________________ તેમની પાટે ૬૩માં જયરત્નસૂરિ થયા. તેઓનો જન્મ 1689, દીક્ષા-૧૬૯૯, આચાર્યપદ-૧૭૧૫, સ્વર્ગવાસ-૧૭૩૪. તેમની પાટે ૬૪મા હેમરસૂરિ થયા. તેઓનો ૧૬૯૯માં જન્મ, ૧૭૦૪માં દીક્ષા, ૧૭૩૪માં ભટ્ટારક પદ, ૧૭૭૨માં ઝીંઝુવાડામાં સ્વર્ગવાસ (શત્રુંજય મહાભ્યો ની પ્રશસ્તિમાં અહીં ભાવરત્નસૂરિ નામ છે.) તેમની પાટે ૬૫માં દાનરત્નસૂરિ થયા. તેઓનો જન્મ-૧૭૨૨, દીક્ષા-૧૭૫૧, ભટ્ટારક પદ 1772, સ્વર્ગવાસ-૧૮૨૪. આ પછી ૬૬મા કીર્તિરત્નસૂરિ, 67 મુક્તિરસૂરિ, 68 પુણ્યોદયરત્નસૂરિ, અમૃતરસૂરિ, 70 ચન્દ્રોદયસૂરિ, 71 સુમતિરત્નસૂરિ, 72 ભાગ્યરત્નસૂરિ આ પ્રમાણે પટ્ટાવલી છે. ગ્રંથકારના ગ્રંથો ગ્રંથકારશ્રીએ વિ.સં. ૧૭૮૨માં રચેલ “શત્રુંજયમાહભ્યોલેખનું ત્રણ વાર પ્રકાશન થયું છે. પ્રસ્તુત પ્રકાશન થતાં ગ્રંથકારશ્રીની બીજીકૃતિ પણ પ્રકટ થઈ રહી છે. જો કે ગ્રંથકારશ્રીની સંસ્કૃત ગદ્યમય ‘ઉપમિતિ કથોદ્ધાર” નામની આ કૃતિ આ પૂર્વે પ્રકટ થઇ ન હતી. પરંતુ, આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ભીમશી માણેકે પ્રકરણરત્નાકર ભા-૧. વિ.સં.૧૯૩૨માં પ્રકટ કરેલ છે. ગ્રંથના અંતે (પૃ.૫૮૨) પ્રકાશક લખે છે કેપાદુ. આ દેરી જ્યાં છે ત્યાં સૂરિનું શબ બાળવામાં આવ્યું હોય ને ત્યાં કરવામાં આવી હોય એમ લાગે છે. તે દેરીમાં ચાર નાના થાંભલા છે.” ખેડાથી મળેલ બે દસ્તાવેજો મુજબ આહીરરત્નસૂરિએ રાજનગર(અમદાવાદમાં) સં. 1675 વૈ.સુ. ૩ના પાતશાહ આજમશાહ પાસેથી પાંચ રાજાઓને મુક્ત કરાવ્યા તે પાંચેય આ હીરરત્નસૂરિના પરમભક્ત બન્યા હતા. આ પાંચના નામ આ પ્રમાણે છે. હળવદના ચંદ્રસેન, વઢવાણના રાજતિ, સીયાણીના વેરોજી, લખતરના વિજયરાજ, ઝીંઝુવાડાના જેસોરાજ. ઝીંઝુવાડાની જેમ ખેડામાં પણ રતશાખાના યતિઓ રહેતા હતા. ખેડાથી મળેલ શિલાલેખ મુજબ વિ.સં. ૧૭૯૪માં આ. દાનસૂરિના સામ્રાજ્યમાં ઉપાધ્યાય ઉદયરત્નમણિના ઉપદેશથી ભીડભંજનપાર્શ્વનાથ જિનાલય વગેરે બન્યા છે. આ કાર્યમાં મહોપાધ્યાય ન્યાયરનગણિના શિષ્ય પ. પૂરરત્ન વેગેર એ સહયોગ આપ્યો હતો. આ શિલાલેખ-પ્રશસ્તિ 5. હંસરત્નજીએ લખી છે. (ચાર જૈન તીર્થો પૃ.૩૮-૫૧) ખેડાના રસુલપુરા જિનાલયમાં પં. શ્રી હંસરાજી આદિની પાદુકાઓ પણ છે. 1. અહીં ‘પટ્ટાવલિપરાગ'ના નામ કરતાં ‘શત્રુંજયમહાભ્યોલેખ' પ્રશસ્તિમાં આપેલ ‘આ.ભાવરનસૂરિ’ ૬૪મી પાટે થયા હોય તે વધુ યોગ્ય લાગે છે. આ વાતનું સમર્થન જૈનયુગના ઉપરોક્ત લેખમાંથી (પૃ.૪૨૮) પણ થાય છે. આ લેખમાં ઝીંઝુવાડાના જિનાલયનો પરિચય આપતાં લખ્યું છે કે- “દેરાસરની ઉપર પહેલે માળે એક છૂટો પથ્થર પાદુકોને છે તેમાં બે પાદુકાદ્વય છે તેમાં ચારે બાજુ થઈને નીચે પ્રમાણે કોતરેલું છે.- “ન્યા વમૂવ 10 संवत 1734 वर्षे शाके 1599 प्रवर्त( माने) वा श्री हीररत्नसूरीश्वरस्य पट्टोधर भट्टारक श्रीजयरत्नसू...स्य श्री भावरत्नमूरिणा श्री गुरुणां पादुका प्रती( ष्ठिता) // संवत् 1735 वर्ष मार्गसिर मासे... उदसिंघ हवि...'' - ખેડાથી મળેલા પટ્ટાવલીના એક પાનામાં પણ આ. ભવરતસૂરિનું નામ છે. (ચાર જૈન તીર્થો પૃ. 47)