________________
મૃષાવાદવિરમણ
૧૯
વળી મનુષ્યને એક અસત્ય છુપાવવાને બીજા અનેક અસત્ય ઊભાં કરવાં પડે છે અને બીજા મનુષ્યોને પણ પિતાના અસત્યના ભાગીદાર બનાવવાની જરૂર પડે છે. વળી અસત્યમાં એવાં બીજ રહેલાં હોય છે કે જે પોતાના જ નાશના કારણરૂપ બને છે.
“ છેતરનાર જ છેતરાય છે” એ વચન સદાસર્વદા હૃદયમાં કોતરી રાખવાનું છે. અસત્ય એ ચાર દિવસના ચાંદરણ જેવું છે.
ધારે કે આપણે એવું અસત્ય બોલીએ કે જેથી સામી વ્યક્તિને નુકસાન ન પણ થાય, છતાં આપણને પોતાને જે મોટું નુકસાન થાય છે તેનો વિચાર કરો ઘટે છે. અસત્યથી અથવા આપણે જે કાંઈ જાણતા અથવા માનતા હોઈએ તેની વિરુદ્ધ બોલવાથી આપણું મન મલિન બને છે, અને તેથી આત્મા પર એક જાતનો પડદો આવી જાય છે. અને આપણે આત્માનો પ્રકાશ ઝીલવા અસમર્થ થઈએ છીએ. આપણું દષ્ટિ ઉપર પડલ આવી જાય છે, અને અમુક વસ્તુ અથવા બનાવમાં સત્ય તત્ત્વ શું છે તે આપણે જાણી શકતા નથી પણ
He who thinks truth, speaks truth or acts truth, acquires a power to know truth by intui. tion which is above all reasoning.
જે સત્ય વિચારે છે, સત્ય બોલે છે અને સત્ય વર્તન રાખે છે, તે આન્તરપ્રતિભા જે બુદ્ધિની પણ પેલી પારની શક્તિ છે, તે વડે સત્ય જાણવાની–પારખવાની શક્તિ મેળવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com