________________
૮૬ }
આટલું જણાવ્યા પછી એક વાત એ છે, તે કયાંય મળતું નથી; તેમ છતાં એ ક્ષમાશ્રમથી પૂર્વભાવી હોવાની મારી દૃઢ ભદ્રગણિ ક્ષમાત્રમણે પેાતાના વિશેષણવતી ગ્રંથમાં——
જ્ઞાનાંજલિ
કહેવી બાકી છે કે, વ્યવહાર ભાષ્યના પ્રણેતા કયા આચા આચાર્યાં એટલે કે વ્યવહારભાષ્યકાર, શ્રી જિનભણિ માન્યતા છે. તેનુ કારણ એ છે કે, ભગવાન શ્રી જિન
सो सुदाढनागो, आसग्गीवो य होइ अण्णेसिं । सिंहो गिद्धओ त्ति य, होइ वसुदेवचरियम्मि ॥ ३३ ॥ सीहो चेव सुदाढो, जं रायगिहम्मि कविलबडुओ त्ति । ires ववहारे गोयमोवसमिओ सणिक्ख तो ॥ ३४ ॥
આ બે ગાથા પૈકી બીજી ગાથામાં વ્યવહારના નામના ઉલ્લેખ કર્યાં છે, એ વિષય વ્યવહારસૂત્રના છઠ્ઠા ઉદ્દેશાના ભાગમાં—
सीहो तिविट्ठ निहतो, भमिउं रायगिह कवलिबडुगति । जिणवर कहणमवसम, गोयमोवसम दिक्खा य ॥ १६२ ॥
આ પ્રમાણે આવે છે. આ ઉપરથી શ્રી જિનભદ્રણ કરતાં વ્યવહારભાષ્યકાર પૂર્વવત્તી છે' એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ ઉપરાંત બીજું એ પણ કારણ આપી શકાય કે, ભગવાન શ્રી જિનભદ્રની મહાભાષ્યકાર તરીકેની પ્રસિદ્ધિ છે, એ તેમના પૂર્વવર્તી ભાષ્યકાર અથવા લઘુભાષ્યકાર આચાર્યને જ આભારી હોય.
આજે જૈન આગમો ઉપર નીચે જણાવ્યા પ્રમાણેના ભાષ્યપ્રથા જોવામાં તેમ જ સાંભળવામાં આવ્યા છે:
૧-૨ કપલઘુભાષ્ય તથા કલ્પબૃહદ્ભાષ્ય, ૩ મહત્ પંચકલ્પભાષ્ય, ૪-૫ વ્યવહારલઘુભાષ્ય તથા વ્યવહારબૃહદ્ભાષ્ય, ૬-૭ નિશીથલઘુભાષ્ય તથા નિશીથબૃહદ્ભાષ્ય, ૮ વિશેષાવશ્યકમહાભાષ્ય, ૯-૧૦ આવશ્યકસૂત્ર લઘુભાષ્ય તથા મહાભાષ્ય, ૧૧ એનિયુક્તિભાષ્ય, ૧૨ દશવૈકાલિકભાગ્ય, ૧૩ પિડનિયુક્તિભાષ્ય.
Jain Education International
આ પ્રમાણે એકદર તેર ભાષ્યગ્રંથા અત્યારે સાંભળવામાં આવ્યા છે. તે પૈકી કપબૃહદ્ભાષ્ય આજે અપૂર્ણ જ અર્થાત્ ત્રીન્ન ઉદ્દેશ અપૂર્ણાં પંત મળે છે. વ્યવહાર અને નિશીથ ઉપરના બૃહદ્ભાષ્ય ગ્રંથા કાંય જોવામાં આવ્યા નથી. તે સિવાયનાં બધાંય ભાખ્યા આજે ઉપલબ્ધ થાય છે, જે
પૈકી મહત્ત્વ ચકલ્પભાષ્ય, વ્યવહારલઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય બાદ કરતાં બધાંય ભાગ્યે છપાઈ ચૂકયાં છે. અહી આપેલી ભાષ્યોનાં નામેાની નાંધ પૈકી ફક્ત કપલઘુભાષ્ય, મહ૫ ંચકલ્પભાષ્ય અને વિશેષાવશ્યક મહાભાષ્યના પ્રણેતાને જ આપણે જાણીએ છીએ; તે સિવાયના ભાષ્યકારો કાણુ હતા એ વાત તે અત્યારે અંધારામાં જ પડી છે. આમ છતાં, જોકે મારા પાસે કશુય પ્રમાણ નથી છતાં, એમ લાગે છે કે કલ્પ, વ્યવહાર અને નિશીથ લઘુભાષ્યના પ્રણેતા શ્રી સ ́ધદાસગણિ ક્ષમાશ્રમણ હોય તેવા જ સંભવ વધારે છે. કપલઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય એ બેમાંતી ભાષ્યગાથાઓનું અતિ સામ્યપણુ આપણને આ બન્નેય ભાષ્યકારા એક હેાવાની માન્યતા તરફ જ
દોરી જાય છે.
અંતમાં ભાષ્યકારને લગતું વક્તવ્ય પૂર્ણ કરવા પહેલાં એક વાત તરફ વિદ્વાનોનું લક્ષ્ય દેારવુ ચિત છે કે, પ્રસ્તુત બૃહત્પલઘુભાષ્યના પ્રથમ ઉદ્દેશની સમાપ્તિમાં ભાષ્યકારે—
For Private & Personal Use Only
www.jainelibrary.org