________________
કલ્પસૂત્ર*
કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મૌલિક પાઠ-આજે આપણી સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિઓ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિઓ વિક્રમના ચૌદમા અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાપાદષ્ટિએ અને પાઠેની દષ્ટિએ ઘણું ઘણું સમ-વિષમ પડ્યું છે, અને પડી ગયેલા પાઠે, ઓછાવત્તા પાઠો તેમ જ અશુદ્ધ પાઠોની પરંપરા વિષે તો પૂછવાનું જ શું હોય ! આજે આપણા માટે અતિદુઃખની વાત એ છે કે, જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાન-પ્રવર આચાર્યશ્રી જિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાન ભંડાર માંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાગની પ્રતિ જેવા કઈ રડ્યાખડવા અપવાદ સિવાય, કોઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાવંત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિ કાર, ટીકાકાર આદિએ કેવા પાઠે કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો-પ્રતિઓ પણ આપણે સામે નથી. આ કારણસર કલ્પસૂત્રની મૌલિક ભાષા ને તેના મૌલિક પાઠના સ્વરૂપનો નિર્ણય કરવો આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી-પરદેશી ભાષાશાસ્ત્રજ્ઞ વિદ્વાનોએ આજની અતિઅર્વાચીન હસ્તપ્રતિઓના આધારે જૈન આગમોની ભાષા વિષે જે કેટલાક નિર્ણ બાંધેલા છે કે આપેલા છે, એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડૉ. એલ. આલ્સડેફ મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિષેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે “આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.”
આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મૌલિક ભાષા અને તેના મૌલિક પાઠોની ચિંતાને જતી કરીને, માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિઓ અને ચૂર્ણિ, ટિપ્પનક, ટીકાકાર વગેરેનો આશ્રય
* “કલ્પસૂત્ર'ના સંપાદનની (પ્રકાશક–શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ, સને ૧૯૫૨) પ્રસ્તાવનામાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org