Book Title: Pavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Author(s): Manilal Nathubhai Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 127
________________ મિથ્યાત્વશલ્યવિરમણ ૧૨૧ હવે મિથ્યાત્વના ૨૧ પ્રકારે જાણવાની જરૂર હોવાથી તેઓ પૈકી પ્રથમ સંજ્ઞાઆશ્રી દશ ભેદ કહે છે. સંજ્ઞા મિથ્યાત્વ એટલે વસ્તુ અમુક છતાં તેને બીજા રૂપમાં કહેવી–માનવી તે. ૧. ધર્મ-જ્ઞાન દર્શનચારિત્રાદિ તેને અધર્મ માન. ૨. અધમ–હિંસા, અસત્ય, મિથુનાદિ તેમાં ધામ માનો તે. યજ્ઞ-યાગાદિમાં તેમ જ કન્યાદાનાદિમાં જે પુન્ય માનવામાં આવે છે તેને આ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થાય છે. ૩. સન્માર્ગ-શ્રાવક ને સાધુના વ્રત નિયમાદિને ઉન્માર્ગ માનવે તે. ૪. ઉમાગ–કાયકલેશ, કંદમૂળભક્ષણ, રાત્રિજનાદિને માર્ગ માનવ તે. ૫. અસાધુ-કંચન તથા કામિનીના ભેગી, સંસારમાં આસક્ત એવાને સાધુ માનવા તે. ૬. સાધુ–મંચન તેમજ કામિનીથી ન્યારા, પંચ મહાવ્રતધારી મુનિરાજને અસાધુ માનવા તે. ૭. જીવ-ચેતના લક્ષણવાળાને અજીવ માનવ, જીવને પંચમહાભૂતનું કાર્ય માનવું, જીવનું અસ્તિત્વ જ ન માનવું તે. ૮. અજીવ–પગલિક પદાર્થોને કઈ કારણને લઈને તેમાં વૃદ્ધિ, હાનિ થતી દેખી જીવરૂ૫ માનવા તે. ૯. મૂ મૂતમાનરૂપી એવા કર્મ વગેરેને અમૂર્ત માનવા તે. ૧૦. અમૂ–જીવ, આકાશ વગેરેને ચૂત માનવા તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136