________________
જેસલમેર પત્રધાર
[ ૨૬૭ એવી છે કે મેળવી લીધા વિના ચાલે જ નહિ અને બીજે આપણને આવાં કે તેવાં પ્રત્યન્તરે જ મળશે નહિ. એટલે અહીં જે હોય કે છે તેનું કામ કરી અહીં કરી લેવું, જેથી આપણો માર્ગ સરળ બની જાય.
અત્યારે અહીં સામાન્ય ગરમી છે. લૂ વગેરે કશું જ નથી, તેમ જ અમે એક સ્થળે સ્થાયી થઈને બેઠા છીએ, એટલે ગરમી અમને સતાવે તેમ નથી. જેસલમેરમાં બાર મહિનાના ધાબાનું નક્કી કરીને જ આવ્યા છીએ.
ભંડારને સુરક્ષિત કરીશું, પુસ્તકોનું સંશોધન બરાબર કરીશું, તે બાદ જ નીકળીશું. ન્યાયકંદલી વગેરે ઘણું ઘણું ગ્રંથની પ્રાચીન નકલે અહીં છે. તત્ત્વસંગ્રહની નકલ અહી બારમી સદીની છે, એને પણ અમે મેળવી લઈશું.
કાવ્યકલ્પલતાવિવેકની અહીં પ્રતિ છે, એ વિવેક કયા ગ્રંથ ઉપર છે તે ખબર પડતી નથી. વિવેક ગ્રંથ પણ જૈન છે અને તે જેના ઉપર છે તે ગ્રંથ પણ જૈન હોવો જોઈએ. પણ તે તે ખબર પડી નથી. અમરચંદ્રની વિકલ્પલતા નથી, કારણ કે વિવેકની પ્રતિ સં. ૧૨૦૫ માં લખાયેલી છે. અમરચંદ તેરમાના ઉત્તરાર્ધના વિદ્વાન છે. વિવેક મળ્યો છે. કવિકલ્પલતા મળી નથી, તેનો પ્રારંભ આ પ્રમાણે છે:
यत् पल्लवे न विवृतं दुर्बोधं मन्दबुद्धिभिश्चाऽपि ।
क्रियते कल्पलतायां तस्य विवेकोऽवमतिसुगमः ॥१॥ દૂરંકસાવતિ . “વોતપોત ચત્ર કુચંદ્રમણવર ” રૂતિ છે ઇત્યાદિ છે.
આથી કલ્પલતા મૂળ ગ્રંથ છે, જેના ઉપર પલ્લવ અને તે બનેય ઉપર વિવેક છે. વિવેઝનું બીજું નામ પડ્યું પણ છે. અત્યારે તો કેપી તૈયાર થઈ ગઈ છે.
અમે તો અત્યારે બધે વિશિષ્ટ સંચય કરી રહ્યા છીએ. પછી બધુંય થઈ પડશે. શ્રીધરની ન્યાયકંદલી આપના સંગ્રહમાં છે ? હોય તો મેળવવા કામ આવે. મારા પાસે નથી, તેમ મળતી નથી. હોય તે અવસરે મોકલાવવા કરશે. પ્રમાક્ષમાં પણ અસલ પ્રતિ છે તે પણ મેળવી લઈશું. બનશે તેટલું અમે બધા કરી લઈશું તે જાણશો. ખાસ સુચવવા જેવું હોય તે જણાવશે.
ઘનિર્યુક્તિદ્રોણવૃત્તિ ૧૧૧૭ ની લખેલી છે. એ રીતે બીજા ગ્રંથનું છે. આવા ગ્રંથો મેળવ્યા સિવાય કેમ રહેવાય ? અમે અહીંથી ત્રીજે વર્ષે ગૂજરાત પહોંચવા ધારીએ છીએ અને આગમનું કામ વેગવાન ચાલે તેમ સંકલ્પ. દ્વાદશાર પણ તે અરસામાં છપાય તે ઈષ્ટ છે.
વિશેષ હવે પછી લખીશ. હમણાં જે ભાઈએ અહીંયાં ખર્ચ માટે રૂ. ૨૫,૦૦૦ ઘરખર્ચ ખાતે લખીને આપ્યા છે તે આવ્યા છે. તે પણ જોવા-સાંભળવાની ઈંતેજારીથી આવ્યા છે.
[જૈન' સાપ્તાહિક, તા. ૯ જુલાઈ, ૧૯૫૦ ]
[૫] - જેસલમેર-મુનિ પુણ્યવિજય.
અમલનેર-મુનિશ્રી જબુવિ. યોગ્ય સુખસાતા. હું ધર્મ સાથે આનંદમાં છું. તમે પણ થશો. તમારા પત્રે બધા જ મળી ગયા છે. મારી પ્રકૃતિ તદ્દન સ્વસ્થ છે.
અહીંનું પુસ્તકની ફોટોગ્રાફીનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. તમે મોકલાવેલ નયનચક્રની B પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org