Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 512
________________ અભિવાદન [ ૧૯ કે સમજાવી શકતા નથી, તેથી તે નહિ જ હોય એમ શી રીતે મનાય ? એટલું તો ચોક્કસ લાગે છે કે મહાન આમિક આચાર્યોને યુગે યુગે પ્રગટ થતા જ્ઞાન-પુરુષાર્થ આપણું સમયમાં આગમપ્રભાકરના વ્યક્તિત્વમાં સુરેખ અભિવ્યક્તિ પામે છે. મારા અનુભવેલા આગમપ્રભાકર પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી સંસારી અવસ્થામાં, સં. ૧૯૮૪ના જેઠ સુદમાં હું પાટણ ગયે હતો. પૂ. પુણ્યવિજયજી મહારાજનાં દર્શન પ્રથમ વાર થયાં હતાં એવું મરણ છે. જેઠ વદમાં મારી દીક્ષા કપડવંજમાં મુનિ રાજશ્રી ઉત્તમવિજયજી પાસે થઈતે પછી, સં. ૧૯૮૫માં વિહાર કરીને વડી દીક્ષા માટે વડીલ ગુરુવર્યોની સાથે હું પાટણ ગયો ત્યારે મારા ગુરુ શ્રી ઉત્તમવિજયજી મહારાજ ગોધરાથી ચોમાસું કરીને મહેસાણુ પધાર્યા હતા. મારી વડી દીક્ષા વખતે તેઓશ્રીનો પત્ર પૂ. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ ઉપર આવ્યો કે “ સુભદ્રવિજયજીને શ્રી નેમવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા અપાવો.” પૂ. પુણ્યવિજ્યજી મહારાજ, જેઓ એ વખતે યુવાવસ્થામાં હતા તેમણે પણ આ સૂચનને અનુમોદન આપ્યું અને નામ ચંદનવિજય રાખી અને શ્રી નેમવિજયજી મહારાજનો શિષ્ય બનાવડાવ્યું. આ ભાગ્યવાને મને અને મારા ગુરુજીને અનેક ધાર્મિક અને વિદ્યાકીય પ્રસંગોએ દીર્ધ દૃષ્ટિ પૂર્વક મૂલ્યવાન સહાય કરેલી છે. મારી અને શ્રી રમણિકવિજયજીની પંન્યાસ પદવી કેટલાંક વર્ષ પહેલાં વડોદરામાં એકસાથે થઈ તે સમયે ઊઠે ચોમાસે લાંબા વિહાર કરી તેઓ પધાર્યા હતા, એ પ્રસંગે વડોદરાના સંઘે તેઓને “આગમપ્રભાકર 'ની પદવી ભક્તિપૂર્વક આપી હતી, જેને સમસ્ત જૈન સમાજે અને ભારતીય વિદ્વાનસમૂહે હાર્દિક અનુમોદન આપ્યું છે. શ્રી આગમપ્રભાકરજી જ્ઞાન-ધ્યાનમાં, ભણવા-ભણાવવામાં અપ્રમત્ત રહેનાર અને પરોપકાર માટે સદા પ્રયત્ન કરનાર છે એ મેં પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું છે. કેઈ સાધુ-સાબી બિમાર હોય કે તેમને કઈ વસ્તુનો ખપ હોય ત્યારે તેમની જરૂરિયાતો કોઈ શ્રાવકને ઉપદેશ આપી તેઓ પૂરી કરે છે. એમનાં વ્યાખ્યાને હંમેશાં તત્ત્વશીલ હોય છે. સાધુ-સાધ્વીને કે શિષ્યોને ભણાવે ત્યારે ખૂબ ઝીણવટથી, દાખલા-દલીલે સાથે સમજાવીને ઝીણવટથી તેઓ વાચના આપે છે. અને પ્રાચીન ગ્રન્થોના સંશોધનનું તેમનું કામ તો સતત ચાલુ જ હોય છે. આટલી પાકટ વયે પણ કામને થાક જેવી વસ્તુ એમનામાં દેખાતી નથી. તેમણે વડીલ ગુરુ અને દાદાગુરુ પાસેથી જે વારસો લીધો છે એને ખૂબ વધાર્યો અને વિકસાવ્યો છે. આવા સતત કાર્યશીલ થોડાક જ મુનિવરે સમાજમાં જોવા મળે मुनि श्री पुण्यविजयजी : ओक ज्योतिर्मय व्यक्तित्व पू. उपाध्याय श्री अमरमुनिजी, आगरा श्रमण भगवान महावीरने मानवके आन्तरिक व्यक्तित्वका विश्लेषण करते हुए श्रेष्ठ , afસ્વા સક્ષણ વતાયા હૈ: “કુર્ણ ” एक ही व्यक्तित्वमें श्रुत और शीलका समन्वय, प्रज्ञा, श्रद्धा और कर्मनिष्ठाका सम्मिलन दुर्लभ है, अति दुर्लभ है। इस दुर्लभताको सुलभ करने वाला व्यक्तित्व वस्तुतः श्रेष्ठ एवं विलक्षण है, मिट्टीके धरातल परका ज्योतिर्मय रत्न है । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610