________________
બૃહત્કલ્પસૂત્ર પ્રાસ્તાવિક
[ ૮૩ ઉદ્દેશામાં “જ્ઞાનસ્તન” નું સ્વરૂપ વર્ણવતાં ભાષ્યકારે જણાવ્યું છે કે, “જોવMો ના અર્થાત જ્ઞાનની ચોરી કરનાર ગોવિંદાચાર્ય જાણવા.” આ ગાથાની ચૂર્ણમાં ચૂર્ણકારે ગોવિંદાચાર્યને લગતા એક વિશિષ્ટ પ્રસંગની ટૂંક નોંધ લીધી છે, ત્યાં લખ્યું છે કે, “તેમણે એકૅકિય જીવને સિદ્ધ કરનાર ગોવિંદ નિયુક્તિની રચના કરી હતી.” આ ઉલ્લેખને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, એક વખતના બૌદ્ધ ભિક્ષુ અને પાછળથી પ્રતિબોધ પામી જૈન દીક્ષા સ્વીકારનાર ગોવિંદાચાર્ય નામના સ્થવિર નિર્યુક્તિકાર થઈ ગયા છે. તેઓશ્રીએ કયા આગમ ઉપર નિયંતિની રચના કરી હશે એ જાણવા માટેનું આપણું સામે કશુંય પ્રમાણ કે સાધન વિદ્યમાન નથી; તેમ છતાં ચૂર્ણકારના ઉલ્લેખના ઔચિત્યને ધ્યાનમાં લેતાં શ્રીમાન ગોવિંદાચાર્યો બીજા કેઈ આગમ ગ્રંથ ઉપર નિર્યુક્તિની રચના કરી હો યા ગમે તેમ હો, તે છતાં અચારાંગસૂત્ર ઉપર–ખાસ કરી તેના શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયન ઉપર-તેમણે નિયુક્તિ રચી હોવી જોઈએ. શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં મુખ્યતયા પાંચ રથાવરોનું-એકેંદ્રિય જીવોનું-અને ત્રસ જીવોનું જ નિરૂપણ છે. અત્યારે આપણુ સમક્ષ ગોવિંદાચાર્યકૃત ગોવિંદનિયુક્તિ ગ્રંથ નથી તેમ જ નિશીથ ભાગ, નિશીથ ચૂણી, કલ્પચૂર્ણ આદિમાં આવતા વિનિષ્પત્તિ એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કોઈ પણ ચૂર્ણ આદિ પ્રાચીન ગ્રંથોમાં એ નિર્યુક્તિમાંની ગાથાદિને પ્રમાણ તરીકે ઉલ્લેખ થયેલે જોવામાં નથી આવ્યો; એટલે અમે માત્ર ઉપરોક્ત અનુમાન કરીને જ અટકીએ છીએ. અહીં અમે સૌની જાણ ખાતર ઉપરોક્ત નિશીથચૂર્ણને પાઠ આપીએ છીએ :
રવિંદ્ર નાળે, ઢંસળે સુત્તથ ગઠ્ઠા વા ..
पावंचियउवचरगा, उदायिवधगादिगा चरणे ॥ गोविंद० गाहा--गोविंदो नाम भिक्खु । सो य एगेण आयरिएण वादे जितो आठारसवारा। ततो तेण चिंतितं-सिद्धतसरूवं जाव एतेसिं नो लब्भति तावते जेतुं ण सबैति । ताहे सो नाणहरणट्ठा तस्सेवाऽऽयरियस्स सगासे निक्खंतो। तस्स य सामायियादिपढंतस्स सुद्धं सम्मत्तं। ततो गुरुं वंदित्ता भणति-देहि मे वते । आयरिओ भणाति-नणु दत्ताणि ते वताणि। तेण सब्भावो कहिओं । ताहे गुरूणा दत्ताणि से वताणि । पच्छा तेण एगिदियजीवसाहणं गोविंदनिज्जुत्ती I !” TT નાળો | निशीथचूणि उद्देश ११, द्वितीय खंड पत्र-८-६.--पाटण संघवीना पाडानी ताडपत्रीय प्रति॥
ભાવાર્થ-ગોવિંદનામે બૌદ્ધ ભિક્ષુ હતો. તે એક જૈનાચાર્ય સાથે અઢાર વખત વાદમાં હાર્યો. તેણે વિચાર્યું કે, જ્યાં સુધી આમના સિદ્ધાંતના રહસ્યને જાણ્યું નથી, ત્યાં સુધી આમને જીતી શકાશે નહિ. તે ભિક્ષુએ જ્ઞાનની ચોરી કરવા માટે તે જ આચાર્ય પાસે દીક્ષા લીધી. સામાયિકાદિ સૂત્રોનો અભ્યાસ કરતાં તેને શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. તેણે ગુરુને કહ્યું કે, મને તોને સ્વીકાર કરાવો. આચાર્યે કહ્યું કે, ભાઈ! તને વ્રતોનો વીકાર કરાવ્યો જ છે. તેણે પોતાનો આશય જણાવ્ય. ગુરુએ તેને પુનઃ તો આપ્યાં. તેણે એકેન્દ્રિય જીવોને સાબિત કરનાર ગોવિંદનિર્યુક્તિની રચના કરી.
ગોવિંદનિર્યુક્તિને નિશીથચૂર્ણ આદિમાં દર્શનપ્રભાવકશાસ્ત્ર તરીકે જણાવવામાં આવેલ છે— ' णाण० गाथा-आयारादी णाण, गोविंदणिज्जुत्तिमादी देसणं, जत्थ विसए चरित्तं ण सुज्झति ततो निग्गमण चरित्तट्ठा ।। निशीथ चूणि उ० ११, द्वितीय खंड पत्र १६०:-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org