Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 27
________________ ૧૮ D પરમકૃપાળુદેવે ઘણાં પુસ્તકો લખેલાં. નાની અવસ્થામાં ઘણું લખતા. એમણે લખી-લખીને મૂકેલા કાગળ એમના દેહત્યાગ પછી કોથળામાં ભર્યા હતા, તે ઊધઇ.આવવાથી સડી ગયેલા. એવામાં કોઇ પ્રસંગે શ્રી અંબાલાલભાઇ વવાણિયા ગયા અને તે કોથળો એમણે જોયો. તેમાંથી શોધતાં-શોધતાં એક ‘પુષ્પમાળા’ આખી સાજી મળી આવી; તે લઇ આવ્યા અને છપાવી. મહાભારત, રામાયણના અનુવાદ પરમકૃપાળુદેવે કરેલા અને બીજાં કેટલાંક પુસ્તકો રચેલાં પણ ઊધઇ વગેરેથી નાશ પામ્યાં. (બો-૧, પૃ.૧૫૮) અનાદિકાળથી જીવ કર્મને લઇને નાચે છે, પણ એ કર્મનો ક્ષય થઇ શકે છે. પરમકૃપાળુદેવ નાના હતા ત્યારે પોતાનો હાથ જોતા. પરમકૃપાળુદેવને સાત સ્ત્રીઓની રેખા હતી; પણ તેમણે નક્કી કર્યું કે એકથી ચલાવીશ. એમ કર્મને માથે મેખ મારનારા એવા પણ હોય છે. જીવ જો બળવાન થાય તો બધું થઇ જાય. જીવને સમજણ હોય તો સહજ છે. ન હોય તો સંસારમાં તણાય. મારે કરવું જ છે એમ વિચારે, તો કર્મેય ફરે અને બીજું બધુંય થાય. (બો-૧, પૃ.૨૨૯, આંક ૧૨૦) પરમકૃપાળુદેવને બાહ્યત્યાગનો ઉદય ન આવ્યો, પણ અંતરથી ત્યાગી હતા. (બો-૧, પૃ.૩૪૧, આંક ૧૪) D અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઇ જાય છે, એ મોટો ગેરલાભ તથા પરિભ્રમણનો હેતુ છેજી. સમજવા માટે સદ્ગત શેઠ જેસંગભાઇ ઊજમશીભાઇના (અમદાવાદના) જીવનનો પ્રસંગ લખું છું : પરમકૃપાળુદેવ મોક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, અને અતિશયધારી પરમકૃપાળુદેવની ચમત્કૃતિથી, તે તેમના તરફ બહુમાન ધરાવતા થયા. તેમના ગચ્છના દિવાળીબાઇ આર્યાને પણ તેમણે પરમકૃપાળુદેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઇથી આવ્યા છે, તે અમારા મનની વાતો જાણી, કહી દેખાડે છે; પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઇ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. તેથી અસત્સંગરૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તેવો ક્ષયોપશમ હોય, પણ આખરે તો તે સંસારી જને ? સાધુતા વગર પૂજ્યતા ક્યાંથી હોય ? આટલી ઝેરની કણી, શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઇ પડી. પછી ઘણી વખત પરમકૃપાળુદેવને મળેલા, તેમણે જાતે પીરસી તેમને જમાડેલા, પણ અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઇ ગયું. આપણા ઓળખીતા છે, મેળાપી છે, એવો ભાવ પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી પણ રહ્યો. પરમકૃપાળુદેવે પરમશ્રુત પ્રભાવક મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી; તેથી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમાવૃત્તિ છપાઇ ત્યારે શેઠને ભેટ મળી; પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી; પણ ફરી સત્સંગનો યોગ પુણ્યના ઉદયે બન્યો ત્યારે તે પુસ્તક વાંચી આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઇ. તે મુમુક્ષુઓને કહેતા કે ભાઇ, ભૂલેચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. એ તો મહાભાગ્યશાળી કે પ.પૂ. પ્રભુશ્રીજીની કૃપાને પાત્ર તે થયા, નહીં તો ઉત્તમ યોગ મળવા છતાં મનુષ્યભવ વ્યર્થ જતો રહે. (બો-૩, પૃ.૭૭૫, આંક ૯૯૧)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 ... 778