________________
જેને સાધુસંમેલન અને પંચાંગી આધારે પ્રશ્નોને નિર્ણય (1) થયેલી પંચાંગી વિદ્યમાન છે, એ પ્રત્યેક નથી આગમ કે નથી શાસ્ત્ર, કિન્તુ તેમાં આગમિક એટલે તત્વજ્ઞાન અને શાસ્ત્રીય એટલે આપણા માનવજીવન સાથે સંબંધ ધરાવતા બાહ્ય આચારદિને લગતા નિયમોનું નિરૂપણ હોઈ એ દરેક ગ્રંથ મિશ્રરૂપ છે. એટલે આના દ્વારા આગામી જૈન સાધુસંમેલન સમક્ષ ઉપસ્થિત થનાર વિવિધ ધાર્મિક–સામાજિક પ્રશ્નોને ઉકેલ કરતાં પહેલાં ઉપરોક્ત બન્નેય પ્રકારના અર્થાત આગમિક અને શાસ્ત્રીય પ્રશ્નોને વિભાગ કરી લેવો જ જોઈએ. આ બે વિભાગોને નિર્ણય નહિ થાય અને આપણે સૌ માત્ર એમ જ કથા કરીશ કે, “બધાય પ્રશ્નોનો ઉકેલ પંચરંગી આધારે લાવવો.” તે સૌએ યાદ રાખવું કે, આજના સળગતા ભીષણ પ્રશ્નોને ઉકેલ ક્યારેય પણ આવવાનો નથી. અને એ જ કારણથી સાધુસંમેલન માટે સત્યવૃત્તિ કરનાર અને તે માટે અનુમોદન આપનાર દરેકેદરેક પ્રત્યે મારી નમ્ર વિનંતી છે કે, પંચાંગી આધારે દરેક પ્રશ્નોને ઉકેલ આણવાની મોહક જાળમાં કઈ ન મૂંઝાય, તેમ જ વાસ્તવિક હિતને વિચાર કરી, આ માટે આગ્રહ પણ કેઈ ન રાખે.
પંચાંગી આધારે દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાતો કરતાં પહેલાં આપણે એ જ વિચારવું જોઈએ કે, જૈન આગમ અને તેને લક્ષીને નિર્માણ કરાયેલ પંચાંગી પૈકીના એક પણ અક્ષરનો અત્યાર ના આપણા જીવન-પ્રસંગો સાથે કશોય મેળ છે? આજે આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસુત્ર આદિ પ્રમાણે આપણામાં ક્યો જૈન સાધુ જીવન વિતાવે છે? પિંડેષણધ્યયન, પિંડનિર્યુક્તિ આદિ શાસ્ત્રાનુસાર કો જૈન મુનિ ગૌચરચર્ચા ચરે છે અર્થાત ભિક્ષા લે છે? બૃહતકલ્પસૂત્ર, વ્યવહાર, નિશીથ, દશાકલ્પ આદિ છેદશાસ્ત્રો મુજબ કે જેન ભિક્ષુ પિતાના અતિચાર અને પાપની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત લે છે? અત્યારે વિદ્યમાન આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકે, અનુયોગાચાર્યો, ગણિએ અને દરેકેદરેક જૈન મુનિઓને હું વિનવું છું કે, ઉપરોક્ત શાસ્ત્રાનુસાર જીવન વિતાડવાનો કેઈને પણ દાવો હોય તો તે જાહેર થાય, અને નહિ તે સૌએ એ કબૂલ કરવું જ રહ્યું કે, અત્યારે આપણું જીવનમાં ઉપરોક્ત શાસ્ત્રોમાંનું કશું જ નથી. આજે કોઈ એમ કહે કે “વહુરત્ના વસુંધરા” અર્થાત “જગતમાં કોઈ ને કોઈ એવો હોય” તો તે વાત માનવાને હું તૈયાર નથી. અત્યારે જે આપણે પંચાંગી આધારે દરેક પ્રશ્નોને નિર્ણય લાવવાની વાત કરીએ છીએ, તેમાં તે એક પણ એ નથી દેખાતો કે જે ઉપરોક્ત શાસ્ત્રાનુસાર પોતાનું જીવન ક્યાય પણ વિતાડતો હોય. વધારે તો શું, પણ અત્યારના મોટામાં મેટા મનાતા કોઈ પણ જૈન આચાર્ય આદિને પૂછવામાં આવે કે તમારા ગોચરચના દેવ કયા એનું વર્ણન કરે, તો તેનું વર્ણન કરવું તો દૂર રહે પણ એ દોષોનાં નામ લેતા પણ તેઓ વિચારના વમળમાં ગોથાં ખાતાં હશે, અને એ જ દશા બીજા અનેકાનેક વિષયમાં. પણ આપણે જોઈશું. આ સ્થિતિમાં એ શાસ્ત્રાનુસાર જીવનચર્યાની આશા હોય જ ક્યાંથી ? હું તો એટલે સુધી કહું છું કે, વર્તમાન સમયમાં જેને શક્ય સાધુ-જીવનને આદર્શ ગણી શકાય, એવું વિશુદ્ધ અને નિષ્કપટ જીવન વિતાડનાર વિરલ સંત પણ આપણામાંથી જડવો મુશ્કેલ છે. આજના આપણું સાધુજીવીઓની જીવનચર્યા, આચાર અને વ્યવહાર, આહાર, વિહાર અને નિહાર, વાણુ અને વર્તન, સમિતિ અને ગુતિ, પ્રતિક્રમણ-પડિલેહણ, જવું–આવવું ઇત્યાદિ પ્રત્યેક ક્રિયાઓ તરફ નજર કરીશું તે એક પણ ક્રિયા અણીશુદ્ધ નજરે નહિ જ આવે. આજની પ્રતિક્રમણક્રિયાને કઈ ગમે તેટલી વ્યવસ્થિત રીતે કરવાને દાવો કરે, તેમ છતાં એ પ્રતિક્રમણ દ્વારા જે વાસ્તવિક દોષ અને અતિચારોને ક્રમ ગોઠવો અને પ્રાયશ્ચિત્તાદિ દ્વારા તેનું સંશોધન કરવું એ તો નથી જ હતું. તે
આ ઠેકાણે હું એટલું કબૂલ કરું છું કે કેટલાક મુનિ મહાનુભાવો એવા સરલેહૃદયી, ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org