SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ લાભવરમણ જરૂરિયાતા અને સગવડાને ખાતર જે ધન આવશ્યક હાય, તે સિવાયનું બાકીનું ધન નિરર્થક અને ઘણીવાર તેા એજારૂપ હાય છે. પણુ જો મનુષ્ય માકીના ધનના પરીપકારાર્થે અથવા સત્કાર્યમાં ઉપયાગ કરે તેા તેની સફળતા છે. મનુષ્ય ધનવાન થયા. એટલે તેના ધનને લીધે તે આકૃતિવિદ્યા ( Drawing ) અથવા સંગીતશાસ્ત્રમાં નિપુણુતા મેળવી શકે નહિ. ગરીખ મનુષ્યની માફક તેને તે વિદ્યા શીખવાને મહેનત કરવાની જરૂર છે. તેમજ ધનને લીધે જિતેંદ્રિયપણું, ધૈર્ય આદિ સગુણા આવી જતા નથી. તેમજ ધનને લીધે ધન ઉપર વૈરાગ્ય આવી શકતા નથી, તેમજ પેાતાના આત્માને પરિગ્રહની મર્યાદા કરતાં પણ શીખવી શકાતા નથી. જો મનુષ્યને તૃષા લાગી હાય તે જળ તેની તૃષા છીપાવે છે. જો મનુષ્યને ભૂખ લાગી હાય તેા ખારાક તેની ભૂખ મટાડે છે. જો મનુષ્યને ઠંડી લાગતી હાય તેા ગરમ કેટ પહેરવાથી અથવા અગ્નિ પાસે બેસવાથી તે ઠંડી દૂર ભાગે છે અને તે મનુષ્યને શાંતિ થાય છે. પણ જો જરૂર કરતાં વધારે ખાય તે અજીણું થાય છે, જરૂર કરતાં વધારે પાણી પીવાથી પેટ અકળાય છે અને જરૂર કરતાં વધારે વજ્ર પહેરવાથી તાપ વિશેષ લાગે છે. કુદરતી તંગી પૂરી પડી એટલે કુદરત સંતાષ પામે છે. તેની તંગી કરતાં વધારે વસ્તુએ તેને ભારરૂપ જણાય છે તેમજ નુકશાનકારક નીવડે છે, પણ ધનમાં તેમ નથી. તે ખાખતમાં તેા ધન મળતાં વિશેષ ધનની સ્પૃહા પ્રકટે છે અને આ લેાભના કેાઈ દિવસ અંત આવતા જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઊર્ફ www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy