________________
પ્રથમાનુયેગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક
[ ૧૨૭ चउवीसं तित्थयरा पइणो बारह छखंडभरहस्स । णव बलदेवा किण्हा णव पडिसत्तू पुराणाइं ॥ ३६ ॥ तेसि वण्णंति पिया माई णयराणि तिण्ह पुत्वभवे । पंचसहस्सपयाणि य जत्थ हु सो होदि अहियारो ॥ ३७ ।।
દ્વિતીય અધિકાર. દિગંબર આચાર્ય શ્રી બ્રહ્મહેમચંદ્ર વિરચિત શ્રુતસ્કંધમાં આ પ્રમાણે નિર્દેશ છે :
तित्थयर चक्कवट्टी बलदेवा वासुदेव पडिसत्तू । पंचसहस्सपयारणं एस कहा पढमअणिओगो ॥ ३१ ॥
પ્રથમાનુગના પ્રણેતા પ્રથમાનુયોગના સ્વરૂપ વિશે ટૂંકમાં જણાવ્યા પછી તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક વિષે ટૂંકમાં જણાવવામાં આવે છે:
૧. પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણિ (ઉલ્લેખ ૩-૪)માં જણાવ્યા પ્રમાણે સ્થવિર આર્ય કાલકે પ્રથમાનુયોગ ગ્રંથનો પુનરુદ્ધાર કર્યો હતો. તે જ રીતે તેમણે ગંડિકાનુયોગ નામના ગ્રંથનો પણ ઉદ્ધાર કર્યો હતો. લોકાનુયોગ અને જૈન આગમો ઉપરની સંગ્રહણીઓની રચના પણ તેમણે કરી હતી. ગંડિકાનુયોગમાં શું છે તે માટે આઠમો ઉલ્લેખ જોવા ભલામણ છે. ગણિતાનુયોગમાં અષ્ટાંગનિમિત્તવિદ્યા ગૂંથવામાં આવી છે. અને સંગ્રહણીઓ, એ જૈન આગમોની ગાથાબદ્ધ સંક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. આજે આપણે સ્પષ્ટ રીતે જાણી શક્તા નથી કે “અહીં જણાવેલી સંગ્રહણીઓ કઈ?” તે છતાં સંભવતઃ ભગવતીસૂત્ર, પન્નવણાસર, વાભિગમસૂત્ર, આવશ્યકસૂત્ર આદિમાં આવતી સંગ્રહણીગાથાઓ જ આ સંગ્રહણીઓ હોવી જોઈએ.
૨. સ્થવિર આર્ય કાલકે અષ્ટાંગનિમિત્તવિદ્યાનું અધ્યયન આજીવકશ્રમણે પાસે કર્યું હતું. એટલે કે નિમિત્તવિવાના વિષયમાં સ્થવિર આર્ય કાલક માટે આવકનું ગુરુત્વ અને વારસો હતાં. વીર વર્ધમાન ભગવાને અષ્ટાંગનિમિત્તવિદ્યાને સામાન્ય રીતે ભણવાનો નિષેધ કરેલ હઈ જૈન શ્રમણોમાંથી એ વિદ્યા ભૂંસાઈ ગઈ હતી, પરંતુ સમયબળને કારણે એ જ વિદ્યા પુનઃ શીખવાની આવશ્યકતા જણાતાં આર્ય કાલકને આજીવક નિગ્રંથનું સાન્નિધ્ય સાધવું પડયું છે. પંચકલ્પ ભાષ્યમાં “રાજા શાલિવાહને આર્ય કાલકને ઉપહત કરેલ કટક અને કુંડલને આવક શ્રમણ પોતાની ગુરુદક્ષિણ તરીકે લઈ ગયા.” આ ઉલ્લેખથી “ તે જમાનામાં આજીવનિર્ચ માં પરિગ્રહધારી નિર્ચ થી પણ હતા” એ જાણવા મળે છે.
૩. પ્રથમાનુયોગાદિના પ્રણેતા સ્થવિર આર્ય કાલક રાજા શાલિવાહનના સમકાલીન હતા. રાજા શાલિવાહને આર્ય કાલકને પૂછયું હતું કે “મથુરાનું પતન થશે કે નહિ?તેને ઉત્તર આર્ય કાલકે શો આ હતો એ પંચકલ્પમહાભાષ્યમાં જણાવ્યું નથી, તે છતાં રાજાએ પ્રસન્ન થઈ કુંડલ આપ્યાનો ઉલ્લેખ છે તે ઉપરથી રાજાને વિજય જણાવ્યો હશે. જે વિજયનો ઉલ્લેખ વ્યવહારભાચૂર્ણિ-રીકામાં અને બૃહક૯૫ભાગ ૧-ચૂર્ણિ-ટીકામાં આવે છે. એટલે પંચકલ્પભાષ્યમાં જે પ્રશ્નોનું નિર્દેશ છે એ १. महुराणत्ती दंडे णिग्गय सहसा अपुच्छियं कयरं ।
तस्स य तिक्खा आणा दुहा गया दो वि पाडेउ ॥१५२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org