Page #1
--------------------------------------------------------------------------
________________
8) પેન ચત્ર પ્રકાશ ગ્ની પુસ્તક ૬૦ માની ભેટ
આ પવિત્રતાને પંથે
) | -
અથવા પોપરસ્થાનકનું
- પ્રકાશક થી જેને પ્રેમ પ્રસારક સભા - ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
હિતશિક્ષા
( રાગ–અરે જીવ! શીદને કલ્પના કરે. )
સુભાગી! માહ મમતમાં ચરે, મનુજના જન્મ વૃથા ક્યાં કરે ?-ટેક.
ધન જોખન સુખ સ્થિર તું માને, આશા મુઠ્ઠી ધરે; દ પાનના જમિન્દુ સમ, આયુષ્ય આછુ કરે. સત્તાધારી ચક્રવતી એ, કાળ અપાટે કાળ-ચક્રના વેગ નિરાળા, તેથી એ
ક્ષણિક સુખના માહ નકામા, મૂઢ ધન સત્તાના ગવ તજી દે, આ
જ્ઞાન ધ્યાન તપ જપ સ યમથી, કષાર મેાક્ષધામનાં સાચાં સાધન, એથી
માયા મમતા જે નર છેડે, અિ સુનિ હેમેન્દ્ર પ્રભુ-સ્મરણેથી, ભવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
llo 9
સુભાગી૦ ૨
{
૨. સુભાગી૦ ૩
ને વરે,
પરહરે;
ઉદ્ધરે. સુભાગી૦ ૪
તરે. સુભાગી ૫
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
-
પવિત્રતાને પંથે
યાને અઢાર પસ્થાનથી નિવૃત્ત થવાને માથે
તા.
:
લેખક
.
મણિલાલ નભુભાઈ દેશી બી એન
પ્રકાશક :– શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર વીર સં. ૨૪૭૦ ?? વિ. સં. ૨૦૦૦
-
:
કિંમત છ આના
'
મુદ્રક –શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ |
દાણાપીઠ–ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
પ્રકરણ પ્રકરણ ૧ લું પ્રકરણ ૨ જું પ્રકરણ ૩ નું પ્રકરણ ૪ થું પ્રકરણ ૫ મું પ્રકરણ ૬ હું પ્રકરણ ૭ મું પ્રકરણ ૮ મું પ્રકરણ ૯ મું પ્રકરણ ૧૦ મું પ્રકરણ ૧૧ મું પ્રકરણ ૧૨ મું પ્રકરણ ૧૩ મું પ્રકરણ ૧૪ મું પ્રકરણ ૧૫ મું પ્રકરણ ૧૬ મું પ્રકરણ ૧૭ મું પ્રકરણ ૧૮ મું
વિષય પ્રાણાતિપાત વિરમણ મૃષાવાદવિરમણ અદત્તાદાનવિરમણ મૈથુનવિરમણ પરિગ્રહવિરમણ ક્રોધવિરમણ માનવિરમણ માયાવિરમણ લભવિરમણ રાગવિરમણ
ષવિરમણ કલહવિરમણ અભ્યાખ્યાનવિરમણ પશુન્યવિરમણ રતિઅરતિવિરમણ પર પરિવાદવિરમણ માયામૃષાવાદવિરમણ મિથ્યાત્વશવિરમણ
૧૧૧
૧૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
બે બેલ
પવિત્રતા એ આત્માને સ્વભાવ છે. સત્ય, પ્રેમ, દયા, મૈત્રી, પરોપકાર એ આત્માના સ્વાભાવિક ગુણ છે. આત્મા પોતાની શક્તિ, જ્ઞાન અને પ્રેમ જગતમાં પ્રગટ કરવા માગે છે, પણ તે પ્રગટ કરવામાં કેટલીક અસ્વાભાવિક–વિભાવિક વૃત્તિઓ નડે છે, અને તે અસ્વાભાવિક વૃત્તિઓ તે પાપસ્થાનકે છે. જીવાત્મા પિતાનું સત્ય સ્વરૂપ ભૂલી જઈ, રાગ, દ્વેષ અને કષાયને વશ થઈ અહંકાર અને મમત્વભાવથી પ્રેરાઈને પિતાના સ્વભાવને અનુચિત એવાં અનેક પાપકર્મો આચરે છે, તેને જેનશાસ્ત્રકારોએ અઢાર વિભાગમાં વહેંચી નાખ્યા છે અને તેને પાપસ્થાનકો એવું નામ આપ્યું છે. તે પાપસ્થાનકનું સ્વરૂપ શું છે? તેનાં કેવાં માઠાં પરિણામ આવે છે? અને તેમાંથી બચવાને કેવા પ્રકારના વિચારો તથા વર્તન રાખવું, એ આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે.
જેમ સર્પનું ઝેર ઉતારવાને તે ઉતરે નહિ ત્યાં સુધી પુનઃ પુનઃ એ જ મંત્ર બોલવામાં આવે છે, પણ તે પુનરુક્તિ દેષ ગણાતું નથી; તેમ પર૫રિવાદ, પશુન્ય, અભ્યાખ્યાન વગેરે એકસરખા લાગતા દોષ સંબંધી વિવેચન કરવામાં કોઈ સ્થળે પુનરુક્તિ થઈ હોય તે તે સંતવ્ય ગણવામાં આવશે, એમ આશા રાખવામાં આવે છે.
આપણા આત્મામાં અનંત શક્તિ છે, તેનું આપણને ભાન નથી. આપણે કર્મને અને કર્મની પ્રકૃતિને બહુ વિચાર કરીએ છીએ, પણ આત્માના એક પ્રદેશમાં અનંત કર્મસમુદાયને તેડવાનું સામર્થ્ય છે, એ બાબત પર વિશેષ લક્ષ આપવાની જરૂર છે. લાંબા સમયના અંધકારને એક નાની સરખી દીવાસળી નાશ કરી શકે છે, તેમ જે આપણને આત્માની પવિત્રતાને, શક્તિ અને પ્રકાશને ખ્યાલ આવે, જો આપણે તેનું ચિંતન કરીએ, તેને અનુભવવા પ્રયત્ન કરીએ તે આપણામાં એટલી બધી શક્તિ રે કે જેના બળથી પાપસ્થાનકરૂપ દોષો આપણે ઘણી ત્વરાથી ટાળી શકીએ; માટે આપણે સ્વભાવે દિવ્ય છીએ અને દોષ તે આપણ નહિ પણ આપણી વિભાવી પ્રકૃતિના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
( ૪ ). એ વિચારનું ચિંતન કરી આ પુસ્તકમાં વર્ણવેલા અઢાર પાપસ્થાનકોથી બચવા વાચકવર્ગ પ્રયત્ન કરશે તેમાં આ પુસ્તકની સાર્થકતા છે.
છેવટ વાચકવર્ગને એ જ વિનંતિ કે-આમાંના દરેક પ્રકરણનું હાર્દ સમજી જે દોષ પોતાનામાં હોય તે ટાળવા પ્રયત્ન કરો. દોષને ટાળવા માટે દોષનું સ્વરૂપ સમજી લઈ તેની સામે સદ્દગુણ ખીલવવા પ્રયત્ન કરવો. ક્ષમાને સદગુણ ખીલવવાથી ક્રોધ પિતાની મેળે ચાલ્યો જશે. તેમ સરળતા ખીલવવાથી માયા દૂર થઈ જશે. તેવી રીતે દરેક દોષને ટાળવા તેના વિરોધી સદગુણનું જેમ બને તેમ વધારે ચિંતન કરવું અને તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરવો કે જેથી તે સદ્દગુણ સમય જતાં સ્વાભાવિક થઈ જશે.
આ બુક શેઠ લધાભાઈ ચાંપશીની પ્રેરણાથી છપાવવામાં આવી છે. અમને પણ પસંદ પડવાથી અમે તેની વધારે નકલે શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકેને ભેટ આપવા માટે છપાવી છે. આ બુકમાં સહજ સુધારે વધારે કર્યો છે. કેટલા પ્રકરણમાં વધારે વધારો કર્યો છે તે ખાસ વાંચવા લાયક છે.
આ બુકના મુખ્ય લેખકને આભાર માનીએ છીએ. બે બેલ પણ તેમના જ રાખ્યા છે. દરેક પ્રકરણો સારા ને અસરકારક છે તે લક્ષપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે. બીજા નેવેલે વિગેરેના શુષ્ક લખાણ ન વાંચતાં આવું આત્મહિતકારક લખાણ જ વાંચવું હિતાવહ છે.
શેઠ લધાભાઈએ પિતાની માતુશ્રીના શ્રેયાર્થે આ બુક છપાવી છે અને તે પોતાના કુટુંબમાં વહેંચવાનું ધાર્યું છે. આવા પુસ્તકની લહાણી કરવી તે ખરેખર શ્રેયકારક છે. પ્રારંભમાં વધારે ન લખતાં બે બેલ સમાપ્ત કરવામાં આવે છે.
વિ. સં. ૨૦૦૦ ો • કાર્તિકી પૂર્ણિમા |
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
અથવા
પવિત્રતાને પંથે અઢાર પાપસ્થાનકેથી નિવૃત્ત
થવાને માર્ગ. પ્રકરણ ૧ લું.
પ્રાણાતિપાત વિરમણ. જીવમાત્ર સુખને શોધે છે. જ્યાં સુધી આત્માને પિતાના ખરા સ્વરૂપનો અનુભવ ન થાય ત્યાં સુધી તેને કદાપિ ખરી શાન્તિ મળી નથી અને મળવાની નથી. આત્મા પોતે જ્ઞાન–સ્વરૂપી છે. તેનામાં અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદ રહેલાં છે. તે આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપે જગતના તમામ પદાર્થોને–તે પદાર્થોના ગુણ અને પર્યાયે સહિત જાણે છે અને અનુભવે છે. તે બાહ્ય પદાર્થોને તેમજ પોતાના શરીરને સાધન તરીકે વાપરે છે, પણ પોતે પોતાના સ્વરૂપમાં જ આનંદ માને છે. ઇન્દ્રિયેના આવેશે અને મનના વિચારોરૂપી તરંગો તેના પગ આગળ આવીને ભલે અથડાય પણ તે તે પિતાના ઉચ્ચ સ્વભાવરૂપ ખડક ઉપર સ્થિર રહે છે, કારણ કે ઈન્દ્રિય તથા મનને બળ આપનાર પણ પિતે જ છે, માટે જ્યાં આમા પિતાનું બળ ખેંચી લે છે ત્યાં મન તથા ઇન્દ્રિયો શિથિલ બની જાય છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે
આત્મા પર પોતાનો પ્રભાવ દર્શાવી શકતાં નથી. આત્મા તે ઈન્દ્રિયે, મન અને વાસનાઓને સેવક નહિ પણ સ્વામી છે. આત્માના બળને શે ખ્યાલ આપી શકાય ? શ્રીમાન શુભચંદ્રાચાર્યે જ્ઞાનાવમાં કહ્યું છે કે–
अहोऽनंतवीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव, ज्ञानशक्तिप्रभावतः ॥
આ વિશ્વને પ્રકાશ આપનાર આત્મા અનંતશક્તિવાળે છે. તે પિતાની જ્ઞાનશક્તિના પ્રભાવથી ત્રણ ભુવનને ધ્રુજાવવા સમર્થ છે. આ આત્મશક્તિને દેવો અને અસુરે પણ વશ થાય છે, તે પછી સામાન્ય મનુષ્ય અને પશુઓની તો વાત જ શી ? આ આત્મશક્તિ આગળ મોટા મેટા નરેન્દ્રો અને ચક્રવર્તીએ પણ નમી પડે છે. આત્માનું પ્રેમસ્વરૂપ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે સ્વરૂપ પ્રકટ કરનારની સમીપમાં આવનારા વિરોધીઓનો વિરોધ ટળી જાય છે, એટલું જ નહિ પણ સ્વભાવથી વિરોધી પશુઓ પણ પોતાનો વૈરભાવ ટાળી શાન્ત થઈ જાય છે. તેના પ્રેમની પ્રભા આગળ વેરવિરોધનું વાદળ ટકી શકતું નથી. તે આત્મા પિતાના જ્ઞાનબળવડે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના બનાવોને હસ્તામલકવત્ પોતાની દષ્ટિ સમીપ એક જ સમયે જોઈ શકે છે. તેના શુદ્ધ હદયમાં દરેક બાહ્ય વસ્તુનું પ્રતિબિંબ પડે છે અને તેથી કેઈપણ જાતના પ્રયાસ સિવાય તે સર્વ પદાર્થો અને બનાવોને જોઈ શકે છે, જાણી શકે છે અને અનુભવી પણ શકે છે. વળી પ્રબુદ્ધ આત્મા સ્વસંતુષ્ટ હોવાથી પોતાના સુખ વાતે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાત વિરમણ બહારના પદાર્થો કે મનુષ્ય પર આધાર રાખવો પડતો નથી. મનુષ્યને પિતાના આત્માના દિવ્ય આનંદનું ભાન જેટલા પ્રમાણમાં ઓછું તેટલા પ્રમાણમાં તે આનંદ મેળવવા માટે બાટા પદાર્થો વિશેષ રૂપમાં પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને મથે છે, પણ ખરા આત્મજ્ઞાનીનો આનંદ પોતાનામાં રહેલે હોવાથી તે બાહ્ય વસ્તુઓના સદભાવ કે અભાવમાં એકસરખી પ્રસન્નતા જાળવી શકે છે. તે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં–જગત જેને સુખદુ:ખના પ્રસંગે કહે છે તેવા પ્રસંગમાં–આનંદમાં રહી શકે છે. આત્મા અમર હોવાથી અંતવાળી વસ્તુઓના ભાવે શું રાચે? તેમજ અંતવાળી વસ્તુઓના અભાવે ખિન્ન પણ શું થાય ? અનંત કાળને પ્રવાસી આત્મા આ બધા સંસારરૂપી નાટકને પ્રેક્ષક છે, દ્વષ્ટા છે–સાક્ષી છે; પણ ભૂલથી પ્રેક્ષક મટી એકટર-નાટકને પાત્ર બની જાય છે એટલે લેપાય છે અને સંસારનાટકમાં તેને પણ અનેક ભાગ ભજવવા પડે છે.
આત્મા, ઉપર જણાવ્યા પ્રમાણે અનંત આનંદમય, અનંતશક્તિમય અને અનંતજ્ઞાનમય છે, છતાં શા સારુ ખી, અલ્પશક્તિવાળો અને બહુ જ ન્યૂન જ્ઞાનવાળે જણાય છે? તેની શક્તિ, જ્ઞાન અને આનંદને રોકનારાં કારણે કયા છે? જેમ સૂર્યના પ્રકાશને વાદળ રોકે છે તેમ આત્માના પ્રકાશને રોકનારાં વાદળે કયા? વળી આપણે પિતે જ આ આત્મા હેવાથી અને આત્મા પોતે શક્તિ, જ્ઞાન અને આનંદના સમૂહરૂપ હોવાથી શા સારુ તે શક્તિ, જ્ઞાન અને આનંદને આપણને અનુભવ થતો નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથે.
ઉપરના પ્રશ્નના ઉત્તર સમજવાને માટે આપણે એક ષ્ટાન્ત લઇએ.
હાલનું વિજ્ઞાનશાસ્ત્ર આપણને જણાવે છે, તેમજ આપણે અનુભવથી પણ જાણીએ છીએ કે આપણી ચારે બાજુએ હવા આવેલી છે, પણ જે વસ્તુ ચારે બાજુએ આવેલી હાય તેનુ આપણને ભાન હાતુ નથી. વળી આ હવાને વજન પણ છે, અને તે દરેક વર્ગ ઈંચ ( square inch ) ઉપર પંદર રતલ છે. છતાં આપણને તે વજનના ભાર લાગતા નથી. પણ જો કાઇ પણ ખાજુથી હવા લઇ લેવામાં આવે અને ત્યાં જગ્યા ખાલી થાય, તેા હવાના દખાણુનું તરત જ આપણને ભાન થાય. જો એક શીશીમાંથી હવાના પંપવડે હવા ખેંચી લેવામાં આવે, અને જો તે શીશા પર હાથ મૂકવામાં આવે તેા હાથ ઉપર હવાનું દબાણ એટલુ બધુ થાય કે હાથમાંથી લેાહીની સેરા નીકળે; કારણ કે ઉપરના દખાણુને રાકનારું હવાતુ નીચેનું દખાણુ તે વખતે હાતુ નથી. તે જ રીતે આત્માની પૂર્ણ શક્તિએ આપણામાં છે પણ આપણાં હૃદયા બહારના પદાર્થો, વાસના અને વિચારાથી એટલાં બધાં ભરેલાં છે કે તે આત્માની શક્તિઆનુ દબાણુ આપણને લાગતું નથી. જે પળે હ્રદય ઉપરથી પાપ તરફ દોરી જતી વાસના અને વિકારાના ભાર આછા થઇ જશે, તે જ પળે તે સ્થળે આત્માની શક્તિએ પ્રકટ થઈ પેાતાના પ્રભાવ દર્શાવશે. આત્માની શક્તિઓ ખીલવવાની નથી, તે તા ખીલેલી જ છે; પણુ તેને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તે કરવાનાં છે.
દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિમ
આત્માની શક્તિઓને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તેને પાપસ્થાનકા કહેલાં છે. તે પાપના-અશુભ પ્રવૃત્તિના હેતુએ છે. જ્યાં સુધી પાપપ્રવૃત્તિના હેતુએ વિદ્યમાન હોય ત્યાં સુધી અશુભ પ્રવૃત્તિ થવાની અને તેના પરિણામે જે કર્મરૂપ વાદળ પ્રગટે તે આત્મસૂર્યને પ્રકટ થવા દે નહીં; માટે જો આત્માની ખરી શક્તિઓ પ્રકટ કરી સ્વાનંદમાં મ્હાલવુ હાય તા મનુષ્યે અઢાર પાપસ્થાનકેાનું સ્વરૂપ સમજી જેમ બને તેમ તેના ત્યાગ કરવા પ્રવૃત્ત થવુ જોઇએ. તે અઢાર પાપસ્થાનકે જૈનધર્મ માં વર્ણવેલા છે તે નીચે પ્રમાણે છે
.
( ૧ ) પ્રાણાતિપાત. ( ૨ ) મૃષાવાદ. ( ૩ ) અદત્તાદાન. (૪)મૈથુન. (૫) પરિગ્રહ. (૬) ક્રેષ્ઠ. (૭) માન. (૮) માયા. ( ૯ ) લેાભ. ( ૧૦ )રાગ. (૧૧) દ્વેષ. (૧૨ ) કલહુ. ( ૧૩ ) અભ્યાખ્યાન. (૧૪) વૈશુન્ય. (૧૫ ) રતિઅરિત. ( ૧૬ ) પર. પરિવાદ. ( ૧૭ ) માયામૃષાવાદ. ( ૧૮ ) મિથ્યાત્વશલ્ય.
આ અઢાર પાપસ્થાનકા આત્માના પ્રકાશને પ્રગટ થતા અટકાવે છે. આ અઢારમાં પ્રથમના પાંચ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ મુખ્ય છે. બીજા તેર ગાણુ છે, પણ આ પાંચને પુષ્ટિ આપી વધારે પ્રબળ બનાવે છે તે અપેક્ષાએ તે તેર પણ પાપસ્થાનકેા છે. વળી આ પાંચમાં પણુ મુખ્ય પાપસ્થાનક હિંસા છે. તે બધા દાષાનું મૂળ છે. શ્રો ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યુ છે કે—સર્વ જીવા પ્રત્યે અહિંસા-પ્રેમ ( મૈત્રીભાવ) કરીને જીવ શાન્તિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનાણુંવમાં પણ કહ્યું છે કેઃ—
(
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથ
अहिंसैव जगन्माताs - हिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी, श्रीरहिंसैव शाश्वती ॥
અહિંસા જગતની માતા છે, અહિંસા આનંદની શ્રેણી છે, અહિંસા એ જ ઉત્તમગતિ–માર્ગ છે અને અહિંસા એ જ શાશ્વતી લક્ષ્મી છે. ચેગસૂત્રના રચનાર શ્રી પત ંજલિ ઋષિ કહે છે કે
""
“ જ્યારે મનુષ્યને અહિંસા સિદ્ધ થાય ત્યારે તેવા મનુષ્યની સમીપમાં વિરોધી પ્રાણીએ પણ પેાતાના વેરવિરાધ તજી દે છે. ” આપણે શાસ્ત્રોમાં પણ સાંભળ્યું છે કે—જ્યારે મહાવીર પ્રભુ સમવસરણમાં એસી ઉપદેશ આપતા હતા તે સમયે સર્વ પશુ-૫ખીએ પણ પેાતાના સ્વાભાવિક વિરાધ તજી એક ખીજા સાથે પ્રેમભાવથી બેસતા હતા.
જે અહિંસાને આવા પ્રભાવ છે તેનું સ્વરૂપ આપણે સમજવુ જોઇએ, અને તેની પ્રતિપક્ષી હિંસાને ત્યાગ કરવા જોઇએ.
પ્રાણાતિપાતના અર્થ એ જ થાય છે કે કાઈ પણ જીવને તેના પ્રાણથી વિયુક્ત કરવા અથવા તેને મારી નાખવા. મનુષ્યને અથવા પશુને સર્વથી મારી નાખવુ એટલામાં જ હિંસા સમાઈ જતી નથી, પણ પશુ પર અતિશય ભાર ભરવા, તેની ચામડી છેદવી, તેને બાંધી રાખી યાગ્ય સમયે ઘાસપાણી ન આપવાં, તેને સખ્ત ચાખકાથી મારવું, અથવા અણીવાળા પરાણે! ઘાંચી તેની ચામડીમાં છિદ્ર પાડવાં—મા સના પણ હિંસામાં સમાવેશ થાય છે. તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિરમણ જ રીતે કરચાકરને લાત મારવી અથવા શરીરના બીજા કઈ ભાગ પર મારો, અથવા કોઈને એક પણ અવયવાદિક નાક કાપી નાખવે તે પણ હિંસા છે. સ્ત્રીઓને તેમ જ હાથ નીચે મૂકાયેલાં બાળકોને સેટીથી મારવાં અથવા કઈ પણ શારીરિક શિક્ષા કરવી તે પણ હિંસા છે. જ્યારે બાળકોને-કુમળા બાળકોને ગૃહમાં કે શાળામાં શિક્ષા કરવામાં આવે છે ત્યારે તેમાંથી ચાર અનર્થો ઉપજે છે. (૧) બાળકે બીકણ થાય છે. (૨) તેઓ ભયને લીધે અસત્ય બોલતાં શીખે છે. (૩) તેઓ મારનારા પ્રત્યે દ્વેષ રાખે છે અને (૪)તેઓ જાતે પણ નિર્દયતાને પાઠ શીખી સમય જતાં પોતાના હાથ નીચે આવતાં બાળકો તરફ ઘાતકી બને છે.
પિતાના પ્રાણ જેટલા પોતાને પ્રિય છે તેટલા જ સામાના પ્રાણ તેને પ્રિય છે, પણ મનુષ્ય ક્રોધ, લોભ કે કામના આવેશમાં આવી બીજાઓને હેરાન કરતાં, અથવા બીજાઓના શરીરને અનેક પ્રકારનો ત્રાસ ઉપજાવતાં જરા પણ ડરતા નથી. માંસાહારને પણ હિંસામાં સમાવેશ થાય છે. પશુના વધ સિવાય માંસ મળતું નથી માટે જે લેકે માંસાહાર કરે છે તેઓ હિંસાથી થતાં પાપના ભાગી બને છે, માંસાહારી પશુના વિકાસક્રમમાં અડચણ નાખે છે તેટલે અંશે કુદરતી નિયમ પ્રમાણે તેના પિતાના વિકાસમાં અંતરાયે આવે છે. પશુને લાગુ પડેલા ક્ષય, ચાંદી વગેરે રેગનાં જંતુઓ પણ તે માંસમાં હોય છે, અને તેથી તેનું માંસ ખાનાર મનુષ્યને તે રોગ લાગુ પડવાને સંભવ છે. વળી પશુને જ્યારે મારવામાં આવે છે ત્યારે તે પશુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથે હૃદયમાં સ્વાભાવિક રીતે ક્રોધ, વૈર અને ધિક્કારના વિચારે પ્રગટે છે, તેથી તેવા પશુનું માંસ ખાનાર પણ ક્રોધી, ચીડીઓ અને અશાન્ત બને છે. માંસ ખાનારને દારુ પીવાની જરૂર પડે છે, એટલે એક અનર્થ બીજા અનર્થનું કારણ બને છે. માંસ બીજા સામાન્ય અનાજો કરતાં મેંઘું પડે છે. પશુઓને વધ થવાથી દૂધ, દહીં, ઘી, માખણ વગેરે મોંઘાં મળે છે અને ખેતીને પણ પુષ્કળ નુકસાન થાય છે, પણ આ બધાં કારણે કરતાં સૌથી મોટું કારણ તો એ જ છે કે પશુઓને આપણા જેવી જ લાગણી હોય છે. આપણે મનની બાબતમાં વિશેષ આગળ વધ્યા હોઈશું, પણ તેમની સુખદુઃખની લાગણીઓ લગભગ આપણા જેવી જ હોય છે માટે તેવા લાગણીવાળા જીવને મારી, પોતાના બાહ્યસ્વાદની તૃપ્તિ કરવી એ ખરેખર અનર્થ અને મહાહિંસક કામ છે, માટે અહિંસક બનવા ઈચ્છનારે માંસને તથા માંસવડે બનાવેલી વસ્તુઓને જરૂર ત્યાગ કરવો જોઈએ.
યજ્ઞનિમિતે પશુઓને જે વધ કરવામાં આવે છે, તે પણ મોટામાં મોટી હિંસા છે. જે દેવી જગદમ્બા-જગતની માતા કહેવાય છે તે કદાપિ પોતાના બાળકના રુધિરથી પ્રસન્ન થાય જ નહિ, અને જે પિતાના નિર્દોષ અને નિરપરાધી પશુરૂપ બાળકના વધથી સંતુષ્ટ થાય તે દેવી માતાના નામને પાત્ર જ શી રીતે થઈ શકે ? મનુષ્ય દેવીનેદિવ્ય શક્તિઓને પ્રસન્ન કરવા પોતાની અંદર રહેલી પાશવ વૃત્તિઓને–જેવી કે ક્રોધ, મોહ, લોભ, મત્સર, પરનિંદા, દ્વેષ વગેરેને–ભેગ આપ જોઈએ. એક સ્થળે કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિરમણ
यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । રહેવું ગયતે સ્વર્ગ, નહે ન ગમ્યો ।। ? ||
જો યજ્ઞસ્ત ંભ છેદીને, પશુઓને હણીને અને લેહીને કાદવ બનાવીને-આ પ્રમાણે કરીને જો સ્વગે જવાતું હોય તા પછી નરકે કાણુ જશે ? માટે યજ્ઞનિમિત્તે જે હિંસા થાય છે તે અજ્ઞાનમૂલક છે. તેનેા કેઇ પણ રીતે બચાવ થઇ શકે તેમ નથી.
શિકાર એ પણ હિંસાનું એક મેટુ કારણુ છે. શિકારી મનુષ્યા તેને એક રમતરૂપ ગણે છે, પણ તે રમતમાં ત્રીજાએના પ્રાણ જાય છે તેનુ તેને ક્યાં ભાન હાય છે ? શરીરમળ ખીલવવાના અનેક માર્ગ છે. નિર્જીવ વસ્તુને નિશાન કરી ધનુવિદ્યા યાં શીખાતી નથી ? પણુ ખીજા અનાથાને સ્વચ્છંદવૃત્તિથી મારવામાં શૂરવીરાને એક પ્રકારના ખાટા રસ પેદા થાય છે. પણ શાસ્ત્રોમાં તા કહ્યું છે કે—
उद्यतं शस्त्रमालोक्य, विषादभयविह्वलाः । ઝીવાઃ જૈન્તિ સર્વત્ર, નાસ્તિ મૃત્યુસમં મમ્ ।। ।। कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् । चक्रकुंतासि शक्त्याद्यै- च्छिद्यमानस्य किं पुनः १ ॥ २ ॥
નિરાશા અને ભયથી વિહ્વળ થયેલા જીવા ઉગામેલુ શસ્ત્ર જોઈને કંપે છે, કારણ કે મૃત્યુ સમાન બીજો ભય નથી. કાંટા ખેંચી જવાથી પણ પ્રાણીને જ્યારે માટી વેદના થાય છે ત્યારે ચક્ર, ભાલે, તરવાર, બરછી વગેરે શસ્ત્રોથી છેદાતા પ્રાણીની વેદનાની તા વાત જ શી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે પ્રાચીન સમયમાં યુદ્ધના પ્રસંગે જે કોઈપણ મનુષ્ય મુખમાં ઘાસનું તરણું લે તે સામે પ્રબળ શત્રુ તેને જીવતે મૂકતે હતો. કારણ કે મુખમાં તરણું લેનાર મનુષ્ય પશુ જે છે, માટે તેને શું મારે તે પછી તૃણ ખાઈને જ જીવનારા, ઝરાનું નિર્મળ જળ પીને તૃષા શમાવનારા નિર્દોષ પશુઓની હિંસા શિકાર કે મજશેખ નિમિત્તે કરવી અને વર્તમાનપત્રમાં તે બહાદુરીનાં કાર્યો હોય તેમ તેનાં લાંબાં વર્ણન છપાવવા એ જ સૂચવે છે કે આપણા સમાજનું અંત:કરણ આ બાબતેને દોષરૂપ ગણવા જેટલું ખીલ્યું નથી.
કેવળ શરીરથી જ હિંસા થાય છે એમ નથી. વચન અને મનથી પણ આપણે હિંસા કરીએ છીએ. વચન ઉપર સંયમ નહિ રાખવાથી આપણે ન બેલવાનું બેલીને સામી વ્યક્તિના જીવને દુઃખ આપીએ છીએ. શારીરિક ઘા કરતાં પણ વચનના ઘા કેટલીક વાર વધારે અસહ્ય નીવડે છે, અને તેને લીધે કેટલાંએક ઓશીકાં આંસુઓથી ભીંજાતાં હશે, તેને તે વચનો બેલનારને કયાં ખ્યાલ હોય છે ? જીભમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણીમાં ઘાયલ કરવાની શક્તિ છે અને ઘા રૂઝવવાની શક્તિ પણ છે, માટે હિંસાના પાપથી બચવા ઈચ્છનારે વાણીમાં મીઠાશ રાખવી.
કવિ બાલાશંકર કહે છે કેકટુ વાણી સુણે જો તું, મીઠી વાણી સદા કહેજે; પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
જેનશાસ્ત્રમાં જે પાંચ સમિતિઓ કહેલી છે તેમાં એક ભાષાસમિતિ છે. ભાષાસમિતિ જણાવે છે કે-વાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાત વિરમણ સારી રીતે બોલાવી જોઈએ, તે અન્યાયયુક્ત નહિ પણ ન્યાયયુક્ત હોવી જોઈએ, તે અપ્રિય નહિ પણ પ્રિય હેવી જોઈએ, તે અસત્ય નહિ પણ સત્ય હેવી જોઈએ. જે વાણી પિતાને પશ્ચાત્તાપ ઉપજાવતી નથી તેવી વાણીને જ ઉચ્ચાર કરવો લાભદાયક છે.
મનુષ્ય, શરીરથી હિંસા ન કરે, વચનથી પણ કોઈને નુકસાન ન કરે, છતાં જે તેના મનમાં બીજાનું અશુભ કરવાની વૃત્તિ હોય તો તે મનવડે પણ હિંસા કરે છે. | મનથી પાપકર્મ બંધાય છે અને મનથી પાપકર્મ છૂટે છે, તેના પર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત જૈન આલમને સુવિદિત છે. પિતાના મનના શુભ ભાવવડે તે સ્વર્ગપ્રાપ્તિને યોગ્ય થયા, મનના અશુભ પરિણામવડે બીજાઓને મારવાની પ્રબળ ઈચ્છા કરવાથી નરકના દુ:ખ ભેગવવાને પાત્ર બન્યા અને થોડા જ સમયમાં તે અશુભ વિચારોને દૂર ફેંકી દઈ પિતાની ખરી સ્થિતિનું ભાન લાવી આત્મસ્વરૂપનો વિચાર કરતાં કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ થયા. આ ત્રણે સ્થિતિમાં મન એ જ મોટું કારણ છે, માટે મનથી બીજાનું અશુભ ચિંતવવું, બીજાને દુઃખ થાય એવી ભાવના ભાવવી એ પણ હિસા છે; કારણકે મને મળ્યા જાળ નો ! “ મન એ જ મનુષ્યોને બંધ અને મોક્ષનું કારણ છે.” વળી આ સ્થળે એ પણ વિચારવા જેવું છે કે જે મનમાં હોય તે બહાર આવ્યા વિના રહેતું નથી. દરેક કાર્યને પિતા વિચાર છે. વિચાર ઘટ્ટ થતાં તે કાર્યરૂપે પરિણમે છે, માટે જે મનુષ્યના હૃદયમાં બીજાનું બૂરું કરવાની ભાવના હશે, તે મનુષ્ય વહેલું કે મેડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૨
પવિત્રતાને પંથે
બીજાને નુકસાન કર્યા વિના રહેનાર નથી માટે આત્માથીએ સર્વનું શુભ ચિંતવવું. બૃહશાન્તિમાં કહ્યા પ્રમાણે સદા એવી ભાવના ભાવવી કે – शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखिनो भवन्तु लोकाः॥
સર્વ જગતનું કલ્યાણ થાઓ, લેકે પારકાના હિતમાં તત્પર બને, તેમના દોષો નાશ પામે અને સર્વ સ્થળે લોકો સુખી થાઓ.’
વંદિત્તા સૂત્રમાં પણ આપણે પ્રતિદિન બેલીએ છીએ કેखामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे। मित्ति मे सव्वभूएसु, वे मज्झं न केणइ ।।
“હું સવ ને ક્ષમા આપું છું, સર્વ જી મને ક્ષમા આપ. મારે સર્વ સાથે મૈત્રી છે, મારે કોઈ સાથે વેર નથી.” માટે હિંસાના પાપથી વિમુખ થઈ મનુષ્ય અહિંસા ધર્મને આશ્રય લે. શ્રી જ્ઞાનાવમાં કહ્યું છે કે –
तन्नास्ति जीवलोके, जिनेन्द्रदेवेन्द्रचक्रकल्याणम् । यत् प्राप्नुवन्ति मनुजा, न जीवरक्षानुरागेण ।।
આ જગતમાં જીવરક્ષા પર પ્રેમ રાખવાથી મનુષ્ય સમસ્ત કલ્યાણકારી પદ પ્રાપ્ત કરે છે. તીર્થકર, દેવેન્દ્ર અને ચક્રવતત્વ જેવું એક પણ પદ નથી કે જે દયાવાન(અહિંસક)ને ન મળે, માટે પોતાની આત્મશક્તિ પ્રગટ કરવાવાળા દરેક જીવે શરીરથી, વચનથી અને મનથી કેઈ પણ જીવને દુઃખ ન થાય તેવી રીતે વર્તન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જી.
મૃષાવાદવિરમણુ. આખું વિશ્વ સત્યથી ચાલે છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ પિતાની ગતિમાં ચાલ્યા કરે છે તે પણ સત્યવડે જ. ભેગસૂત્રના રચનાર મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે સત્યપ્રતિષ્ઠા હવનવિધિ જ્યારે મનુષ્યમાં સત્ય પૂર્ણ રીતે સિદ્ધ થાય છે ત્યારે તે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે અર્થાત તે જે કંઈ બોલે છે તે પ્રમાણે થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે
“પૂછયા સિવાય પોતે બોલવું નહિ અને પૂછે ત્યારે અસત્ય બોલવું નહિ.” Truth in the purity of speechસત્ય એ વાણીની પવિત્રતા છે પણ મનુષ્યો ક્રોધથી, લોભથી, કપટથી, અહંકારથી, ભયથી, હાસ્યથી અથવા સ્વાર્થથી કે પિતાના દોષે છુપાવવા માટે અસત્ય બોલે છે. પવિત્ર આચારવિચારવાળા મનુષ્ય પણ આ અસત્યના પાશથી સર્વથા મુક્ત હોતા નથી. ગરીબ તેમજ તાવંત, ગૃહસ્થ તેમજ સાધુ, પુરુષ કે સ્ત્રી, બાળક કે વૃદ્ધ-આ સર્વમાં સંપૂર્ણ સત્ય બોલનાર ભાગ્યેજ જડી આવે છે. જેવું મનમાં હોય તેવું જ વચનમાં બોલનાર પુરુષ યા સ્ત્રી વિરલ હોય છે. આમ કહેવું તે જગતને અન્યાય આપવા જેવું લાગે, પણ અનુભવથી આ વાતની સત્યતા જણાઈ આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે
અસત્યને મોટામાં માટે દોષ એ છે કે જ્યાં અસત્ય જણાયું ત્યાં તે કહેનાર ઉપર લેકે અવિશ્વાસની નજરથી જુએ છે. તેની બીજી ખરી વાતો પ્રત્યે પણ લોકોને અશ્રદ્ધા પ્રકટે છે. વ્યાપારીઓ લાખ રૂપીઆના માલ ધીરે છે તે પણ સામાની સાખ અથવા આબરૂથી. આબરૂ અથવા સાખ અસત્યથી નાશ પામે છે. કેટલાક મનુષ્ય તોલમાપમાં ઓછું આપે છે અથવા વિશેષ લે છે. કેટલાક જૂઠા દસ્તાવેજો બનાવે છે અથવા ખેાટી સાક્ષી પૂરે છે. કેટલાક જમીન, જનાવર અથવા કન્યાની લેવડદેવડમાં અસત્ય બોલે છે. વ્યાપારરોજગારમાં તો જૂઠા સમ ખાવા એ તો કેટલાક વ્યાપારીઓને સહજ થઈ પડયું છે. વારંવાર અસત્ય બોલવાથી લોકોના મનની સ્થિતિ એવી અધમ બની જાય છે, તથા તેમના અંત:કરણ એવાં બુદ્ધાં–લાગણી વગરનાં–થઈ જાય છે કે પોતે આ અસત્ય બોલે છે તેનું પણ તેમને ભાન હેતું નથી, તો પછી તે બોલવાથી પોતાના આત્માનું અહિત થાય છે તેને તે ખ્યાલ જ કયાંથી આવે ?
લેકમાં અસત્ય બોલવાનો રિવાજ છે, એ માન્યતાને લીધે કોઈ પણ માલ વેચનાર પર બીજાઓને વિશ્વાસ આવતે નથી. તેથી એક વસ્તુ ખરીદવાને મનુષ્યને અનેક દુકાને ભમવું પડે છે, છતાં પણ પોતે કદાચ છેતરાયે હશે એવો મનમાં સંશય રહ્યા કરે છે. વળી આ રીતે વસ્તુઓ ખરીદતાં સમય અને શક્તિને કેટલે નકામે વ્યય થાય છે તે ક્યાં લેકો નથી જાણતાં કે નથી સમજતાં ?
મૃષાવાદ–અસત્ય કેવી રીતે અને શા કારણથી બેલાય છે, તેના કેટલાક દાખલાઓ વિચારીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદવિરમણ
કેટલાક ત બડાઈ મારનારા મનુબ્ધ હોય છે. તેઓની સર્વ વાતે અતિશયોક્તિથી ભરેલી હોય છે. તેઓ પોતાની દેલતના, સમાજમાં પોતાની સ્થિતિના, મોટા મોટા મનુષ્ય સાથેની પોતાની દોસ્તીના, પોતાને મળેલા માનચાંદના, પોતાના વડિલે ભૂતકાળમાં કરેલા પરાક્રમનાં અને ભવિષ્યમાં તે કેવાં પરાક્રમ કરવા ધારે છે તેને લગતા હવાઈ ખ્યાલના સંબંધમાં બડાઈ મારતા જ હોય છે. આ હકીકતને અર્ધ કરતાં પણ વધારે ભાગ તેઓની કલ્પનાશક્તિથી તેઓએ રચે હોય છે, અને સત્યના પ્રકાશમાં આ હકીકતો ટકી શકે તેવી હોતી નથી માટે સત્યના ઉપાસકે આવી ખોટી બડાઈ મારવાની ટેવથી દૂર રહેવું. જ્યારે મનુષ્ય બીજાને કઈ વાત કહેવા માંડે છે ત્યારે તે વાતને રસિક બનાવવાને તેના જે અંગમાં ન્યૂનતા હોય તે પોતાની કલ્પનાવડે ભરી દે છે અને આ રીતે અસત્ય બોલવાને દેરાય છે.
બીજા પ્રકારના અસત્યવાદીઓ દ્વેષથી અસત્ય વચન બોલવાને દોરાય છે. તેઓ બીજાઓ સંબંધી અપ્રિય બાબતો સાંભળીને તેમાં પોતાના તરફથી કાંઈક ઉમેરો કરીને જગત આગળ એવું વણને મૂકે છે કે લેકે તે વાત સાચી માનવાને દોરાય છે. તેઓ આ રીતે વગરપૈસાના પરનિંદા ફેલાવનારા ફેરીઆઓનું કામ કરે છે. આ ગુન્હો ઘણે મોટે છે. એથી ચારિત્રપ્રતિષ્ઠાને થતી હાનિ ન સહન થવાથી કેટલાકે આપઘાત કર્યાના દાખલા જગપ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-સહસાત્કારે કોઈની ખરી પણ ગુમ વાત પ્રકટ કરવી એ પણ સત્યને અતિચાર છે, તે પછી બીજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૬
પવિત્રતાને પંથે
અછતી વાત જગત આગળ મૂકવી તેના જેવા અનર્થ બીજો કયા હાઇ શકે ? આ બધાં જીભનાં પાપા છે. તેનાથી સત્યના ઉપાસકે ચેતતા રહેવુ જોઇએ. જ્ઞાનાણુ વકાર કહે છે કે—
पृष्टैरपि न वक्तव्यं, न श्रोतव्यं कथंचन । वचः शंकाकुलं पापं, दोषाढ्यं चाभिसूयकम् ॥
‘જે વચન શકાભયું... હાય, પાપમય હાય, દોષવાળુ હાય અથવા ખીજાની ઈર્ષા ઉત્પન્ન કરનારું હાય તેવું વચન બીજાએ પૂછવા છતાં પણ કહેવુ નહિ, તેમ તેવાં વચના સાંભળવાં પણ નહિ. '
આપણને આવાં વચના સાંભળવામાં રસ પડે છે તે જ આપણી નિબતા સૂચવે છે. આપણે બીજાના સંબંધમાં જે અપ્રિય અથવા અનિષ્ટ વાત સાંભળીએ તે ખરી ન પણ હાય અને કદાચ ખરી હાય તા પણ તે વિષે ન ખેલવું એ વધારે દયાભયુ છે.
કેટલાક અસત્યવાદીએ પેાતાના વચનના ભંગ કરે છે અને કારણ પૂછતાં એક યા બીજી માનું રજૂ કરે છે. સત્ય માલવાથી ઠપકેા મળશે એવા પ્રસંગા હાય ત્યાં અસત્ય ખેલવામાં આવે છે. નાકરામાં આ ણુ વિશેષ હોય છે. જ્યાં માખાપ અથવા શિક્ષકે બહુ જ સખ્ત હાય છે અને જ્યાં સત્ય કરતાં પ્રશંસાને વધારે માન અપાય છે, ત્યાં ઘણાં બાળકા અથવા વિદ્યાથી એ અસત્ય ખેલવાને દ્વારાય છે.
એક મનુષ્ય પાંચ રૂપીઆને વાસ્તે અસત્ય ખેલે છે તેના અર્થ એ જ કે સત્ય કરતાં તે પાંચ રૂપીઆને વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદવિરમણ કિંમતી ગણે છે. મનુષ્ય ધારે તો સર્વાંગસંપૂર્ણ સત્ય બેલી શકે, પણ તેને વાસ્તે ભેગ આપવા તેણે તૈયાર રહેવું જોઈએ. હરિશ્ચંદ્ર સત્યવાદી રહી શક્યા, કારણ કે પોતે આપેલા વચનને ખાતર ભેગ આપવાને તત્પર હતા. આજે હજારો વર્ષે તેમનું નામ આપણું જીભ પર તરી આવે છે. ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિર અને પ્રસંગે અશ્વત્થામા મરાયા તે ઊંચા સ્વરે બોલ્યા નૉ વા નૉ વા-એટલે તે મનુષ્ય હાય કે હાથી હાય-એટલું ધીમેથી બેલ્યા. તરત જ તેમનો રથ જે પૃથ્વી પર ચાલતો હતો તેનું એક ચક્ર ભૂમિમાં પેસી ગયું. • તે સત્યવાદી જીવે અસત્ય કહ્યું પણ તરત જ તેના અંત:કરણે ડંખ દીધો. અંતઃકરણરૂપી ઝગઝગતી તરવારે તેના મર્મસ્થળને લેવું. આ સ્થળે કઈ પ્રશ્ન કરે કે આપણને કેમ એકદમ અસર થતી નથી ? કારણ એ જ કે ઉજળે લુગડે ડાઘ લાગે. ઉજળી ભીંત પર કાળું ધાબું તરત દેખાય, પણ
જ્યાં બધું કાળું હોય ત્યાં જરાક કાળાશને ઉમેરે થાય તે તે શી રીતે જણાય ? જેણે વ્રત લીધાં હોય તેને અતિચાર લાગે, પણ જે સદા અવિરતિપણામાં રમણ કરતા હોય તેને પાપથી પાછા હઠવાનો વિચાર જ કયાંથી સૂઝે?
અસત્યના કેટલાક ગેરલાભ આપણે વિચાર્યા, તે જ રીતે સત્યના લાભ પણ વિચારવા જરૂરના છે. સત્યથી લેકેને આપણા પ્રત્યે વિશ્વાસ બેસે છે, માનપ્રતિષ્ઠા વધે છે, વ્યાપાર રોજગાર પણ તે સાખ–આબરૂને લીધે સારે ચાલે છે. સત્યવાદી મનુષ્યમાં સત્યથી એક પ્રકારનું બળ આવે છે. અસત્ય બોલનારા અચકાતા અચકાતા બોલે છે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૮
પવિત્રતાને પંથે
આ સત્યવાદી પુરુષ બેધડક પિતાના પૂર્ણ જોશથી પિતાની વાત રજા કરે છે, કારણ કે તેને પોતાના સત્ય પર પૂર્ણ વિશ્વાસ હોય છે, પણ આ બધા વ્યાવહારિક લાભ ઉપરાંત કેટલાક આધ્યાત્મિક લાભ પણ થાય છે. પ્રથમ તે તેના આત્માને અપાર સંતોષ થાય છે. મનુષ્ય જ્યારે રાત્રે પોતાના કાર્યનું નિરીક્ષણ કરવા બેસે અને પિતાના અંત:કરણ સાથે એમ કહી શકે કે-હું આજે કોઈ પણ બાબતમાં અસત્ય બોલ્યો નથી, અથવા મારા વચનથી મેં કેઈને પણ ઊંધું સમજવાને અવકાશ આપે નથી, તે તે મનુષ્યને કેટલે સંતોષ થતા હશે તેને ખ્યાલ કરે, અને તે આત્મસંતોષ તમે પણ શા સારુ પ્રાપ્ત ન કરી શકો તે વિચારો. વળી નિરંતર સત્ય વિચાર કરવાથી અને સત્ય બોલવાથી મનુષ્યને એક ધોરણ મળે છે, કે જે વડે તે અનેક અસત્ય બાબતેમાંથી, જેમ અનેક ખોટા કાચના કકડામાંથી ઝવેરી ખરા હીરાને પારખી શકે છે તેમ, સત્યને પારખી શકે છે. તે મનુષ્ય તેનાં વચનની કિંમત આંકી શકે છે, અને તેથી તેને છેતરાવાનો ભય રહેતું નથી. તેને આત્મા સત્યના તેજથી પ્રકાશે છે અને કેટલીક વાર તે મનુષ્ય તેની પાસે અસત્ય બોલતાં થરથરે છે.
વળી સત્યનું આયુષ્ય બહુ લાંબું હોય છે. અસત્ય થોડો સમય કદાચ ફાવે, પણ તેનું આયુષ્ય બહુ અલ્પ હોય છે. સત્ય તે ખડક જેવું હોય છે. તેના પર પ્રચંડ જળકલ્લોલ અથડાય છતાં તે ટકી શકે છે, માટે આત્મહિતાથી મનુષ્ય સત્યનું મહત્વ વિચારી સત્ય બેલવાને અભ્યાસ પાડ જઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદવિરમણ
૧૯
વળી મનુષ્યને એક અસત્ય છુપાવવાને બીજા અનેક અસત્ય ઊભાં કરવાં પડે છે અને બીજા મનુષ્યોને પણ પિતાના અસત્યના ભાગીદાર બનાવવાની જરૂર પડે છે. વળી અસત્યમાં એવાં બીજ રહેલાં હોય છે કે જે પોતાના જ નાશના કારણરૂપ બને છે.
“ છેતરનાર જ છેતરાય છે” એ વચન સદાસર્વદા હૃદયમાં કોતરી રાખવાનું છે. અસત્ય એ ચાર દિવસના ચાંદરણ જેવું છે.
ધારે કે આપણે એવું અસત્ય બોલીએ કે જેથી સામી વ્યક્તિને નુકસાન ન પણ થાય, છતાં આપણને પોતાને જે મોટું નુકસાન થાય છે તેનો વિચાર કરો ઘટે છે. અસત્યથી અથવા આપણે જે કાંઈ જાણતા અથવા માનતા હોઈએ તેની વિરુદ્ધ બોલવાથી આપણું મન મલિન બને છે, અને તેથી આત્મા પર એક જાતનો પડદો આવી જાય છે. અને આપણે આત્માનો પ્રકાશ ઝીલવા અસમર્થ થઈએ છીએ. આપણું દષ્ટિ ઉપર પડલ આવી જાય છે, અને અમુક વસ્તુ અથવા બનાવમાં સત્ય તત્ત્વ શું છે તે આપણે જાણી શકતા નથી પણ
He who thinks truth, speaks truth or acts truth, acquires a power to know truth by intui. tion which is above all reasoning.
જે સત્ય વિચારે છે, સત્ય બોલે છે અને સત્ય વર્તન રાખે છે, તે આન્તરપ્રતિભા જે બુદ્ધિની પણ પેલી પારની શક્તિ છે, તે વડે સત્ય જાણવાની–પારખવાની શક્તિ મેળવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજી
અદત્તાદાનવરમણુ,
ત્રીજી
'પાષસ્થાનક–આત્માના પ્રકાશને શકનારું કા
રણુ અદત્તાદાન છે. તેના સામાન્ય અર્થ એ થાય છે કે ખીજાએ નહિં આપેલી વસ્તુ, તેની ઇચ્છા સિવાય લેવી તે, અદત્ત એટલે નહિ આપેલનુ આદાન અથવા ગ્રહણ છે.
જીવાને બાહ્ય વસ્તુઓ મેળવવાના શેખ થાય છે. લેાકેાની વાસનાએ અને જરૂરીઆતા વધવા પામી છે. જે પદાર્થો પ્રથમ મેાજશેાખની ચીજો તરીકે ગણવામાં આવતી હતી તે હવે દરરોજના જરૂરીઆતના વિષયેારૂપ થઈ પડેલ છે. એટલે વિશેષ ધનની જરૂર પડે છે. તે ધન જો ચેાગ્ય રસ્તે મળે તા તા ઠીક, પણ જો તેમ ન મળે તેા અન્યાયથી, કપટથી, બીજાને છેતરીને, ચારી કરીને અથવા વિશ્વાસઘાત કરીને પણ તે મેળવવા જીવા ઢારાય છે. અને આ રીતે
આ ત્રીજા પ્રકારનું પાપકમ કરે છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણ છે, અને તે જવાથી મનુષ્યના આંતર પ્રાણના પણ નાશ થવા સંભવ છે. જ્ઞાનાણુ વમાં લખ્યુ છે કેઃ—
वित्तमेव मतं सूत्रे, प्राणा बाह्याः शरीरिणाम् । તચાપહારમાત્રેળ, મ્યુક્તે માળેવ ધાસિત્તા // ? ॥
ધનને ધર્મ પુસ્તકામાં છવેાના બાહ્યપ્રાણુરૂપ કહેવામાં આવ્યું છે, માટે તેનુ હરણ કરવાથી તેના પ્રાણ જ લીધા એમ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાનવિરમણ
૧
શકાય. ધન જવાથી મનુષ્યની વૃત્તિ, બુદ્ધિ વગેરેના નાશ થાય છે. કેટલાક મનુષ્યા ધન જવાથી ગાંડા થઈ જવાના તથા ચિત્તભ્રમવાળા થઈ ગયાના દાખલા જોવામાં આવે છે.
કપટથી અથવા અન્યાયથી પરધનનું હરણ કરવાથી કે ચારી કરવાથી શા શા ગેરલાભ થાય છે તે આપણે વિચારીએ. તેવા મનુષ્યને માટેા ગેરલાભ તા એ થાય છે કે કેાઈ તેના વિશ્વાસ કરતું નથી. આવું કામ કરનારને નિરંતર રાજ્યના ભય રહ્યા કરે છે. જ્યારે મનુષ્યને પરધનહરણ કરવાની ઇચ્છા જાગે છે ત્યારે તે ન્યાય અન્યાય કાંઇપણ જાત નથી અને ધનને ખાતર પેાતાના સ્વજનેાને પણ ઘાત કરવા તે તૈયાર થાય છે, તેા પછી બીજા દૂરના સબંધીએ માટે તા કહેવું જ શું? તેવા મનુષ્યના કોઈ સંસર્ગ કરતું નથી અને પેાતાને ત્યાં આન્યા હાય તેા તે જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સર્વ કાઇ તેના પ્રત્યે શંકાની નજરથી જોયા કરે છે. તેવા કામ કરનારનું ચિત્ત સદાસદા ભયભ્રાન્ત રહે છે અને રાત્રે પણ તેને નિદ્રા આવતી નથી. ‘હું પકડાઇ જઇશ' એ વિચારથી તે જાગ્યા કરે છે. બીજાને દુ:ખી કરીને કાઇ શાન્તિ પામ્યુ નથી અને પામી શકે પણ નહિ.
કોઇ ચારી કરે, ચારને મદદ કરે, ચારે ચારી લાવેલી વસ્તુઓ ખરીદ કરી લે, અથવા સાચવી રાખે, એછાં અધિકાં માપ કરી બીજાને છેતરે, વસ્તુઓમાં શેળસેળ કરે, કાઈ પણ રીતે જેના પર પેાતાના ખરેા હક્ક નથી તે લે અથવા લેવાના પ્રયત્ન કરે, તેા તે સર્વ શાસ્ત્ર પ્રમાણે આ અદત્તાદાનના વિષયમાં આવી જાય છે. રાજ્યનુ ક્રાણુ અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે
મ્યુનીસીપાલીટીની જકાત અથવા વ્યાજબી ઈન્કમટેક્ષ ન આપવો તે પણ અદત્તાદાન છે.
જે મનુષ્ય આ અવગુણથી–દોષથી મુક્ત રહે છે તે માર્ગાનુસારીપણાને લાયક બને છે. કારણ કે કોઈ પણ જીવ શ્રાવકધર્મને એગ્ય થાય, તે તેમાં જે ૩૫ ગુણેની આવશ્યકતા છે, તેમાં પ્રથમ ગુણ જ થાયરંપવિમવ છે, અર્થાત્ ધર્મના માર્ગને લાયક થવા ઈચ્છનારે ન્યાયથી જ ધન પેદા કરવું જોઈએ.
જે મનુષ્ય ન્યાયનીતિથી ધન પેદા કરે છે તેનું મન સદા સંતોષમાં રહે છે. પિતે કોઈને પણ અન્યાય કર્યો નથી અથવા કોઈને છેતર્યો નથી, એ ભાવનાથી મનમાં જે શાન્તિ રહે છે તે અવર્ણનીય હોય છે. જ્યારે કેઈપણ મનુષ્યની અથવા પેઢીની સાખ બંધાઈ જાય છે, કે આ મનુષ્ય કે આ પેઢી જે એગ્ય હશે તે જ કિમત લેશે, તે તે મનુષ્ય કે પેઢીને માલ ઘણે ખપે છે, કારણ કે વ્યાપારને મોટો આધાર સાખ, આબરૂ, પ્રતિષ્ઠા ( Credit) ઉપર રહેલો છે. જે મનુષ્ય કેઈની નોકરી કરતો હોય તે મનુષ્ય પિતાના વર્તનથી એમ સાબિત કરી આપે કે તેને પિતાને પગાર ઉપરાંત હરામની અથવા અન્યાયની એક પાઈ પણ ન ખપે, તો તેના શેઠને તેના પર અત્યંત વિશ્વાસ બેસે છે. તે તેને પોતાની પેઢી પરગામ હોય તે ત્યાં વધારે પગાર મોકલી શકે છે. વધારે પગાર આપવાનું એક મોટું કારણ એ હોય છે કે તે શેઠને તેના પર દેખરેખ રાખવી પડતી. નથી. દરેક ખાતામાં ઈન્સ્પેકટર રાખવા પડે છે અને તેમના ભારે પગાર આપવા પડે છે, તેનું કારણ એ જ કે હાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાનવરમણ
૨૩
નીચેના લેાકેા ન્યાયનીતિથી વર્તે છે કે કેમ? તે વિષે નિરતર શંકા રહ્યા જ કરે છે.
ન્યાયથી જે મનુષ્ય ધન પેદા કરે છે, તેના પૈસાના પણ સભ્યય થાય છે અને તે ધનથી જે ખારાક ખરીદવામાં આવે તે ખારાક પણ ઉચ્ચ બુદ્ધિ અને શુભ વિચાર પ્રેરનારા થાય છે આ બાબતને હાલના લેાકેા ભલે હસી કાઢે, પણ આ માખત અનુભવસિદ્ધ છે. મનુસ્મૃતિ પણ કહે છે કેसर्वेषां शौचानामर्थशौचं परमं मतम् |
સર્વ પ્રકારની પવિત્રતામાં ધનની પવિત્રતા મેાટી ગણવામાં આવેલી છે, માટે અન્યાયથી ધન પેદા કરવાની કોઈ પણ દિવસ આકાંક્ષા રાખવી નહિ. કેટલીક વાર અન્યાયથી મનુષ્યાને સુખ પામતા જોઈએ છીએ ત્યારે આપણા મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે આમ કેમ થતુ હશે ? તેને જવાબ એ જ છે કે અન્યાયથી મનુષ્ય ક્ાવે છે તે થાડા જ સમયને માટે. તે તા અન્યાય ક્ન્યા વગર રહેતા જ નથી. વળી ભૂતકાળનું શુભ કર્મ હાય અને કદાચ તે ફાવે તા પણ તેથી શું થયું? તેના અન્યાયનુ ફળ તેને ભેગવવું જ પડવાનું. તેમજ ન્યાયી મનુષ્યને દુ:ખ પડે છે તે તે તેના ન્યાયને લીધે પડતું નથી, પણ ભૂતકાળનું કરજ તે વધારે લાળ્યેા હાય છે તેથી જ્યાં સુધી તે કરજ અદા ન થાય ત્યાં સુધી તે ન પણ ક્ાવે. પણ તેના ન્યાયનું મૂળ તે તેને જરૂર મળશે અને તે મળે ત્યાં સુધી મનુષ્યે ધર્મ અને નીતિ ઉપર શ્રદ્ધા રાખી ચાલવુ જોઇએ. મનુષ્યના ચારિત્રની કસેાટી આવે સમયે જ થાય છે. લક્ષ્મીદેવી દરેક મનુષ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૪
પવિત્રતાને પથ
કસેાટી કાઢે છે, અને જે મનુષ્ય તેની કસેાટીમાં પસાર થાય છે તેને તે વરે છે. કહ્યું છે કે—
वृणुते हि विमृश्यकारिणम् गुणलुब्धाः स्वयमेव संपदः ॥
જે મનુષ્ય વિચારપૂર્વક સમજીને પેાતાના સન્નિશ્ચયેા પ્રમાણે જીવન ગાળે છે તેને તેના ગુણેાથી આકર્ષાયેલી લક્ષ્મી સ્વયમેવ આવીને વરે છે, માટે ધન પેદા કરવું તે ન્યાયનીતિપૂર્વક પ્રાપ્ત કરવું, આ રીતે વર્તતાં પ્રારભમાં થાડુ' મળે તે તેથી સતાષ માનવેા. આગળ જતાં ન્યાયનીતિની છાપ પડશે, એટલે વિશેષ ન એની મેળે આવી મળશે. ખરી રીતે વિચારીએ તેા આપણે બધા ધનના ટ્રસ્ટી છીએ પણ માલીક નથી. ટ્રસ્ટીભાવ જો ધારવામાં આવે તે મનુષ્ય પરહિતાર્થે તેને સદુપયેાગ કરી શકે છે. પણ જ્યાં માલીકી આવી ત્યાં મનુષ્ય તેનાથી બંધાઇ જાય છે.
પ્રકરણ ૪ યુ.
મૈથુનવિરમણુ.
મથુનના અર્થ પુરુષના સ્ત્રી સાથેના સંબંધ અથવા
સ્ત્રીના પુરુષ સાથેના સંબધ. જેએ બ્રહ્મચારી છે અથવા સાધુએ છે તેમને વાસ્તે આ સંબંધ સર્વથા વર્જ્ય છે, અને જે લેાકેા ગૃહસ્થી છે તેમને માટેયેાગ્ય નિયમ એ છે કે તેમણે સ્વદારાસ’તેાષ વ્રત પાળવું અર્થાત્ પેાતાની સ્રીમાં સંતાષ માનવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
મૈથુનવિરમણ
૨૫
મૈથુનયાગ અથવા બ્રહ્મચર્ય એ ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. તે વ્રત જે મન, વચન અને કાયાથી પાળે છે તેવા મનુષ્ય જ્યાં જાય ત્યાં વિજયી નીવડે છે. કામિકવાસનાવિષયતૃષ્ણા એ જગતની પ્રખળમાં પ્રમળ વૃત્તિ છે. શ્રી ગાતમબુધે એક સ્થળે લખ્યું છે કે જો વિષયવાસના જેવા પ્રબળ મનેાવિકાર ખો કેાઈ હાત તે લેાકેાને ધર્મના ઉપદેશ આપવાનું કામ નિરર્થક થાત. તેમના કહેવાના ભાવાર્થ એ છે કે આ વિષય સંબધી વ્રત આ જગતમાં સાથી પ્રમળ છે. જ્ઞાના વમાં બ્રહ્મચર્યના સંબંધમાં લખેલું છે કે:~ विन्दन्ति परमं ब्रह्म, यत्समालम्ब्य योगिनः । तद्व्रतं ब्रह्मचर्य स्याद्, धीरं धौरेयगौचरम् ॥ १ ॥
',
જે વ્રતનુ આલંબન કરીને ચેાગીએ પરબ્રા-પરમાત્માને પામે છે અને જેને ધીરવીર પુરુષા જ ધારણ કરી શકે છે તે બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે. વળી તે જ ગ્રન્થકાર જણાવે છે કે:
एकमेव व्रतं श्लाघ्यं ब्रह्मचर्य जगत्त्रये ।
-
આ ત્રણ જગતમાં બ્રહ્મચર્ય વ્રત જ એક પૂજવા લાયક છે. બ્રહ્મચર્ય એ ચારિત્રનું જીવન છે અને તે વિનાના બીજા ગુણા જીવનમાં ગૈાણ ભાગ ભજવે છે.
આવા ઉત્તમ અને દુટ બ્રહ્મચર્ય ના અર્થ શું ? શે!? સામાન્ય અર્થ એ છે કે-બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનાર જીવ મનથી કાઇપણ સ્રી ભાગવવાની ઈચ્છા કરતા નથી, અને શરીરથી પણ તેનાથી સદાસદા વેગળા રહે છે. બ્રહ્મચર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૬
પવિત્રતાને પંથે
એ શબ્દના અર્થ કરીએ તેા તે જીવ બધામાં બ્રહ્મઆત્માને જુએ છે અને તે પ્રમાણે વર્તે છે, અર્થાત્ જેને આત્મદૃષ્ટિએ સ્ત્રી કે પુરુષ એવા ભેદ રહ્યો નથી તે જ મનુષ્ય પૂર્ણ રીતે તે વ્રત પાળી શકે છે. જ્યાં સુધી આ પુરુષ છે અને આ સ્ત્રી છે, એ બાબત પર ભાર મૂકવામાં આવે છે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાલન ઘણું અઘરુ' છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે— નિદ્યાન;
સમાન.
નીરખીને નવ ચેાવના, લેશ ન વિષય ગણે કાષ્ઠની પુતળી, તે ભગવાન
વિષયવૃત્તિ એ ઉત્પાદક શક્તિ છે. તેનામાં કાંઈપણ નવીન ઉત્પન્ન કરવાનું બળ છે. કુદરતમાં જે એ શક્તિએ પ્રબળ ગણાય છે તેમાં એક સ્વરક્ષણની શક્તિ અને બીજી પ્રજોત્પાદક શક્તિ છે. આ શક્તિ ત્રણ રીતે પ્રગટ થાય છે. મનદ્વારા, લાગણીદ્વારા અને શરીરદ્વારા. મનદ્વારા જો આ ઉત્પાદકશક્તિના ઉપયેાગ થાય તે તે મનુષ્યને પુસ્તકા લખવાનુ, ભાષણે આપવાનુ, નવીન કલ્પનાએ કરવાનુ મન થાય છે. લાગણીદ્વારા તે ચિત્રકળારૂપે, સંગીતરૂપે, કાવ્યરચનારૂપે, શિલ્પકળારૂપે પ્રગટ થાય છે. અને તે સ્થૂલ શરીરમાં પ્રગટ થતાં સામી જાતિની વ્યક્તિના સમાગમમાં આવવાની ઇચ્છારૂપે દેખાય છે. શક્તિ એની એ છે, પણ તે આમ ત્રણ રીતે પ્રકટ થાય છે માટે જો મનુષ્ય તે શક્તિને મનદ્વારા અથવા લાગણીદ્વારા પ્રગટ કરવા પ્રયત્ન કરે તે આ સ્થૂલ શરીરમાં તેનુ બળ આધુ રહે છે, અને તેને વશ કરવાનું કામ સુગમ થાય છે માટે તે વૃત્તિનું આ સ્થૂલ શરીર ઉપર જેમ બને તેમ આછું દબાણુ આવે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
મંથનવિરમણ
કરવું અને તે માટે ઉચ્ચ પ્રકારના માનસિક વિષયમાં અથવા ઉપર જણાવેલી લાગણીઓ પ્રકટ કરવાના કેઈ પણ માર્ગમાં પોતાની શક્તિને ઉપગ કરે એ લાભકારી છે.
બધા મનુષ્ય સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકે એ સમજાય તેવી વાત છે, માટે ગૃહસ્થોએ સ્વસ્ત્રીમાં સંતોષ માન અને ત્યાં પણ પ્રજોત્પત્તિના હેતુ સિવાય સ્થલ સમાગમ કરે નહિ. ગૃહસ્થાશ્રમ એ જીતેંદ્રિય થવાનું શીખવનારી શાળા છે. મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહીને ધીમે ધીમે પોતાની વૃત્તિ પર કાબૂ મેળવતાં શીખે છે. આ વૃત્તિ ઉપર એક જ ફટકે જય મેળવી શકાય નહિ. મનુષ્ય તે વૃત્તિ પર જય મેળવવા પ્રયત્ન કરે તેમાં તે કેટલીક વાર નિષ્ફળ પણ જાય, વળી ફરીથી પ્રયત્ન કરે, વળી નિષ્ફળ જાય, એમ કરતાં કરતાં દઢ નિશ્ચયથી તે આ વૃત્તિ પર જય મેળવી શકે.
આ વૃત્તિને કાબુમાં રાખવાનું કામ કઠન છે, એ તો સર્વ કોઈ જાણે છે અને આ જગતમાં જે રોગ ને નિબં ળતાઓ પેદા થાય છે, તેનું મોટું કારણ આ વૃત્તિ ઉપ૨ના નિગ્રહને અભાવ છે. बलवानिन्द्रियग्रामो, विद्वांसमपि कर्षति ।
ઇન્દ્રિયને સમૂહ બળવાન છે અને તે વિદ્વાનને પણ ખેંચી જાય છે, માટે જ આ વ્રતને મોટું રૂપ આપવામાં આવ્યું છે. બ્રહ્મચર્યપાલન માટે અને ઇન્દ્રિયનિગ્રહ માટે નીચેના વિચારે તથા આચારે ઉપયોગી થશે એમ લાગે છે.
પ્રથમ તે બધા અનર્થોનું મૂળ અશુદ્ધ વિચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે
જગતમાં જેટલા જેટલા બનાવ બને છે, કાર્યો થાય છે તે બધાનું મૂળ વિચાર છે. મકાનની બધી યોજનાઓ પ્રથમ એક એનજીનીયરના મગજમાં પેદા થાય છે અને પછી કારીગરો અને મજૂરે તે નકશા પ્રમાણે આખું મકાન બનાવે છે, તેવી જ રીતે આપણા ચારિત્રના બંધારણમાં પણ વિચાર મુખ્ય ભાગ ભજવે છે. ભગવદગીતા આ સંબંધમાં લખે છે કે –
ध्यायतो विषयान् पुंसः संगस्तेषपजायते । संगात्संजायते काम:
વિષયેનું ચિંતન કરવાથી તે પ્રત્યે આસક્તિ પેદા થાય છે અને આસક્તિ પરથી તે મેળવવાની ને ભેગવ વાની પ્રબળ ઈચ્છા થાય છે અને તે ઈચછા કાર્યરૂપે પરિણમે છે; માટે સઘળી અનર્થકારી ક્રિયાઓને ઉત્પાદક મનુષ્યને અશુભ વિચાર છે.
પશુઓ અને મનુષ્યમાં એક મોટે ભેદ છે. પશુઓ અમુક સમયે જ પિતાની આ વૃત્તિને અમલમાં મૂકે છે, પણ મનુષ્યને વિશેષ બુદ્ધિબળ મળેલું હોવાથી તે તેનો ઉપયોગ તેમજ દુરુપયેગ કરી શકે છે. જે મનુષ્ય પોતાના વિચારોવડે ઉચ્ચમાં ઉચ્ચ પ્રદેશમાં વિચારી શકે છે તે જ મનુષ્ય પોતાના હલકા પ્રકારના વિચારોથી પશુ કરતાં પણ હલકી સ્થિતિએ જઈ પહોંચે છે. તે વૃત્તિનો તેમજ તે વૃત્તિના ઉપભેગથી મળનાર સુખને વારંવાર વિચાર કરવાથી મનુષ્ય એવા પ્રકારના ભૂતને જગાડે છે કે જે ભૂત તેનો નાશ કરતાં સુધી તેને જપીને બેસવા દેતો નથી, માટે પ્રથમ તે તે સંબંધીના વિચારોને સુધારવાની જરૂર છે. પણ આ વિચાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
મૈથુનવિરમણ
રોને બદલાવવાનું કામ આરંભમાં ઘણું કઠણ છે. શરૂઆતમાં જે તે સંબંધી વિચાર આવે કે તરત મનને બીજા વિષય ભણે દરવું. એક જાપાનીસ કહેવત છે કે –
“We cannot prevent the birds of evil from flying over our heads, but we need not allow them to build their nests in our hair.”
આપણે અશુભના પક્ષીઓને આપણું માથા પર ઊડતા અટકાવી શકીએ નહિ, પણ આપણે તેમને આપણા વાળમાં માળે તો ન બાંધવા દઈએ.
કામ કઠિન છે, પણ જે એક મનુષ્ય કરી શકો તે બીજાઓ પણ કરી શકે.
આ વાતે ઉત્તમ ઉપાય એ છે કે તે અશુભ વિચારની સામે નહિ થતાં મનને બીજા કોઈ વિષય ભણું વાળવું, અને જે આ બીજે વિષય આપણને રુચિકર હોય તે વિશેષ સારુ. મન ત્યાં સ્થિર થવા માંડશે એટલે આ વિષયવૃત્તિમાં વેગ એ છે થવા લાગશે, પણ આ કામ તરત જ થવું જોઈએ. તે બાબતમાં જરા પણ ડગમગતી સ્થિતિ કે અનિશ્ચય ન હવે જોઈએ. તે મનુષ્ય પિતાની શાંત પળોમાં જે નિશ્ચય કરવા એગ્ય હોય તે કરવા જોઈએ. પણ હવે તે પિતાના દઢ નિશ્ચય પ્રમાણે વર્તવું. આ પ્રમાણે લાંબો સમય વર્તવાથી તે વિષયવાસનાના પક્ષીઓ તેના માથા પર માળે, તે નહિ બાંધે, એટલું જ નહિ પણ તેની આસપાસ ઊડવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૦
પવિત્રતાને પંથે
પણ બંધ કરશે અને કદાચ ઊડશે તે પણ એક હાથ હલાવવાથી દૂર ભાગી જશે.
આ બ્રહ્મચર્યની ભાવનાને ટેકો આપનારી કેટલીક વિચારશ્રેણી તપાસીએ. યાજ્ઞવલ્કયે પિતાની સ્ત્રી મૈત્રેયીને ઉપદેશ આપ્યો હતો કે-દરેક મનુષ્ય તેના આત્માને લીધે પ્રિય છે. પુત્ર પુત્રને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર પ્રિય છે. પતિ પતિને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર પ્રિય છે. પત્ની પત્નીને ખાતર પ્રિય નથી, પણ આમાને ખાતર પ્રિય છે. કારણ કે અંદરથી આત્મા ચાલ્યા જાય છે ત્યારે શરીર ઉપરને મેહ ઉતરી જાય છે, માટે આપણે દરેક આત્મા છીએ, અને આત્મા તે પુરુષ નથી તેમ સ્ત્રી પણ નથી, એ ભાવનાનું ચિંતન કરવાથી શરીરભાવથી ઉત્પન્ન થતી કામિક વૃત્તિનું બળ ઘટવા લાગશે.
તેને વાતે બીજા પણ કેટલાંક સાધને શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. પ્રબળ શત્રુને જીતવાને જેટલાં સાધને મળે તે બધાનો ઉપયોગ કરવો જોઈએ. બ્રહ્મચારી અથવા જિતેપ્રિય રહેવાને માટે મનુષ્ય જેમ બને તેમ ઓછો ખોરાક ખાવે જોઈએ. અમેરિકાના ડોકટરોએ ઘણુ મનુષ્યોને તપાસી એ અભિપ્રાય આપે છે કે–મનુષ્યોને પોતાને જેટલા ખોરાકની જરૂર છે તેના કરતાં બમણે કે ત્રણગણે ખેરાક લે છે. જેનશાસ્ત્રકારો કહે છે કે-મનુષ્ય ઊદરી વ્રત કરવું અર્થાત ઉદરમાં જેટલું ભરી શકાય તેના કરતાં કાંઈક ઓછું ખાવું, કારણ કે અતિ આહાર પણ વિષયવૃત્તિને
ઉત્તેજિત કરવાનું મેટું કારણ બને છે. વળી માદક અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
મૈથુનવિરમણ વિકારજનક ખોરાક પણ તેટલે જ ત્યાગ કરવા એગ્ય છે. તેની સાથે શરીરને અને મનને ઉશ્કેરી મૂકે તે મરીમસાલા અને તેજાનાવાળો ખોરાક પણ લે નહિ. સાંજે પણ વિશેષ ન ખાવું. આ સંબંધમાં બુદ્ધધર્મમાં એ નિયમ હતું કે સાધુઓએ દિવસમાં એક જ વાર બપોરે ખાવું.
આ વિષયવૃત્તિને સંયમમાં રાખવાને એક ઉત્તમ સાધન એ છે કે મનુષ્ય કસરત કરી શરીરને કસવું. વિદ્યાથીઓ જે સમયે યુવાવસ્થામાં આવે છે ત્યારે તેમનામાં ઉત્પાદક શક્તિ ખીલવા માંડે છે અને જે કસરત, રમત વગેરે દ્વારા પિતાની શક્તિઓ પ્રકટ કરે છે, તો તેઓને વિષયવૃત્તિ પર જય મેળવવાનું કામ ઘણું સરલ બને છે. જ્યારે મનુષ્યનું મન મરદાનગીભરી રમતમાં લાગેલું હોય છે ત્યારે અગ્ય વિચારે વિચારવાને તેને સમય મળતો નથી, કારણ કે જ્યાં આળસ્ય હોય ત્યાં જ અશુભ વિચાર સ્થાન મેળવે છે. જેમ આળસુ હાથ કાંઈ નુકશાન કરે છે તેમ આળસુ મગજ પણ અગ્ય ભાવનાઓમાં પોતાની શક્તિઓને વ્યય કરે છે.
વળી હલકા વિચાર અથવા વૃત્તિવાળા મનુષ્યની સેબતથી જિતેંદ્રિય થવા ઈચ્છનારે દૂર રહેવું. મિત્રો વિના ચલાવી લેવું તે બહેતર છે, પણ જેમની વાતચિત અને ભાવનાઓ વિષયવાસના તરફ મેરતી હોય તેમની સબત તે ન જ કરવી. આ વાતે જ શાસ્ત્રમાં સત્સંગને પ્રધાનપદ આપવામાં આવ્યું છે. કેઈ સારો મિત્ર ન મળે તે પુસ્તકને આશ્રય લે. જગતમાં સારાં પુસ્તકોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે
સંખ્યા કાંઇ ઓછી નથી. વળી હલકા પ્રકારના નાટકાથી
પણ દૂર રહેવું એ પણ આ ફામ વાસ્તે એટલુ જ જરૂરનું છે; કારણ કે ઉપર ભાર દઈને જણાવવામાં આવ્યુ છે તેમ બધાં હલકાં કૃત્યોના પિતા તેના વિચાર છે.
૩ર
જે લેાકેા આ બાબતમાં નીતિનિયમનું ઉલ્લ’ધન કરે છે તેએ જ્યાં ત્યાં અપમાન પામે છે, કેાઇ તેમના પર વિશ્વાસ રાખતું નથી. તેવાં મનુષ્યેાના શરીરમાં અનેક પ્રકારના રાગે ઉદ્ભવે છે. પરસ્ત્રીંગમનથી પોતાના પ્રાણ નાશ થવાના સદેહ રહે છે, બીજાએ સાથે માટું વેર ખંધાય છે, કાઇ વાર કેદમાં જવુ પડે છે, અને જગતમાં જે અપમાન થાય છે તે તા જિંદગીભર તેને આગળ આવવા દેતું નથી. જેમ પરસ્ત્રીનેા ત્યાગ તેમ વેશ્યાગમન કે વિધવા વગેરેના પણ ત્યાગ કરવા જ જોઇએ. શાસ્ત્રો કહે છે કે-જે પુરુષા અન્ય સ્ત્રીમાં આસક્ત રહે છે, અથવા જે સ્ત્રીએ અન્ય પુરુષમાં આસક્ત રહે છે તે અનેક ભવામાં નપુંસકપણું, વિધવાપણું અને દુર્ભાગ્યપણું પ્રાપ્ત કરે છે; અને જેએ બ્રહ્મચય કે શીલવ્રત પાળે છે તેવા પુરુષા કે સ્ત્રીઓ લાંબુ આયુષ્ય, મનુષ્યપણું, દેવપણું પામે છે અને તે સાથે મજબૂત શરીર, અખંડ સાભાગ્યપણું, પ્રખળ વીર્ય અને સામર્થ્ય પ્રાપ્ત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિરમણ
પ્રકરણ ૫ મું.
પરિગ્રહવિરમણ.
રિગ્રહ એ પાંચમું પાપસ્થાનક છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. વરિ એટલે ચારે બાજુએથી અને દ એટલે પકડાવું. જેનાથી આપણે ચારે બાજુએથી પકડાઈએ તે પરિગ્રહ. આપણે સમજીએ છીએ કે અમુક વસ્તુના આપણે માલીક છીએ, પણ આ માલીકી મેળવવા જતાં તે વસ્તુઓ આપણી માલીક બને છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં ચાર વત હતાં, તે સમયે શું પરિગ્રહવિરમણ વ્રત હતું પણ તેમાં હાલનું ચોથું વ્રત સમાઈ જતું હતું કારણ કે પરિગ્રહને અર્થ સ્ત્રી પણ થાય છે અને પરિગ્રહમાં રૂપું, સોનું, મીલ્કા, નેકર-ચાકર, ખેતર વગેરે આવી જાય છે માટે ચેથા વ્રતમાં ચોથા અને પાંચમાને સમાવેશ થતો હતે પણ આગળ જતાં લોકો ઓછી બુદ્ધિના થશે, એમ ધારી મહાવીર પ્રભુએ બ્રહ્મચર્યને ચોથું વ્રત કર્યું અને સ્ત્રી સિવાયની બીજી વસ્તુઓને પરિગ્રહરૂપે ગણી તેને પાંચમું વ્રત ગયું.
હવે કયી વસ્તુઓને પરિગ્રહમાં સમાવેશ થાય છે તે આપણે તપાસીએ. તે પરિગ્રહ નવ પ્રકારના છે, એમ શાસ્ત્રોમાં કહેલું છે. (૧) હીરા, માણેક, મોતી, નીલમ, પ્રવાળ વગેરે સર્વ
ધન તથા રૂપાના કે સોનાના સીકકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે (૨) સર્વ જાતનાં ધાન્ય. (૩) અલંકાર અને વગર ઘડેલું સુવર્ણ. (૪) અલંકાર અને વગર ઘડેલું રૂપું. (૫) જમીન, ગામ, શહેર, બગીચે વગેરે. (૬) મહેલ, ઘર, હાટ અને વખાર વગેરે. (૭) નેકર, ચાકર, દાસ, દાસી વગેરે. (૮) ગાય, ભેંસ, હાથી, ઘોડા, અન્ય વાહનો વગેરે. (૯) ઘર વ્યવહારને ઉપયોગી તમામ વસ્તુઓ.
આ નવ પ્રકારમાં જગતમાં મળી આવતી તમામ ચીને લગભગ સમાવેશ થાય છે.
આ બધી વસ્તુઓ આપણને એક યા બીજી રીતે ઉપયોગી લાગે છે, માટે તે મેળવવા અથવા તેને સંગ્રહ કરવા આપણને રુચિ થાય છે. જ્યાં સુધી જગતને વ્યવહાર છે ત્યાં સુધી મનુષ્યને ઘણું વસ્તુઓની જરૂર પડે છે, અને તે વસ્તુઓ મેળવવાને ધનની જરૂર પડે છે.
આપણી પોતાની આજીવિકા માટે તથા આપણું આશ્રિતના ભરણપોષણ માટે ધનની જરૂર છે. ધર્મને માટે પણ ધનની જરૂર પડે છે. સાધુસંતે નિમિત્તે પણ ધન ખર્ચ વાની જરૂર પડે છે. તીર્થસ્થાનને ઉદ્ધાર, સ્વધમી બંધુએનું રક્ષણ, ગુર્નાદિને સકાર, નિરાધારને ઉદ્ધાર–આ સર્વ કાર્યો માટે પણ ધન આવશ્યક છે. ધન જાતે ખોટું નથી. તે એક શક્તિ છે અને શક્તિનો સદુપગ તેમજ દુરુપગ થઈ શકે છે. ધનથી ઉપર જણાવ્યા પ્રમાણે લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિરમણ
૩૫
થઈ શકે છે તેમ ધનથી અભિમાન વધે છે, ધન મળતાં અનેક પ્રકારના વિષયસુખના સાધનેને ઉપભેગા કરવાની ઈચ્છા થાય છે, ધનવાન બીજાઓ પર ત્રાસ ગુજારે છે અને કેટલાંક ન કરવા ચોગ્ય કામે કરવા માટે પણ દોરાય છે. લક્ષ્મી આવી રીતે અનર્થો ઉપજાવવાનું પણ સાધન હોવાથી શાસ્ત્રકારોએ તેની નિંદા કરી છે. વળી ધન પેદા કરવા જતાં મનુષ્ય ગમે તેવાં ઘર અને અનીતિભર્યા કાર્યો કરવાને અચકાતા નથી. ધનને ખાતર મિત્રો-મિત્રમાં કલેશ જમે છે, ભાઈઓ-ભાઈઓ વચ્ચે કુસંપ થાય છે અને મનુષ્યનાં ખન પણ થાય છે. રાજ્યભથી મુંજરાજા પોતાના ભત્રીજા ભેજને વધ કરાવવા તૈયાર થયે હતો. તેને મારી નાખવા મોકલેલા મારાઓને દયા આવી અને તેઓએ તેમને જીવતા છેડી મૂકો. તે વખતે મુંજરાજાને આપવા માટે ભેજરાજાએ એક લેક લખીને મોકલ્યો હતો કે –
मांधाता च महीपतिः कृतयुगेऽलंकारभूतो गतः। सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते!। नैकेनापि समं गता वसुमती ननं त्वया यास्यति ॥१॥
કૃતયુગમાં અલંકારભૂત માંધાતા ગ્રુપતિ પણ ગયે, જેણે મેટા સમુદ્ર પર પૂલ બાંધ્યો એવા રાવણનો નાશ કરનાર રામચંદ્રજી પણ કયાં છે? યુધિષ્ઠિર પ્રમુખ સારા સારા બીજા રાજાઓ પણ કાળને શરણ થયા છે, કેઈની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ તે મુંજ! જરૂર તારી સાથે તે આવશે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૬
પવિત્રતાને પંથે
આ લેકની મુંજ રાજા પર ભારે અસર થઈ. આપણે પણ આ દષ્ટાંત પરથી સાર એ લેવાને છે કે–આ બધી વસ્તુઓમાંથી એક પણ વસ્તુ આપણી સાથે આવવાની નથી, તે તેને ખાતર આપણે અનેક પ્રકારનાં સાચજૂઠાં કામે કરતાં અટકવું જોઈએ-ન કરવા જોઈએ.
તૃષ્ણાને જેટલી વધારીએ તેટલી વધે છે. મનુષ્ય પોતાની જરૂરીઆતો જેટલી વધારે તેટલી વધે છે. જગતમાં અમુક વસ્તુ વિના ન જ ચાલે એમ નથી. મનુષ્યને જરૂરનાં સાધન વસ્ત્ર અને અન્ન બે જ છે.
કોઈ બાર મહિને સો રૂપીઆથી સંતોષ પામે છે. બીજા મનુષ્યને દશ હજાર રૂપીઆ પણ ઓછા પડે છે કારણ કે તેણે પોતાની જરૂરીઆત એટલી બધી વધારી દીધી હોય છે કે અમુક વસ્તુઓ વિના તેને ચાલે જ નહિ. તૃષ્ણા કેવી રીતે વધે છે, તેના સંબંધમાં એક કાવ્ય નીચે પ્રમાણે છે –
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને મળી મંત્રિતાઈ ત્યારે તાકી પતાઇને મળી પતાઈ ત્યારે તાકી દેવતાઇ અને દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અ! રાયચંદ્ર માને માને શંકરાઇ મળી વધે તૂશનાઈ તેય જાય ન મરાઇને તૃષ્ણાને કોઈ દિવસ અંત આવતો નથી. તેના ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિરમણ
એક દષ્ટાંત આપણે વિચારીશું અને પછી તૃષ્ણા આછી કરવાને કયા સાધનેાના ઉપયાગ કરવા તે પર લક્ષ દઈતુ.
૭
કૌશામ્બીમાં કાશ્યપ નામના પુરાહિત રહેતા હતા. તે મરણ પામ્યા ત્યારે તેના પુત્ર કપિલ ભણેલેા નહિ હાવાથી તેનું સ્થાન બીજા કાઈ ખીજા વિદ્વાનને મળ્યું, કપિલની માતાએ તેના પુત્રને સમજા॰ચે અને શ્રાવસ્તિ નગરીમાં તેના પિતાના એક મિત્ર પાસે ભણવા જવા સૂચના કરી. કપિલ પાસે કાંઇ પણ સાધન ન હતુ, માટે તેના પિતાના મિત્ર તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા અને તે ગૃહસ્થે અનુકંપાથી કિપલને ભાજન મળે, એવી ગેાઠવણ એક વિધવા બ્રાહ્મણીને ત્યાં કરી દીધી. કપિલ યુવાન હતા અને તે વિધવા માઈ પણ યુવાન હતી. પરસ્પરના સંબંધ વધ્યા અને પછી તે કપિલ વિધવા બાઇથી લેાભાયેા. વિદ્યા પ્રાપ્ત કરવાનું ભૂલી ગયા. તે વિધવા બાઈ સગર્ભા થતાં તેણે તેની પાસે ધનની માગણી કરી અને જણાવ્યું કે—આ ગામના રાજાના એવા નિયમ છે કે સવારના પહેારમાં જે તેને પ્રથમ આશીર્વાદ આપે તેને એ માસા સેાનું તે આપે છે. આ ઉપરથી તે મા લેવા તેણે નિશ્ચય કર્યો. તે ચાકમાં સૂઈ રહ્યો. અ રાત્રિએ ચઢોઢય થતાં પ્રભાત થયેલ જાણી તે ઉઠયા અને ઉતાવળા ઉતાવળે ચાલવા લાગ્યા. પાલિસે તેને ચાર જાણી પકડયો અને સવારમાં રાજા પાસે રજૂ કર્યાં. રાજાએ તેની વાત સાંભળી, તેની અદ્ધિકતા વિચારી તેના પર દયા કરવાના હેતુથી કહ્યું કે-તારે જે માગવુ` હોય તે માગ. તેને તરતમાં કાંઈ પણ વિચાર સૂઝયા નહિ તેથી રાજાએ તેને પાસેના બગીચામાં જઇ વિચાર કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૮
પવિત્રતાને પંથે
સૂચવ્યું. તે બગીચામાં જઈ તે વિચાર કરવા લાગ્યો.
રાજાએ મને જે જોઈએ તે આપવાનું કહ્યું છે તે બે માસાથી તે શું થાય? પાંચ મહેર માગું, પણ પાંચ તે થોડા સમયમાં ખપી જાય માટે પચીશ માગું. પણ તેથી કાંઈ આખું વર્ષ ચાલે નહિ માટે સો માગું, હજાર માગું, લાખ માગું. ” એમ વિચારતરંગે તે ચડ. પછી અર્ધ રાજ્ય માગવાની વૃત્તિ જાગી. પણ વળી વિચાર કરતાં તે પાછો ફર્યો. પોતાની તૃષ્ણાને ઘટાડવા લાગ્યું અને છેવટે તે માગણું એાછી ઓછી કરતાં બે માસા સોનું પ્રથમની માગણી માફક લેવા વિચાર્યું. છેવટે તેણે વિચાર કર્યો કે “હવે બે માસા સોનાનું પણ કામ નથી. સુખ સંતોષમાં જ છે. વિદ્યા લેતાં વિષયમાં પડયે અને વિષયની તૃષ્ણામાં તણાતાં આ સ્થિતિ થઈ માટે સંતોષ રાખ એ જ ખરા સુખનું કારણ છે ” આમ વિચાર કરતાં તેની તૃષ્ણ સમાઈ ગઈ અને તે ત્યાગી બની ગયો.
માટે તૃષ્ણને અંત નથી. તેથી જે પરિગ્રહ એ તૃષ્ણાનું અને તેને અંગે ઉપજતા અનેક અનર્થોનું કારણ હોય તો તેને ત્યાગ કરવા અથવા તે ઓછો કરવા શું કરવું? એ પ્રશ્ન ઊભું થાય છે. તેને વાસ્તુ શાસ્ત્રકારોએ માર્ગ બતાવ્યું છે કે પરિગ્રહનું પરિમાણ કરવું. મનુષ્યને વસ્તુઓની પ્રાપ્તિ થયા પછી તેનું પરિમાણ કરવાનું કામ કઠણ લાગે છે, માટે જે સમયે આપણી પાસે વસ્તુઓ ન હોય, ઓછી હોય તે સમયે શાંત પળોમાં આપણા મન સાથે નિશ્ચય કરે અને પછી ગમે તેવી લાલચે આવે અને ગમે તેવાં પ્રલોભને પેિદા થાય, છતાં પોતાના નિયમોથી ચલિત ન થવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિરમણ
ભારના વધવાથી જેમ વહાણ દરિયામાં ડૂબતું જાય છે તેમ પરિગ્રહની અનેક વસ્તુઓ ઉપરની આસક્તિને લઈને મનુષ્યનું મન તેને વધારે મેળવવામાં, મળેલાનું રક્ષણ કરવામાં તથા મેળવેલી વસ્તુઓને નાશ ન થાય તે સંબંધી ચિંતા કરવામાં મગ્ન રહે છે, અને આ રીતે રાતદિવસ ચિતા કરવામાં તેને સમય પસાર થાય છે, છેવટે ખાલી હાથે આવ્યો હતું તેમ ખાલી હાથે ચાલ્યા જાય છે, માટે મનુષ્યએ પોતાના મન સાથે ઉપર જણાવેલી નવ વસ્તુઓના સંબંધમાં નિયમો લેવા, તે પિતાની સેંધપોથીમાં ઉતારી લેવા, અને તે કરતાં કાંઈ પણ વધે તો તેને સન્માર્ગે વ્યય કરો. ધન વિશેષ મળતાં પોતાના નિયમોને જુદે અર્થ કરે એ મહાન દેષ છે. પરિગ્રહનું પરિમાણ કરવાનો હેતુ એ છે કે કઈ જીવ પિતાને ઈષ્ટ વસ્તુઓ અને સામગ્રીઓ પ્રાપ્ત કરી કાંઈક અંતર્મુખ થાય, તૃષ્ણાને ઓછી કરે અને જીવનને શે ઉદ્દેશ છે તે સમજી તે પ્રમાણે વર્તે. આવા નિયમથી તેને ઘણે જે ઓછો થઈ જાય છે.
આ પરિગ્રહનું મુખ્ય સ્વરૂપ વસ્તુઓ પ્રત્યે આસક્તિ રાખવી તે છે. કેટલીક વસ્તુઓ વિના તે સાધુઓને પણ ચાલે નહિ, તે પછી ગૃહસ્થાશ્રમીઓને તે તે વસ્તુઓની ચોક્કસ જરૂર પડે, ત્યારે મનુષ્ય અપરિગ્રહી કેમ થાય? તેને જવાબ શાસ્ત્રકાર એમ આપે છે કે પરિગ્રહનું મૂળ તે તે વસ્તુઓ પ્રત્યેની મૂર્છા-આસક્તિભાવ છે.
मूच्छा परिग्गहो वुत्तो नातपुत्रेण तायिना ।। જગતનું રક્ષણ કરનાર મહાવીર પ્રભુએ મૂછને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૦
પવિત્રતાને પથે ( વસ્તુઓ પ્રત્યેની આસક્તિને) પરિગ્રહ કહેલ છે. જ્ઞાનાવમાં પણ કહ્યું છે કે – निःसंगोऽपि मुनिन स्यात्समर्छः संगवर्जितः । यतो मूछैव तत्त्वज्ञैः, संगसूतिः प्रकीर्तिता ॥ १॥
મુનિ નિસંગ હોય, પણ જે વસ્તુઓ પ્રત્યે તેને આસક્તિ હોય તો તે નિપરિગ્રહી કહેવાય નહિ, કારણ કે તત્ત્વોએ મૂછને પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માન્યું છે. એ મૂચ્છનું મોટું કારણ એ છે કે-આપણે અજ્ઞાનથી, જે વસ્તુઓ આપણું નથી તેને આપણી માનીએ છીએ. એ વસ્તુઓમાં રહેલા ત્રણ અવગુણે જે આપણે વિચારીએ તે તે વસ્તુઓ પ્રત્યેને મમત્વભાવ ઓછો થાય. તે વસ્તુઓ ક્ષણિક સુખ આપનારી છે, વળી તે દુઃખગર્ભિત છે અને ત્રીજે મોટે અવગુણ એ છે કે તે મળ્યા પછી તેના ઉપરથી મેહ ઉતરી જાય છે અને બીજી વસ્તુઓ મેળવવાની ઈચ્છા થાય છે. આ દોષ જગતના તમામ પદાર્થોમાં રહેલ છે. આ બાબતને વિચાર કરવામાં આવે તો આપણે વસ્તુઓ પાછળ ગાંડાની માફક નહિ ભમતાં જરા વિચારશીલ થઈએ.
મનુષ્ય વસ્તુઓની વચમાં રહેવા છતાં પણ નિરાસક્તિભાવ રાખી શકે એ બનવાજોગ છે, અને મહાન આત્માઓ તેમ કરી પણ શકે છે. પણ તે ઉપરથી સામાન્ય આત્માઓ એમ કહેવા લાગે કે અમને આ વસ્તુઓ પ્રત્યે નિરાસક્તિભાવ છે તો તે વિચારવા જેવી વાત છે. તે વસ્તુઓના વિશે અથવા વસ્તુઓને નાશ થતાં તેવું કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
કોવિરમણ નારાઓને દુઃખ થાય છે કે કેમ? એ તેમના નિરાસક્તનિષ્પરિગ્રહી સ્વભાવની કસોટી છે; માટે સામાન્ય છે તે જેટલો પરિગ્રહ ઓછો કરે છે તેટલા પ્રમાણમાં સુખશાંતિ અને સ્થિરતા મેળવે છે અને પરિગ્રહ વધારતાં અનેક પ્રકારની ચિંતાઓ ભેગવી દુઃખી થાય છે.
છેવટે જે મનુષ્ય સર્વ ધન અને વૈભવની સામગ્રી વચ્ચે ખરું સુખ પ્રાપ્ત કરવું હોય તો તેણે વિચારવું કેઆ બધી વસ્તુઓને તે માલીક નથી પણ ટ્રસ્ટી છે. માલીકી જ સદા સર્વદા દુઃખનું કારણ છે, કારણ કે તેથી વિચારે તે વસ્તુઓ સાથે જડાઈ જાય છે પણ ટ્રસ્ટી તે બધી વસ્તુઓની વચ્ચે રહેવા છતાં શાંતિ અનુભવી શકે છે.
પ્રકરણ ૬ હું.
કોવિરમણ. આપણે પાંચ પાપસ્થાનકે વિચારી ગયા. અઢારે પાપસ્થાનકમાં તે પાંચ મુખ્ય છે, અને બાકીના તેર તેને ટેકે આપનારાં સાધને છે. તે જાતે પણ પાપનાં સ્થાનક છે, પણ તે મોટે ભાગે પ્રથમના પાંચ રૂપમાં પ્રકટ થાય છે.
હવે આપણે ક્રોધને વિચાર કરીએ. આત્માને મુક્તિ તરફ જતાં રેકનારાં જે કારણે છે તેમાં ચાર કષાય મુખ્ય છે. તે ચાર કષાયમાં એટલું બધું પ્રાબલ્ય છે કે ઉપદેશતરંગિણી નામના ગ્રન્થમાં લખ્યું છે કે આ કષાયથી મુક્ત થવું તેનું જ નામ મુક્તિ. ત્યાં લખ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે नाशांबरत्वे न सितांबरत्वे, न तच्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव ॥
મુક્તિ શ્વેતાંખરમાં, દિગંબરમાં, તત્ત્વવાદમાં કે તર્કવાદમાં નથી. તેમજ અમુક પક્ષના આશ્રય લેવાથી પણ મુક્તિ નથી, કષાયથી મુક્ત થવુ તેનુ જ નામ મુક્તિ છે. આ ચાર કષાયામાં પ્રથમ ક્રોધ છે માટે તેના આ પ્રકરણમાં વિચાર કરશું.
ક્રોધ એટલે મન અને શરીર આત્માને વશ નહિ રહેતાં અમુક આવેશમાં આવી પાતાની ઇચ્છા પ્રમાણે વર્તે તે સ્થિતિ. ક્રોધ એ થેાડા સમયનું ગાંડપણ છે અને પેાતાને પ્રતિકૂળ સ્થિતિ લાગતાં તે વૃત્તિ ઉદ્દભવે છે. આપણને અમુક વસ્તુ, સ્થિતિ અથવા મનુષ્ય પ્રિય હાય, તેની પ્રાપ્તિમાં જે કેાઇ વિા નાખે તેના પર આપણે ક્રોધ કરવા દ્વારાઇએ છીએ. જામજોયોનિ લાયને! અમુક વસ્તુ વાસ્તુની આપણામાં ઇચ્છા–કામ હાય, તે વસ્તુ મેળવવામાં જયારે વિઘ્ન આવે છે ત્યારે વિષ્ર કરનાર મનુષ્ય પ્રત્યે જે રાષની લાગણી ઉદ્ભવે છે તેને ક્રોધ કહેવામાં આવે છે.
"
ક્રોધ એ અગ્નિ સમાન છે, પણ બધા મનુષ્યમાં તે અગ્નિ એક સરખા હાતા નથી. ક્રોધના ઉગ્રપણા પ્રમાણે શાકારાએ તેના ચાર વિભાગ પાડ્યા છે. સાથી ગ્ર ક્રોધને ‘ અનંતાનુબંધી ' કહેવામાં આવે છે અર્થાત તે ક્રોધની પર ંપરા ચાલે છે. તેનાથી ઓછા ઉગ્ર ક્રોધને ‘અપ્રત્યાખ્યાની’ કહેવાય છે. અહીં ક્રોધના નિવારણ માટે કાંઈ પણ પ્રયત્ન કરવામાં આવતા નથી. ત્રીજા પ્રકારના કોષને પ્રત્યાખ્યાની' કહે છે. તે અપ્રત્યાખ્યાની કરતાં આછા ઉગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
કોવિરમણ
છે, કારણ કે ત્રીજી સ્થિતિમાં તેને રોકવા–તેનું નિવારણ કરવા પ્રયત્ન કરવામાં આવે છે. અને ચોથી સ્થિતિના ક્રોધને સંજવલન કહેવામાં આવે છે. સંજવલન ક્રોધ તણખલાના અગ્નિ જે મંદ હોય છે. તે દેખાવમાં ભારે લાગે છે પણ થોડા સમય પછી તેનું બળ રહેતું નથી. અર્થાત્ જે ક્રોધ પ્રતિકૂળ પ્રસંગે મળતાં ઉદ્દભવે, પણ થોડી વારમાં શાંત થઈ જાય તે છે. બધી જાતના દેધ સ્વભાવે ખોટા છે, છતાં તેનું ઉગ્રપણું જેમ બને તેમ ઓછું થાય તેવો પ્રયત્ન કરો-કારણ કે કર્મને બંધ મનના પરિણામ ઉપર છે માટે જે મનના પરિણામ બહુ તીવ્ર હશે તે આ ક્રોધનું પરિણામ પણ ઘણું જ માઠું આવશે.
હવે આપણે ક્રોધના કેટલાક ગેરલાભ વિચારીએ. ક્રોધ ઉત્પન્ન થતાં મનની શાંતિને નાશ થાય છે. ક્રોધી મનુષ્યની વિચાર કરવાની શક્તિ ચાલી જાય છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે – क्रोधाद् भवति संमोहः, संमोहात्स्मृतिभ्रमः ।
રિવિઝાદૂ કુદ્ધિનાર, કુદ્ધિનાશાબ્રિાતિ
કોધથી વિવેકશક્તિ ચાલી જતાં સંમેહ થાય છે, અને તે સંમેહથી સ્મરણશક્તિમાં ઘમ થાય છે, અને સ્મૃતિને વંશ થવાથી બુદ્ધિને નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય સર્વ પ્રકારે નાશ પામે છે. ક્રોધથી ઘણા સમયની તપશ્ચર્યા પણ નાશ પામે છે. થેગીએ પણ કોધને વશ થઈ, નહિ કરવા ચેમ્ય કામ કરે છે, નહિ બલવા
ગ્ય વચને બેસે છે અને નહિ વિચારવા વિચારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે કરે છે. ક્રોધ એ અગ્નિ સમાન છે. તે પ્રથમ તે જ્યાં તેને ઉદ્દભવ થાય છે ત્યાં તેને જ બાળે છે, અને પછી બીજા મનુષ્યને નુકશાન કરે છે. ક્રોધમાં બેલાયેલાં વચને વાસ્તે, અથવા તે સમયે કરાયેલાં કાર્યો વાસ્તે મનુષ્ય પાછળથી ગમે તેટલે પશ્ચાત્તાપ કરે, પણ તેથી કાંઈ લાભ થાય નહિ. તે વખતે મનુષ્ય મન ઉપર સંયમ બેઈ બેસે છે અને ઘણા જન્મ સુધી રખડાવે તેવા કર્મો બાંધે છે. મનની શાંતિ ખેાઈ બેસતાં શરીર પર તેની અસર થવા લાગે છે, આંખે લાલચોળ થાય છે, હાં પર રતાશ આવી જાય છે, મુખમાંથી દીર્ઘ શ્વાસ નીકળે છે, હાથ પગ પછાડા મારે છે અને લેહી ઉકળીને ઝેરી બની જાય છે. તેથી થોડા સમયમાં મનુષ્યનું માથું દુ:ખવા આવે છે. ક્રોધ કર્યો પછી કેટલાક કલાક સુધી કાંઈ પણ ચેન પડતું નથી અને આથી બીજાઓ સાથે જે વેર બંધાય છે તેનાં ફળ આ ભવમાં ભેગવવા પડે છે, એટલું જ નહિ પણ આગામી ભમાં પણ તેનાં ફળ ભોગવવા પડે છે.
આ ક્રોધની પણ ત્રણ સ્થિતિ છે. પ્રથમ તે પિતાને કાંઈ પણ નુકશાન થયું એટલે મનુષ્ય સામી
વ્યક્તિ પર પિતાને રેષ કાઢે છે. મનુષ્ય ધીમે ધીમે તેના નુકશાને અનુભવે છે, અને તેમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. તે હવે પિતાને થયેલા નુકશાન વાતે કાંઈ પણ બોલતો નથી. પણ જે બીજે મનુષ્ય ત્રીજા પુરુષને દુઃખ દે, અથવા નુકશાન કરે તે તેને પિત્તો ઉછળે છે. આ ક્રોધને શાસ્ત્રકારે પ્રશસ્ત શોધ ( noble
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ક્રોધિવરમણ
indignation ) કહે છે. આ ક્રોધ થાય છે, તે કરતાં પણ એક એવી કે જ્યાં નુકશાન કરનાર અને નુકશાન દયાને પાત્ર છે, એમ સમજી સુજ્ઞ જીવ બન્નેના ઉદ્ધાર કરવા પ્રયત્ન કરે છે. નુકશાન ભાગવનાર નુકશાન ભાગવી કર્મ થી છૂટા થાય છે, પણ નુકશાન કરનાર બીજાને ત્રાસ આપી નવુ ક ઉપાર્જન કરે છે, તે તેને ભવિષ્યમાં ભાગવવું પડે છે, માટે તે વિશેષ યાને પાત્ર છે. આવી રીતે વિચાર કરીને નુકશાન કરનારને પણ સમજાવી તેને સીધે માગે લાવવા પ્રયત્ન કરવા યેાગ્ય છે.
નુકશાન કરનાર પર ઊંચી સ્થિતિ છે ઊાગવનાર અને
હવે આપણે ક્રોધ પર કેવી રીતે જય મેળવવા તેને વિચાર કરીએ. ક્રોધ ઉપર જય મેળવવાનું ઉત્તમ સાધન ક્ષમા છે.
क्षमाखङ्गः करे यस्य, दुर्जनः किं करिष्यति १ । अतृणे पतितो वह्निः स्वयमेवोपशाम्यति ॥
6
જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેને દુર્જન શું કરવાના હતા ? ઘાસ વગરની જમીન પર જો અગ્નિ પડે તે પેાતાની મેળે શાંત થઇ જાય છે. ’ વચનામાં મીઠાશ અને વચનામાં કડવાશ રહેલી છે. આપણને ગમે તેટલે ક્રોધ ચડ્યો હોય પણ ખેલતાં પહેલાં વિચાર કરવાની આપણને ટેવ હશે તેા ક્રોધ કટુ શબ્દરૂપે પ્રકટ થશે નહિ એટલે તેના જીસ્સા ઓછા થવા લાગશે. જ્યાં સુધી મનુષ્ય બીજાએ પાતાને કરેલા નુકસાનના જ વિચાર કરે છે ત્યાં સુખી તેને ક્રોધ કદાપિ થશે નહિ. આપણા દુઃખમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે બીજાએ તે નિમિત્ત માત્ર છે, માટે મારે બીજા પ્રત્યે શા સારુ ક્રોધ કર જોઈએ ? આ સંબંધમાં જ્ઞાનાર્ણવમાં આપેલી ભાવના વિચારવા જેવી છે.
प्राङ् मया यत्कृतं कर्म, तन्मयैवोपभुज्यते । मन्ये निमिचमात्रोऽन्यः, सुखदुःखोद्यतो जनः ।
જે મેં પૂર્વભવમાં કર્મો કરેલાં છે તેનાં ફળ હું ભેગવું છું. બીજા મનુષ્ય તો સુખદુઃખ આપવામાં નિમિત્ત માત્ર છે, તે અન્ય ઉપર હું શા સારુ રોષ કરું?” વળી જે કોઈ મારે દેષ બતાવે છે તે મારો પરમમિત્ર છે, કારણ કે એ દેષ હું ફરીથી નહિ કરું, તો પછી નિષ્કારણ મિત્ર પર શા સારુ ક્રોધ કરે? વળી જે કઈ ક્રોધ કરાવે છે તેના સંબંધમાં એ વિચાર કરો કે “મેં અત્યાર સુધી વિવેક અને જ્ઞાનપૂર્વક શાંતિને અભ્યાસ કર્યો છે, તેની પરીક્ષા લેવા માટે પ્રતિકૂળ મનુષે કે પ્રતિકૂળ પ્રસંગે ઊભા થયા છે, તે મારે તે પ્રતિકૂળ મનુષ્ય તથા પ્રસંગોને વધાવી લઈ આ શાંતિની પરીક્ષામાં પસાર થવું જોઈએ.”
આ ઉપર એક ટૂંકું દષ્ટાંત આપણને ક્રોધ શમાવવામાં ઘણું જ લાભકારી થશે.
ગજસુકુમાળ નામના રાજકુમારે માત્ર બાર વર્ષની વયે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સંસારને ત્યાગ કરી સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં ઊભા રહ્યા. સોમિલ નામના બ્રાહ્મણની સ્વરૂપવતી આઠ પુત્રી સાથે ગજસુકુમાળનું સગપણ કર્યું હતું, પરંતુ લગ્ન થયા પહેલાં તે સંસાર છોડી ત્યાગી
થયા. પોતાની પુત્રીના સુખનો નાશ થયે તેથી મિલને ક્રોધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
કોધવિરમણ
ચઢ્યો અને તે ગજસુકુમાલની શોધમાં નીકળે. સ્મશાનમાં ગજસુકુમાલ એકાગ્ર ધ્યાનથી શુદ્ધ કાસર્ગ સ્થિતિમાં ઊભા હતા ત્યાં તે આવી પહોંચે. તેણે પોતાને કે પ્રકટ કરવા અને તેમના પર વેર લેવા તેમના માથા પર ચીકણી માટીની પાળ કરી અને મશાનમાંથી ધગધગતા અંગારા લાવી તેમના માથા પર મૂક્યા. તેમાં કેટલાક લાકડાના કકડા નાખ્યા, એટલે તાપ સખ્ત થયા. આથી ગજસુકુમાળને કેમળ દેહ બળવા લાગ્યા. સૌમિલ જતો રહો. આ સમય એવો હતો કે ગજસુકુમાળના ક્રોધને પાર ન આવે, છતાં તે મહાનુભાવ જીવે સેમિ પર જરા પણ ક્રોધ ન કરતાં પિતાના પૂર્વ કર્મોના વિપાકરૂપ આ સ્થિતિને ક૯પી સમભાવથી આ પ્રમાણે વિચાર કર્યો-“હે જીવ! જે તું એની પુત્રીને પર હાત તે પહેરામણીમાં તને તે પાઘડી બંધાવત, એ પાઘડી થોડા વખતમાં નાશ પામત, પણ આ તો તેણે એવી પાઘડી બંધાવી કે જે મેક્ષપુરીમાં જવા માટે મને મદદગાર નીવડશે.” આ પ્રમાણે વિચાર કરી જરા પણ મનની સ્થિરતામાં ભંગ થવા દીધો નહિ. તેના પરિણામે શાસ્ત્રો કહે છે તેમ તેમણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું.
આટલાં ઘેર દુઃખે દેનાર પર ક્ષમા રાખનારા આ ગજસુકુમાળનું દ્રષ્ટાંત યાદ કરી આપણે બીજા પ્રત્યેઆપણને દુઃખ દેનારા પ્રત્યે ઉદારભાવ રાખવો.
જ્યારે સામા મનુષ્ય આપણું બગાડયું હોય, તે વખતે તેના પ્રત્યે ક્ષમા રાખવામાં મોટામાં મેટે વિજય છે. તત્વજ્ઞાની સેનેકા લખે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૮
પવિત્રતાને પગે
He that does good to another man, especially if the other has done him some wrong, does also good to himself, not in the consequences, but in the very act of doing it, for the consciousness of well doing is as ample reward.
જે મનુષ્ય બીજાનું ભલું કરે છે અને ખાસ કરીને અપકાર કરનાર પર પણ ઉપકાર કરે છે, તે પિતાનું પણ કલ્યાણ કરે છે. તેનું શુભ પરિણામ આવશે એ દષ્ટિથી નહિ પણ તેવું કામ કરવાથી જ તેનું કલ્યાણ થાય છે, કારણ કે પિતે સારું કામ કર્યું છે, એવું ભાન મનુષ્યના પોતાના શુભ કામને પુષ્કળ બદલે છે.
વળી મનુષ્ય વિચાર કરો કે જેને વાસ્તે તે બીજા પ્રત્યે ક્રોધ કરવા દોરાય છે તે ક્ષણિક છે. જગતની બધી વસ્તુઓ અનિત્ય છે, તો તે અનિત્ય વસ્તુઓ ખાતર આત્માના નિત્ય ગુણ-શાંતિને શા સારુ ભેગ આપો? જે જે મહાપુરુ
એ જગતમાં અપૂર્વતા પ્રાપ્ત કરી છે તે સર્વે એ ક્રોધને બદલો પ્રેમમાં આવે છે. જ્ઞાનાર્ણવમાં જણાવ્યું છે કે –
वासीचन्दनतुल्यान्तर्वृत्तिमालम्ब्य केवलम् । आरब्धं सिद्धिमानीतं, प्राचीनैर्मुनिसत्तमैः ॥
પ્રાચીન ઉત્તમ મુનિઓએ કુહાડા અને ચંદન પ્રત્યે સમવૃત્તિ રાખીને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આરંભ કર્યો છે.
કુહાડાથી ચંદન કપાય તો પણ કુહાડાને ચંદન પિતાની સુગંધથી સુગંધિત કરે છે, તેવી રીતે જ્ઞાની પુરુષો પિતાને ઉપસર્ગ કરીને હેરાન કરનારનું પણ કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
વિરમણ
કરી પિતાને ક્ષમાભાવ પ્રકટ કરે છે. વળી ક્ષમાભાવને પ્રાપ્ત કરવાને ઉત્તમ ઉપાય એ છે કે-અનંત કાળને વિચાર કરો. જયાં સુધી આપણે વર્તમાનને તથા થોડા સમય પર ગયેલા ભૂતકાળને વિચાર કરીએ છીએ ત્યાં સુધી બીજાએ આપણને કરેલા નુકસાનનું સ્મરણ રહ્યા કરે છે અને આપણને કે થવા સંભવ છે, પણ અનંત કાળને વિચાર કરતાં આ બધા પ્રસંગેનું ઉગ્રપણું ચાલ્યું જાય છે. અત્યારે જે બનાવ આપણ માનસિક આકાશને ભરી નાખે છે, તે જ બનાવ પાંચસાત વર્ષ પછી આપણું આકાશમાં એક બિન્દુ સમાન લાગે છે. તો પછી અનંત કાળમાં આ બનાવે તે નહિ જેવા • લાગે, માટે સુખદુઃખના પ્રસંગોમાં ઉપાદાન કારણ આપણે છીએ, અને બીજાએ તે માત્ર નિમિત્ત કારણ છે, એમ માની ચિત્તની સ્વસ્થતા જાળવવી. He who cannot forgive others breaks the bridge over which he must himself pass, for every man has need to be forgiven. જે મનુષ્ય બીજાને ક્ષમા આપતું નથી, તે જે પૂલ ઉપર થઈને પિતાને પસાર થવાનું છે, તે પૂલને ભાંગી નાખે છે, કારણ કે દરેક પુરુષને ક્ષમા માગવાની જરૂર પડે છે. માટે ક્ષમારૂપી જળવડે ક્રોધરૂપી અગ્નિને શાંત કરો અને આત્માની સ્વાભાવિક નિર્મળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
માનવિરમણું. માન એ બીજે કષાય છે, માન અથવા અભિમાનથી મનુષ્ય પિતાને બીજાઓ કરતાં ઊંચો ગણે છે અને સઘળું જ્ઞાન, શક્તિ વગેરે પોતાનામાં આવી રહ્યું છે એમ માને છે. માનનું મૂળ ભેદભાવ છે. બીજાઓ કરતાં હું કાંઈ અલગ છું, બીજાઓ કરતાં મારામાં વિશેષ ઉત્તમ તો છે; એવા વિચારોથી હૃદયમાં જે વૃત્તિ જાગે તેને માનવૃત્તિ કહે છે. કવિ ભર્તુહરિ કહે છે તેમ –
यदा किंचिज्ज्ञोऽहं द्विप इव मदांधः समभवम् । तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः॥ यदा किंचिकिंचिबुधजनसकाशादवगतम् । तदा मूर्योऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ॥१॥
મનુષ્યોને જ્યારે અહ૫ જ્ઞાન થાય છે ત્યારે હું સર્વજ્ઞ છું એમ પોતાને માને છે, અને તે વખતે હસ્તીની માફક મદેન્મત્ત બને છે; પણ જ્યારે જ્ઞાની પુરુષોના સંબંધમાં આવતા કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે પિતાની મૂર્ખતાનુંઅલ્પજ્ઞતાનું તેને ભાન થાય છે અને ત્યારે જેમ જવર ચાલ્યા જાય તેમ મદ પણ જતો રહે છે.
મનુષ્યને જ્યારે કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે જ પોતાની અજ્ઞાનદશાનું ભાન થાય છે. ન્યુટન જેવા પ્રસિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
માનવિરમણ
પ
વિજ્ઞાનશાસ્ત્રીએ કહ્યું છું કે “અમે અત્યાર સુધીમાં મેળવેલુ
જ્ઞાન તે દરિયાકાંઠે પડેલા છીપ અને શંખલા જેવું છે. હજુ તેા આખા દરિયા શેષખાળ માટે પડેલા છે. ” પણ જે લેાકેને થાડું જ્ઞાન હાય છે તે વિશેષ ઉદ્ધૃત બને છે. અધૂરા ઘડા ઘણા છલકાય તેવી આ સ્થિતિ છે.
આ અભિમાન થવાના શાસ્ત્રકારો આઠ પ્રકાર વર્ણવે છે. તેનાં નામ કુળ, જાતિ, ઐશ્વર્ય, રૂપ, તપ, બળ, વિદ્યા અને ધન છે. જો મનુષ્ય શાંત રીતે વિચાર કરે તે તેને જણાય કે આ અભિમાન કરવાનાં કારણેા નથી. આપણે એક પછી એક આઠ મદના સ્થાનનેા વિચાર કરીએ.
કુલમદ—કુળનું અભિમાન કરવાનું કાંઇ કારણ નથી, કારણુ કે જગતમાં તમારા કરતાં પણ વિશેષ ઉત્તમ કુળવાળા જીવા છે. વળી જે કુળનું અભિમાન કરે છે તે ખીજા ભવમાં હુલકા કુળમાં જન્મે છે. પેાતે અમુક ઉચ્ચ નીચ કુળામાં જન્મ લેતા લેતા આ કુળમાં આવ્યા છે, તેા પછી તને વાસ્તે અહંકાર શે! કરવા ?
જાતિમદ—આ મઢના બીજો પ્રકાર છે. જીવ હમેશ એક જ જાતિમાં જન્મતેા નથી. કર્મ પ્રમાણે વિવિધ જાતિમાં તેના જન્મ થાય છે. વળી પેાતાની જાતિ કરતાં પણ ખોજી અનેક ઉત્તમ જાતિએ આ જગતમાં વિદ્યમાન છે, તે પછી જાતિમદ કરવાથી લાભ શા? જે મનુષ્ય બીજી જાતિઓને હલકી ગણી તેના તિરસ્કાર કરે છે, તે મનુષ્ય તેવી જ હલકી જાતિમાં જન્મે છે, અને આ રીતે કુદરત તેનું અભિમાન છેડાવી તેને નમ્રતાના પાઠ શીખવે છે, જે મનુષ્યમાં પેાતાનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
પર
પવિત્રતાને પગે
કાંઈ ઓછું સત્વ હોય છે તે જ મનુષ્ય બાપદાદાઓની કીર્તિ ઉપર પિતાની મહત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે.
ઐશ્વર્ય મદ–પિતાના વૈભવને-પોતાને મળેલી સત્તાને મદ કરે તે પણ એક પ્રકારની મૂર્ખતા છે. કલેકટર આખા શહેરના અમલદારો કરતાં મેટે હાય, પણ ગવર્નરની અપેક્ષાએ તેની સત્તા કાંઈ હિસાબમાં નથી. તેમ ગવર્નર આખા ઈલાકા પર રાજ્ય કરે, પણ વાઈસરોયની અપેક્ષાએ તેની સત્તા છાયામાં પડી જાય છે. અને મહારાજાનો વિચાર કરતાં વાઈસરોયને અધિકાર મૈણપદ ધારણ કરે છે. આ રીતે એશ્વર્ય–સત્તાની બાબતમાં ઉપરના દરજજાના સત્તા ધારીઓ જોતાં મનુષ્યને મદ ગળી જાય છે.
રૂપમદ-આપણું સૌદર્ય ગમે તેવું હોય, તે પણ વિશેષ રૂપવાનોની સુંદરતા આગળ તે ગૌણ પડી જાય છે, અને આ રૂપ બદલાતાં વાર લાગતી નથી. યુવાવસ્થામાં જણાઈ આવતું રૂપ વય વધતાં બદલાવા લાગે છે અને જ્યાં રેગ થયે કે સંદર્ય નષ્ટ થતાં વાર લાગતી નથી. જ્યાં સ્થિતિ આવી છે ત્યાં કયે સુજ્ઞ મનુષ્ય રૂપને માટે અભિમાન કરે?
તપમદ–હાલના સમયમાં મનુષ્ય થોડું ઘણું વિશેષ તપ કરે એટલે અભિમાન કરે છે. પણ પ્રાચીન સમયને વિચાર કરે અને કેટલા કેટલા મહિના અને કેટલાંક વર્ષો સુધી પણ જી તપશ્ચર્યા કરતા હતા, તેને જે મનુષ્ય ખ્યાલ લાવે તે આ તપને લીધે ઉત્પન્ન થતો તેને મદ ઉતરી જાય.
બળીમદ–જે આપણને આપણા શરીરબળને મદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
માનવિરમણ
પs
થતું હોય તે વિચારવું કે આપણું બળ ઘણું પશુઓના બળ કરતાં પણ ઓછું છે. આપણી નિર્બળતાઓને પાર નથી. અને આપણું આ શારીરિક બળ કયે વખતે ઘટશે તે કોણ જાણે છે? તો પછી તે સંબંધી મદ કરવો એ કેમ વાજબી ગણાય?
ધન મદ યા લાભમદ–આ મદ પણ અયોગ્ય છે, કારણ કે પોતાના કરતાં બીજા વિશેષ ધનાઢ્ય લોકો જગતમાં વસે છે. અને જે સોનાથી મનુષ્યને મદ થતો હોય તે સેનાની ખાણે આગળ તેનું સેનું શા હિસાબમાં છે? અને લક્ષમી ચંચળ સ્વભાવની હેવાથી કયે વખતે ચાલી જશે તે કોણું કહી શકે તેમ છે? આપણે અનેક મનુષેના સંબંધમાં દશાના વારાફેરા જોઈએ છીએ, તે પછી તે સંબંધમાં અભિમાન કરવાનું કોઈ કારણ નથી.
જ્ઞાનમદ–વિદ્યામદ અથવા જ્ઞાનમદ. એ સાથી ભયંકર મદ છે. બધા મદને આપણે જ્ઞાનથી–સમજણથી દૂર કરી શકીએ, પણ જ્યાં જ્ઞાનને જ મદ થાય, વાડ જ ચીભડાં ચારે, પોતાની માતા જ ઝેર આપે ત્યાં સ્થિતિ ઘણું શોચનીય છે. જેરેમી ટેલર લખે છે કે –
Our learning is then best when it toaches most humility, but to be proud of learning is the greatest ignorance in the world.
જે જ્ઞાન આપણને નમ્ર બનાવે છે તે જ્ઞાન ઉત્તમ છે, પણ પોતાના જ્ઞાન વિષે અભિમાન કરવું એ દુનિયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૪
પવિત્રતાને પંથે મેટામાં મોટું અજ્ઞાન છે, માટે જ્ઞાનનો મદ તે કદાપિ કરવો નહિ. કવિ ટેનિસન લખે છે કે –
Let knowledge grow from more to more But more of reverence in us dwell.
આપણે ભલે વિશેષ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીએ, પણ તે જ્ઞાન સાથે આપણામાં પૂજ્યભાવ આવવો જોઈએ. આપણુ કરતાં જ્ઞાનમાં આગળ વધેલાઓ પ્રત્યે પૂજ્યભાવ આવતાં આપણામાં શિષ્યવૃત્તિ-નમ્રતા જાગ્રત થશે.
હવે અભિમાનના ગેરફાયદા વિચારીએ.
સૈથી મોટો ગેરફાયદો એ છે કે અભિમાની મનુષ્ય વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે પિતાના માની લીધેલા સર્વજ્ઞપણમાં મૂંઝાય છે, એટલે તેને પોતાને જ મોટો ગેરલાભ થાય છે. તે કોઈને પણ વિનય કરી શકતો નથી. આ રીતે જ્ઞાનપ્રાપ્તિનું ઉત્તમ સાધન તેની પાસે નહિ હોવાથી તે બીજાઓની કૃપા મેળવી શકતો નથી. તેનો મિત્ર કઈ થતું નથી, તેથી પાસે પૈસા હોય કે સત્તા હોય તે લકે તેવા મનુષ્યની ખુશામત કરે, તેની રૂબરૂમાં તેના કહેવાની હાજી હા કરે પણ તે તેના ખરા ભક્ત કે પ્રેમાળ મિત્ર થાય નહિ. અર્થાત્ અભિમાની મનુષ્ય અતડો રહે છે, કોઈ તેને ખરા જીગરથી હાતું નથી, એટલું જ નહિ પણ તે ઘણું શત્રુઓ બનાવે છે. તે ગમે તેવા કામે કરીને પોતાનું માન સાચવવા મથે છે. પોતાની પાસે ધન ન હોય તે કરજ કરીને પણ ધન ખરચશે, અને પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
માનવિરમણ
૫૫
દેવું થવાને લીધે આખી જિંદગી સુધી દુ:ખી થશે. જ્યારે મનુષ્યને વિનાશ થવાને હોય ત્યારે તેનામાં ઘણું અભિમાન આવે છે. તે બધા પ્રત્યે ઉદ્ધતાઈથી વર્તે છે. pride gooth before destruction sallel Bei zu setમાન જન્મે છે. અભિમાની પુરુષ પિતાના ગુરુઓ અને વડીલોનું અપમાન કરતાં પણ અચકાતો નથી.
આ માનના ત્યાગ સંબંધીનું એક દષ્ટાંત આપણે વિચારહ્યું. શ્રી કષભદેવને ભારત અને બાહુબળી નામના બે પ્રતાપી પુત્ર હતા. પોતાના અઠ્ઠાણું પુત્રને જુદી જુદી રાજગાદી સોંપી, દીક્ષા લઈ પોતે અનેક સ્થળે વિહાર કરતા હતા. ભરતને ચકવત્તપણાનું સૂચક ચક્ર ઉત્પન્ન થયું. તે ચકવડે તેણે છ ખંડના રાજાઓને વશ કર્યા, પણ બાહુબળીએ તેની આજ્ઞા ન સ્વીકારી. બંને બંધુઓ વચ્ચે તુમુલ યુદ્ધ દીર્ઘ સમય સુધી ચાલ્યું. ભરતે છેવટે બાહુબળી ઉપર પોતાનું ચક્ર મૂકયું. બન્ને ભાઈઓ હોવાથી બાહુબળી પર તે ચક્રને પ્રભાવ ચાલ્યા નહિ, તેથી તે ભરતના હાથમાં પાછું આવ્યું. ભરતે જ્યારે ચક્ર મૂકયું ત્યારે બાહુબળીને ઘણે ક્રોધ ચઢ્યો હતો, પણ જ્યાં ચક્ર બાહુબળીને કાંઈ પણ ઈજા કર્યા વિના ભરતના હાથમાં પાછું જઈને બેઠું, એટલે બાહુબળીની ભાવના ફરી. તેણે પોતાના બંધને મારવાને વિચાર માંડી વાળ્યો, પણ ઉગામેલી મુઠ્ઠી પાછી મૂકવી તે પણ ઠીક નહિ, એમ ધારી પંચમુષ્ટિ લોચ કરી પિતે સાધુ બન્યા. હવે પિતાના પિતા આદીશ્વર પાસે જવાને વિચાર કર્યો, પણ ત્યાં પોતાના ૮ નાના ભાઈએ, જે પ્રથમ દીક્ષિત થયેલા છે, તેમને નમસ્કાર કરે પડશે, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પચે
અભિમાનથી ત્યાં જવાના વિચાર માંડી વાળ્યો. તેમણે વનમાં રહી ઘણું ઉચ્ચ પ્રકારનું ધ્યાન કર્યું, પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં તેમનુ અભિમાન નડ્યું. છેવટે તેમની બે બહેના– બ્રાહ્મી તથા સુંદરીએ બાહુબળીને કહ્યું કે “વીરા મારા ગજથકી ઉતરે. ” આ શબ્દો સાંભળતાં વિચાર સૂઝયો અને પેાતે અભિમાનરૂપી હાથી પર ચઢ્યા છે તેનું તેમને ભાન થયું એટલે અભિમાનના ત્યાગ કરી નાના ભાઈઓને વંદન કરવા માટે જ્યાં પ્રથમ પગલું ઉપાડે છે ત્યાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અભિમાનનેા પ્રભાવ કેટલેા બધા છે? તે આ ઉપરથી આપણુને સમજાય છે. હવે આ અભિમાન ત્યાગવાના કેટલાક ઉપાયે વિચારીએ. જ્યાં નમ્રતા આવે છે ત્યાં અભિમાન ચાલ્યું જાય છે. કહ્યું છે કે— લઘુતાસે પ્રભુતા મીલે, પ્રભુતાસે પ્રભુ દૂર; કીડી હી મીસરી ચુગે, ગજ શિર ડારે ધૂળ.
અ
૫૬
માટે હૃદયમાં નમ્રભાવ રાખવા અને જેની પાસેથી જ્ઞાન મેળવવું હાય તેના પૂરા વિનય કરવા, કારણ કે વિનયથી ગુરુ પ્રસન્ન થાય છે અને તેમના હૃદયમાંથી જે જ્ઞાનપ્રવાહ વહે છે તે શિષ્યના હૃદયને ઉન્નત બનાવી દે છે. બીજાએના ગુણના, જ્ઞાનના, શિકિતને વિચાર કરી, એટલે તમારું' અભિમાન ગળી જશે. વળી તમારી પેાતાની નિ ળતાઓના પણ જો તમે શાંત મનથી વિચાર કરશે! તા તમને અભિમાન કરવાનું કારણ રહેશે નહિ. જે પેાતાનુ અજ્ઞાન જાણે છે તે જ મનુષ્ય જ્ઞાન મેળવવાને લાયક અને છે. જગતમાં જાણવા ચેાગ્ય ઘણું છે, એવા જો મનુષ્યને વિચાર આવે તે તે જરૂર નમ્ર થયા વિના રહે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
માનવિરમણ
૫૭
આ વિષય પૂર્ણ કરતાં એક બાબત ખાસ વિચારવા જેવી છે. મનુષ્યે ખાટા અભિમાનના ત્યાગ કરવા, પણ જેને સ્વમાન ( self-respect ) કહે છે તે તા સાચવવું; કારણ કે સ્વમાનવાળા પુરુષા ઘણાં ખેાટાં કામા કરતાં અટકે છે. તેએ પેાતાના સ્વમાનને લીધે જ કેટલાંક હલકાં કામેા કરવાના વિચાર સરખા પણુ કરતા નથી, માટે આવું સ્વમાન એ પ્રશસ્ત માન છે. જો કે છેવટની સ્થિતિમાં તે પણ પ્રશસ્ત ક્રોધની માફક ત્યાજ્ય છે, પણ શરૂઆતમાં તે ઘણા જીવાને સીધે માગે દારવાના કારણભૂત બને છે. આ સંબંધમાં જ્ઞાના વમાં કહ્યું છે કે:
गुणरिक्तेन किं तेन, मानेनार्थः प्रसिद्ध्यति । तन्मन्ये मानिनां मानं, यलोकद्वयशुद्धिदम् ||
જ્યાં ગુણુ નથી ત્યાં એવા ખાલી માનથી થ્રુ અસિદ્ધિ થવાની હતી ? પશુ જે માનથી આ àાક તથા પરલેાકમાં શુદ્ધિ મળે, તે માન ખરું માન કહેવાય. આ માન તે સ્વમાન છે. પાતાના આત્માની શક્તિઓનુ ભાન થવાથી આ માન પ્રકટે છે અને તે મનુષ્યને સખળ છે બનાવી ઉન્નતિને માગે લઇ જાય છે. જેને આત્માની અનંત ઋદ્ધિનું ભાન થયું હાય, તે મહારની વસ્તુઓ આવે કે જાય તે પર વિશેષ લક્ષ આપતા નથી. વસ્તુના સદ્ભાવે કુલાઇ જતા નથી; તેમજ વસ્તુના અભાવે દીન બની જતા નથી; કારણ કે આત્મશક્તિ એ વસ્તુએ ઉપર આધાર રાખતી નથી પણ અંદરથી જ પ્રકટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ૩.
માયાવિરમણ
માયા એ બે અક્ષરના શબ્દ છે. પશુ તે ઘણુા અનર્થ ઉપજાવે છે. માયા એ શબ્દ આ સ્થળે કપટના અમાં વાપરવામાં આવેલે છે. માયા એ ત્રીજો કષાય છે. તેના ગેરફાયદા લેાકેા વિચારતા નથી અને તે અવગુણુને માટે। ગણતા નથી, પણ માયા માઢું નુકસાન કરે છે. જ્યાં મનુષ્યના મનમાં માયારૂપી રાક્ષસી પ્રવેશ કરે છે ત્યાં તેનામાંથી સત્યવૃત્તિ નાશ પામે છે. માયા માટે ભાગે સ્વાર્થથી ઉદ્ભવે છે. જ્યાં મનુષ્યના સ્વાર્થ સરતા હાય ત્યાં તે ગમે તેવું કપટ કરવાને દોરાય છે, અનેક પ્રકારનાં અસત્ય મેલે છે. બહારથી સત્યવાદીનેા ડાળ કરે છે પણ અંદરથી મેાટી ભ્રમજાળ રચે છે. વળી મનુષ્ય પેાતાની માનપ્રતિષ્ઠાની હાનિ ન થાય તે માટે પેાતાનાં ખાટાં કર્મા છુપાવવાને પણ કપટ અથવા માયાનુ સેવન કરે છે. જગત આગળ સારા દેખાવુ−લેાકેામાં વાહવાહ કહેવરાવવી, લેાકેામાં ખાટી કીર્તિ મેળવવી-આ ઘણા મનુષ્યેાના
જીવનનું એક લક્ષ્ય થઇ પડયુ હાય છે, અને જો સીધે માગે કીર્તિ ન મળતી હેાય તે અસત્ય માગે પણ તે મેળવવી એવી ભાવના તેમના મનમાં જાગે છે; માટે મનુષ્ય અનેક પ્રકારનાં અસત્ય વચને ખેલે છે. હૃદયમાં કાંઈક ભાવ હાય અને વચનમાં કાંઇક દર્શાવે છે. વળી કા માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
માયાવિરમણ
૫ ત્રીજા પ્રકારને જ ભાવ જોવામાં આવે છે. આવી જ સ્થિતિ તેને માયા કહેવામાં આવે છે. આ કપટ કરવાની ટેવ પડી, પછી તે જવી ઘણી મુશ્કેલ છે. મનુષ્યોને કોધ કે માન કે લોભ બહાર પ્રકટ દેખાઈ આવે છે તે છુપાવવા પ્રયત્ન કરવા છતાં છુપાતા નથી પણ માયા એટલે છેતરવાની ક્રિયા બીજાથી સમજાય નહિ માટે તેને વશ થયેલાને સુધારવાને બીજે કઈ ઉપદેશ પણ આપી શકે નહિ, અને ધીમે ધીમે તેનું બળ વધવા લાગે છે, એટલે તે માયા તે મનુષ્યને આખે ગળી જાય છે. સંસ્કૃતમાં માને અર્થ નહિ અને જા એટલે જવું એ થાય છે, માટે જે એક વાર વળગ્યા પછી છુટે નહિ તે માયા કહેવાય.
માયા-કપટ કરવાથી ઘણા ગેરફાયદા થાય છે. મેટામાં મટે ગેરફાયદો એ કે માયા કરનારના જ્ઞાનચક્ષુ પર પડળ આવી જાય છે. કપટ કરવાથી તેના મન પર આવરણ આવે છે. વારંવાર અસરલ અને કપટભર્યા વિચાર કરવાથી મનની વક્ર ગતિ થાય છે અને તેથી આત્મા પોતાની શક્તિઓ બરાબર પ્રકટ કરી શકતો નથી. માયાવી મનુષ્ય સત્ય જાણું શકતા નથી. તે બીજાને છેતરવા જાય છે, પણ જાતે જ છેતરાય છે. વળી કપટ કરનાર થોડે સમય ફાવે, થડે સમય લોકોને છેતરે, પણ અંતે તે તેનું પાપ ઉઘાડું પડ્યા વિના રહેતું જ નથી, કારણ કે અંતે તે truth will be out સત્ય વસ્તુ ઉઘાડી પડશે જ. જ્ઞાનાર્ણવકાર જણાવે છે કે – ___ छाधमानमपि प्रायः, कुकर्म स्फुटति स्वयम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથે
કુકર્મ ઢાંકવાને ગમે તે પ્રયત્ન કરવામાં આવે, છતાં તે પોતાની મેળે પ્રકટ થાય છે. અને જ્યારે આમ થાય છે ત્યારે લોકોને તેના પરથી વિશ્વાસ ઊઠી જાય છે. પછી ગમે તે સારાં કામ કરે, તે પણ લોકો તેનાં તે કાર્યો પર અવિશ્વાસ અને શંકાની નજરથી જુએ છે.
વળી કપટ કરનારને અસત્યની પરંપરા કરવી પડે છે. પોતે અમુક કપટ કરેલ છે તે છુપાવવાને બીજા કપટને તેને આશ્રય લે પડે છે. વળી તે છુપાવવાને વધારે ભયંકર કપટનાં કામ કરવાં પડે છે. આ રીતે તેવી માયાજાળ એટલી બધી વધી પડે છે કે પોતે જ પોતે રચેલી જાળમાં ફસાય છે અને કપટ બહાર પડતાં વાર લાગતી નથી.
કપટ કરનાર નિરંતર ડરતો રહે છે. તેને જરા પણ શાંતિ મળતી નથી. જ્યારે પોતાનું કપટ બહાર પડશે તે ભય રહ્યા જ કરે છે અને તેથી જગતમાં બેટી રીતે મેળવેલી માનપ્રતિષ્ઠાની વચમાં પણ તેનું હૃદય સળગતું હોય છે. સર્વ ધર્મની ક્રિયાઓમાં પણ ફળને આધાર મનુષ્યના ભાવ ઉપર રાખેલ છે. જે મનુષ્ય લોકોને બતાવવાને, ધમ તરીકે ગણાવાને અને ધર્મના બહાના હેઠળ પિતાનાં કુકર્મ છુપાવવાને બહારથી ધર્મક્રિયાઓ કરે છે તે ક્રિયાઓમાં તેને ભાવ હા નથી તેથી તેને તેનું યોગ્ય ફળ મળતું નથી. આવા મનુષ્ય બકવૃત્તિવાળા કહેવાય છે.
बकवृति समालम्य, वंचकैवंचितं जगत् ॥ બગલા જેવી વૃત્તિ રાખી આવા માયાવી પુરુષોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
માયાવિરમણ
૧
આખા જગતને ઠગ્યુ છે. આખા જગતને છેતરવા જતાં તેમણે પેાતાના આત્માને છેતર્યા છે અને પેાતાનુ જ અહિત કર્યું છે. આત્મા તેા કદાપિ છેતરાય નહિ, એટલે આત્માના પ્રકાશ આ મનુષ્યા પર પડતા નથી અને તેએની અધાગતિ થાય છે, ત્યારે આપણને સમજાય છે કે માયાથી અહીં અપકીર્તિ થાય છે, સત્ય પારખવાની અને જાણવાની શક્તિ બુઠ્ઠી થાય છે, આત્માના પ્રકાશ મળતા નથી અને પરભવમાં પણ દુર્ગતિ થાય છે.
ત્યારે આ માયા દૂર કરવાને કરવુ શુ ?
સરલ
માયા દૂર કરવાને ઉત્તમેાત્તમ ઉપાય સરલતા અથવા ઋતા છે. ઋનુ મનુષ્ય ભૂલ કરે પણ પેાતાના સ્વભાવ હાવાથી બન્યુ હાય તેવુ કહી દે; તેથી ખીજાએ તેની ભૂલ સુધારે. ઋષભદેવસ્વામીના સમયના સાધુએ જડબુદ્ધિના પણ ઋજુ હાવાથી પોતાની ભૂલ જોઈને તે સુધારી શકતા હતા. એક વાર કેટલાક સાધુએ ગામ બહાર શાનિમિત્ત ગયા હતા. ત્યાથી પાછાં કરતાં વાર થઇ ત્યારે તેમના ગુરુએ પૂછ્યુ કે “ આટલી બધી વાર કેમ થઈ ?” તેમણે જવાબ આપ્ચા. “ રસ્તામાં નટા ખેલ કરતા હતા તે જોવાને ઊભા રહ્યા હતા.” ગુરુએ કહ્યું “ આપણને—સાધુઓને નટ જોવા ૪૫ નહિ ” તેમણે તે વાત સ્વીકારી લીધી. કેટલેાક સમય વીત્યા પછી તેઓ માડા ઉપાશ્રયે આવ્યા. કારણ પૂછતાં તેઓએ જણાવ્યુ કે “ અમે નટી જોવા ઊભા રહ્યા હતા. ” ગુરુએ કહ્યું: “ નટ જોવાને મેં નિષેધ કર્યો હતેા તે તેમાં નટી જોવાના નિષેધ તા આવી જ ગયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે કારણકે નટી વિશેષ રાગનું કારણ છે. ” તે સાધુઓમાં બુદ્ધિ ઓછી હતી તેથી બીજી વાર ભૂલ કરી, પણ સરલ પ્રકૃતિના હોવાથી સત્ય વાત નિવેદન કરી. આથી તેમની ભૂલ સુધારવાને માગ ગુરુને જડી આવ્ય, માટે માયાને દૂર કરવાને સૌથી સારો માર્ગ સરલ પ્રકૃતિ છે.
मुक्तरविप्लुतश्चोक्ता, गतिज्वी जिनेश्वरैः ।। तत्र मायाविनां स्थातुं, न स्वप्नेऽप्यस्य योग्यता ॥
વીતરાગ સર્વજ્ઞ ભગવાને મુક્તિમાર્ગની ગતિ સરલ કહી છે, ત્યાં માયાવી જનેને સ્વપ્ન પણ રહેવાનું સ્થાન મળી શકે નહિ. જે જે મહાપુરુષે થઈ ગયા તે સર્વમાં આ રાજુ પ્રકૃતિ હતી. જેવું તેમના મનમાં તેવું તેમના વચનમાં અને જેવું વચનમાં તેવું તેમના કાર્યમાં. અર્થાત તેમના મન, વચન અને કાર્યમાં એકરૂપતા હોય છે. ત્યાં બીલકુલ કપટ હોતું નથી, તેથી લોકો તેમના વચન પર વિશ્વાસ મૂકી શકે છે.
પ્રકરણ ૯ મું.
લેશવિરમણુ.
લાભ એ ચેાથો કષાય છે. આપણે ત્રણ કવાયનું વર્ણન કરી ગયા. લેભ સૌથી છેલ્લે મૂકવામાં આવ્યો છે, પણ ત્રણ કષા કરતાં તેને પ્રભાવ અધિક છે. પ્રશમરતિમાં તેના કર્તા ઉમાસ્વાતિ વાચક કહે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
લેાવિરમણ
૬૩
क्रोधात्प्रीतिविनाशं, मानाद्विनयोपघातमाप्नोति । शाठ्यात्प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ॥ १ ॥
ક્રાધથી પ્રીતિના નાશ થાય છે, માનથી વિનયના નાશ થાય છે, માયાથી-કપટથી વિશ્વાસના ભંગ થાય છે; પણ àાભથી તે સર્વ ગુણેાના નાશ થાય છે. વળી તે àાભના સંબંધમાં કહે છે કે:
सर्वविनाशाश्रयणिः, सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ॥
સર્વ વિનાશના આશ્રયસ્થાનરૂપ અને સર્વ પ્રકારની આપત્તિના મુખ્ય માર્ગરૂપ એવા લાભને વશ થયેલેા કયા મનુષ્ય એક ક્ષણ પણ સુખ પામી શકે ?
લેાભ એ અશુભ પ્રકૃતિના સ્વભાવ છે. એ તૃષ્ણાનું ત્રીજું નામ છે. તે લેાભથી મનુષ્ય વસ્તુએને સંગ્રહવાને, તેમના પર પાતાની માલીકી સ્થાપવાને પ્રયત્ન કરે છે. મનુષ્યની તૃષ્ણાને હૃદ હાતી નથી, તેથી તે અનેક વસ્તુએ મેળવવા છતાં પણ તૃપ્તિ પામતા નથી. આત્માના પેાતાના સ્વભાવ તા નિષ્પરિગ્રહી છે. તે તેા આપવામાં જ આનંદ માને છે પણ પ્રકૃતિને-જડ સ્વભાવને વશ થઇ આપણે અનેક વસ્તુઓ ઉપર આપણી માલીકી સ્થાપવાના પ્રયત્ન કરીએ છીએ. આપણા ઉપલેાગમાં તા ઘણી ઘેાડી વસ્તુએ અને સાધના આવે છે. આપણી પાસે ૧૦ પલંગ હાય તા પશુ આપણે એક જ પલંગ પર સૂઇ શકીએ છીએ. આપણી પાસે પાંચ મેટરા હાય, પશુ એક વખતે તા એક જ માટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે
૨માં બેસવું પડે છે. આપણે અનેક સ્થળે બંગલાઓ હોય પણ એક વખતે એક જ બંગલાને આપણે ઉપભોગ કરી શકીએ છીએ. ખાવા માટે ૫૦ પ્રકારની વાનીઓ તૈયાર હોય, પણ આપણે તે આપણા શરીરને માફક આવે અને આપણાથી પચાવી શકાય તેટલી જ વાનીઓ ખાઈ શકીએ છીએ; છતાં જીવની ભવૃત્તિની કાંઈ મર્યાદા છે? વસ્તુઓ મળતાં લોભની શાંતિ નહી થતાં ઊલટા લાભ વધે છે. એ જ તેનું વિચિત્રપણું છે. અગ્નિમાં ઘી નાંખવાથી અગ્નિ શાંત નહિ થતાં વૃદ્ધિ પામે છે, તેવી જ રીતે આપણી કામનાની વસ્તુ પ્રાપ્ત થતાં તેવી જાતની વિશેષ વસ્તુઓ મેળવવા હદયમાં વૃત્તિ ઉદ્દભવે છે.
લેભના ગેરફાયદા ઘણું છે. મનુષ્ય લાભને ખાતર અસત્ય બોલે છે. ગમે તેવું જૂઠું બોલતાં તે જરા પણ અચકાતા નથી. જૂઠી સાક્ષી આપે છે, જૂઠા દસ્તાવેજો લખે છે. લોભી મનુષ્યમાંથી દયા તે દૂર જ ભાગે છે.
स्वामिगुरुबन्धुवृद्धानबलाबालान् जीर्णदीनादीन् । व्यापाद्य विगतको लोभातों वित्तमायत्ते ॥
લોભને વશ થયેલે પુરુષ પોતાના માલીક, ગુરુ, બધુ, વૃદ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બલ અને અનાથને પણ શંકા રહિતપણે મારીને ધન ગ્રહણ કરે છે. “It is the root of all evil” લેભ સર્વ અનર્થોનું મૂળ છે. આથી મનુષે ઘાતકી અને નાદાન થાય છે. બીજાઓના વૈભવની ઇર્ષા કરે છે, પોતાના હાથ નીચે મૂકાએલા નિરાધાનું ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
લભવિરમણ
૬૫
હરી લે છે, અને ગરીબ પર જુલમ પણ ગુજારે છે. મનુષ્ય લેભથી પોતાના પિતાની ઉમ્મર પૂછવા દોરાય છે. લેભથી આપણે ભાગીદાર ગીધ જે બને છે અને આપણે મિત્ર ચાર બને છે. કહ્યું કેअर्थमनर्थ भावय नित्यं, नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता रीतिः ॥१॥
ધનને નિરંતર અનર્થરૂપ માને, તેથી સુખને લેશ પણ સત્ય રીતે નથી; પૈસાદારને પુત્ર તરફથી પણ ભય રહ્યા કરે છે, આવી રીત સર્વત્ર ફેલાયેલ છે. ધનને ખાતર ભાઈઓ લડે છે, મિત્રો છૂટા પડે છે અને સંબંધીઓ વચ્ચે શત્રુતા પ્રગટે છે.
આપણે પાંચમા પાપસ્થાનકનો વિચાર કરતાં જોયું હતું કે ધનની જરૂર છે. ધન સાધન તરીકે યોગ્ય છે, પણ ધનને ખાતર જ જેઓ ધન એકઠું કરવા પ્રયત્ન કરે છે તેઓ ધનથી મળતું સુખ પણ ભેગવી શકતા નથી, તેઓમાં દાનવૃત્તિ હોતી નથી, તેમજ તેઓ પોતાને વાસ્તુ પણ તેને ચગ્ય ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તેઓ ધારે છે કે ધન વાપરવાથી ખૂટી જશે. આવા મનુષ્યની સ્થિતિ ભ્રમર જેવી થાય છે કે
મધુ સંચય કરી મરી રહ્યો, ભ્રમર કેવળ અજાણ
ના દીઠું ના ભેગવ્યું, નાહક ખાયા પ્રાણ. | માટે લેભવૃત્તિને ત્યાગ કરવાને ઉદારતાને-દાનને પાઠ શીખવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથે
તન મોનો નાશ, રિત મતો અવંતિ વિત્તા यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति ॥
ધનના ત્રણ માર્ગ છે–દાન, ભેગ અને નાશ. જે દાનમાં આપ નથી અથવા જાતે તેને ઉપભેગ કરતો નથી તેને વાતે ત્રીજી ગતિ ખુલ્લી છે.
જે મનુષ્યને શાશ્વત અને ક્ષણિક વસ્તુઓ વચ્ચે વિવેક હેતે નથી તે પચંદ્રિયની તૃપ્તિમાં પોતાનું સર્વ સામર્થ વાપરે છે અને તેથી જે દ્વારા તે ઇન્દ્રિયોના વિષયે ભેગવી શકે તે ગ્રહણ કરવાને લલચાય છે, અને તે ઈન્દ્રિયવૃમિને અર્થે દુનિયાની વસ્તુઓ મેળવવાનું સાધન જે ધન તે મેળવવા પ્રયત્ન કરે છે. પણ આપણને વિચાર તથા અનુભવથી જણાય છે કે ઇન્દ્રિયજન્ય સુખ શાશ્વત નથી, દુઃખથી ભરપૂર છે, માટે જે આપત્તિથી ભરપૂર હોય તે ખરી સંપત્તિ કહી શકાય જ નહિ. એક કવિએ કહ્યું છે કે – જે સુખમાં ફિર દુ:ખ વસે, સે સુખ નહિ દુ:ખરૂપ; જે ઉત્તગ ફિર ગીર પડે, સે ઉત્તમ નહિ ભવકૂપ.
ત્યારે શું ધન સુખનું સાધન છે? ધન એ સુખનું સાધન છે, પણ ધન એકલું જ સુખનું સાધન નથી. જે ધનવાન પુરુષો સૌથી વિદ્વાન અને સૌથી સદ્દગુણ હોય તે તેમ માનવામાં કાંઈ પણ બાધ નથી, પણ વસ્તુત: તેમ નથી. મનુષ્ય પોતે ધનવાન થાય તે માટે કંગાલ સ્થિતિમાં રહે છે. તેઓ ધનને સાધન તરીકે નહિ ગણતાં સાધ્ય તરીકે ગણે છે. આ જ મોટી ભૂલ છે. આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
લાભવરમણ
જરૂરિયાતા અને સગવડાને ખાતર જે ધન આવશ્યક હાય, તે સિવાયનું બાકીનું ધન નિરર્થક અને ઘણીવાર તેા એજારૂપ હાય છે. પણુ જો મનુષ્ય માકીના ધનના પરીપકારાર્થે અથવા સત્કાર્યમાં ઉપયાગ કરે તેા તેની સફળતા છે. મનુષ્ય ધનવાન થયા. એટલે તેના ધનને લીધે તે આકૃતિવિદ્યા ( Drawing ) અથવા સંગીતશાસ્ત્રમાં નિપુણુતા મેળવી શકે નહિ. ગરીખ મનુષ્યની માફક તેને તે વિદ્યા શીખવાને મહેનત કરવાની જરૂર છે. તેમજ ધનને લીધે જિતેંદ્રિયપણું, ધૈર્ય આદિ સગુણા આવી જતા નથી. તેમજ ધનને લીધે ધન ઉપર વૈરાગ્ય આવી શકતા નથી, તેમજ પેાતાના આત્માને પરિગ્રહની મર્યાદા કરતાં પણ શીખવી શકાતા નથી. જો મનુષ્યને તૃષા લાગી હાય તે જળ તેની તૃષા છીપાવે છે. જો મનુષ્યને ભૂખ લાગી હાય તેા ખારાક તેની ભૂખ મટાડે છે. જો મનુષ્યને ઠંડી લાગતી હાય તેા ગરમ કેટ પહેરવાથી અથવા અગ્નિ પાસે બેસવાથી તે ઠંડી દૂર ભાગે છે અને તે મનુષ્યને શાંતિ થાય છે. પણ જો જરૂર કરતાં વધારે ખાય તે અજીણું થાય છે, જરૂર કરતાં વધારે પાણી પીવાથી પેટ અકળાય છે અને જરૂર કરતાં વધારે વજ્ર પહેરવાથી તાપ વિશેષ લાગે છે. કુદરતી તંગી પૂરી પડી એટલે કુદરત સંતાષ પામે છે. તેની તંગી કરતાં વધારે વસ્તુએ તેને ભારરૂપ જણાય છે તેમજ નુકશાનકારક નીવડે છે, પણ ધનમાં તેમ નથી. તે ખાખતમાં તેા ધન મળતાં વિશેષ ધનની સ્પૃહા પ્રકટે છે અને આ લેાભના કેાઈ દિવસ અંત આવતા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઊર્ફ
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે
સમયના વહેવા સાથે લોકોની માજશેખની વૃત્તિઓ વધારે પ્રબળ થતી જાય છે અને જે ચીજો જરૂરની છે તે સહેજ માં મળી શકે તેવી હોય છે, પણ આપણે લોકમાં વાહવાહ કહેવરાવવા માગીએ છીએ, લોકોમાં બાહ્ય આડંબરથી માન પ્રતિષ્ઠા પામવા ધારીએ છીએ, અને તેથી ઘણી ચીજો જે પ્રથમ માજશેખની ચીજે ગણાતી હતી તે હાલમાં જરૂરની થઈ પડી છે. આપણી જરૂરિયાત જેમ વધારીએ તેમ વધે છે. જે આપણે ઈટલીના તેમજ પારીસના સુશોભિત ભવ્ય મકાનની જેવી કારીગરીવાળા બંગલાઓ બંધાવવા માગીએ, અથવા હીરા રત્નના આભૂષણ પહેરવા માગીએ, અથવા અરબસ્તાનના ઘેડાની લંડનથી મંગાવેલી ફેટીનમાં બેસવા ધારીએ, અથવા સુગંધીદાર તેલ સાબુ વગેરે વાપરવા ચાહીએ તે આ બધી વસ્તુઓને આપણે જરૂરિયાતના પેટાવિભાગમાં લાવી શકીએ; પણ આ બધી ખરી જરૂરિયાત નથી. શુદ્ધ સાવિક ખોરાક સ્વચ્છ જળ, સારાં ધોયેલાં વસ્ત્ર અને ટાઢ તડકાથી આપણે બચાવ કરે તેવું ઘર–આ ચીજે સાધારણ રીતે જરૂરની ગણાય, કારણ કે શરીરનું રક્ષણ કરવામાં તે ચીજોની ઉપયોગિતા છે અને શરીર તે ધર્મ સાધનામાં મુખ્ય સાધન છે, માટે શરીરના રક્ષણ અર્થે જે ચીજ જરૂરની છે તે સિવાયની બીજી વધારાની કહીએ તો તે અયોગ્ય નથી.
જે મનુષ્યને જળની જેટલી તૃષા હોય તે કરતાં વધારે પીએ, અથવા ભૂખ કરતાં વધારે ખોરાક ખાય તો તેને ઓકવું પડે છે, અને તેમાં કેવળ વધારાને ભાગ–હદ ઉપરાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
લેાવિમાણુ
ખાધેàા ભાગ-૪ મહાર નીકળી જતા નથી, પણ જે ખારાક શરીરના પાષણ અર્થે જરૂરના હતા તે પણ નીકળી જાય છે. તેમ મધ્યમસર રીતે જે વસ્તુએ ઉપયેાગી ગણાય તેના કરતાં વધારે મેળવવાની તૃષ્ણામાં જે કાઇ તણાય છે તે મનુષ્ય જે ચીજો તેને સુખમાં રાખવાને તથા તેની સ્વાભાવિક તંગીઓને પાર પાડવામાં કામ લાગી હાત તે
ચીજો પણ ખાઇ બેસે છે, માટે અતિલાભ તે પાપનું મૂળ છે તે આ ઉપરથી સિદ્ધ થાય છે.
લેાભના ત્યાગ કરવાને નીચે પ્રમાણે વિચાર કરવા. અહારની વસ્તુએ ધન વૈભવ આપણી સાથે આવવાના નથી. તે ઘણું તે આખી જિંદગી પર્યંત રહે, પણ તે આપણી સાથે કદાપિ સર્વદા રહેશે જ નહીં. આપણે આત્મા છીએ અને આ બહારનાં સાધના ખરી રીતે આપણાં નથી. આપણે તેની ઉપર માલીકી ધરાવી દુ:ખી થઇએ છીએ, પણ જો ટ્રસ્ટીભાવ રાખીએ તેા ધન કોઇ રીતે દુ:ખનું કારણ થાય નહિ. લાખા રૂપીઆની વચમાં મનુષ્ય નિર્દેભભાવ રાખી શકે. આપણી સાથે સ્થાયી રહેનાર આપણાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે; અથવા સદ્, ચિદ્ અને આનંદ છે. આપણે ખીલવેલી શક્તિઓ, મેળવેલુ જ્ઞાન અને પ્રકટ કરેલેા આનંદ સ્વભાવ-પ્રેમ આપણી સાથે રહે છે. જો મનુષ્યને આ આત્માની સાથે સ્થાયી રહેનાર સદ્ગુણા મેળવવા પ્રત્યે રુચિ થાય તે વસુ અને વૈભવ પ્રત્યેના તેના મમત્વભાવ આછે થવા સંભવ છે; માટે લાભના અનેક અનર્થ વિચારી તેના ત્યાગ કરવાને કાં તે સ ંતેાષવૃત્તિ ધારણ કરી અને જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૦
પવિત્રતાને પંથે
સંતેષવૃત્તિ ન રાખી શકતા હો તે જે કાંઈ ધન વધારાનું લાગે તેને પરેપકારાર્થે સદુપયેગ કરો, કારણ કે પરોપકાર કરવા જતાં ધન પ્રત્યેની આસક્તિ ઓછી થવા લાગશે માટે પરેપકાર અથવા સંતેષ ખીલ. આ સંબંધમાં કવિ શેકસપીઅર લખે છે કે – My crown is in my heart, not on my head Not decked with diamonds and Indian stones Nor to be seen, my crown is called content A crown it is that seldom kings enjoy.
મારે મુગટ મારા મસ્તક ઉપર નહિ પણ મારા હૃદયમાં છે. તે હીરાથી કે પુખરાજ થી જડેલે નથી. તે કેઈથી દેખી શકાતું નથી. તે મુગટનું નામ સંતોષ છે. મારો મુગટે રાજાઓના ઉપગમાં ભાગ્યે જ આવે છે.
મનુષ્ય પોતાના આત્માના ગુણો ખીલવવાના સંબંધમાં ભલે અસંતોષ રાખે, પણ બાહ્યા સમૃદ્ધિના સંબંધમાં તે અમુક સ્થિતિએ-હદે સંતોષ રાખે, પરિગ્રહનું પરિમાણ કરે તે જ શાંતિ અનુભવી શકે, માટે આત્મશાંતિના ઈચછક જનોએ પોતાના પરિગ્રહનું પરિમાણ કરીને લોભવૃત્તિ પર જય મેળવવો.
ઉંનું પરિમાણ કરે
અનુભવી શકે,
જનોએ 3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ સું
રાવિરમણ
શમું પાપસ્થાનક રાગ છે. રાગ અને દ્વેષ એ વસ્તુત: ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયાનાં એ સ્વરૂપે. છે. દ્વેષ એ ક્રોધ અને માનના સૂચક છે અને રાગમાં માયા અને લેાભના સમાવેશ થાય છે, એટલે રાગ દ્વેષનું સ્વરૂપ આ ચાર કષાયામાં માટે ભાગે આવી જાય છે; પણ જ્યારે અત્રે આ બે પાપસ્થાનકાને જુદાં ગણવામાં આવ્યા છે તેા તેનું વર્ણન કરવાની જરૂર છે.
રાગની વ્યાખ્યા—રાગ એટલે કેાઇપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે મારાપણાને લીધે જે આસક્તિ થાય તે રાગ, રાગને બંધનકર્તા ગણવામાં આવ્યા છે, કારણ કે તે વૃત્તિ જ્યારે પ્રબળ હોય છે ત્યારે મનુષ્ય નહિ કરવા ચેાગ્ય કામે કરે છે, નહિ મેલવા ચેાગ્ય વચના આધે છે, અને રાગની વસ્તુને ખાતર પેાતાના બધા નિશ્ચયેા અને સનિર્ણયાના ભાગ આપે છે. રાગી મનુષ્યને આંધળા ગણવામાં આવે છે. કહ્યું છે કેઃ—
રામાંથા નૈવ પશ્યન્તિ~રાગથી અંધ થયેલા પુરુષા વસ્તુસ્થિતિને જાણી શકતા નથી.
આપણે શાસ્રોમાં વારંવાર સાંભળીએ છીએ કે કહ્યું. ન્દ્રિયની તૃપ્તિ ખાતર મૃગ, ચક્ષુરિન્દ્રિયના વિષયની તૃપ્તિ ખાતર પત ંગિયું, રસનેન્દ્રિયના વિષયના ભેાગ માટે મીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૨
પવિત્રતાને પંથે (માછલું), ધ્રાણેન્દ્રિય ખાતર ભ્રમર અને સ્પર્શેન્દ્રિયના ઉપભગ ખાતર હાથી મરણને શરણ થાય છે. તે તે જી તે તે વિષય પાછળ અંધ બન્યા હોય છે, તેમની વિવેકશક્તિ બુઠ્ઠી થઈ જાય છે, અને તેઓ તે વસ્તુઓ પ્રત્યેના રાગથી દોરાઈ મરણ પામે છે. એકેક ઇન્દ્રિય પાછળ રાગ રાખવાથી પ્રાણીઓની આ સ્થિતિ થાય, તે જે જીવો પાંચે ઈન્દ્રિ પાછળ અંધ બન્યા હોય તેમની કેવી શોચનીય સ્થિતિ થાય, તે વિચારવા જે પ્રશ્ન છે.
વસ્તુઓ ઉપરનો રાગ મનુષ્યને તે વખત તે સુખ આપનારે લાગે છે. પણ તે વસ્તુ પ્રાપ્ત થતાં તેમાંથી મેહ. કતા ચાલી જાય છે, તેમ છતાં ઘણું તો તે સમજી શકતા પણ નથી અને તે તે વસ્તુ પ્રત્યેના રાગમાં વિશેષ તણાતા જણાય છે, પરંતુ વસ્તુઓ સદાકાળ ટકતી નથી તેમજ જે મનુષ્ય ઉપર આપણને રાગ હોય છે તે પણ સદા ટકતા નથી. કાં તો તે ચાલ્યા જાય છે અથવા તો તેમને છોડી આપણે ચાલ્યા જવું પડે છે. તે સમયે વિયેગનું દુઃખ ઘણું લાગે છે. જેટલા પ્રમાણમાં અમુક વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે આપણે વિશેષ રાગ, તેટલા પ્રમાણમાં તે વસ્તુના અથવા મનુષ્યના અભાવે અથવા વિશે વિશેષ દુઃખ થવા સંભવ છે. સ્વામી રામતીર્થના કહેવા પ્રમાણે “જેટલા રાગના ખીલા હૃદયમાં ઊંડા ઉતર્યા હશે તેટલા જ તે કાઢતી વખતે વિશેષ દુઃખના કારણભૂત થશે.” આ હેતુથી જ શાસ્ત્રકારોએ રાગને ત્યાગ કરવાનું કહ્યું છે. તીર્થકરોનું એક નામ “વીતરાગ” એટલે “ગયો છે રાગ જેને ” એવું આપ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
રાગવિરમણ
૯૩
રાગ મમત્વભાવથી ઉદ્ભવે છે. હું અને મારું એ રાગની ઉત્પત્તિનાં મુખ્ય કારણે છે. જ્યાં મમત્વભાવ ચાલ્યો જાય છે ત્યાં રાગ પણ જતો રહે છે અને તે વસ્તુને નાશ થાય તે પણ વિશેષ દુઃખ થતું નથી. આ ઉપર આપણે એક દષ્ટાંત વિચારીશું.
જયારે રેલ્વે ટ્રેનને મુંબઈ ઇલાકામાં આરંભ થયે ત્યારે ટ્રેઈન અમદાવાદથી મુંબઈ સુધી જતી ન હતી. એક ટ્રેઈન મુંબઈ અને સુરત વચ્ચે દોડે, અને બીજી ટ્રેઈન અમદાવાદ અને સુરત વચ્ચે દોડતી હતી. અમદાવાદને એક માણસ વ્યાપાર કરવા નિમિત્તે મુંબાઈ આવ્યું. તે બે વર્ષના એક પુત્રને મૂકીને આવ્યો હતો. તે વાતને બાર વર્ષ વીતી ગયાં. તે પુત્ર ૧૪ વર્ષને થયે. તે મનુષ્યની સ્ત્રીએ તેને લખી જણાવ્યું કે “હવે પુત્ર ૧૪ વર્ષનો થયો છે, તેને વિવાહ કર જોઈએ, માટે તમે અમદાવાદ આવજે.” તેણે લખ્યું કે-હું આવું છું. આમ પત્રવ્યવહાર ચાલ્યા જ કરે. સ્ત્રી તેને તેડાવવા માટે લખે. તે લખે હું આવું છું. પણ વ્યાપારની ધમાલ છોડી અમદાવાદ જાય નહિ. છેવટે સ્ત્રીએ લખ્યું કે–જે તમે નહિ આવો તે આપણા પુત્રને તેડવા મોકલીશ. તેને પણ “ હું આવવાને છું ” એટલે જ જવાબ મળે. છેવટે સી ચીડાઈ અને તેણે પોતાના પુત્રને મુંબઈ મેક, તે પુરુષ પણ પોતાની સ્ત્રીના ઘણા પગેથી પ્રેરાઈ અમદાવાદ જવા ઉપડ્યો. બન્ને એક જ દિવસે નીકળ્યા. બને રાત્રે સુરત આવી પહોંચ્યા. પિતા કે પુત્ર એક બીજાને ઓળખતા ન હતા. બંને એક જ ધર્મશાળામાં ઉતર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
પત દુખ માં મ"
૭૪
પવિત્રતાને પથે રાત્રે પુત્રના પિટમાં ચૂંક આવી. કેટલાક દયાળુ ઉતારૂઓને આ રડતા અને ચીસો પાડતા છોકરાની દયા આવી અને તેમણે તેની સારવાર કરવા માંડી. કેઈકે તેના બાપને ઉઠાડવા પ્રયત્ન કર્યો, પણ તે કહે કે “મને જંપવા દો, એવા તો કેટલાય માંદા પડશે. તેમાં આપણે શું કરીએ?” બીજે દિવસે સવારમાં તે કરે મરણ પામ્યા. બધા ઉતારૂઓ એકત્ર થયા અને તેનું પોટલું તપાસ્યું. તેમાંથી કેટલાક પત્રો નીકળ્યા. તે ઉપરથી તે મનુષ્યને જ છોકરો હતો, એમ કર્યું. હવે તેને ભારે દુઃખ થયું. અત્યાર સુધી તેણે તે યુવક ઉપર મારાપણાનું આરોપણ કર્યું ન હતું, પણ હવે તે માટે પુત્ર છે અને મારો પુત્ર મરણ પામે એ વિચારથી તેને અત્યંત દુઃખ થયું. આ રીતે મમત્વથી રાગ થાય છે અને રાગની વસ્તુ જતાં મનુષ્યને દુઃખ થાય છે.
રાગ મનુષ્ય પ્રત્યે તેમજ વસ્તુઓ પ્રત્યે પ્રકટે છે. રાગ ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખનું કારણ છે અને તેનાથી બંધન થાય છે, પણ રાગ અને પ્રેમનો ભેદ આપણે જાણ જોઈએ, કારણ કે આ બે ભિન્ન ભિન્ન તો છે અને તેમનાં ફળ પણ જુદાં જ આવે છે. રાગની અને પ્રેમની વ્યાખ્યા આપણે યથાર્થ સમજવી જોઈએ.
પ્રથમ જણાવ્યા પ્રમાણે મારાપણાને લીધે કોઈપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે જે આસક્તિ થાય તે રાગ, પણ. આ એક જીવ છે, અને તે મારા સંબંધમાં આવ્યું છે, તે મારે તેનું કલ્યાણ કરવું જોઈએ, એવી ભાવનાથી જે કોઈ પણ મનુષ્ય પોતાની સ્ત્રી, પુત્ર અથવા સ્વજને પ્રત્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
રાગવિરમણ
લાગણું રાખે તે તે લાગણું તે પ્રેમ છે. આ પ્રેમ કઈ પણ રીતે બંધનકારક નથી. જેટલા મહાન આત્માઓ થઈ ગયા તે સર્વમાં આ પ્રેમ હતો. તેમને જેટલા સ્વજને હાલા હતા તેટલા જ બીજા જી વ્હાલા હતા, કારણ કે તેમને પ્રેમ આત્માને લઈને ઉદ્ભવ્યો હતે. પ્રેમને લઈને જ મહાન જીવાત્માઓ બીજાનું કલ્યાણ કરવા પ્રેરાય છે. એ ભાવનાથી જ શ્રી મહાવીર પ્રભુએ વિચાર્યું હતું કે “સવિ જીવ કરું શાસનરસી, એસી ભાવ દયા મન ઉલસી.” માટે વસ્તુઓ તથા મનુષ્યની ઉપાધિ -શરીરે પ્રત્યેને રાગ દૂર કરવા જતાં તેમના આત્મા પ્રત્યેની સ્વાભાવિક લાગણ–પ્રેમને ત્યાગ ન થાય, તે સંબંધમાં મનુષ્ય બહુ જ કાળજી રાખવી જોઈએ. ઘણુ મનુષ્ય રાગનો ત્યાગ કરવા જતાં સર્વ મનુષ્ય પ્રત્યેના પ્રેમને પણ ત્યાગ કરે છે અને તેમનાં હૃદય નિષ્ફર અને લાગણી રહિત બની જાય છે. પ્રેમ વગરનું જીવન એ તે જીવન નહિ, પણ જીવતું મરણ છે. જે પ્રેમથી જ આગળ વધે છે. જિનેશ્વરએ જે ચાર ભાવનાઓ જીવાત્માના વિકાસ માટે બતાવી છે, તેમાંની પ્રથમ ત્રણ ભાવના પણ પ્રેમની જ સૂચક છે, પ્રેમ પર જ રચાયેલી છે. તે ભાવનાઓનાં નામ પ્રમોદ, મંત્રી અને કાર્ય છે. આપણા કરતાં વિકાસમાં જે આગળ વધેલા જીવો છે, જેઓ જ્ઞાનમાં, ગુણમાં, શક્તિમાં આપણા કરતાં ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હોય છે તેવા પ્રત્યે જે પ્રેમ દર્શાવવું તે પ્રમોદભાવ. જ્ઞાન, ગુણ, શક્તિ વગેરેમાં આપણી સમાનકોટિના છ પ્રત્યેનો જે પ્રેમ તે મૈત્રી કહેવાય છે, અને આપણા કરતાં જે લેકે આવી બાબતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૬
પવિત્રતાને પંથે નીચલી પાયરી પર હોય છે તેમના તરફ આપણે પ્રેમ કારુણ્ય અથવા દયાનું રૂપ લે છે. વળી બીજી રીતે વિચારીએ તે પ્રેમ અથવા પ્રશસ્ય રાગ એ જીવાત્માના વિકાસને વાતે ઘણું અગત્યનું સાધન છે. જેનામાં વીરપૂજા નથી, જે બીજાની મહત્તા જોઈ આનંદ પામતા નથી, જે હલકી ભાવનાઓ અને વિચારમાં જ રમ્યા કરે છે તે જીવ કદાપિ આગળ વધી શકે નહિ, માટે રાગનો ત્યાગ કરતાં ભૂલથી પ્રેમને ત્યાગ ન થાય તેની ખાસ સંભાળ રાખવી. ઘણા પુરુષ રાગને નાશ કરવા જતાં પ્રેમને નાશ કરી ઉગ્ન થવાને બદલે અધમ બને છે. સામાન્ય મનુષ્ય કરતાં વધારે ઉચ્ચ પદ મેળવવા જતાં વધારે નિર્દય અને નિષ્ફર બને છે. જેટલા મહાપુરુષ થઈ ગયા છે તે સર્વે દયાના સાગર અથવા પ્રેમની મૂર્તિ હતા અને પ્રેમ-કરુણાવડે જ તેઓ નિર્વાણ જેવા ઉચ્ચપદે પહોંચ્યા હતા.
રાગનું પણ કુદરતમાં સ્થાન છે. અમુક હદે તે આપણને દુઃખજનક થાય છે. મનુષ્ય ધન, કીર્તિ, સત્તા વગેરેના રાગથી તે મેળવવા મથે છે, અને મેળવવા જતાં અનેક શક્તિઓ ખીલવે છે. તે વસ્તુઓ મળતાં તેના પ્રત્યેને મેહ ઊડી જાય છે, તે વસ્તુઓ મળ્યા પહેલાં જેટલી મેહક લાગતી હતી તેટલી હવે લાગતી નથી, તેથી તેને વૈરાગ્ય પ્રગટે છે આ ખરો વૈરાગ્ય છે. વસ્તુઓ અથવા બનાવેનું અસારપણું સમજીને જ્ઞાનપૂર્વક થયેલે વૈરાગ્ય લાંબો કાળ ટકી શકે છે. વળી તે રાગવાળી વસ્તુઓની પાછળ જતાં જે ખંત, ઉત્સાહ, શક્તિ, અનુભવ મેળવ્યાં હોય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
સવિરમણ
જગતના
ક્ષણિક
તે તેને તેના આત્માના વિકાસમાં મદદગાર થાય છે અને વસ્તુએનું અસારપણું જાણેલુ હાવાથી વસ્તુઓના સદ્ભાવે તેમજ વિયેાગે તે મનની સમતાલવૃત્તિ જાળવી રાખે છે; કારણ કે હવે તે વસ્તુએની ખરી કિંમત આંકતાં શીખ્ય છે. પણ જેએ કાચા વેરાગી છે, જેએ રાગને અનુભવ્યા વિના વૈરાગ્ય ગ્રહણ કરે છે, તેને પતિત થવાનેા ઘણું। સંભવ રહે છે, અને એવા ઘણા દાખલા આપણને મળી આવે છે; માટે વસ્તુઓની ખરી કિંમત સમજવી જોઇએ. જેટલા પદાર્થો છે. તેમાં ત્રણ અવગુણુ છે. તે સુખ આપનાર છે, તે સુખદુ:ખગર્ભિત છે અને વળી તે મળ્યા પછી પાછી ખીજા સુખની આકાંક્ષા રહ્યા કરે છે; માટે અનંતકાળ સુખ આપી શકે તેવા પદાર્થ જો જગતમાં હાય તેા પછી કયા એવા જીવ ક્ષણિક સુખ આપવાવાળા પદાર્થમાં લુબ્ધ રહે ? મનુષ્યને પેાતાની પાસે રહેલી આત્મિક ઢાલતના ખ્યાલ નથી, તેથી જ તે ખાહ્ય વસ્તુઓમાં સુખ શેાધવા મથે છે, પણ અન્તે તે થાકે છે. કસ્તુરી મૃગ પેાતાની નાભિમાં કસ્તુરી હોવા છતાં, તેની સુગંધ આવતાં આખા જંગલમાં તે સુવાસ મેળવવા મથે છે, પણ અંતે થાકે છે ત્યારે પાતાની નાભિ તરફ દ્રષ્ટિ કરે છે. તેમ જીવના પાતાના સ્વભાવ આનંદ છે. તેને ખખર નથી. કે આનંદ મારા પેાતાનામાં છે, તેથી તે બહાર શેાધવા ક્રૂરે છે. જુદી જુદી વસ્તુઓમાં અને મનુષ્યામાં તે શેષે છે. તેના પેાતાનામાં તે રહેàા દાવાથી તેને હાથી તે આનંદની કાંઈક ઝાંખી થાય છે, પણ તેને પૂર્ણ આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૮
પવિત્રતાને પગે
મળતો નથી. પછી તે અંતર્મુખ થાય છે. બાહી વસ્તુઓ ઉપર પોતાના સુખને આધાર રાખતે બંધ થાય છે ત્યારે તેના પોતાનામાં રહેલા આનંદને તેને અનુભવ થવા લાગે છે. પછી તેને બાહ્ય વસ્તુઓ પ્રત્યે રાગ આવતું નથી. વસ્તુઓને ત્યાગ કરવાથી તે વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય જન્મ છે એ વાત સાચી છે, પણ તે વસ્તુઓ પ્રત્યેના રાગને રસ ચાલ્યા જ નથી. તે તે જ્યારે આત્માની ઝાંખી થાય ત્યારે જ ચાલ્યો જાય, કારણ કે ઉચ્ચ બાબતને ખરો અનુભવ થયા વિના હલકી વસ્તુઓ પ્રત્યેની ચિ સર્વથા જતી નથી. છતાં વૈરાગ્યનું કુદરતમાં સ્થાન છે, કારણ કે વૈરાગ્ય એ ઉપશમનું કારણ છે અને લાંબા સમય સુધી જે ઉપશમ સ્થાયી રહે તે તે ક્ષયનું પણ કારણ બને છે માટે બાહ્ય ત્યાગ પણ અમુક અપેક્ષાએ ઈષ્ટ છે. છેવટ તે ઉચ્ચ વસ્તુ–આત્મા ઉપર મન સ્થિર થતાં વૈિરાગ્ય પ્રકટશે, ત્યારે વસ્તુઓના અભાવે તેમજ સભાવે સમાન સ્થિતિ રહી શકશે. આ ભેદ જે સમજવામાં આવે તો રાગી અને ત્યાગી વચ્ચેના ઝઘડાઓને અંત આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મુ
દ્વેષવરસણુ,
અગિયારમું પાપસ્થાનક દ્વેષ છે અને દ્વેષમાં ક્રોધ અને માનના સમાવેશ થાય છે, જ્યાં ક્રોધ કે માન હાય ત્યાં દ્વેષ પ્રગટે છે.
દ્વેષની વ્યાખ્યા શ્રીમદ્ આનંદઘનજી આપે છે કે “ દ્વેષ અરેચક ભાવ. ’” જ્યાં અરુચિ થઇ ત્યાં દ્વેષનું બીજ રાપાય છે, અને તે ખીજને વ્હેમ, શકા, પરસ્પર ગેરસમજણુ વગેરે સાધના મળતાં તે ખીજ વૃક્ષરૂપે પરિણમે છે. દ્વેષનુ મુખ્ય કારણ જુએ તે રાગ છે. આપણને અમુક વસ્તુ અથવા બાબત પર રાગ અથવા રુચિ હાય, હવે તેની પ્રાપ્તિમાં જે કેાઈ અંતરાયભૂત થાય તેના પર સ્વાભાવિક રીતે દ્વેષ પ્રકટે છે. વળાવ્ દ્વેષોઽપિ જ્ઞાયતે ।રાગથી દ્વેષ પ્રકટે છે. આના અર્થ એવા નથી કે જેના પર રાગ હાય તેના જ પર દ્વેષ થાય છે, પણ રાગની વસ્તુ અથવા મનુષ્યમાં જે કાંઇ અંતરાયભૂત થાય તેના પ્રત્યે દ્વેષ પ્રકટે છે.
રાગ અને દ્વેષના સંબધમાં એક મેટાલેદ એ છે કે રાગ મનુષ્ય તેમજ વસ્તુઓ પ્રત્યે થાય છે, અને દ્વેષ કેવળ મનુષ્યે પ્રત્યે થાય છે. જે જીવને વસ્તુઓ પ્રત્યે દ્વેષ થાય તે તેા બહુ જ પામર જીવ સમજવા. કોઇ મનુષ્ય ચાલતાં થાંભલા સાથે અથડાય અને તેનું માથું કૂટાય તે તેમાં દોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પંથે તેનો પિતાનો છે, છતાં જે તે મનુષ્ય થાંભલા પર દ્વેષ કરે તો તેની આ અજ્ઞાનતા વાસ્તે આપણા હૃદયમાં દયા જ આવે.
આ છેષનું મૂળ અજ્ઞાન છે. જે વસ્તુઓ ખરી રીતે આત્માની નથી તેને આપણી માનીએ છીએ, અને પછી તે વસ્તુઓને કોઈ નાશ કરે, અથવા તે વસ્તુઓ કોઈ આપણું પાસેથી લઈ લે ત્યારે તો તેના પર ક્રોધ પ્રકટે છે. ઠેષ પ્રકટવાનાં બીજા કારણે ક્રોધ કે અભિમાન છે. મનુષ્યને જ્યારે ક્રોધ વ્યાપે છે ત્યારે તે દ્વેષરૂપે પ્રકટ થાય છે. હું બીજા કરતાં મોટે છું, હું જ્ઞાની છું, તપસ્વી છું, ધનવાન છું, એ કઈ પણ અભિમાનને વિચાર આવતાં તે મનુષ્ય બીજાઓને હલકા ગણે છે, બીજાઓ પ્રતિ તિરસ્કારની દષ્ટિથી જુએ છે અને આ તિરસ્કાર વૃદ્ધિ પામતાં દ્વેષનું રૂપ લે છે.
આ શ્રેષમાંથી અનેક અશુભ પરિણામ આવે છે. દ્વેષ પ્રથમ વિચારમાં પ્રકટે છે, પછી અસભ્ય, તિરસ્કારભર્યા વચનો કે હેણ રૂપે પ્રકટે છે અને તેથી ન અટકે તો કલહ-કંકાસ અને છેવટે યુદ્ધરૂપે પ્રકટે છે.
જ્યાં કોઈ પણ મનુષ્ય ઉપર આપણને દ્વેષ પ્રકટે ત્યાં તેની સારી બાજુ જેવાને આપણે અસમર્થ બનીએ છીએ. તેની કાળી બાજુ જ નજરે પડે છે, કઈ તેના ગુણનું વર્ણન કરે તે આપણાથી તે સહન થતું નથી, અને કેઈ તેના છતા કે અછતા દોષનું વર્ણન કરે તે આપણે તે તરત માની લઈએ છીએ.
દ્વેષ પ્રથમ નાની બાબતમાંથી જન્મે છે. પહેલાં બે મનુષ્યો વચ્ચે સહેજ અણબનાવ થાય છે, પણ સમય જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
ઢષવિરમણ તે વૃદ્ધિ પામ્યાં કરે છે, અને પછી તેને કાઢી નાખવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે.
દ્વેષથી મનુષ્ય સામાનું બૂરું ઈચ્છયા કરે છે. સામે મનુષ્ય દુઃખ પામે, માંદો પડે, અનેક રીતે હેરાન થાય તેવી વૃત્તિ દ્વેષથી જન્મે છે. આ વૃત્તિ જે લાંબો સમય રહે, તો અતિ તીવ્ર કર્મબંધ થાય છે અને તેથી વિકાસ મંદ પડી જાય છે. વળી લાંબા સમય સુધી કરેલા વિચારોનું બળ એટલું વધી પડે છે કે દ્વેષના વિચારવાળે બીજાને હેરાન કરવા પણ ચૂકતો નથી અને લાગ આવે તેને નુકસાન પણ કરે છે.
વળી દ્વેષથી મનુષ્ય જેના ઉપર દ્વેષ કરતો હોય તેના ચારિત્ર ઉપર અનેક આક્ષેપ મૂકે છે. સામાના ચારિત્રને એવું તે કાળું ચિતરે છે કે બીજા મનુષ્ય પણ કાંઈક તે સત્ય હશે, એમ માનવાને દેરાય છે. જે મનુષ્ય બીજાઓ ઉપર દ્વેષ રાખે છે તેના મનની અસર શરીર પર થવા લાગે છે. ઠેષ અથવા ક્રોધથી શરીરનું લેહી ઝેરી બને છે, અને તે મનુષ્યના શરીર પર નૂર આવતું નથી.
જ્યારે કોઈ ઉપર આપણને પ્રેમ થાય છે ત્યારે આપણુમાં “વધારો થયે એવું લાગે છે. આપણે સામાની હુંફથી આગળ વધતા હોઈએ એમ જણાય છે, પણ જ્યાં કેઈ ઉપર દ્વેષ થયે ત્યાં સંકુચિતતા જન્મે છે. સામા મનુષ્યને જોતાં આપણે આત્મા અંદર ઘુસતા હોય, પાછો હઠતા હોય એમ લાગે છે. આપણને “એાછાપણા”નું ભાન થાય છે. આપણામાંથી કાંઈ જતું રહ્યું હોય એવું લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથે જે શ્રેષમાં ઉપર જણાવેલા દે હોય તો તે દૂર કરવાને આપણે શું કરવું? શ્રેષને ત્યાગ કરવાના ઉપાય શા? કઈ પણ વૃત્તિ એક ફટકે દૂર થઈ શકે નહિ, પણ ગ્ય વિચારે દ્વારા આપણે તેનો ત્યાગ કરી શકીએ. દ્વેષને ત્યાગ કરવાનો પ્રથમ માર્ગ એ છે કે-જેના ઉપર દ્વેષ પ્રકટતે હોય તે વ્યક્તિના એકાદ ગુણને વિચાર કરો. તેના તે ગુણને સારુ તેના પર પ્રેમ રાખે. પ્રેમ અને દ્વેષ સાથે રહી શકે નહિ, માટે તમારે તેના ગુણ પ્રત્યેનો પ્રેમ પ્રકટતાં દ્વેષ ઓછો થવા માંડશે અને ધીમે ધીમે સર્વથા નાશ પામશે. ઘણું વાર બે મિત્રો, બે ભાઈઓ, બે સ્વજને લડે છે ત્યારે દ્વેષ બહુ જ ઉગ્ર રૂપમાં જન્મે છે. તે તે સમયે શ્રેષને નાશ કરવા ઇચ્છનારે તે મનુષ્ય પ્રથમ કરેલા કોઈ ઉપકારનું સ્મરણ કરવું. જે તેણે કરેલા ઉપકારનું સ્મરણ થશે તો તેના પ્રત્યેનો અણગમો ઓછો થશે. મનુષ્યને
જ્યારે કોઈ નુકસાન કરે છે, અથવા અમુક મનુષ્ય નુકસાન કર્યું એમ લાગે છે ત્યારે તે મનુષ્યના પ્રથમના બધા ઉપકારે ભૂલી જઈ, તે અપકારને જ વિચાર કરે છે અને પરિણામે દ્વેષ જન્મે છે. પણ જે તે સમયે ભૂતકાળમાં તે મનુષ્ય કરેલા ઉપકારનું જરા સરખું પણ સ્મરણ કરે તે તેના દ્વેષને વેગ ઘણે ઓછો થઈ જાય છે.
આ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે.
એક વખત પરદુઃખભંજન વિક્રમરાજા જંગલમાં ગયે અને ભૂલે પડ્યો. ત્યાં રહેતા એક બ્રાહ્મણે તેને પાણી પાયું અને રસ્તો બતાવ્યું. તે ઉપરથી વિક્રમ રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
દ્રષવિરમણ તે બ્રાહ્મણને કોઈ પ્રસંગે શહેરમાં આવવા આમંત્રણ આપ્યું. તે બ્રાહ્મણ શહેરમાં આવ્યે. રાજાએ તેને સન્માન આપ્યું, અને પોતાની સભામાં એક સભાસદ બનાવ્યું. રાજા વારંવાર એમ બેલ્યા કરે કે “બંધુઓ! તમે આ ભાઈને ઓળખે છે ? જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે તેણે મને પાણી પાયું હતું તેમજ રસ્તો બતાવ્યો હતે.” વળી પાંચ દિવસ થાય ત્યારે રાજા એના એ શબ્દો ઉચ્ચારે તે બ્રાહ્મણના મનમાં આવ્યું કે “રાજા મારે ખરો આભાર માને છે કે મારી મશ્કરી કરે છે તેની પરીક્ષા કરવી જોઈએ.” તે હેતુથી એક દિવસ રાજાના પુત્રને છાનોમાને લઈ જઈ પિતાના મકાનમાં ચોથે માળે રાખે. શહેરમાં બૂમ પડી કે રાજાના છોકરાને કઈ હરી ગયું છે. ઘણુ તપાસ ચાલી. આ બ્રાહ્મણે તે રાજપુત્રનું એક આભૂષણ લઈ પિતાના નોકરને તે વેચવા સારુ કર્યો. તે નકર પકડાય અને તેણે શેઠનું નામ આપતાં પોલીસે આવી તે બ્રાહ્મણને પકડ્યો. તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ હકીકત પૂછી ત્યારે તે બ્રાહ્મણે આંખમાં આંસુ લાવી કહ્યું: “હે મહાભાગ ! તમારા પુત્રના શરીર પરના આભૂષણ જોઈ મારી બુદ્ધિ કબુદ્ધિ થઈ અને તેથી મેં તે પુત્રને મારી નાખે.” આસપાસ બેઠેલા સામંતેની ચક્ષુઓમાંથી અગ્નિ કરવા લાગ્યો. એક સામંતે કહ્યું: “આવા કૃતની બ્રાહ્મણને બરાબર શિક્ષા થવી જોઈએ. તેના રાઈરાઈ જેટલા ટુકડા કરવા જોઈએ ” બીજે બેલ્યો “તેને લીલા કાંટાવડે બાળ જોઈએ.” ત્રીજે કહે “તેને જમીનમાં દાટી પંચ ઈટાલી કરી મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૪
પવિત્રતાને પથે
જોઈએ. ” એ કહે “તેને હાથીના પગ તળે છુંદાવો જોઈએ.” આ પ્રમાણે સૌએ પોતપોતાને અભિપ્રાય આપે. ત્યારે રાજાએ શાંત ચિત્તે કહ્યું “પણ જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે આ બ્રાહ્મણે મને પાણી પાયું હતું, અને રસ્તો બતાવ્યા હતા; માટે તેને આ ગુન્હા હું માફ કરું છું ” તે પછી બ્રાહ્મણને છૂટે કરવામાં આવ્યું. તે પિતાને ઘેર ગયે. પોતાના ઘરનાં બે ત્રણ આભૂષણે તે રાજપુત્રને પહેરાવીને તેને રાજસભામાં લઈને આવ્યું. રાજા તથા રાજ સભા સવે વિમિત થયાં. કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-આ આપની પરીક્ષા માટે હતું અને તે પરીક્ષામાં આપ સફળ થયા છે.
આ દષ્ટાંત ઉપરથી આપણે એ વિચારવાનું કે–જે કેઈ મનુષ્ય આપણા પર કરેલા નાના સરખા પણ ઉપકારનું સમરણ કરીએ તો તેના પ્રત્યે દ્વેષ ઓછો થવા લાગે છે. રાજર્ષિ ભર્તૃહરિના શબ્દોમાં
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
પરના લેશમાત્ર ગુણને પણ પર્વત તુય માની નિત્ય પિતાના હૃદયમાં આનંદ પામનારા કોઈક ઉત્તમ જને જ હોય છે. વળી મહાપુરુષોએ લખ્યું છે કે-દ્વેષનું ઔષધ દ્વેષ નહિ પણ પ્રેમ છે. દ્વેષ કદાપિ દ્વેષથી નાશ પામે નહિ પણ તેને નાશ કરવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય પ્રેમ છે. જેને વંદિત્તા સૂત્રમાં નિત્ય જણાવે છે કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
દ્વેષવરમણ
स्वामेमि सङ्घजीवे, सबै जीवा स्वमंतु मे । सबभूएस, वेरं मज्झं न केणइ ॥
मिति मे
૮૫
‘હું સર્વ જીવાને ક્ષમા આપું છું, સર્વ જીવા મને ક્ષમા આપે. મારે સર્વ સાથે મૈત્રી છે. મારે કેાઇ સાથે વેર નથી.’ આવી ભાવના ભાવવાવાળા મનુષ્ય લાંખા સમય સુધી દ્વેષ રાખી શકે જ નહિ. તે તે તે જ દિવસે બીજાને ક્ષમા આપે અને મનમાંથી તેના પ્રત્યેના રાષ કાઢી નાખે.
તે સમજે છે કે આપણા સુખદુ:ખમાં ખીજાએ તે નિમિત્ત માત્ર છે. જો આટલું સૂત્ર આપણે કાયમ સ્મરણમાં રાખીએ તે આપણને પડેલા દુ:ખ માટે દુ:ખ આપવાના કારણભૂત બનેલા જીવ પ્રત્યે પણ આપણને દ્વેષ થાય નહિ; કારણ કે નિમિત્ત ઉપર દ્વેષ રાખવાથી લાભ શે ? આપણા દુઃખના મૂળ કારણભૂત આપણે પેાતે જ છીએ.
વળી એક બીજો વિચાર પણ દ્વેષ દૂર કરવામાં કારણભૂત બની શકે. દરેક આત્મા પાતે નિર્મળ છે, આપણને જો કાઇ દોષ જણાતા હાય તેા તેની પ્રકૃતિનેા છે, માટે જો આપણે પ્રકૃતિના વિચાર નહિ કરતાં તેની પાછળ રહેલા આત્માના ખ્યાલ લાવીએ તે આપણને દરેક જીવ ઉપર પ્રેમ થાય અને દ્વેષમાત્ર આપણા હૃદયમાંથી ચાલ્યેા જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું.
કલહવિરમણુ. વસ્તુતઃ પ્રથમના પાંચ પાપસ્થાનક મુખ્ય છે અને તેને ટેકે આપનારા ૬ થી ૯ સુધીનાં પાપસ્થાનકે ક્રોધ, માન, માયા અને લેભ છે. એ પાપનાં કાર્યોને આ ચાર કષાયથી ઘણું બળ મળે છે. ૧૦ થી ૧૮ સુધીનાં પાપસ્થાનકે તે ૧ થી ૯ સુધીના પાપસ્થાનકના સંમિશ્રણથી પ્રગટે છે.
હવે આપણે ૧૨ મા પાપસ્થાનક કલહને વિચાર કરીએ. કલહ એટલે કજીઓ-કંકાસ, બીજાઓ સાથે ઝઘડો વગેરે. જ્યાં કલહ હોય ત્યાં કુસંપ પ્રગટે છે અને તે અનેક અનર્થોનું મૂળ બને છે.
કલહની ઉત્પત્તિનું કારણ કયાં તો ક્રોધ હોય છે અથવા અભિમાન હોય છે. પિતાના વિચારો સત્ય છે, એમ મનુષ્ય માને છે અને તેથી તે વિચારોની વિરુદ્ધ જેના વિચાર હાય. તેની સાથે ઝઘડામાં ઉતરે છે, કલહ કરે છે. જ્યાં હદયની ઉદારતા નથી ત્યાં નજીવી બાબતો પણ મોટા કલેશનું કારણ થઈ પડે છે. જે મનુષ્યને કલહ કર હોય તેને કારણે શોધવા દૂર જવું પડે તેમ નથી. તે જ્યાં કારણે ન હોય ત્યાં પણ નવા કારણે પેદા કરે છે.
વરુ અને ઘેટાની વાત સર્વના જાણવામાં હશે. વરુને ઘેટા સાથે કોઈ પણ રીતે કલહ કર હતું. એક નદીના કિનારે વરુ અને ઘેટું બંને પાણી પીતાં હતાં. વરુએ કજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
hહવિરમણ
કરવાના ઉદ્દેશથી ઘેટાને કહ્યું “તું પાણી કેમ ડાળી નાખે છે ? મારી પાસે પાણી મેલું થઈને આવે છે.” ઘેટાએ કહ્યું કે “તમે નદીના ઉપરના કાંઠે છે, તે તમારી તરફનું પાણું મારી તરફ આવે છે, તે પછી હું કેવી રીતે પાણીને ડોળીને બગાડતે હોઈશ?” તે કલહશીલ વરુએ પ્રત્યુત્તર વાગ્યે
પણ તેં મને છ મહિના પર ગાળ કેમ દીધી હતી?” ઘેટાના બચ્ચાએ કહ્યું કે “મને જગ્યાને જ બે માસ હજુ પૂરાં થયાં નથી તે હું છ માસ પૂર્વે તમને ગાળ કેવી રીતે દઉં?” ત્યારે વરુ બોલી ઉઠયું “તેં ગાળ નહિ દીધી હોય તે તારા બાપે ગાળ દીધી હશે ” આમ કહી તે ઘેટા પાસે જઈ તેને મારી નાખ્યું અર્થાત્ કજીએ કરનારને તે લડવાનાં સે બહાનાં જડે છે.
એક મીયાં સાહેબ પોતાના પુત્ર સાથે જતા હતા. કઈ વટેમાર્ગુએ પૂછયું કે “કેમ મીયાં સાહેબ આ તમારે પુત્ર છે !” મીયાએ જવાબ આપે. “શું મારે નહિ તે તારા બાપને છે?” પછી પેલે વટેમાર્ગ બે “ખુદા તેને અચ્છે રખે. ” મીયાએ કહ્યું “તેરા ચલે તે માર ડાલીએ.” આવી રીતે જેની વૃત્તિ લડવાની હોય તે તે વાતવાતમાં છિદ્રો શેાધી બીજાઓથી ઝગડો ઊભું કરે.
આવા સ્વભાવવાળા પુરુષો જ્યાં જાય ત્યાં પોતાની જભવડે કલહ ઊભું કરે છે. તેમની જીભમાં મીઠાશ બીલકુલ હોતી નથી. તેમની જીભ કુહાડાના ઘા જેવી હોય છે.
તેઓ જાતે કલહ કરે છે અને બીજામાં કલહ કરાવે છે. તેઓ એવી વાત કરે છે કે ઘણા મિત્રો અને સંબંધીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
te
પવિત્રતાને પથે
વચ્ચે પણ ઝઘડાએ ઊભા થાય. તેમના સંબંધમાં એક સસ્કૃત
કવિએ કહ્યું છે કે:
अहो खलभुजंगस्य, विचित्रोऽयं वधक्रमः । अन्यस्य दशति श्रोत्रं, अन्यः प्राणैर्वियुज्यते ॥
દુષ્ટ પુરુષરૂપ સર્પની બીજાનેા વધ કરવાની રીત કાંઇક વિચિત્ર છે. તે એકના કાનમાં ડસે છે અને બીજો મનુષ્ય મરણ પામે છે. અર્થાત્ દુષ્ટ અને કલહશીલ પુરુષા લેાકેાના કાન એવી વાતેથી ભંભેરે છે કે જેથી બીજાને મેાટુ નુકસાન થાય અને કેાઇ વાર તે મનુષ્યને મરવાના સમય આવે.
""
કલહ ઉપર જણાવ્યા પ્રમાણે નાની નાની ખાખતમાંથી પ્રકટે છે. કહેવત છે કે “ રાગનું મૂળ ખાંસી અને કલહનું મૂળ હાંસી. ” કાઇની ઠઠ્ઠા મશ્કરી કરતાં સામેા મનુષ્ય ચીડાઈ જાય અને તેમાંથી માટે કલહ ઉત્પન્ન થાય. જો ખાંસીને ન રોકવામાં આવે તે તે ક્ષયરેાગનું કારણુ થઇ પડે છે, તેવી રીતે મશ્કરી પણ કલહ-કંકાસનું કારણુ થઇ પડે છે.
કલહુના સંબંધમાં આપણે એક દૃષ્ટાંત વિચારીશું. દશરથ રાજાને ત્રણ સ્ત્રીઓ અને ચાર પુત્ર હતા. જ્યારે પેાતે વૃદ્ધ થવા આવ્યા ત્યારે કૌશલ્યાથી ઉત્પન્ન થયેલ પેાતાના વડીલ પુત્ર રામચંદ્રને રાજગાદી આપવા તેમણે નિશ્ચય કર્યાં. સ મત્રીઓએ પણ તે કામને સમતિ આપી. આ વાતની ખબર કૈકેયીની દાસી મંથરાને પડી. તે કશ અને કલપ્રિય સ્વભાવવાળી દાસી મથરાએ કૈકેયીને કહ્યું કે– આવતી કાલે રામચંદ્રને ગાદી મળવાની છે. તમે જાણા છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
હવિરમણ
કેકેયીએ કહ્યું, “હા, હું રામને મારા ભરત તુલ્ય ગણું છું. અને તેથી મને આનંદ છે.” મંથરાએ કાન ભંભેરતાં કહ્યું.
રામ ભલે આદમી છે, પણ તેની માતા કૌશલ્યાને ઓળખે છે? જ્યાં રામ અને કૌશલ્યાના હાથમાં સત્તા આવી, એટલે તમે અને તમારે ભારત ભિખ માગશે માટે કાંઈક તો વિચાર કરો.” આ કલહ ઉત્પન્ન કરાવનારાં વચનોથી કેકેયીને અસર થઈ. અને તેણે કહ્યું “ ત્યારે હવે કરવું શું? ” મંથરાએ તરત જ ઘડી કાઢેલી ચેજના રજૂ કરી–“ તમે એક વાર કહેતા હતા કે દશરથ રાજાએ તમને બે વચન આપેલાં છે, તે તેને લાભ લેવાને આ સમય છે. આજે તમારી પાસે દશરથ રાજા આવે ત્યારે તે બે વરદાનમાંથી એક વરદાનવડે ભરત વાતે રાજ્યગાદી માંગ અને બીજા વરદાનવડે રામ દ વર્ષ જંગલમાં જાય તેવું માગી લેજે રાજા ગમે તેવું સમજાવે તે પણ તમારી હઠ છોડશે નહિ.” આ હલકી સલાહ પ્રમાણે કેકેયી હતી. તેના પરિણામે રામ વનવાસ ગયા અને દશરથ રામના વિયેગે મરણ પામ્યા. આ બધી દુર્દશાનું કારણ કેકેયીને કલહશીલ સ્વભાવ નહિ તે બીજું શું ?
કલહના ફાયદા તે આપણે સર્વ જાણીએ છીએ. કહેવત છે કે-કછઆથી તે ગળાના પાણી પણ સૂકાઈ જાય, અર્થાત્ જે ગૃહમાં કલહ પેઠે તે ઘરમાંથી લક્ષમી ચાલી જાય છે, કારણ કે સંપ ત્યાં જંપ છે અને કલહ કુસંપનું મૂળ છે. એકતા એ સરવાળો છે અને કલહ એ બાદબાકી છે. તેમાં બન્નેનું બળ નાશ પામે છે. કલહથી કુસંપ જન્મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
વસ
કરવા
થી માલે
અ
ને
વાળ
પવિત્રતાને પંથે છે અને કુસંપથી રાજ્ય, જ્ઞાતિઓ તથા કુટુંબ નાશ પામ્યાના અનેક દાખલાઓ મોજુદ છે.
આ કલહ દૂર કરવાને સાથી ઉત્તમ માર્ગ તે હૃદયની ઉદારતા છે; કારણ કે જે હૃદયમાં ઉદારતા નહિ હોય તે તે કટુ વચનરૂપે પ્રકટ થયા વિના રહેશે નહિ અને કટુ વચન એ જ કલહનું મોટું કારણ બને છે, માટે કલહને ત્યાગ કરવા મનુષ્ય જીભ ઉપર ઘણે સંયમ રાખ. જે એક મનુષ્ય ક્રોધથી બેલે અને બીજે મન રહે તે ઝઘડે બંધ થવાને સંભવ છે, પણ જે બને વાણ ઉપર સંયમ ખોઈ બેસે તો જરૂર કલહ ઉત્પન્ન થાય. બે હાથ વિના તાળી પડતી જ નથી. એક જણ દેરી બેંચે અને બીજે ઢીલી મૂકે તે દોરી તૂટે નહિ, પણ જ્યાં બે જણ સામસામી દોરી ખેંચે ત્યાં તે તૂટી જવાને સંભવ છે.
જે મનુષ્યમાં નમ્રતા છે તે ઘણા કલહને દૂર હઠાવી શકે છે. વાણની કડવાશ જ મોટે ભાગે કલહનું કારણ બને છે. જે મનુષ્યની વાણીમાં મીઠાશ હોય છે તો તેને ઠપકો પણ બીજાને લાભકારી થાય છે. આ વાણીની મીઠાશ અથવા કડવાશને આધાર હદયના ભાવ ઉપર હોય છે. જે હદયમાં બીજાને ઘા મારવાની અથવા બીજાને પરાસ્ત કરવાની અથવા હરાવવાની વૃત્તિ ન હોય તે વાણી પણ તેવી જ નીકળે છે અને ગમે તેવો વિગ્રહ અટકી જાય છે. શત્રુને હસીને મિત્ર બનાવી શકાય, એ લેકોક્તિમાં અપૂર્વ સત્ય રહેલું છે, માટે કલહને દૂર કરવા માટે વચન સત્ય અને પ્રિય હોવું જોઈએ. કેઈક સત્ય વાત બીજાને કડવી લાગે પણ તે કહેવા કહેવામાં બહુ ફેર હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
વિરમણ
ટી
જગતમાં આપણે બધા મુસાફ઼ા તરીકે આવ્યા છીએ અને અમુક સાષ્ય તરફ જવાને બધા કૂચ કરીએ છીએ. મામાં એક બીજાની મદદથી આપણે આગળ વધવાનું છે. એક બીજાની હુંથી આપણે પ્રગતિ કરવાની છે, તેા પછી કલહ કરવાથી લાભ શા? જો કેાઈ સાથે અને તેા મૈત્રી કરા અને ન મને તેા તેને રસ્તે તેને જવા દે, પણ તેની સાથેના સંબંધ તાડવાથી અથવા ઝગડા કરવાથી લાભ શે?
કલશીલ વૃત્તિવાળાને આર્ત્ત અને રોદ્ર પરિણામ રહ્યાં કરે છે. તેને કદાપિ શાંતિ વળતી નથી. તે કદાપિ કલ્યાણકારી પવિત્ર વિચાર કરી શકતા નથી. આત્મ અલ્યાસીએ-સ્વઉન્નતિ ઇચ્છક દરેક જીવે આ કલહની વૃત્તિ દૂર કરી સજીવ સાથે હળીમળીને રહેવું; કારણ કે તેમાં આપણને તેમજ સામાને શાંતિ થાય છે અને શાંતિ સાથે સાચી શક્તિ જન્મે છે તથા વિકાસ ઘણી ત્વરાથી થવા લાગે છે.
પ્રકરણ ૧૩ શું. અભ્યાખ્યાનવિરમણ,
અભ્યાખ્યાન એ તેરમું પાપસ્થાનક છે. અભ્યાખ્યાન એટલે ખીજાને માથે આળ મૂકવું, કેાઈનામાં જે ઢાષ ન હાય તે દોષ તેને માથે ચઢાવવા, સાંભળેલી વાતા પરથીલેાકેાક્તિથી અમુક પુરુષ કે સ્ત્રી આવાં જ છે એમ માની એસવું અને તે વાત ખીજામાં ફેલાવવી આ સર્વ અભ્યાખ્યાનમાં સમાઇ જાય છે. આનુ કેટલું અને કેવું ભયંકર પરિણામ આવે છે તેના ઘણા થાડાને જ ખ્યાલ હોય છે. જીભવડે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
દર
પવિત્રતાને પંથે જે પાપ કરીએ છીએ તેમાં મોટામાં મોટું અભ્યાખ્યાન છે, તે વડે આપણે બીજાના ચારિત્રની ચોરી કરીએ છીએ.
આ અભ્યાખ્યાન અથવા બીજાને આળ દેવાની વૃત્તિ શા કારણથી અને કેવી રીતે ઉદ્ભવે છે? તેને આપણે વિચાર કરીએ. કે મનુષ્ય સામાન્ય રીતે બીજા મનુષ્યને હલકા ગણે છે, એટલે તેમનું ઘસાતું બોલવું, એ તેને કાંઈ ખોટું કે ભૂલભરેલું લાગતું નથી. તે માને છે કે બીજાને હલકા પાડવાથી પોતાની પ્રતિષ્ઠા વધશે. તેને બીજાના ગુણે અથવા શક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા આવે છે અને તે પિતાની ઈર્ષ્યા ઘણી વાર બીજા પર ખોટા આરોપ મૂકીને પ્રકટ કરે છે. તેનામાં પ્રદ ગુણનો અભાવ હોય છે. વળી મનુષ્યોને બીજા ઉપર દોષ મૂકવામાં અથવા બીજાના દોષે વર્ણવાતા હોય તો તે સાંભળવામાં રસ આવે છે. આ રસ ઘણું જ હલકા પ્રકારનું છે. અને જે મનુષ્યને આવા બીજાઓના ચારિત્ર પર મૂકાતા આક્ષેપ સાંભળવામાં રસ પડતું હેય તે જીવાત્માને પોતાના વિકાસ વાસ્તે ઘણું કરવાનું છે. કેટલાકને સમયને શી રીતે સદુપયેગ કરો તે સુઝતું નથી અને તેથી તેઓ આ પ્રમાણે બીજાઓની બદબાઈ કર્યા કરે છે. પિતાના આ કર્તવ્યનું કેવું માઠું પરિણામ આવશે, તેની તે બિચારાઓને ખબર પણ હોતી નથી, પણ આ અભ્યાખ્યાન–અથવા બીજા પર ખોટું આળ ચડાવવું–એ બ જ મોટો દોષ છે.
તેનાં પરિણામને જે આપણે વિચાર કરીએ તે જરૂર આપણને લાગે કે જ્યાં મનુષ્યના ચારિત્ર ઉપર આક્ષેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
અલ્યાખ્યાન વિરમણ
મૂકવામાં આવે, જ્યાં તેના વર્તન ઉપર બેટું આળ મૂકાય ત્યાં તે મનુષ્યની સ્થિતિ ઘણી દુઃખદ થઈ પડે છે. આવા આક્ષેપ જેમના પર મૂકાયા હોય તેઓને રાતદિવસ ઊંઘ પણ ન આવે. “લેકે મારે વિષે ખોટો અભિપ્રાય ધરાવશે તે મારું શું થશે? મારી કીર્તિ જશે પછી હું કેવી રીતે જીવીશ? ” આવા વિચારે કરવામાં તેની રાત્રિ પસાર થઈ જાય છે. અને તેનું ઓશીકું તેના આંસુવડે ભીંજાય છે.
જ્યાં પ્રથમ મહે મલકાતું હતું ત્યાં હવે કટાક્ષ જ નજરે પડે છે. આ સ્થિતિ શું ઓછી દુસહ્ય છે?
મનુષ્ય ઉપર જે ખેટો આક્ષેપ મૂકાય—અને જે તે મનુષ્ય બહુ જ લાગણ–સ્વભાવવાળો હોય તે તેના દુઃખને પાર રહેતો નથી. જે જગતમાં જીવતી નરક હોય તો તે સમયના તે મનુષ્યના મનની સ્થિતિ છે. જ્યારે ઘણું ખાટા આક્ષેપો મૂકવામાં આવે છે ત્યારે કેટલીક વાર તો કર આત્માઓ પણ ડગી જાય છે, તથા નિરાશા અને શેકને વશ થાય છે, તે પછી સામાન્ય પામર આત્માઓની તે સ્થિતિનું શું વર્ણન થઈ શકે? જેમની પ્રતિષ્ઠાને નિષ્કારણ હાનિ પહોંચી હોય, તેવા મનુષ્યની સ્થિતિમાં તમારી જાતને મૂકે એટલે તમને આ અભ્યાખ્યાનનું–બીજાને માથે બેડું આળ મૂકવાનું–કેટલું ઘોર પાપ છે તેને ખ્યાલ આવશે.
એવા દુષ્ટાંતે વાંચવામાં આવે છે, તેમજ ઘણાના અનુભવમાં પણ હોય છે કે મનુષ્ય ચારિત્રપ્રતિષ્ઠાની હાનિ થતાં આપઘાત પણ કરી બેસે છે.
આ પ્રમાણે સામાને નુકસાન થાય છે, એટલું જ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથે
પણ આ અભ્યાખ્યાનનું પાપ કરનારને પોતાને અશાંતિ રહે છે, તેની વાણું અસત્યમય બને છે. તે બીજાના દોષો જેવામાં અને કહેવામાં, બીજાઓમાં રહેલી સારી બાબતો જોઈ શકતો નથી. તેના મનમાં પરના દેષનાં કાળાં ચિત્ર રમે છે, તે તેવાં જ કાર્યોને જન્મ આપે છે. અભ્યાખ્યાનના માઠા પરિ. ગ્રામનો ખ્યાલ આપ્યા પછી તે ત્યાગવાના ઉપાય વિચારીએ.
પ્રથમ તો મનુષ્ય વાણું ઉપર સંયમ રાખ. કોઈના પણ દોષ જાહેર કરતાં પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. બીજાઓ આપની સન્મુખ કોઈના દોષે જણાવે, તો તે એકદમ માની લેવા નહિ. તેવા મનુષ્યોને કહેવું કે “તમે કહો છે તે વાત ખરી ના પણ હોય, અને કદાચ હોય તે પણ તે વિષે ન બોલવું એ વધારે હિતકારી છે. ” ઘણા લેક અમુક મનુષ્ય ઉપર આરોપ મૂકે છે, માટે આપણે યણ તે મૂકે એ મૂર્ખતા છે. ઘણા અમુક પાપ કરે છે, તેથી કાંઈ પાપની એાછાશ થતી નથી અથવા કર્મ તેને છોડી દેતું નથી. બીજાની મૂર્ખતા કાજે આપણું મુખથી ઝેર લેવામાં લાભ શે ? આપણે બીજાના આશયોની તુલના કરવામાં ઘણીવાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાર્ય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાને તેને આશય જોતા નથી અને તેને માથે નિષ્કારણ દોષ મૂકી તેને ફજેત કરીએ છીએ. આ રીતે મોટું પાપ આપણે શિર આવે છે. એક મનુષ્ય કલાલની દુકાનમાંથી નીકળે માટે તે દારૂ પીવા માટે જ ગયો હતો, એમ માની લેવું એ મોટી ભૂલ છે. કદાચ તેના ઘરમાં કોઈને વાગ્યું હોય અને તેને વાતે દારૂની જરૂર હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
અત્યાખ્યાનવિરમણ
તે તે લેવા માટે કલાલની દુકાનમાં તેને જવું પડયું હોય. અમુક પુરુષ એક સ્ત્રીની સાથે સંધ્યાકાળે વાત કરતો ઊભે છે, તમે ત્યાં થઈને જાઓ છે, તમે તે પુરુષને ઓળખે છે, તે સ્ત્રીને ઓળખતા નથી. તમે કલ્પના કરે છે કે તે પુરુષ હલકા આશયથી જ તે સ્ત્રી સાથે વાત કરે છે. કદાચ તે તેની બહેન જ હોય અને તમારી કલપના તદ્દન અસત્ય ઠરે, માટે કોઈને માથે પણ દોષ આપતાં ઘણે વિચાર કરે કહ્યું છે કે
કાને સુણી ન માનીએ, નજરે દીઠી સે સચ્ચ નજરે દીઠી ન માનીએ, નિર્ણય કરી સો સચ્ચ.
કેઈના સંબંધમાં કાને સાંભળેલી વાત ન માનવી, પણ જે નજરે જોવામાં આવે છે તે માનવી, પણ કવિ આગળ વધીને કહે છે કે-નજરે દીઠેલી વાત પણ ખોટી પડવાનો સંભવ છે માટે તેને નિર્ણય કરે અને નિર્ણય કર્યા પછી જે બાબત સત્ય ઠરે તેને સત્ય માનવી.
એક વાર એક ક્ષત્રિયપુત્ર પિતાની પત્ની તથા બહેનને ઘરમાં મૂકી પરદેશ ગયે. તે ચાર વર્ષે આવી ગામ બહાર ઉતર્યો. તેના મનમાં પોતાની સ્ત્રીના શીલની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, તેથી તે રાત્રિએ પિતાને ઘેર આવ્યા અને જોયું કે પોતાની સ્ત્રી એક પથારીમાં સૂતી છે અને તેની બાજુએ એક પુરુષ સૂતે છે. તેના ક્રોધને પાર રહ્યો નહિ. તે બન્ને ઉપર તરવાર કાઢી ઘા કરવા જતા હતા તેવામાં સ્થાનમાંથી તરવાર કાઢતાં થએલા ખડખડાટથી તે પુરુષ જાગી ઉઠ્યો. તે પુરુષ તે બીજે કોઈ નહિ, પણ તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથે
સગી બહેન હતી. તે દિવસોમાં ચેરને ભય હતું અને જ્યાં એકલી સ્ત્રીઓ હોય ત્યાં ચેરને વિશેષ ત્રાસ હેવાથી દરજ રાત્રે તેની બહેન પુરુષને પોશાક પહેરી સૂઈ રહેતી હતી. આવા બનાવે ઘણુવાર બને છે, માટે કોઈ પર આળ મૂકતાં પહેલાં ઘણે વિચાર કરે.
બીજામાં દોષ હોય તો તે કહેવાની પણ જરૂર નથી, તો પછી અછતા દેષને આરોપ મૂકે એ તો મોટામાં મેટું પાપ છે. આપણે ઘણી વાર બીજાઓનું ઘસાતું બેલીએ છીએ. તે પુરુષ કે સ્ત્રીનું ચારિત્ર એવું જ હોવું જોઈએ એમ પણ બેદરકારીથી બોલીએ છીએ, પણ તેથી જે પરિણામ આવે તે પુરુષ કે સ્ત્રીને શેસવું પડે છે, તેને આપણને ખ્યાલ હેતું નથી. જે આપણને તે ખ્યાલ આવે તો આપણે તેવી ભૂલ કદાપિ કરીએ નહિ.
જે મનુષ્ય આ અભ્યાખ્યાનના પાપથી મુક્ત રહે છે તે ઘણું શાંતિ અનુભવે છે. તે કોઈનું ઘસાતું બોલતે નથી. તેને મને સંતોષ રહે છે કે તેણે કઈ ઉપર પણ બેટું આળ મૂકયું નથી, અથવા પરના દેશે લેકે આગળ જણાવવાની ભૂલ કરી નથી. તેમ આ વાત છાની રાખજો, એવું કહેવાનો સમય તેને આવતો જ નથીકારણ કે તે તેવી બાબતે કહેવા કે સાંભળવા ચેપ્પી ના જ પાડે છે.
જે મનુષ્ય અભ્યાખ્યાનના પાપથી સદા બચવું હોય તો બીજાના દોષ નહિ સાંભળવાની કે નહિ કહેવાની દઢ પ્રતિજ્ઞા કરવી જોઈએ. જે મનુષ્ય તેવી વાત સાંભળતા નથી તેના આનંદને પાર રહેતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું.
પિશુન્યવિરમણ. ચૌદમું પાપસ્થાનક પશુન્ય છે, અને તે પણ તેરમા પાપસ્થાનક અભ્યાખ્યાનની માફક હલકા સ્વભાવનું સૂચક છે, પિશુન્યમાં ચાડચુગલી, એકની વાત બીજાને કહેવી અને એની પૂંઠ પાછળ નિંદા કરવી એ સર્વને સમાવેશ થાય છે. પિશુન્યને અંગ્રેજી ભાષામાં back-biting કહે છે, જેને અર્થ પીઠ કરડવી એ થાય છે. અર્થાત આ દુર્ગણને વશ થયેલે જીવ લેકોની પૂંઠ પાછળ તેમની બદબોઈ કર્યા કરે છે અને તેમાં એક જાતને હલકે રસ લે છે.
જેમ અનેક હલકા પ્રકારનાં વ્યસન હોય છે તેમ આ પારકી બાબતેની ચાડીચુગલી કરવાનું પણ કેટલાકને વ્યસન પડી જાય છે અને પછી તે તજવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે. ચાડી કરનાર મનુષ્ય વગરપૈસાને ફેરીઓ છે અને તે જ્યાં ત્યાં એકની વાત બીજાને અને બીજાની ત્રીજાને કહેતે ફરે છે. આવો મનુષ્ય માટે ભાગે બીજાઓના દોષની, નિર્બળતાઓની, ખામીઓની, ભૂલેની વાતો કર્યા કરે છે. તે જાણે છે કે લેકે તેની વાતે સાંભળીને તેને શાબાશી આપશે, પણ તેને વિષે લેકે શું ધારે છે? તેને તેને ખ્યાલ પણ હોતું નથી. આ મનુષ્ય સમયને ઉપયોગ કેમ કરવો તે જાણતો નથી, તેથી જ તે પિતાના સમયને મોટામાં મોટે દુરુપયોગ કરે છે. તે પારકી વાત સાંભળે છે, તેમાંથી કાંઈ જે દોષભર્યું હોય તે યાદ રાખે છે અને પછી તે તેના જેવા જ નવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૮
પવિત્રતાને પંથે
મનુષ્ય આગળ લલકારીને મનમાં રસ લે છે. લેકમાં પિતાની વાતોથી વેરવિધ વધે છે તેનું તેને ભાન પણ હોતું નથી. તે કોની ખુશામત કરવા બીજાઓના દોષો સંબંધી વાતે સંગ્રહી રાખે છે, તે વગપૈસાના ગેઝેટનું કામ કરે છે. સામાન્ય ગેઝેટ( વર્તમાન પત્રોમાં તો શુભ અશુભ સર્વ સમાચાર હોય છે પણ આ ગપ્પીગેઝેટને માટે ભાગ તો અનેકનાં છિદ્રોથી ભરેલું હોય છે અને તે એવી તો સફાઈથી બીજા આગળ રજૂ કરે છે કે લોકો જલ્દી તે માની લે છે. જે મનુષ્ય પોતાના સમયનો સદુપયેાગ કરવો હોય તો તેને આવી ચાડીચુગલી માટે સમય જ મળતો નથી.
આ ચાડીચુગલીના ગેરફાયદા અનેક છે. તેના પર કઈ વિશ્વાસ રાખતું નથી, કારણ કે જે મનુષ્ય બીજાની વાતે આપણે આગળ કહે છે તે આપણી વાત બીજા આગળ કેમ નહિ કહે ? એમ ધારી લેકે તેને અવિશ્વાસપાત્ર માને છે. ચાડીચુગલી કરનાર મનુષ્ય જ્યાં ત્યાં કલહ વધારે છે અને મિત્રોમાં, નેહીઓમાં, સંબંધીઓમાં ફાટકુટ પડાવે છે. તે આપણને ખબર પણ ન પડે તેવી રીતે આપણી પીઠ પાછળ-આપણું ગેરહાજરીમાં આપણુ વિષે અનેક હલકી બાબતો બોલે છે. તેવો મનુષ્ય આપણુ મુખે મીઠું બોલે છે, પણ પાછળ આપણું નિંદા કરે છે–આપણા અવગુણ ગાય છે. વળી તેવા મનુષ્યની વાણીમાં મોટે ભાગે દોષ જ હોય છે. જે દોષને સંગ્રહ કરી વહેંચવા માટે નીકળ્યો હોય, તેની પાસે આપણે કયાંથી શુભ બાબતની આશા રાખી શકીએ ? તેનો વ્યાપાર જ તેવી જાતને છે. આથી તેના વચનમાં સદેષતા આવે છે અને તેનું વાતાવરણ
પણ અશુભ બને છે. આપણે જે થોડીવાર તેવા મનુષ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
પિશુન્યવિરમણ
વાતાવરણમાં રહીએ, અને જરા પ્રમાદી બનીએ તે આપણને પણ બીજાની નિંદા કરવાનું મન થઈ જાય; કારણ કે તેવા મનુષ્યનું વાતાવરણ ચેપી રોગ જેવું હોય છે, માટે આત્મ અયાસી મનુષ્ય જાતે કોઈની ચાડીચુગલી કે નિંદા ન કરવી, એટલું જ નહિ પણ જે તેવી વાત કરતો હોય તેની સબત છોડવી. જે આપણામાં શક્તિ હોય અને તેને સુધારવાના ખાસ હેતુથી તેની સાથે છેડે સમય સંબંધમાં આવીએ તો તે જુદી વાત છે, બાકી તો શરૂઆતના અભ્યાસીઓએ તે તેવા મનુષ્યની વાત સાંભળવાથી દૂર રહેવું એ જ શ્રેયસ્કર છે.
જે મનુષ્યને આવી પારકાની ચાડીચુગલી કરવાની ટેવ પડી હોય તેને તે ત્યાગ કરવાને મદદગાર થાય તેવા કેટલાય વિચારો અત્રે આપવામાં આવે છે.
તેવા મનુષ્ય વિચાર કરે કે–આ ટેવ ઘણું ખરાબ છે. તે વાણીનો અસંયમ સૂચવે છે. જે વાત આપણે અમુક મનુષ્યને જાતે કહી ન શકીએ તે તેની પૂંઠ પછવાડે કહેવાને આપણને શો અધિકાર છે?
વળી આ ચાડચુગલી કરવામાં સમય નકામે જાય છે–સમયને દુરુપયેગ થાય છે. લોકોમાં વિશ્વાસ ઘટે છે અને અનેક શત્રુઓ નિષ્કારણે ઊભા થાય છે, તે તેવી વાત કરવાથી લાભ શેર
બીજાએ અમુક ભૂલ કરી હેય–તેનું જીવન સદોષ હેય, તે પણ તેવી વાત બીજા આગળ કહેવાથી શું લાભ થવાનો હતો? દરેક મનુષ્ય પોતાના કર્મને વાસ્તે પોતે જોખમદાર છે. આવો વિચાર કરી તે ટેવને ટાળવી. જે વાત કર્યા વિના ન જ ચાલતું હોય તે જગતમાં અનેક શુભ બાબત છે, તેને સંગ્રહ કરે. વર્તમાનપત્રોમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પવિત્રતાને પંથે તેમજ મહાપુરુષોના ચારિત્રામાંથી વીરતા, ધૈર્ય, કરુણા, દયા, ક્ષમા, ઉદારતા, પ્રેમ અને મૈત્રીભાવનાં દષ્ટાંત અને બનાવો એકત્ર કરે, તે સ્મરણમાં રાખે અને લેકોને જણાવે કે જેથી તમને તથા સાંભળનારાને બનેને ઉત્સાહ અને પ્રેરણાશક્તિ આવશે અને તમારી પશુન્યની ટેવ જતી રહેશે. લોકોની ગુપ્ત વાતે મિત્ર થઈ, સ્નેહી બની સાંભળવી અને પછી તેવી વાતે બીજા આગળ કહેતાં ફરવું એ શું મિત્રદ્રોહ નહિ? એ શું ઓછો વિશ્વાસઘાત છે?
પશુન્યવૃત્તિનો ત્યાગ કરવાને મનુષ્ય હદયથી ઉદાર બનવું જોઈએ. આમ અભ્યાસી મનુષ્ય બીજાઓની નિબંળતા પ્રત્યે ઘણું જ ઉદાર બને છે, અને જે કદાપિ સખ્ત બને તો તે પોતાની નિર્બળતા અને ખામીઓ પ્રત્યે સખ્ત બને છે. આવી રીતે–આવા પ્રકારના વિચાર કરીને મનુષ્ય પશુન્યના અધમ દોષથી મુક્ત થાય છે. પારકાના દેષરૂપી મલિન જળમાં જે આપણે આપણાં વસ્ત્ર ધોઈએ તે તે કેવી રીતે નિર્મળ થાય? માટે ઉદાર વૃત્તિથી દરેક બનાવ, દરેક મનુષ્ય અને દરેક સંસ્થાની શુભ બાજુ જુએ, તેને ટેકે આપ તેથી શુભ વૃદ્ધિ પામશે એટલે અશુભ આપોઆપ ચાલ્યુ જશે.
પૈશુન્યનો–બીજાની ચાડીચુગલી કરવાની ટેવને ત્યાગ કરવાથી મનુષ્યને બેહદ શાંતિ મળે છે. મન વિશેષ નિર્મળ બનતું જાય છે, જ્યારે મને નિંદામાં નથી પરોવાતું ત્યારે કાંઈ શુભ કામમાં રોકાય છે, એટલે સમયને સદુપગ થાય છે, વાણું અને મન ઉપર સંયમ આવતે જાય છે અને હૃદય નિર્મળ થતાં અંતરાત્મા વિશેષ તેજથી ઝળકવા લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મુ
રતિઅતિવિરમણુ,
પંદરમું પાપસ્થાનક પાપસ્થાનક રતિઅતિ છે. રતિ-અતિ
એટલે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસ ંગેામાં જે સુખ-દુઃખની લાગણી થાય તેને તિઅતિ કહે છે. આ સ્થિતિ સામાન્ય મનુષ્યને સ્વાભાવિક છે. સુખ આવે તે જીવવાની વાંચ્છા કરે છે અને તેમાં તિ માને છે, દુ:ખ આવે તે મરવાની ઇચ્છા કરે છે અને તે દુ:ખદ પ્રસંગ વાસ્તે તેને અરતિ પ્રકટે છે.
જૈનશાસ્ત્રમાં ચાર પ્રકારનાં ધ્યાન કહેલાં છે, આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાન. તેમાંનાં પ્રથમના એ રતિ અરતિની સ્થિતિ સૂચવે છે. તેમાંના પ્રથમ આર્ત્ત ધ્યાનના ચાર ભેદ છે. જીવ અનિષ્ટ પદાર્થોના સયેાગથી અથવા ઈષ્ટ પદાર્થના વિયેાગથી, અથવા તેા રાગથી, અથવા તે આગામી શું દુ:ખ આવશે એવા વિચારથી પેાતાના ચિત્તમાં અનેક પ્રકારની ચિંતા કરી દુ:ખી થાય છે. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે—હિંસામાં, અસત્યમાં, ચારીમાં અથવા વિષયસેવનમાં આનંદ માનવેા તે. આ આનંદ અથવા રતિ ઘણા જ હલકા પ્રકારની છે. જે મનુષ્ય આવી ખાખતામાં તિ લે છે તે મનથી ઘેાર કર્મ બાંધે છે, અને ખાટાં કામ કરીને અનંત દુ:ખના સેાક્તા બને છે. પેાતાના શરીરને, ઇન્દ્રિયાને અને પોતાની વૃત્તિ તથા મનને જે વસ્તુ રુચે તેમાં મનુષ્ય રતિ માને છે અને જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પવિત્રતાને પથ
ન રુચે તે પ્રત્યે અતિ થાય છે. મનના સ્વભાવ જ એવ પડી ગયા છે કે કાઈ પણ પદાર્થ, મનુષ્ય કે અનાવ જોતાં કાં તા તેના તરફ પ્રીતિ ધરાવે છે કે કાં તે તે પ્રત્યે અપ્રીતિ થાય છે. રતિ અને અતિ એ ખરી રીતે કહીએ તે રાગ અને દ્વેષનાં મંદસ્વરૂપે છે. કેઇ પણ વસ્તુ વિષે રતિ થતાં ધીમે ધીમે તે પ્રત્યે રાગ થતા જાય છે, અને જો અતિ અથવા અરુચિ થઇ તા તેમાંથી બીજા કારણે! મળતાં તે અતિ દ્વેષનું રૂપ લે છે. શ્રીમદ્ આનંદઘનજી તેા એટલે સુધી કહે છે કે દ્વેષ અરોચકભાવ” જ્યાં અરુચિ થઇ ત્યાં દ્વેષ જ સમજવા.
રતિઅતિ મનુષ્યના મનને એક ક્ષણવાર પણ શાંત એસવા દેતી નથી. અમુક બનાવાથી મનુષ્યને કાં તા હ થાય છે કે કાં તેા ખેદ થાય છે. અમુક મનુષ્યને જોઇ કાં તે આનંદ થાય છે કે કાં તા વિષાદ થાય છે. એટલે મનના કલેાલા નિર ંતર ચાલ્યાં કરે છે અને તે આપણા મનને જરા પણ સ્થિર થવા દેતા નથી. રિત કે અરિત એમાંનુ એક કત્લાલ તા દરેક પળે આપણુને ઘસડતુ જ હાય છે. આ સ્થિતિમાં મનની શાંતિ ક્યાંથી હાય ? આવા મનુષ્ય બહારના સચેાગેાને વિશેષ આધીન બને છે. આત્મા માટે ભાગે નિમિત્તવાસી હાવાથી તેવા મનુષ્યને જે જે સુખદુ:ખના પ્રસંગેા મળે તે પ્રમાણે તે શાક ધારણ કરે છે. સુખ કે દુ:ખ, લાલ કે ગેરલાભ, વિજય કે પરાભવ આ બેમાંનું જે એક કારણ મળે છે, તેથી તિ કે અતિ જન્મે છે અને તે સ્થાયી હાય એમ માની જીવ હુ કે શાક ધારણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
તિઅતિવિરમણ
૧૦૩
આ રતિઅરતિની સ્થિતિથી મુક્ત થવું હાય તા મનુષ્યે પાણીના કલેાલેા પરથી ખડક ઉપર ઘેાડી વાર પણ ઊભાં રહેતાં શીખવુ જોઇએ. કલ્લેલા તેના પગ સાથે અથડાશે, પણ તેને ઘસડી જશે નહિ. તે કત્લાલાના સ્વરૂપાના હવે દ્રષ્ટા બને છે. તે કલ્લેાલરૂપ નહિ બનતાં કલેાલેનુ હાર્દ સમજવા પ્રયત્ન કરે છે. તેણે સૌથી પ્રથમ તે એ વિચારવુ જોઇએ કે Nothing is eternal in this universe. આ વિશ્વમાં કાંઇપણ સ્થાયી નથી. ભગવદ્ગીતામાં લખ્યું છે કે— मात्रास्पर्शास्तु कौन्तेय ! शीतोष्णसुखदुःखदाः || आगमापायिनोऽनित्यांस्तांस्तितिक्षस्व भारत ! |
હે અર્જુન ! શીત, ઉષ્ણુ, સુખ, દુ:ખ વગેરેને આપવાવાળા ઇન્દ્રિયેાના સ્પર્ધા આવવા અને જવાવાળા હાઇ અનિત્ય છે માટે તેને તું સહન કર. અર્થાત્ જગતના બાહ્ય પદાર્થો જેમાં આપણે આટલું બધું સુખ કે દુ:ખ માનીએ છીએ તે સર્વે સ્થાયી નથી, પણ ક્ષણે ક્ષણે બદલાય છે.
શ્રીમદ્ રાજચંદ્રે એક સ્થળે લખ્યું છે કે—
વિદ્યુત્ લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ;
અનગ રગ
પુરંદરીચાપ
શું રાચીએ જ્યાં ક્ષણના પ્રસંગ ?
લક્ષ્મી વીજળી સમાન ચપળ છે, સત્તા પતંગ જેવી અસ્થિર છે, આયુષ્ય એ પાણીના કલ્લેાલ સમાન છે, કામના રંગે તે મેઘધનુષ્ય જેવા છે. જ્યાં આવા ક્ષણિક સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પવિત્રતાને પંથે
આપનારા પ્રસંગે હોય ત્યાં મનુષ્ય શું રાચે અથવા રતિ કરે ? તેમ જ દુઃખદ પ્રસંગે વિષે શાક પણ શું ધરે? કારણ કે કઈ પણ વસ્તુ સ્થાયી નથી. સુખ પણ સ્થાયી નથી તેમ દુઃખ પણ સ્થાયી નથી. તે ઉપર એક ટૂંક દષ્ટાંત છે.
એક રાજા હતા. તેના કંઠમાં એક માદળીઉં હતું. તે શા હેતુથી નાંખવામાં આવ્યું હતું અને તેમાં શું હતું તે તે જાણતું ન હતું, પણ વંશપરંપરાથી તે ઉતરી આવ્યું હતું. તે રાજા પર એક બીજો બળવાન રાજા ચઢી આવ્યે તેણે આને હરાવ્યું. રાજા તેના કેટલાક સામતે સાથે જંગલમાં નાસી ગયે. જંગલમાં એક વૃક્ષ નીચે બેસી વિચાર કરતાં તેની દૃષ્ટિ પતાના કંઠમાંના માદળીયા પર પડી. તેણે તે ભંગાવરાવ્યું, તે તેમાંથી જીર્ણ તાડપત્રને એક કકડો નીકળે. તેના પર લખ્યું હતું કે રૂમ મળતિ This too shall pass away-આ પણ જતું રહેશે. તેણે વિચાર કર્યો કે હવે શું જતું રહેશે? મારી પાસે શું રહ્યું છે કે તે ચાલ્યું જાય? વિચારતાં તેને લાગ્યું કે આ મારે પરાભવ (હાર) ચા જશે અને મને વિજય મળશે. આ વિજયને વિચાર તેના મનમાં કુરતાં તેનામાં નવું ચેતન્ય આવ્યું. તેણે ફરીથી સૈન્ય એકત્ર કર્યું. તે રાજાને હરાવ્યો. વિજય મેળવ્યું. તેને હવે કુલાઈ જવાને સંભવ હતું. તેની દૃષ્ટિ પાછી માદળીયા પર પડી. તેણે વિચાર્યું કે–આ પણ ચાલ્યું જશે. આ વિજય પણ જશે.
આ ઉપરથી સાર એ નીકળે છે કે-સુખના પ્રસંગમાં એવો વિચાર કરો કે આ સુખ પણ ચાલ્યુ જરી માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
રતિઅરતિવિરમણ
૧૦૫
ફૂલાઈ જવું નહિ. તેમ જ દુ:ખના પ્રસંગમાં એ વિચાર કરે કે આ દુ:ખ પણ ચાલ્યું જશે, માટે અતિ દીન ન બનવું, પણ સમતોલવૃત્તિ જાળવવી.
- જ્યાં સુધી મનુષ્ય બાદ સંયેગોને-મનુને–વસ્તુએને વિચાર કર્યા કરે છે ત્યાં સુધી રતિ કે અરતિ થવાની જ, ત્યાં સુધી સુખ દુઃખ થવાનું જ. પણ આત્માની અનંત કાળની ( જિંદગીમાં આ જિંદગી એ એક દિવસ છે, એવું વિચારતાં સર્વ બનાવે ગણુ થઈ જાય છે. તે મનુષ્ય સુખ-દુઃખમાં મનની સ્થિરતા જાળવી શકે છે. કવિ કાલિદાસ કહે છે કે –
कस्यैकान्तिकं सुखमुपनतं दुःखमेकान्ततो वा । नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥
કોને એકાંત સુખ મળ્યું છે? અથવા કોને એકાંત દુઃખ મળ્યું છે ? આપણે દશા ચક્રની ધારા પ્રમાણે ઉપર નીચે ચાલ્યા જ કરે છે, આવજા કરે છે, માટે જે રતિઅતિથી મુક્ત થઈ શાંતિ મેળવવી હોય તે સુખ દુઃખ આપનારા પદાર્થોની અનિત્યતા વિચારી મનુષ્ય તેના દ્રષ્ટા બનવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મુ.
પરપરિવાદવિરમણુ
સોળમું' પાપસ્થાનક પરપરિવાદ છે. તેના સામાન્ય
અથ પારકાની ખાખતાની વાત. પણ તે મેાટે ભાગે નિંદાની હાવાથી પરપરિવાદના અર્થ પરિનંદા એમ થાય છે. પારકી નિંદા કરવી, પારકાના સબંધમાં ઘસાતુ ખેલવું, અથવા બીજાના સંબંધમાં નકામા ગપ્પાં મારવાં, એ મનુષ્યના સ્વભાવ થઇ પડ્યો છે. મનુષ્યને તેમાં એક જાતના રસ અને ઉત્સાહ આવે છે. જ્યાં શાંત, વૈરાગી, હિતકર, પરના ગુણાની વાત ચાલતી હોય ત્યાં મનુષ્ય કંટાળી જાય છે, તેમાં તેને રસ આવતા નથી. પણ જ્યાં બીજાએનાં દૂષણ્ણા ચર્ચાતાં હાય, બીજાની બદખાઈ થતી હૈાય ત્યાં મનુષ્યને સ્ફુર્તિ આવે છે, અને પાતે પશુ તે વાતમાં ભાગ લેવા માંડે છે, અને ખાટીખરી અનેક બાબતા તેમાં ઉમેરીને વાતને રસમય બનાવવા પ્રયત્ન સેવે છે.
જો મનુષ્ય પેાતાના જ કાર્યોંમાં લક્ષ આપે, બીજાએને મદદની જરૂર હાય અને તે તે આપી શકે તેમ લાગતુ હાય તા તે આપવા માટે બીજાના કામમાં રસ લે, તે સિવાય જો પાતે પેાતાના વિચારા, વચના અને કાર્યો પર લક્ષ આપે તે પેાતાને ઘણે! જ લાભ થાય.
પણ મનુષ્યમાં બીજાના કામમાં માથું મારવાની ઈચ્છા ઘણી પ્રબલ જણાય છે. ખીજાઓ કરતાં પેાતાનુ જ્ઞાન વધારે છે, અથવા પેાતાને સારી આવડત છે તે મતાવવાને અને આ રીતે પેાતાના અહંકારને પાષવા જીવા પારકી ખાખતામાં માથુ મારતા જણાય છે. બીજો મનુષ્ય શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
પર૫રિવાદવિરમણ
૧૦૭ કહે છે, કરે છે અથવા માને છે તેની સાથે આપણને કશે સંબંધ નથી. તે વિષે આપણે છેક તટસ્થ રહેતાં શીખવું જોઈએ. જ્યાં સુધી તે મનુષ્ય બીજ મનુષેની વચમાં ન આવે ત્યાં સુધી સ્વતંત્ર વિચાર કરવાને, સ્વતંત્ર શબ્દો બોલવાને, સ્વતંત્ર કાર્ય કરવાને તેને સંપૂર્ણ હક્ક છે. આપણને જે ચગ્ય લાગે તે કરવાની આપણને સ્વતંત્રતા હોવી જોઈએ, એ હક્ક આપણે માગીએ છીએ, તે પછી આપણે બીજાને તેટલી જ સ્વતંત્રતા ભોગવવા દેવી જોઈએ અને
જ્યારે બીજો કોઈ મનુષ્ય તેવી સ્વતંત્રતાને ઉપભેગ કરતા હોય ત્યારે તેની નિંદા કરવાનો આપણને જરા પણ અધિકાર નથી. જે આપણને એમ લાગતું હોય કે અમુક મનુષ્ય અમુક ખાટું કામ કરે છે, અને જે આપણે સભ્યતાથી અને ખાનગી રીતે તેને આપણે વિચારો દર્શાવવાના પ્રસંગ લઈએ તે તેને સમજાવી શકવાને સંભવ છે, પણ ઘણી બાબતમાં તે આમ કરવું તે પણ અયોગ્ય રીતે માથું મારવા જેવું કામ છે. જે આપણે ત્રીજા મનુષ્ય સન્મુખ જઈ તે બાબત જણાવીએ તે તેની નિંદા કરી કહેવાય અને નિંદા તે તે માટે દુર્ગણ છે.
નિંદાના વિચારમાત્રથી ઘણે અનર્થ પેદા થાય છે. દરેક મનુષ્યમાં ગુણ તેમજ અવગુણ રહેલા છે. પ્રભુ સિવાય કોઈ પણ જીવ પૂર્ણ નથી. “થોડા ઘણા અવગુણે છે ભર્યા રે, કોઈના નળીઆ યુવે, કોઈનાં નેવ રે.” તે પછી આપણે તેના અશુભનું ચિંતન કરી સામાના દેષને પુષ્ટિ આપીએ છીએ. જે તેનામાં તે અવગુણ હોય છે તે પુર થાય છે અને ન હોય તે પણ તેનું વારંવાર ચિંતન કરીને દોષનું બીજ તેનામાં રોપવા જેવો પ્રયત્ન આપણુ વિા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પવિત્રતાને પથ્
રથી થાય છે. વળી જગતનું વાતાવરણ બગડતું જાય છે. જગતમાં પરદેાષષ્ટિ વધે છે, પણ સા કરતાં માટે ગેરફાયદા તા આપણને થાય છે કે આપણું વાતાવરણુ મિલન અને છે. પારકાના દોષરૂપી મિલન જળમાં સ્નાન કરવાથી આપણી શુદ્ધિ કેવી રીતે થઇ શકે ?
વળી આપણે વિચારા કરવાથી અટકતા નથી, પણ આપણે ખીજાના દોષની કરેલી શેાધ લેાકેા આગળ અતિયેાતિના સાથિયા પૂરી, મીઠું મરચું ભભરાવી, લલકારીએ છીએ અને તેએ પણ તેમાં બહુ જ રસપૂર્વક ભાગ લે છે. તેઓ તે વાત બીજાઓને જણાવે છે. આવી રીતે સેંકડા મનુષ્યા તે કમભાગ્ય મનુષ્યની નિંદા કરવામાં ભાગ લે છે અને તેના દોષ સુધારવાનું કામ ઘણું કઠણ બને છે. નિંદાથી કાઇ સુધર્યું નથી અથવા સુધરવાનું નથી. આપણે ધારીએ તેા પ્રેમથી-દિલસેાજીથી એકાંતમાં કાઇની ભૂલ જણાવી, તેને આપણા બનાવી, તેની ભૂલ કદાચ સુધારી શકીએ.
વળી નિંદા કરવામાં સમયના દુરુપયેાગ થાય છે, લેાકેામાં વેરવૃત્તિઓ અને કલહ જાગે છે, મન ઘણું કહ્યુષિત અને છે. નિદા કરનાર પર કોઈ વિશ્વાસ રાખતું નથી. તે બીજાના ઢાષા જ શેાધતા હાવાથી તેના જ્ઞાનચક્ષુ પર પડેલ આવી જાય છે અને તેને સત્ર દોષ જ જણાવા લાગે છે. તે બીજા સમધી વિચારા કરવામાં એટલેા બધા મગ્ન થઇ જાય છે કે તે પેાતાનુ ભાન ભૂલી જાય છે.
નિદા ત્યાગ કરવાના ઘણાં સાધના છે. દરેક મનુષ્યમાં ગુણે! તથા દાષા રહેલા છે. ગુણુ ઉપર પ્રીતિ રાખા અને શ્રુણ્ણાને પુષ્ટિ આપેા, એટલે દુર્ગુણું। ચાલ્યા જશે. જે મનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
પરપરિવાદવિરમણ
૧૯
થને ઉપયોગી કામ કરવાના નથી તે મનુષ્ય જ આવાં નિંદાનાં કામમાં રસ લઈ શકે. જે મનુષ્ય ધારે તે– વિચાર કરે તે-ઉપગી કામોની ખેટ નથી. મનુષ્ય પિતાનું શરીર સુધારી શકે, નવરાશના સમયમાં સારાં પુસ્તકો વાંચી શકે, શુભ ભાવનાઓનું ચિંતન કરે, કોઈ માંદા મનુ ષ્યની મુલાકાત લે, કઈ સેવા કરતી સંસ્થાઓ સાથે જોડાઈ તેના હિતાર્થે કામ કરે, પિતાના પુત્રપુત્રીઓ તથા અન્ય કુટુંબીજનોના હિતના સવાલે વિચારે અને તે પ્રમાણે વર્ત. જે મનુષ્ય આવા કોઈ કામમાં પોતાને સમય વ્યતીત કરે, તે તેને પરની નિંદા કરવાને કે ગપ્પાં મારવાને અવકાશ જ મળે નહિ. સમય ઘણે અ૯પ છે અને કાર્ય કરવાનાં ઘણાં છે, માટે સુજ્ઞ મનુષ્ય તે તે અ૫ સમયને સાથી શ્રેષ્ઠ ઉપયોગ કરે છે. તેઓ અનુપયોગી અને ઉપયેગી કામે વચ્ચે પ્રથમ વિવેક કરે છે. અનુપયેગી કામોને ત્યાગ કરી તેઓ ઉપયોગી કામ કરે છે અને આગળ જતાં ઉપયોગી અને વિશેષ ઉપગી કામ વચ્ચે ભેદ પાર વિશેષ ઉપયોગી કામ કરવા પ્રેરાય છે. પિતાનાથી બનતું વિશેષમાં વિશેષ ઉપયેગી કામ કરવાને જે મનુષ્ય પ્રયત્ન કરે, તો તેને નિંદા માટે કે ગપ્પાં માટે કે પારકી કુથલી માટે સમય ક્યાંથી મળી શકે?
નિંદા ત્યાગ કરવાને એક બીજો ઉપાય એ છે કેપારકી નિંદાની વાતો સાંભળવી બંધ કરે. બીજે કંઈ પારકાની નિંદા કરતો હોય તે તે સાંભળવા ના પાડી. આ રીતે નિંદા સાંભળવાને રસ ઓછો થશે, તે પછી નિંદા કરવામાં તો રસ રહેશે જ કયાંથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પવિત્રતાને પંથે
જે કોઈનું શુભ કામ જુએ તેને અનુમોદન આપો, પણ બીજાના ખોટા કામની નિંદા ન કરતાં ઉદાર બને.
જ્યાં ત્યાં નિષ્કારણ કેઈની નિંદા કરવાથી સામાને કે આપણને કેઈને પણ લાભ થતો નથી.
નિંદા એ જીભનું મેટામાં મોટું પાપ છે. નિંદા એ દોષદષ્ટિનું પરિણામ છે. જે તે મનુષ્ય પારકા કામમાં માથું મારે છે તો તેને હેતુ માટે ભાગે બીજાને મદદ કરવાને નહિ, પણ બીજાઓનાં છિદ્રો અને નિર્બળતાઓ જાણ વાનો હોય છે. જે મનુષ્ય નિંદાના પાપથી બચે છે, તેને સમય ઘણે મળે છે. તે બહુ સારી રીતે આત્મનિરીક્ષણ કરી શકે છે. તે અંતર્મુખ થઈ પોતાના ગુણદોષ સારી રીતે તપાસી શકે છે અને આ રીતે આત્મસુધારણા કરવા તેને ઘણે અવકાશ મળે છે. તે મનુષ્ય સ્વાધ્યાય પણ સારો કરી શકે છે. સ્વાધ્યાય એટલે સ્વને અધ્યાય, એટલે આત્માના સ્વરૂપનું ચિંતન-“હું કેણ છું ? મારું સ્વરૂપ શું? મારું કર્તવ્ય શું ? મારું સાધ્ય શું ? ” આવા વિચારો કરવામાં જે તે પોતાનો સમય પસાર કરે તો તેને અંદરથી ઘણું જાણવાનું મળે. બહારનું રમણ–રટણ જ્યારે બંધ થાય અથવા ઓછું થઈ જાય ત્યારે અંદરનું રટણ થવા લાગે છે, તે પછી જે મનુષ્ય પર પરિવાદ-પારકા સંબંધી નકામી વાતે, કુથળીઓ–ગપ્પાં-નિંદા વગેરેને ત્યાગ કરે છે, તેની વાણી પર તેમજ મન પર અપૂર્વ સંયમ આવતો જાય છે અને મનને બહારની પરિસ્થિતિ પર ઓછું ધ્યાન આપવાનું હોવાથી તે અંતર્મુખ બને છે અને ત્યાં તેને અપૂર્વ શાંતિને અનુભવ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ મું.
માયામૃષાવાદવિરમણ સત્તરમું પાપસ્થાનક માયામૃષાવાદ છે. માયાનું આઠમું પાપસ્થાનક અને મૃષાવાદનું બીજું પાપસ્થાનક મળી ૧૭ મું માયામૃષાવાદનું પાપસ્થાનક ઉદ્દભવે છે. માયામૃષા વાદ એટલે કપટ અસત્યયુક્ત, બીજા શબ્દોમાં કહીએ તે ઢોંગ-દંભ છે. શ્રીમદ્દ યશોવિજયજીના શબ્દો પ્રમાણે આ માયામૃષાવાદને દેષ વિષને વધારવાની સ્થિતિ, અથવા સર્પને ઈ છેડવાની ક્રિયા છે.
ગની ઉત્પત્તિનું કારણ એ છે કે-મનુષ્ય હોય તેના કરતાં સારો દેખાવા ઈચ્છે છે, પિતાનું અજ્ઞાન અને પિતાના દેષ ઢાંકી પોતે જ્ઞાની અને નિર્દોષમાં ખપવા માગે છે. આ કારણથી–લોકોના ખાટા ભયથી પોતે અનેક રીતે અસત્ય બેલે છે અને કપટક્રિયા કરે છે, પોતે બોલેલું એક અસત્ય અથવા કરેલું એક ખોટું કામ છુપાવવા મનુષ્ય જૂઠની પરંપરા સેવે છે અને પછી તે અસત્ય અને કપટ એટલું બધું વધી જાય છે કે તેનાથી તે છુપાવી શકાતું નથી અને તેની દશા ઘણું દયાજનક થાય છે.
ઢગના એટલા બધા ગેરફાયદા છે કે તેને પૂરે વિચાર પણ આવી શકે નહિ, છતાં કેટલાક ગેરફાયદા વર્ણવવામાં આવશે. ટૅગ લાંબે સમય ટકતો નથી. અંતે કપટ પકડાય છે ત્યારે તેની કેટલીક સત્ય બાબતો હોય તે પણ ટૅગ ભેગી તણાઈ જાય છે અને તે સર્વથા પાપી કે અસત્યવાદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પવિત્રતાને પથે હતે, એમ લોકો માનવાને દોરાય છે. ઢગથી તેના આત્મા પર પડલ આવી જાય છે. વારંવાર અસરલ અને કપટમય– વક્ર વિચાર કરવાથી તેનું મન પણ તેવું જ વક્ર બને છે, એટલે આત્માના સીધાં કિરણે તે મનદ્વાર પ્રકટી નીકળતાં નથી. તેથી તેને આત્મા સત્ય અને અસત્ય વસ્તુ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. સત્યવાદી જ અનેક અસત્ય બાબતેમાંથી કયી સત્ય બાબત છે, તે એકદમ સમજી શકે છે. જે મનુષ્ય બીજાને છેતરવા જાય છે તે જાતે જ છેતરાય છે; કારણ કે એક મનુષ્ય અપ્રમાણિકપણે થડે સમય વ્યાપારમાં બીજાને છેતરે, પણ જ્યારે તેનું કપટ પકડાય ત્યારે લોકો તેની સાથેની લેવડદેવડ ઓછી કરે, એટલે તેની આવક ઓછી થાય. આમ આખરે તો ટૅગ અથવા કપટને આશ્રય લેનાર મનુષ્ય વ્યવહારમાં પણ પાછો પડે છે અને આટલો સમય કપટ અને અપ્રમાણિકપણને આશ્રય લઈ પોતાના મનને જે નુકસાન કર્યું તેની તે કિંમત આંકી શકાય જ નહિ. જ્યારે ઢોંગ પકડાય છે ત્યારે તે ઢેગી મનુષ્ય પરથી સર્વને વિશ્વાસ ઉઠી જાય છે.
મનુષ્ય ઢોંગ કરે, અસત્ય બેલે, કૂડકપટ કરે, પણ તેમાં તેનું હૃદય ડંખ માર્યા વિના રહેતું નથી. કપટી મનુષ્ય નિરંતર બીકણ હોય છે. ગમે તેટલો નિર્ભયતાને ડાળ કરે, પણ સૂર્યના પ્રકાશિત કિરણ આગળ જેમ ધુમસ વીખરાઈ જાય છે તેમ સત્ય અને પ્રમાણિક મનુષ્યની તેજભરી આંખ આગળ તેનું મુખ ઢીલું પડી જાય છે, તેનું તેજ ઝાંખું પડી જાય છે. આખું વિશ્વ સત્ય પર રચાયું છે, માટે સત્યના નિયમનો ભંગ કરી જગતને છેત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
માયામૃષાવાદવિરમણ
૧૧૩
રનાર મનુષ્ય લાંબો કાળ વિજય પામી શકે નહિ. કુદરત પિતાના નિયમને ભંગ લાંબા સમય સહન કરી શકે જ નહિ, માટે આત્મ અભ્યાસી મનુષ્ય કપટ અને અસત્યને પોતાના હદયમાંથી દેશવટે આપવો.
ઉપદેશસપ્તતિકા નામના ગ્રન્થમાં માયાકપટીની કેવી દુર્દશા થાય છે, તે ઉપર એક દષ્ટાંત આપેલું છે.
શ્રી તિલકપુરમાં ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ નામના બે વણિક રહેતા હતા. ધર્મબુદ્ધિ સરલસ્વભાવી તેમજ પરહિતચિંતક હતા અને પાપબુદ્ધિ કપટી, માયાવી અને વિશ્વાસને છેતરનારો હતો. બંનેને વેપાર નિમિત્તે મિત્રી થઈ. લેકો એમ કહેતા હતા કે-કાષ્ઠ અને કરવત જે આ યુગ છે, તથાપિ પિતાના ઉત્તમપણાથી ધર્મબુદ્ધિએ તે પાપબુદ્ધિને ત્યાગ કર્યો નહિ. બને જણ વેપાર નિમિત્ત બીજે દેશ ગયા અને વ્યવસાય કરી દરેક હજાર સોનામહારે કમાયા. તે બન્ને પોતાના ગામ તરફ પાછા વળ્યા. જ્યારે પિતાનું નગર પાસે આવ્યું ત્યારે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું“ મિત્ર! આટલું બધું ધન નગરમાં કેમ લઈ જવાય? માટે કેટલુંક અહીં જ દાટી મૂકીએ, પછી એગ્ય અવસરે તે લઈ જઈશું, કારણ કે ધનને અનેક પ્રકારે રાજ, ભાગીદાર અને ચેરથી ભય હોય છે.” આમ સાંભળી ધર્મબુદ્ધિએ પાંચ સે સોનામહોર એક વૃક્ષ નીચે દાટી. તેને વિશ્વાસ પમાડવા પાપબુદ્ધિએ પણ તેમજ કર્યું. પછી તેઓ પોત પોતાને ઘેર ગયા. પાપબુદ્ધિ રાત્રે છાનામાને બન્નેનું દાટેલું ધન લઈ ગયે. એક દિવસ પાપબુદ્ધિને ધર્મબુદ્ધિ આવી કહેવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પવિત્રતાને પંથે કે “મિત્ર! ચાલે હવે આપણે તે દાટેલું ધન કાઢી આવીએ.” ત્યાં જઈને જોયું તે ખાડો ખાલી જોવામાં આવ્યું. પાપબુદ્ધિ ઘણે વિલાપ કરવા લાગે અને છેવટે તેણે ધર્મબુદ્ધિ ઉપર આક્ષેપ મૂકતાં કહ્યું: “હે દુષ્ટ ! તેં જ આ કામ કર્યું છે, કારણ કે આપણા બે વિના બીજું કેણ આ વાત જાણતું હતું? ” ધર્મબુદ્ધિ કહે-“ હું કદી એવું કામ કરું નહિ. કઈ પાપીએ તે કામ કર્યું હશે. ” આમ બને વચ્ચે વિવાદ થયે અને વાત રાજસભામાં ગઈ. બન્નેના સાક્ષી વિષે પૂછવામાં આવતાં પાપબુદ્ધિ બેલી ઉઠ્યો કેમારો સાક્ષી દેવતા છે. રાજાએ કહ્યું-પ્રભાતે તેની પરીક્ષા થશે. પાપબુદ્ધિએ રાત્રે પોતાના પિતાને સઘળી હકીકત કહી અને જંગલમાં જઈ વૃક્ષના કોતર(પિલ)માં ભરાઈ બેસવા જણાવ્યું. અને રાજા પૂછે ત્યારે “પાપબુદ્ધિ નિષ્કલંક છે અને ધર્મબુદ્ધિ તસ્કર છે,” એમ કહેવાનું સૂચવ્યું. પ્રભાતે રાજા પ્રધાન વગેરે અમલદારો તથા ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ વગેરે લોકો ત્યાં હાજર થયા. સવાલ પૂછતાં પાપબુદ્ધિના પિતાએ ગોઠવેલે જવાબ આપે. લેકો આમતેમ જોવા લાગ્યા પણ કાઈ મનુષ્ય નજરે પડશે નહિ. ધર્મબુદ્ધિએ તરત જ સમયસૂચકતા વાપરી જણાવ્યું કે-“આ કેટરને બાળી નખાવે એટલે દેવ કે મનુષ્ય પ્રત્યક્ષ થાય.” કટર બાળવાની શરૂઆત કરી કે તરતજ પાપબુદ્ધિનો પિતા તે કોટરમાંથી ગભરાતે ગભરાતે બહાર નીકળે. પ્રશ્ન પૂછતાં તેણે સર્વ સત્ય નિવેદન કર્યું. લોકો તથા અમલદાર વર્ગ તેને તથા તેના પુત્રને ધિક્કારવા લાગ્યા. રાજા પાપબુદ્ધિને ભારે શિક્ષા કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
માયાષાવાદવિરમણ
૧૧૫
તૈયાર થયા પણ ધબુદ્ધિએ તેને તેમ કરતાં વાર્યો. રાજા વગેરે ધ બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. માયામ્રયાવાદ આ ભવમાં પણ દુ:ખ આપે છે.
હવે માયામૃષાવાદ તજવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય સત્ય અને સરલતા છે. જો કે સત્યવાદી અને સરલ મનુષ્યાને પ્રારંભમાં કદી દુ:ખ પડે, કેટલીક અડચણુામાંથી પસાર થવુ પડે, પણ અંતે સત્યના જય થાય છે. સત્યવાદી અને સરલ પ્રકૃતિવાળા જીવ ઘણી ત્વરાથી પેાતાને વિકાસ કરી શકે છે. તે નિર્ભય અને છે, તે નિર ંતર શાંતિ જાળવે છે અને તેવા મનુષ્યનું શરીર પણ નિગી રહે છે. પરસ્પર અનુકૂલ આંદોલના તેના શરીરમાં ચાલે છે, તેથી રાગના વિરાધી આંદોલને જવા માંડે છે. નિષ્કપટી અને સત્યપ્રિય મનુષ્ય હારા અસત્ય બાખતામાંથી, સત્ય ખાખતા કઇ છે તે તુરત જ પારખી શકે છે. સત્યના સદ્ગુણ આવતાં બધા દુષ્ણેા નાશ પામવા લાગે છે, કારણ કે જે મનુષ્યને સત્ય ખેલવાનુ હાય છે તે કેટલાંક પાપેા તા કરી શકે જ નહુિ. તેને તેા સત્ય હાય તે જ ખેલવાનુ હાય છે, તેથી ઘણા પ્રકારની કુટિલતાથી તે બચી જાય છે.
જે મનુષ્ય અસત્યથી, કપટથી અથવા ઢાંગથી ખીજાને ખેતરવા પ્રયત્ન કરે છે તેના પેાતાને અંતરાત્મા અવરાય છે, તેથી તે અંતરાત્માના અવાજ સાંભળી શકતા નથી અથવા તા તેની ઝાંખી પામી શકતા નથી; માટે જેમ અને તેમ મનુષ્ય ઢાંગના ત્યાગ કરી સરલ પ્રકૃતિવાળા બનવું. જ્યાં સરલતા છે ત્યાં પવિત્રતા છે અને જ્યાં પવિત્રતા છે ત્યાં જ પ્રભુને વાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું મિથ્યાત્વશલ્યવિરમણ
આ મિથ્યાત્વશલ્ય એ અઢારમું અને છેલ્લું પાપસ્થાનક છે. તે છેલ્લું છે. પણ સૌથી પ્રથમ સ્થાન ભગવે તેવું છે. ઉપાયશવિજયજી કહે છે કે–ત્રાજવામાં એક બાજુ સત્તર પાપસ્થાનક મૂકો ને એક બાજુ આ ૧૮ મું મૂકે તો આ વધે તેમ છે. તેનો અર્થ એ થાય છે કે-મનુષ્યના હદયમાં જ્યાં સુધી મિથ્યાત્વરૂપી વિષ પ્રવેશેલું હોય છે ત્યાં સુધી તે મનુષ્ય કોઈ પણ કામ તથાવિધ ભાવથી કરી શકતો નથી. મિથ્યાત્વ એટલે સત્યને અસત્ય માનવું અથવા અસત્યને સત્ય માનવું તે. મિથ્યા એટલે જૂ ડું. વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખવી તે જ્ઞાન અને વસ્તુને અવસ્તુરૂપે ઓળખવી તે મિથ્યાત્વ છે. સાધુને અસાધુ તરીકે અને અસાધુને સાધુ તરીકે, માર્ગને ઉન્માર્ગ તરીકે અને ઉન્માર્ગને માર્ગ તરીકે, ધર્મને અધર્મ તરીકે અને અધર્મને ધર્મ તરીકે–ટૂંકમાં વસ્તુને અવળે રૂપે સમજવી એ સર્વ મિથ્યાત્વ છે. જ્યાં સુધી મિથ્યાત્વ અથવા અજ્ઞાન હોય ત્યાં સુધી સર્ભાવ સંભવે નહિ અને અસદુજ્ઞાનરૂપી વિષ હૃદયમાં પેઠું હોય ત્યાં સુધી અનેક પ્રકારની શંકાઓ અને પ્રશ્નો થયાં કરે છે. તેવી સ્થિતિમાં મનુષ્ય દઢ નિશ્ચયથી કાંઈ પણ કામ કરી શકે નહિ અને શ્રદ્ધાપૂર્વકના જ્ઞાન વિના ચારિત્ર સંભવી શકે જ નહિ. આ મિથ્યાત્વ ઉત્પન્ન થવાનાં બે મુખ્ય કારણે છે: એક અજ્ઞાન અને બીજું દુરાગ્રહ.
જે મનુષ્યને રૂપાનું જ્ઞાન ન હોય તે ચળકતી છીપને રૂપા તરીકે માની લેય છે, જેને સાચા હીરાનું જ્ઞાન ન હોય તે પુખરાજને હીરે ગણું લેય. તેમ સવસ્તુનું જ્ઞાન જીવને ન હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૧૭ તો અસવસ્તુને સવસ્તુ તરીકે માની લે છે. આનું નામ મિથ્યાત્વ અથવા અસત્ય જ્ઞાન. આ મિથ્યાત્વ સદજ્ઞાનથી નાશ પામે છે. સત્ય વસ્તુ જાણતાં મનુષ્ય અસત્યને ત્યાગ કરે છે. મહાવીર પ્રભુ પાસે જે દ્વિ–બ્રાહ્મણે દીક્ષા લઈ ગણધર થયા તે સર્વને જ્ઞાન નહોતું એમ નહિ, જ્ઞાન તો હતું, પણ તેમાં કેટલાક દેષ હતા; તેઓ જ્ઞાનનું સત્ય તત્વ જાણવા આતુર હતા તેથી સત્ય જ્ઞાન મળતાં તેઓએ પતાને અજ્ઞાનવાળે મત છોડી દીધે, માટે મિથ્યાત્વ અથવા અજ્ઞાન દૂર કરવાનો સારો ઉપાય સજ્ઞાન છે. લેકને સજ્ઞાન આપવામાં આવે તો ઘણા છ પેતાની ભૂલ સુધારવા તૈયાર હોય છે.
ઈંગ્લાંડમાં એક એવું વિચારક પક્ષ છે કે જે પોતાને Agnostic કહેવરાવે છે. તેનો અર્થ “અજ્ઞાનવાદી” એ થાય છે. તેઓ કહે છે કે “અમને અમુક બાબતના પુરાવા આપે, એટલે અમે તે વાત માનવાને તૈયાર છીએ.” આવા મનુષ્ય જ્ઞાનના જિજ્ઞાસુ કહેવાય, અને તેમને સજ્ઞાન આપવામાં આવે છે તે પોતાની ભૂલ કયાં છે? તે સમજી તે દૂર કરવા પ્રયત્ન કરે. પરંતુ કેટલાક એવા મનુષ્યો હોય છે કે-જેઓ દુરાગ્રહી હોય છે. તેમને સમજાવવાનું કામ ઘણું કઠણ છે. તેમાં પ્રથમ પકડેલી વાતને કદાપિ મૂકતા નથી. तातस्य कूपोऽयं इति ब्रुवाणाः क्षारं जलं कापुरुषाः पिबन्तिઆ બાપને કૂવે છે, એમ કહી કાયર પુરુષો બીજે મિષ્ટ જળ મળતું હોય છતાં ખારું જળ પીએ છે. તેમનામાં વિવેકશક્તિ હોતી નથી. એ તે સમય જતાં દુઃખ પામીને જ્ઞાન પ્રાપ્ત કરે. દુરાગ્રહીને સુધારવાને બીજો માર્ગ જ નથી. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પવિત્રતાને પ
કવિએ કહ્યુ છે કે અજ્ઞને સુખે આરાધી શકાય છે અને વિશેષજ્ઞને તે તેથી વધારે સુખે આરાધાય છે, પરંતુ દુવિંદગ્ધ મનુષ્યને તા કોઇ રીતે સમજાવી શકાતા નથી.
તત્ત્વવિદ્યા ઉપર શ્રદ્ધા એનું નામ જ સમ્યગ્દર્શન, એમ જૈનશાસ્ત્રકારા કહે છે. જ્ઞાન અને ચારિત્રની વચ્ચે આ શ્રદ્ધાના અકાડાની ખામી જ્યાં ત્યાં ષ્ટિગેાચર થાય છે. કેટલાક મનુષ્ય જાણે પણ તે પ્રમાણે વી શકતા નથી; કારણ કે તેના દિલમાં તે જ્ઞાન વિષે પૂર્ણ શ્રદ્ધા હાતી નથી. જ્યાં શ્રદ્ધા આવી એટલે તે પ્રમાણે અવશ્ય કાર્ય થવાનું. કદાચ મનુષ્ય પેાતાના જ્ઞાન પ્રમાણે આચરણ ન કરી શકે, પણ જો તેને તે જ્ઞાન પર શ્રદ્ધા હાય તેા વહેલામેાડા તે પ્રમાણે વર્તવાને. આ જ્ઞાન તે Right belief-સાચી શ્રદ્ધા છે. તેટલા વાસ્તે કહેવામાં આવ્યું છે કે-૨ાત્રિયા: લિન્તિ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા જીવા પણ સિદ્ધિ પામે, અર્થાત્ અત્યારે પેાતાની માન્યતા પ્રમાણે જીવા આચરણ ન રાખી શકતા હાય, છતાં જો તેમની માન્યતા સત્ય હૈાય તા ધીમે ધીમે તેમની માન્યતા કાર્ય માં ઉતરશે અને તેઓ ઇષ્ટસિદ્ધિ કરી શકશે, પણ જો મનુષ્ય સત્ય શ્રદ્ધાથી ડગ્યા તા તે સથા ડગ્યા સમજવા, તેની સિદ્ધિ થતી નથી આ ખાખત પર જૈનશાસ્ત્રકારેા ઘણા ભાર મૂકે છે અને તે વ્યાજબી પણ છે. સચ્ચારિત્રનું મૂળ સશ્રદ્ધા છે અને તેનું મૂળ સજ્ઞાન છે, માટે જ કહેવામાં આવ્યુ છે કે તત્ત્વાને યયા સમજી તે પર શ્રદ્દા રાખેા અને જ્યાં સજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મિથ્યાત્વ ચાલ્યું જશે, હૃદયમાં અપૂર્વ ખળ આવશે, કારણ કે અજ્ઞાન જતાં જીવને આત્માના અસ્તિત્વ પર, આત્માના અમરત્વ પર, કર્મના નિયમ પર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
મિષ્યાવશલ્યવિરમણ
૧૧૯
પુનર્જન્મના સિદ્ધાંત પર, સાધુએ, ઉપાધ્યાયેા, આચાર્યાં, અર્હતેા, સિદ્ધો:પર તથા પેાતાનામાં રહેલા અપૂર્વ મળ પર વિશ્વાસ આવશે—શ્રદ્ધા પ્રકટશે; પછી સ મુશ્કેલીઓ દૂર થશે. આત્માના બલુનમાં શ્રદ્ધાના પવન ભરાશે, પછી નજીવી ઢારીએ તૂટતાં વાર લાગશે નહિ અને બલુન પેાતાના ઊંચે ઊડવાનેા મા લેશે; માટે જ કહેવામાં આવે છે કે સમ્યગદ ન થતાં-તત્ત્વ પર પૂર્ણ શ્રદ્ધા થતાં જીવના ઘણું। માર્ગ કપાઈ જાય છે અને તેને પાછા પડવાનું ભાગ્યેજ થાય છે. તે જીવ હવે નિર્વાણુ સુધી વહેતા ઝરામાં પગ મૂકે છે. ત્યાંથી આગળ વધ્યા કરે છે. શ્રદ્ધા પર્વતને પણ હુલાવે છે. શ્રદ્ધા એ પરમબળ છે. શ્રદ્ધા એટલે દૃઢ નિશ્ચય. મનુષ્યને જ્યાં સત્તત્ત્વા પર શ્રદ્ધા થઇ એટલે તેનુ જીવન ઉન્નત થયા વિના રહેતુ નથી. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુમાં કહ્યુ છે કે राजदण्ड भयात्पापं, नाचरत्यधमो जनः । પોમયામધ્ય, સ્વમાવાપુત્તમો લનઃ ।। ૨ ।। અધમ પુરુષ રાજદંડના ભયથી પાપકર્મ કરતા નથી, મધ્યમ પ્રકારના મનુષ્ય પરલેાકના ભયથી ખાટુ કામ કરતા નથી અને ઉત્તમ પુરુષ તેા સ્વભાવથી જ તેવા કામથી અલગ રહે છે. જે ઉત્તમ પુરુષ છે તે તે જ્ઞાનદષ્ટિથી પોતાના– આત્માના સ્વભાવને સમજે છે અને પાપકર્મ કરતા નથી, પણ મધ્યમ પ્રકારનેા મનુષ્ય જો તેને ધર્મનાં તત્ત્વ પર શ્રદ્ધા હાય તેા પાપકર્મ કરે નહિ. પરભવમાં અશુભ કાર્યાનાં અણુભ ફળે બ્રેાગવવાં પડશે, એવી તેને પૂર્ણ પ્રતીતિ હાય તા તેનાથી ખાટાં કામા થાય જ કેવી રીતે ? કેપ્ટન પર શ્રદ્ધા રાખી આપણે વહાણુમાં બેસી સમુદ્રને આળગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પવિત્રતાને પથે જઈએ છીએ તેમ જ્ઞાની–સર્વજ્ઞ મહાત્માઓ-તીર્થકરોનાં વચને પર શ્રદ્ધા રાખી તેમનાં વચન પ્રમાણે આપણું જીવન ગાળી આપણે પણ આત્મશ્રેય સાધી શકીએ. તેઓ નિષ્કારણું જગદુબંધુ હતા. તેમને અસત્ય બલવાને હેતુ ન હતો. તેઓનું ઉચ્ચ અને પરોપકારી જીવન જ આ બાબતની સાક્ષી પૂરે છે. અને જે આપણે તેમના કહ્યા પ્રમાણે વર્તવા માંડીએ તે અહીં ને અહીં આપણને તેમના વચનની સત્યતા જણાઈ આવે છે, તો પછી જે બાબતમાં આપણું મતિ કામ ન કરતી હોય, તેવી બાબતમાં તેમના વચન પર શ્રદ્ધા રાખી વતીએ તો લાભ થવાને મેટો સંભવ છે. જે કામ આપણી નૈતિક ભાવના કે અંત:કરણ વિરુદ્ધ હોય તેવું કાર્ય ગમે તેવો મહાપુરુષ કહે તે પણ આપણે કરવાનું નથી, પણ જ્યાં ધર્મોનાં સત્ય પર શ્રદ્ધા રાખવાથી બળ, ઉત્સાહ, ઉચતા અને સમભાવ પ્રકટ થતાં હોય ત્યાં તેવી શ્રદ્ધા રાખવી એ વાજબી છે.
શ્રદ્ધાથી માનેલી સત્ય વાતે ધીમે ધીમે આપણા અનુભવજ્ઞાનમાં આવે છે અને પછી દઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સાચી શ્રદ્ધા થયા પછી મિથ્યાત્વનું શલ્ય (તીર) હૃદયમાંથી હમેશ માટે ચાલ્યું જાય છે અને આપણે પણ જેશપૂર્વકશક્તિપૂર્વક આપણું ખરા ઉદગાર કાઢી શકીએ છીએ, પછી આપણને સમ્યગ્દર્શન થશે અને આપણું જીવન તદ્દન બદલાઈ જશે. આ મિથ્યાત્વ–અજ્ઞાન ગયું અને સત્ય તો પર શ્રદ્ધા ઉત્પન્ન થઈ એટલે બીજા પાપસ્થાનકોને ત્યાગ કરવાનું કામ ઘણું સુગમ થાય છે. અને આપણાં પૂર્વનાં કર્મ ઘણું નિબિડ (તીવ્ર) હોય તે અલપ સમયમાં આપણે આત્મકલ્યાણ કરી શકીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૨૧ હવે મિથ્યાત્વના ૨૧ પ્રકારે જાણવાની જરૂર હોવાથી તેઓ પૈકી પ્રથમ સંજ્ઞાઆશ્રી દશ ભેદ કહે છે. સંજ્ઞા મિથ્યાત્વ એટલે વસ્તુ અમુક છતાં તેને બીજા રૂપમાં કહેવી–માનવી તે.
૧. ધર્મ-જ્ઞાન દર્શનચારિત્રાદિ તેને અધર્મ માન.
૨. અધમ–હિંસા, અસત્ય, મિથુનાદિ તેમાં ધામ માનો તે. યજ્ઞ-યાગાદિમાં તેમ જ કન્યાદાનાદિમાં જે પુન્ય માનવામાં આવે છે તેને આ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થાય છે.
૩. સન્માર્ગ-શ્રાવક ને સાધુના વ્રત નિયમાદિને ઉન્માર્ગ માનવે તે.
૪. ઉમાગ–કાયકલેશ, કંદમૂળભક્ષણ, રાત્રિજનાદિને માર્ગ માનવ તે.
૫. અસાધુ-કંચન તથા કામિનીના ભેગી, સંસારમાં આસક્ત એવાને સાધુ માનવા તે.
૬. સાધુ–મંચન તેમજ કામિનીથી ન્યારા, પંચ મહાવ્રતધારી મુનિરાજને અસાધુ માનવા તે.
૭. જીવ-ચેતના લક્ષણવાળાને અજીવ માનવ, જીવને પંચમહાભૂતનું કાર્ય માનવું, જીવનું અસ્તિત્વ જ ન માનવું તે.
૮. અજીવ–પગલિક પદાર્થોને કઈ કારણને લઈને તેમાં વૃદ્ધિ, હાનિ થતી દેખી જીવરૂ૫ માનવા તે.
૯. મૂ મૂતમાનરૂપી એવા કર્મ વગેરેને અમૂર્ત માનવા તે.
૧૦. અમૂ–જીવ, આકાશ વગેરેને ચૂત માનવા તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
પવિત્રતાને પથ
અથવા મુક્ત જે સર્વ કર્મોને ખપાવી મેાક્ષને પ્રાપ્ત થયેલા છે તેને અમુક્ત માનવા અને અમુક્ત-જે હરિહરાદિ-ખરી મુક્તિને નહીં પામેલા–સંસારમાં જમાદિ ધારણ કરવાવાળા તેમને મુક્ત માનવા તે
આ દશ પ્રકારના મિથ્યાત્વ સંજ્ઞાને આશ્રીને છે. હવે મિથ્યાત્વના બીજા મુખ્ય પાંચ ભેદૅા કહે છે— ૧. અભિગ્રહિક—પાતપેાતાના મતના આગ્રહ-અમે ગ્રહણ કર્યા છે તે ધર્મ જ સાચા છે, બીજા બધા ખાટા છે એમ માનવું તે. એવા આગ્રહ જૈનધર્મીને જૈન ધર્મ પ્રત્યે હાય તા તે મિથ્યાત્વ ગણાતું નથી, પરંતુ ત્યાં આગ્રહ હાતા જ નથી. ત્યાં તે જે સર્વ દોષ રહિત હાય તે દેવ, જેક ચનકામિનીના ત્યાગી તથા ગુરુના ગુણેાથી સંયુક્ત હાય તે ગુરુ અને જે દયાસ યુક્ત હેાય તેમ જ અધર્મના કાઈ પણુ પ્રકારના જેમાં સમાસ ન હોય તે ધમ. આમ ખુલ્લી માન્યતા હાય છે. ત્યાં અમુક જ દેવ, અમુક જ ગુરુ એવા ખાટા આગ્રહ હાતા નથી તેને તેા ગુણની સાથે જ સંબંધ હૈાય છે.
૨. અનગ્રિહિ—બધા ધર્મ સારા, બધાને માનીએ, કોઇને નિંદીએ નહીં, બધા દેવને પગે લાગીએ, બધા ગુરુની ભકિત કરીએ, આવી મૂઢતાવાળી માન્યતા તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે; કારણ કે તેને સુવર્ણ કે લેાહની પરીક્ષા જ કરતા આવડતી નથી અને ગાળ ખાળ બન્નેને તે સરખા– લક્ષ્ય માને છે.
૩. આભિનિવેશિક—મામાં સત્ય માર્ગ જાણ્યા છતાં કોઇ પ્રકારના આગ્રહ બંધાઈ જવાથી અસત્ય માની-અસત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧૩
Page #129
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વરાવ્યવિરમણ
૧૨૭
હકીકતની પ્રરૂપણાનુ કરવાપણું છે. આ મિથ્યાત્વ બહુ જ વિષમ છે. જાણીબુઝીને અસત્ય પ્રરૂપણા કરનાર સમજાવ્યે સમજતા નથી, કેમકે તેને તેા સમજવું જ નથી. જેમ વમાન કાળે કેટલાક ઢંકપંથી સાધુઓ શાસ્ત્રાધારથી જિનપ્રતિમાને પૂજનિક તથા વનિક જાણે છે–માને છે, છતાં પેાતાના કુમાને ત્યજી શકતા નથી તેમ.
6
૪. સાંશયિક—જિનવચનમાં શંકા કરવી તે. શંકાના એ પ્રકાર છે. એક મિથ્યાત્વરૂપ શંકા છે કે જેમાં આમ સર્વજ્ઞે કહ્યું છે, પણ તે તે કાંઇ સત્ય લાગતુ નથી. ’ આવી વિચારણા હાય છે. બીજી શંકા ખરું તત્ત્વ સમજવાની આકાંક્ષારૂપ છે. તેમાં ‘ પેાતાના અલ્પજ્ઞપણાથી અમુક વાત બરાબર સમજાતી નથી તેથી તે ગીતાર્થ ગુરુ પાસે સમજવા ચેાગ્ય છે.’ એવા પ્રકારની વિચારણા છે. આ શંકા મિથ્યાત્વરૂપ નથી. ૫. અનાલાગિક—અવ્યક્ત એવા એકેદ્રિયથી આરભીને અસની પચેંદ્રિય સુધીના જીવાને જે મિથ્યાત્વ હાય છે તે.
આ પાંચ ભેટ્ઠા કર્મ બંધના મુખ્ય હેતુ તરીકે અનાદિ કાળથી ચાલ્યા આવતાં પ્રસિદ્ધ છે.
હવે લેાકિક ને લેાકેાત્તર દેવગત, ગુરુગત ને પગત મિથ્યાત્વના છ ભેદ કહે છે:—
૧. લૈાકિક દેવગત મિથ્યાત્વ-રાગ, દ્વેષ, માહાદિ ઢાષવાળા હરિહરાદિ દેવાને દેવ તરીકે માનવા તે.
૨. લૈાકિક ગુરુગત મિથ્યાત્વ–કંચનકામિનીના ભેગી, સંસારમાં આસક્ત, કંદમૂળભક્ષણ, રાત્રિ@ાજનાદિ પાપક્રિયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પવિત્રતાને પથે પ્રવૃત્તિ કરનાર બાવા, જેગી, સાધુ, સંન્યાસી વગેરે કુલિંગધારીઓને ગુરુ તરીકે માનવા તે.
૩. લેકિક પર્વગત મિથ્યાત્વ–હળી, બળેવ, નવરાત્રિ વગેરે અનેક મિથ્યાત્વીઓનાં પર્વને પર્વ તરીકે માની તેનું આરાધન કરવું તે.
૪. લેકેનર દેવગત મિથ્યાત્વ–કેસર દેવ વીતરાગ સર્વેદેષવિમુક્ત તેની આ લેકના સુખને માટે, પુત્રાદિની, અનાદિકની, સ્ત્રી વગેરેની પ્રાપ્તિની ઈચ્છાએ ભક્તિ કરવી અથવા માનતા કરવી તે.
૫. કેત્તર ગુરુગત મિથ્યાત્વ-પંચમહાવ્રતધારી, સંસારથી વિરક્ત શુદ્ધ મુનિ મહારાજની આ લેક સંબંધી પૂર્વોક્ત સુખાદિકની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી તે અથવા પાસસ્થા, દુરાચારી અને માત્ર યતિવેશધારીને ગુરુ તરીકે માનવા ને તેની ભકિત કરવી તે.
૬. લેકેનર પર્વગત મિથ્યાત્વજ્ઞાન પંચમી, મન એકાદશી, પિસ દશમી, પર્યુષણાદિ પર્વોનું આરાધન અથવા આંબિલ, ઉપવાસાદિ તપ આ લેકના સુખની ઈચ્છાએ તે પર્વાદિકને દિવસે કરવો તે.
આ છ પ્રકારો પૈકી પાછલા ત્રણ પ્રકારના મિથ્યાત્વ ધમી કહેવાતા માણસો-શ્રાવક, શ્રાવિકાઓ પણ સેવે છે, પરંતુ તે પરિણામે બહુ હાનિકારક છે; તેથી ઉત્તમ જીવોએ ઈહલોક સંબંધી પિદુગલિક સુખની વાંછા તજી દઈને માત્ર મોક્ષસુખની ઈચ્છાએ જ શુદ્ધ દેવ, ગુરુનું ને લેકોરર પર્વનું આરાધન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૩
આ કુલ એકવીશ ( ૧૦++૬ ) પ્રકારના મિથ્યાત્વ જે તજે ને ગુરુના ચરણને ભજે તે પ્રાણું પાપથી લેપાય નહીં, અને મિથ્યાત્વ જવાથી મત્સરદ્રોહાદિક અન્ય દેશે પણ તેનાથી દૂર જાય છે. એવા સમક્તિધારી, શ્રુતેલ આચારવડે સદાચારવાળા અને શાસનની ઉન્નતિ કરવાવાળા પ્રાણીઓ ભક્તિ કરવા યોગ્ય છે. તેમની સેવાભક્તિ કરવાથી તેવા ગુણે પિતાને પણ પ્રાપ્ત થાય છે.
હવે કર્તા મિથ્યાત્વને ઉપમા દ્વારા પ્રરૂપે છે. કર્તા કહે છે કે–આ જગતના અન્ય વ્યાધિઓ તે આષધવડે પણ દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તો પરમ રોગ છે. તે જેમ તેમ દૂર થતો નથી. વળી બીજો અંધકાર તે દીપકથી દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તો પરમ અંધકાર છે તે જેમ તેમ દૂર થતો નથી. અન્ય અંધકારમાં પૈગલિક વસ્તુઓ દેખાતી નથી, પરંતુ આ પરમ અંધકાર તે યુદ્ધ માર્ગ તથા આત્મસ્વરૂપને જણાવા દેતા નથી. મિથ્યાત્વ પરમ શત્રુ છે. સામાન્ય શત્રુ હોય તે બહુ વિનાશ કરે તે સુખનાં સાધનને કે છેવટ એક ભવ આશ્રી પ્રાણુને વિનાશ કરે, પણ આ પરમ શત્રુ તો અનંત જન્મમરણ આપે છે, ને અનંતા ભમાં અનંતી દુઃખની રાશિ પ્રાપ્ત કરાવે છે. પરમ શરૂ તે મિથ્યાત્વ છે, અન્ય શસ્ત્ર તે દેહને વાત કરી શકે છે, પણ આ પરમ શસ તે આત્માને-આત્મગુણને વિઘાત કરે છે. પરમ નરક તે મિથ્યાત્વ છે. રત્નપ્રભાદિ સાત નરકમાં જનારને તે અમુક કાળે છટકો થાય છે, પરંતુ મિથ્યાત્વરૂપ નરકમાં સંચરેલાને તે અનંતકાળે પણ છૂટકે થતું નથી. પરમ દૈ ગ્ય, પરમ દારિદ્ર, પરમ સંકટ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પવિત્રતાને પથે પરમ કતાર ને પરમ દુભિક્ષ એ બધી ઉપમા મિધ્યાત્વને ઘટે છે. ખરું દુર્ભાગીપણું મિથ્યાત્વીનું જ છે, ખરી દારિદ્રતા તેની જ છે કે જેની પાસે ધર્મરૂપી ધન અંશમાત્ર પણ નથી. પરમ સંકટ સિચ્યાત્વ જ છે કે જે અનાદિકાળનું છે અને તેને ક્યારે અંત આવશે તે કહી શકાતું નથી. પરમ ભયંકર-મહાન અટવી કે જેમાં ભૂલો પડેલે માણસ અટવાઈ અટવાઈને મરી જાય પણ બહાર નીકળી શકે નહીં એવી અટવી તે મિથ્યાત્વ છે. તેમાં ભરાયેલા–ફસી પડેલા પ્રાણુનો અનંત કાળે પણ છૂટકે થતો નથી. ખરેખર મહાન દુષ્કાળ તે મિથ્યાત્વ છે, કારણ કે અન્ય દુષ્કાળ તે પરિમિત કાળના હોય છે અને તેમાં દેહને ભેજન મળતું નથી, પરંતુ આ દુષ્કાળ તે અપરિમિત કાળનો છે ને તેમાં આત્માને સ્વગુણનું ભક્ષ મળતું નથી. આવા સર્વદોષસંપન્ન મિથ્યાત્વને કોઈ પણ ઉપાયે તજવાથી જ ખરું સુખ પામી શકાય તેમ છે તે લક્ષમાં રાખવા યંગ્ય છે.
૧૮ પાપસ્થાનકમાં મૃષાવાદને લગતાં ૬ પાપસ્થાનક
અઢાર પાપસ્થાનકોમાં ૬ પાપસ્થાનકો મૃષાવાદને લગતાં છે. તે છ પાપસ્થાનકેનું શી રીતે મૃષાવાદપણું છે તે સમજવાને વિચાર કરીએ.
૧. પ્રથમ તે મૃષાવાદ એટલે અસત્ય બોલવું. આમાં અસત્ય માત્ર ખોટું બોલવું તેને કહ્યું નથી, પરંતુ જે બેલવાથી અન્ય જીવોને ખેદ થાય કે તેનું અનિષ્ટ થાય તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વશલ્યવિરમણ
પણ અસત્ય કહ્યું છે. એટલા માટે પચ્ચ, હિત અને મિત એ ત્રણ વિશેષણવાળું સત્ય બોલવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. તે “સત્ય સત્ય જ નથી કે જે બોલવાથી અન્ય જીવને ખેદ થાય” તેથી તેવું વચન બોલવું નહીં.
૨. કલહ–આ બારમું પાપસ્થાનક છે. કલહથી જીવો પિતાપણને ભૂલી જાય છે અને બેલવામાં વિવેક રાખી શકતાં નથી. એટલું જ નહીં પણ પછી સત્યાસત્ય બોલવાને વિવેક પણ સાચવી શકતાં નથી. એટલે આ પાપસ્થાનકનું મૃષાવાદપણું સ્વતઃ સિદ્ધ છે.
૩. અલ્યાખ્યાન–એટલે બીજાને કલંક આપવું તે. સાચી વાત પણ જે અન્યને કલંકરૂપ થાય તેવી હોય અને તે જે પૂરી ખાત્રી કર્યા વિના બેલાય તે તે પણ કલંકરૂપ છે. આ પાપસ્થાનકની ટેવ પડ્યા પછી ખોટું કે સાચું કલંક આપવું તેનો નિયમ રહેતું નથી. તેથી એમાં મૃષાવાદપણું આવી જવાનો અત્યંત સંભવ છે.
૪. પશુન્ય –ચાડી ખાવી તે. કોઈની ગુપ્ત રાખવા જેવી હકીકત કે જે બહાર પડવાથી તેની અપકીર્તિ થાય અને બીજા પ્રકારે પણ હાનિ થાય તે તેના વિરોધીને કહેવી તેનું નામ ચાડી ખાવી કહેવાય છે. આમાં સાચા ખાટાની વિવેક્ષા જ કરવાની નથી. એ ચાડી તે સામા માણસને દુઃખ ઉપજાવવા અથવા હાનિ કરવા માટે જ ખવાતી હેવાથી મૃષાવાદરૂપ જ ગણવાની છે, એટલે એનું મૃષાવાદપણું સિદ્ધ જ છે.
૫. પરપરિવાદ-પારકી નિંદા કરવી તે. આમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પવિત્રતાને પંથે
પારકા ગુણ ગ્રહણ ન કરતાં એના દેષ જ ગ્રહણ કરવાપણું હોય છે. કેટલીક વખત શ્રેષબુદ્ધિને કારણે ગુણને પણ દોષરૂપે જોવાય છે અને તેને નિંદારૂપે કહેવામાં આવે છે. આવી ટેવ જે મનુષ્યને પડી હોય છે તે બીજાના ગુણ જોઈ શકતો નથી, એટલું જ નહીં પણ સાંભળી પણ શક્તો નથી. તેની પાસે જે કોઈ અન્યના ગુણાનુવાદ કરે તો તે દૂધમાંથી પુરા કાઢવાની જેમ તેમાંથી દોષ શોધી કાઢે છે. કહ્યું છે કે “દોષ નજરથી નિંદા હવે, ગુણ નજરે હોય રાગ.” એટલે ગુણને દોષ જોવામાંશોધવામાં આપણી નજર જ કામ કરે છે. આવી ટેવવાળાને મોટી હાનિ તે એ થાય છે કે એનામાં કોઈ પણ ગુણ ટકી શક્તો નથી. એની દષ્ટિ જ બદલાયેલી રહે છે એટલે આમાં પોતાથી જ પોતાને આત્મા ભારે થાય છે એટલે તેને પ્રગટપણે મૃષાવાદ કહી શકાય તેમ છે.
૬. માયામૃષાવાદ–આમાં તો મૃષાવાદ પ્રગટપણે જ કહેલ છે, પણ તેમાં માયા શબ્દ વધારે છે, તેથી શાસ્ત્રકાર તેને વઘારેલા વિષ જેવું કાતીલ વિષ કહે છે. એને વક્રેલા વાઘના બાળકની અને અવળા પકડેલા શાસ્ત્રની ઉપમા આપી છે કે જેથી આત્માને પારાવાર હાનિ થાય છે.
ઉપર પ્રમાણે છ પાપસ્થાનક મૃષાવાદને લગતાં જ છે. તે સંબંધમાં મુખ્ય તે વાણવ્યાપાર છે; પરંતુ તેનો ઉદ્દભવ અંત:કરણની મલિનતામાંથી થાય છે એટલે તે સર્વથા ત્યાજ્ય છે. એમાં કાયવ્યાપારની ગણતા છે, વાણવ્યાપાર મુખ્ય છે.
- સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
–પ્રભુ-પ્રાર્થના
|
| દુહા, હે પ્રભુ ! હે પ્રભુ! શુ કહે, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આયતણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહી. જોગ નથી સત્સંગના, નથી સત્સવા જોગ; કેવળ અર્પણુતા નથી, નથી આશ્રય અનુયાગ. * હું પામર શું કરી શકું ? ” એવા નથી વિવેક; ચરણ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિ ત્ય તુજ મહાસ્યના, નથી પ્રફુલ્લિત ભાવ; અ શ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહના તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેના પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહિં ભજન દ્રઢ ભાન; સમજ નહિ નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કેળિથી થા, નહિ મર્યાદા ધર્મ; તેાય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકુળ જે, તે અધન નથી ત્યાગ; હેટ્રિય માને નહીં, કરે આદ્ય પર રાગ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________ તુજ વિયોગ કરતા નથી, વચન નયન યુમ નાંહિ; નહિ અનભતથી, તેમ ઝહાદિકમાંહી. અહં ભાવથી રહિત નહિ, સ્વધર્મ સ ય નાહી; નથી નિવૃત્તિ નિર્મળપૂણેઅન્ય ધમની કાંહી. 12 એમ અને તે પ્રકારથી, સાયન હિત હુંય, નહી એક સદગુણ પણ, સુખ બતાવું શું ય - 13 કેવળ કરુણામૂત્તિ છે, દીનખ ધુ દીનનાથ; પાપી પરમ અનાથ છે, ચહા પ્રભુજી હાથ, અન’ત કાળથી આથવ્યો, વિના ભાને ભગવાન સેવ્યા નહિ ગુરુ સતને મૂકયું નહિ અભિમાન, સ તચરથ આશ્રય વિના, સાધન કર્યાં અનેક ચાર, ન તેથી યામીયા, ઊગે ન અશ વિવેક, 16 સહું સાધન અધિન થયાં, રહ્યો તે કોઈ ઉપાય; સતું સાધન સમજ્યા નહિ, ત્યાં આ ધન છે જા, ? ૧૭પ્રભુ પ્રભુ હયુ લાગી નહિ, પડ્યો ન સદુશરુ થાય દીઠા નહિ નિજ રોષ તો, તરીએ કાણુ ઉપાય 1 અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હું ય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે થ ય. 19 પડી પડી તુજ યુપંકજે ફરી ફરી મા એ જ - સદગુરુ તસ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ 10 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com