Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ [૮] ઐતિહાસિક પૂર્વજોની कार्येषु मंत्री, करणेषु दासी, भोज्येषु माता, शयनेषु रंभा। मनोऽनुकूला क्षमया धरित्री, गुणैश्च भार्या कुलमुद्धरन्ति । પણ વિધાતા, માનવની ધારણાઓ ભાગ્યે જ બર આવવા દે છે! સંસારી જીવોની પાછળ પૂર્વકર્મોને વળગાડ જીવતેજાગતો પડ્યો હોય છે. તક મળતાં જ એ પિતાની લીલા વિસ્તારે છે. રંગમાં ભંગ પાડતાં એને વિલંબ થતો જ નથી. આબુ મંત્રીશ્વરના સુખભર્યા ગૃહસંસારમાં કુમારદેવીના લગ્નદિનને આનંદ હજુય ભુલાયે ન હોતે ત્યાં વિધાતાએ વિષાદની વર્ષો વરસાવી! સાસરીના આવાસમાં જતાં પૂર્વે કુમારદેવી બાળવિધવા બની ! પ્રધાનજીના આવાસમાં શોકની કાલીમા પથરાઈ ગઈ ! દુઃખનું ઓસડ દહાડા” એ સૃષ્ટિના ક્રમ પ્રમાણે કુમારદેવીવાળું દુખ પણ ભુલાતું ગયું. યૌવનના આંગણે આવી ઊભેલી કુમારદેવી પણ કુલીન ઘરના સંસ્કારે જાણે કંઈ બન્યું જ નથી એમ મન મનાવી, પિતાને સમય દેવદર્શન અને ગુરુજીના વ્યાખ્યાનશ્રવણમાં તેમજ ધાર્મિક વ્રત-નિયમ કરવામાં વ્યતીત કરવા લાગી. એકદા મંત્રી ગૃહે આસરાજનું અતિથિરૂપે આવવું થયું. મંત્રીપુત્રી કુમારદેવી અચાનક નજરે ચઢી. ખીલતી કળી જેવી તરુણીને શ્યામ વેશ જોઈ એને કુતુહળ જગ્યું. મંત્રીશ્વર સાથે એ ગુરુજીના વ્યાખ્યાનમાં ગયે છતાં એની દષ્ટિ ત્યાં પણ નારીગણમાં બેઠેલી કુમારદેવી તરફ વારંવાર ખેંચાવા માંડી. વધુ આશ્ચર્ય તે ત્યારે થયું કે ખુદ ગુરુજીને એ લલનાના ચહેરા પ્રતિ અવારનવાર ચક્ષુ ફેરવતા નિહાળ્યા. સામાન્યત: સંસારત્યક્ત સંતે સરાગ નજરે સ્ત્રીગણ તરફ જતાં જ નથી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 154