય તે માની શોધમાં પડયો અને અ ંતે એ સંપ્રદાયના સાધુવેશને પણ મે પરિત્યાગ કર્યાં. તે પછી સંવત ૧૯૬૫ના માગશર માસમાં, ઉક્ત રીતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સપ્રદાયના સંવિગ્ન માની દીક્ષા ગ્રહણ કરી. અને આ શરીર તે દિવસથી મુનિ જિનવિજયના નામે ઓળખાવા લાગ્યું. પરંતુ મારા કોઈ અજ્ઞાત પ્રાયેાગના બળે ૭–૮ વર્ષ પછી મેં એ સપ્રદાયના સાધુવેશને પણ પરિત્યાગ કર્યો, અને એ દીક્ષિત વનથી ઉપરત થયા. કેવળ મુનિ જિનવિજયજી એવું નામ આ શરીરને વળગી રહ્યુ અને તેથી જ લોકો મને ‘મુનિજી’ તરીકે ઓળખ્યા કરે છે. એ વખતે મે દેશસેવાની અને સાહિત્ય ઉપાસનાની ચાથી દીક્ષા લીધી, અને હું સાધુવનના માર્ગ કરતાં અન્ય ભાગે પ્રવૃત્ત થયા. તે પછી હું માત્ર નામને મુનિ રહ્યો.
એ દષ્ટિએ જ્યારે હું મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના પુણ્યમય છું, ત્યારે એમના એકસરખી રીતે ચાલ્યા આવતા પવિત્ર વન વિશે શ્રદ્ધા ભરેલી લાગણી ઊભરાઈ આવે છે. ૬૦ વર્ષ જેટલા એમના લાંબા કલ્પના અને અનુભૂતિ છે. એમનુ` સાધુજીવન ગ`ગાના પ્રવાહની માફક અને ઉત્તર।ત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરતું વહેતું રહ્યું છે.
જીવનનું સિંહાવલેાન કરું મારા મનમાં એક અનન્ય દીક્ષાપર્યાયની મતે પરિપૂર્ણ સતત, શાંત, સ્થિર, નિર્મૂળ
એક મેટા વિદ્વાન હોવા છતાં એમણે પેાતાની વિદ્વત્તાનું પ્રન કરવાની દૃષ્ટિએ કયારેય કરશે પ્રયત્ન કર્યાં નથી. જૈન સાધુસમાજના એક વિશિષ્ટ સમાન્ય અને અગ્રણી સાધુપુરુષ હાવા છતાં પેાતાની મહત્તા પ્રદર્શિત કરવાની એમણે કશી પ્રવૃત્તિ કરી નથી. પેાતે આટલા મોટા વિદ્વાન અને અનેકજનવન્તતીય મુનિ હોવા છતાં કોઈ પણ ભાવનાશીલ ગૃહસ્થ કે વિદ્વાનને ત્યાં એકલા જ પહેાંચી જવાની એમની ટેવ એમની સરળતાની દ્યોતક છે. પોતાના સંપ્રદાયના નિયમેનું સારી રીતે પાલન કરતાં છતાં તેઓ અન્ય સંપ્રદાયના કોઈ સાધુએ પ્રત્યે કે તેમના ભિન્ન આચાર-વિચાર પ્રત્યે કયારેય અનાદર બતાવતા નથી. એ રીતે તેઓશ્રી સમદર્શી સાધુપુંગવ છે, એમ જ કહેવુ જોઈ એ. પેાતાના સંપ્રદાયના જે રૂટ વિચારા એમને ઉચિત ન લાગતા હાય, તેનું અનુસરણ કરવાની એમની વૃત્તિ હોતી નથી; અને એ માટે કોઈ કશી ટીકા-ટિપ્પણી કરે તે તેએ તેના પર કશું લક્ષ્ય આપતા નથી કે તેને કશે। પ્રતિવાદ પણ કરતા નથી. નવા નવા જ્ઞાનભડારા જોવાની, એ ભંડારામાં છુપાઈ રહેલા વિવિધ વિષેાના અજ્ઞાત અને અલભ્ય-દુર્લભ્ય ગ્રંÀા જેવા–તપાસવાની એમને હમેશાં તીવ્ર ઉત્કંઠા હાય છે. અને એ માટે શારીરિક સ્વાસ્થ્યની પરવા કર્યાં વગર લાંબા લાંબા વિહાર પણ એ કર્યા કરે છે. સાહિત્યને પ્રકાશમાં લાવવાની એમના જેવી તીત્ર ઉત્કંઠા કોઈ પણ જૈન સાધુમાં મેં જોઈ નથી. જે કૈાઈ સાહિત્યપ્રિય સાધુ કે ગૃહસ્થ એમની પાસેથી પેાતાના કાર્યમાં જે કાઈ પ્રકારની સહાયતાની અપેક્ષા રાખતા હોય છે, તેમને યથાયોગ્ય સહાયતા આપવાની ઉદાર વૃત્તિ તેઓ હમેશાં
દાખવતા હોય છે.
જે દિવસથી અમે પ્રથમ વાર સમાગમમાં આવ્યા અને અમારી વચ્ચે સ્નેહભાવની ગ્રંથી 'ધાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org