________________
૪૯
જ્ઞાનાંજલિ પંચપાટ–જે પુરતકના મધ્યમાં મોટા અક્ષરે મૂળ સૂત્ર કે શ્લોક લખી નાના અક્ષરોથી ઉપર, નીચે તના બંને તરફના માર્જિનમાં ટીકા લખવામાં તેમ જ બંને તરફના માર્જિનમાં ટીકા એમ પાંચ વિભાગે લખાતું હોવાથી પંચપાટ કહેવાય છે.
સૂઢ–જે પુસ્તક હાથીની સૂની પેઠે સળંગ–કોઈ પણ પ્રકારના વિભાગ સિવાય—લખાયેલું હોય તે સૂઢ કહેવાય.
ત્રિપાટ–પંચપાટ પુસ્તક તે જ લખાય કે જે સટીક ગ્રંથ હોય. આપણાં પુરાતન પુસ્તકો સૂઢ જ લખાતાં. ત્રિપાટ–પંચપાટ પુસ્તક લખવાનો રિવાજ વિક્રમની પંદરમી શતાબ્દીમાં આરંભાયે હો જોઈએ, એમ વિદ્યમાન પુસ્તક ભંડારો જેવાં કહી શકાય.
લહીઆઓને કેટલાક અક્ષરો પ્રત્યે અણગમો–લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો “સ્વરે, ક– ખ––––ડે –ચ-છ –જન્મ – – –ણું–થ-દ–ધ -ન – – – – ––– – –હ –ક્ષ–જ્ઞ ” અક્ષરો ઉપર અટકાતા નથી, કારણ કે તેઓ આ પ્રમાણે માને છે—“ ક કટ જાવે, ખ ખા જાવે, ગ ગરમ હોવે, ચ ચલ જાવે, છ છટક જાવે, જ જોખમ દીખા, ઠ ઠામ ન બેસે, ઢ ઢળી પડે, શું હાણું કરે, થ થીરતા કરે, દ દાભ ન દેખે, ધ ધન છાંડે, ન નઠારો, ફ ફટકારે, ભ ભમા, ભ ભાઠે, ય ફેર ન લખે, ૨ રે, ૧ ખાંચાળો, સ સંદેહ ધરે, હ હીણ, ક્ષ ક્ષય કરે, જ્ઞ જ્ઞાન નહિ.” અર્થાત “ ઘ-ઝ— –
ડ –૫–બ-લ–વ–શ” અક્ષરો ઉપર અટકે છે, કેમ કે—“ઘ ઘસડી લાવે, ઝ ઝટ કરે, ૮ ટકાવી રાખે, ડ ડગે નહિ, ત તરત લાવે, ૫ પરમેશર, બે બળિયે, લ લાવે, વ વાવે, શ શાન્તિ કરે.” એમ તેઓ માને છે.
મારવાડના લેખકો મુખ્યતયા “વ” ઉપર વધારે આધાર રાખે છે. એટલે કે લખતાં લખતાં કઈ પણ કામ માટે ઊઠવું હોય કે લખવાનું બંધ કરવું હોય તો “વ” આવતાં ઊઠે. અથવા કઈ કાગળમાં “વ” લખીને ઊઠે.
તાડપત્રના અં કે ૧૨ – ભિન્ન ભિન્ન દેશીય તાડપત્રનાં પુસ્તકો, શિલાલેખો આદિમાં આવતા અંકની સંપૂર્ણ માહિતી, તેની આકૃતિઓ આદિ મારતીય પ્રાચીન ત્રિમિત્રામાં આપેલી છે. એટલે તેને સંપૂર્ણ પરિચય મેળવવા ઈચ્છનાર વાચકોને તે પુસ્તક જોવા માટે ખાસ ભલામણ છે. આ સ્થળે માત્ર તેને સામાન્ય પરિચય આપવાની ખાતર જેસલમેર, પાટણ, ખંભાત, ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટ, પૂના આદિમાં વિદ્યમાન તાડપત્રીય પુસ્તકોમાં આવતા કેટલાએક અંકેની નોંધ કરું છું ૧૩–
૧૨. તાડપત્રના અંકે એટલે તાડપત્રીય પુસ્તકનાં પાનાંની ગણતરી માટે કરેલા અંકો જાણવા જેમકે પહેલું પાનું, બીજું પાનું, પાંચમું, દસમું, પચાસમું, સમું ઇત્યાદિ.
૧૩. “પુરાતત્ત્વ'માં આપવામાં આવેલ અંકેના બદલે અહીં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજના “ જેને ચિત્રકલ્પદ્રુમ”માં છપાયેલ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાં” લેખ સાથે આપવામાં અંકે (એ અંકોના બે બ્લોક) આ ગ્રંથમાં છાયા છે.
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org