________________
પૂજ્યપાદ દાદાગુર પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ
[ ૨૮૩ હોવા છતાં મહાવીર જયંતીના પ્રસંગે જે સાર્વજિક વ્યાખ્યાન આપ્યું, તેથી મને લાગ્યું કે ભારતમાં હજી પણ રૂષિતેજ જાગતું છે.”
આવો જ એક બીજો પ્રસંગ પણ અહીં નોંધવા જેવો છે. ભારતીય કળાના અભ્યાસી શ્રી એન. સી. મહેતા (શ્રી નાનાલાલ ચીમનલાલ મહેતા) એક વાર દાદાગુરુશ્રીને મળવા પાટણ આવેલા. મારી યાદ પ્રમાણે તેઓ પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે આવ્યા હતા. શ્રી મહેતા પૂજ્ય દાદાગુરુશ્રી તથા શાંતિમૂર્તિ પૂજ્ય હંસવિજયજી મહારાજ-એ ત્રણેએ એકાંતમાં લાંબા વખત સુધી વાતો કરી. એ પછી આ બે સંતપુરુષોની પોતાના ચિત્ત ઉપર પડેલી છાપ અંગે તેઓએ કંઈક એવી મતલબનું કહેલું કે સામાન્ય રીતે હું બીજાઓથી ભાગ્યે જ અંજાઉં છું, પણ આ બે સાધુપુરુષોથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું. બને ઋષિ જેવા કેવા સૌમ્ય, અને શાંત છે!
વિહાર પૂજ્ય દાદાગુરુશ્રીએ જ્ઞાનભંડારોના ઉદ્ધાર આદિને પોતાનું એક જીવનકાર્ય માનેલું હોવાથી મોટે ભાગે તેઓને એ કાર્યમાં જ ઓતપ્રોત રહેવું પડતું, અને તેથી તેઓ વિહાર ઓછો કરી શકતા. છતાં તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશમાં વિચારીને ત્યાંની ભૂમિને પવિત્ર કરી હતી અને ત્યાંની જનતાને પોતાની સમદર્શી સાધુતાને લાભ આપ્યો હતો. જ્ઞાનભંડારોના ઉદ્ધારની દષ્ટિએ પાટણ તો તેઓશ્રીની કર્મભૂમિ જ બન્યું હતું.
ગ્રંથના તેઓશ્રીએ ખાસ કઈ સ્વતંત્ર ગ્રંથની રચના નથી કરી. તે છતાં તેઓએ જૈન તત્ત્વસાર નામના ગ્રંથનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો, જે છપાઈ ગયું છે. પણ તેની આત્મશુદ્ધિની અને પ્રભુના માર્ગનું અનુસરણ કરવાની તીવ્ર ઝંખના અને પોતાના દોષોના દર્શનથી થતી વેદના તેઓશ્રીની સ્તવન, સજઝાય અને વૈરાગ્યપદે રૂપ કાવ્યકૃતિઓમાં જોવા મળે છે. આ કૃતિઓ સંખ્યામાં ભલે ઓછી હોય પણ, પહાડમાંથી નીકળતી સરિતાની જેમ સંવેદનશીલ અંતરના ઊંડાણમાંથી સહજપણે પ્રગટેલી હોવાથી. ગુણવત્તામાં ચડિયાતી છે. તેઓશ્રીની આ હૃદયસ્પર્શી કાવ્યકૃતિઓ “આત્મકાંતિ પ્રકાશ' નામે પ્રસિદ્ધ થયેલી છે. એમ કહેવું જોઈએ કે અંતરસ્પર્શી જ્ઞાનરસ એ તેઓને જીવનરસ હતો. જ્યારે શરીર અશકત થઈ ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, ત્યારે પણ કઈને કઈ વાચકને પાસે રાખીને તેઓ નિરંતર શાસ્ત્રશ્રવણ કરતા જ રહેતા; એમાં તેઓ દુઃખમાત્રને વીસરીને આત્મિક આનંદનો અનુભવ કરતા. કયારેક મનમાં કઈ કવિતા ફુરી આવે તો પાસે રાખેલી સલેટ ઉપર મોટામેટા અક્ષરેથી ટપકાવી લેતા.
ઉપસંહાર દાદાગુરુશ્રીના ગુણોનું સ્મરણ અને સંકીર્તન કરતાં થાક તો મુદ્દલ લાગતો જ નથી, અને એક પરમ ઉપકારી મહાપુરુષના ઉપકારનું સ્મરણ કરતાં ચિત્ત અને આલાદ અનુભવે છે, પણ હવે આ ધર્મકથા પૂરી કરું.
આ ધર્મકથાને પૂરી કરતી વખતે એક પાવન પ્રસંગ યાદ આવે છે. દાદાગુરુશ્રીની બીમારીના છેલ્લા દિવસો હતા. એમને સાથળ ઉપર ગૂમડું થઈ આવ્યું, તે ફૂટયું તો ખરું, પણ કઈ રીતે ૨ઝાય નહીં. મને થયું, હવે સ્થિતિ ગંભીર છે. આમ તો એમને શાતા પૂછવાનો મારો ક્રમ ન હતો –પૌત્ર દાદાને શી શાતા પૂછે? પણ તે દિવસે તેઓની પાસે જઈને પૂછ્યું : “કેમ સાહેબ, શાતા છે ને ?” દાદાગુરુશ્રીએ આખું સ્મિત કરીને મારા શરીરે વાત્સલ્યભર્યો હાથ ફેરવતાં કહ્યું : “નાનું સરખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org