________________
કમરન્થનું સંપાદન
(૧૪૯ - અહીં સાથે સાથે એ વાત ધ્યાનમાં રહે કે મહત્તર પદ અને ગર્ગષિ, સિદ્ધર્ષિ, પાર્ષિ, ચન્દ્રષિ આદિ જેવાં ઋષિપદાંત નામો સામાન્ય રીતે પાછલા જમાનાના હોઈ સિત્તરિ પ્રકરણની રચનાને સમય અને ચન્દ્રષિ મહત્તર એ નામનો સંબંધ પણ વિષમતાભર્યો છે એ કારણસર પણ સિત્તરિના પ્રણેતા ચન્દ્રષિ મહત્તર કરતા નથી.
સિત્તરિ પ્રકરણકાર વિષે આ કરતાં વિશેષ અમે અત્યારે કશું જ કહી શકતા નથી. ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ
સિત્તરિ ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી મલયગિરિ છે એ આપણે ટીકાના અંતમાં આવતા નામલેખ પરથી જાણી શકીએ છીએ. એમનો શક્ય પરિચય અહીં કરાવવામાં આવે છે.
ગુણવંતી ગુજરાતની ગૌરવવંતી વિભૂતિ સમા, સમગ્ર જૈન પરંપરાને માન્ય, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ પ્રતિબોધક મહાન આચાર્ય શ્રી હેમચન્દ્રના વિદ્યાસાધનાના સહચર, ભારતીય સમગ્ર સાહિત્યના ઉપાસક, જૈનાગમજ્ઞશિરેમણિ, સમર્થ ટીકાકાર, ગુજરાતની ભૂમિમાં અશ્રાંતપણે લાખ શ્લેકપ્રમાણુ સાહિત્યગંગાને રેલાવનાર આચાર્ય શ્રી મલયગિરિ કોણ હતા ? તેમની જન્મભૂમિ, જ્ઞાતિ, માતા, પિતા, ગચ્છ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ વગેરે કેણ હતા ? તેમના વિદ્યાભ્યાસ, ગ્રંથરચના અને વિહારભૂમિનાં કેન્દ્રસ્થાન ક્યાં હતાં ? તેમને શિષ્ય પરિવાર હતો કે નહિ ?-ઈત્યાદિ દરેક બાબત આજે લગભગ અંધારામાં જ છે. તે છતાં શોધ અને અવલોકનને અંતે જે કાંઈ અલ્પ–સ્વલ્પ સામગ્રી પ્રાપ્ત થઈ છે, તેને આધારે એ મહાપુરુષનો અહીં પરિચય કરાવવામાં આવે છે.
આચાર્ય શ્રી મલયગિરિએ પોતે પોતાના ગ્રંથના અંતની પ્રશસ્તિમાં “રવાર મત્તાજિરિ, fiદ્ધ તેનાથતાં તા:” એટલા સામાન્ય નામોલ્લેખ સિવાય પિતા અંગેની બીજી કોઈ પણ ખાસ હકીકતની નોંધ કરી નથી. તેમ જ તેમના સમસમયભાવી કે પાછળ થનાર લગભગ બધાય ઐતિહાસિક ગ્રંથકારોએ સુદ્ધાં આ જૈનશાસનપ્રભાવક આગમાધુરંધર સિદ્ધાતિક સમર્થ મહાપુરુષ માટે મૌન અને ઉદાસીનતા જ ધારણ કર્યા છે. ફક્ત પંદરમી સદીમાં થયેલા શ્રીમાન જિનમંડનગણિએ તેમના કુમારપાલપ્રબંધમાં આચાર્ય શ્રી હેમચન્દ્ર વિદ્યાસાધન માટે જાય છે એ પ્રસંગમાં આચાર્ય શ્રી મલયગિરિને લગતી વિશિષ્ટ બાબતને ઉલ્લેખ કર્યો છે, જેને ઉતારે અહીં આપવામાં આવે છે –
“एकदा श्रीगुरूनापृगच्छयान्यग़च्छीयदेवेन्द्रसूरि-मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थ દાં પ્રતિ કલાક વિજ્ઞાને ૪ જ્ઞના 11: . તત્ર નાનો રાવ
यादिना प्रतिचरितः । स श्रीरैवतकतीर्थं देवनमस्करणकृतातिः । यावद्ग्रामाध्यक्षश्राद्धेभ्यः सुखासनं प्रगुणोकृत्य ते रात्रौ सुप्तास्तावत् प्रत्यूषे प्रबुद्धाः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्षीभूय कृतगुणस्ततिः 'भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि' इति गौडदेशे गमनं निषिध्य महौषधीरनेकान्मन्त्रानामप्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम ।
एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्रौ श्रीसिद्धचक्रमन्त्रः सान्मायः समुपदिष्टः । स च पद्मिनीस्त्रीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा । x x x x ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधी रधियः श्रीरैवतकदैवत दृष्टी त्रियामिन्यामाह्वाना-ऽवगुण्ठन-मुद्राकरण-मन्त्रन्यास-विसर्जनादिभिरुपचारैर्गुरूक्तविधिना समीपस्थपद्मिनीस्त्रीकृतोत्तरसाधकक्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानिकदेवोऽस्याधिष्ठाता श्रोविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टिं विधाय 'स्वेप्सितं वरं वुणुत' इत्युवाच । ततः श्रीहेम
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org