SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મિષ્યાવશલ્યવિરમણ ૧૧૯ પુનર્જન્મના સિદ્ધાંત પર, સાધુએ, ઉપાધ્યાયેા, આચાર્યાં, અર્હતેા, સિદ્ધો:પર તથા પેાતાનામાં રહેલા અપૂર્વ મળ પર વિશ્વાસ આવશે—શ્રદ્ધા પ્રકટશે; પછી સ મુશ્કેલીઓ દૂર થશે. આત્માના બલુનમાં શ્રદ્ધાના પવન ભરાશે, પછી નજીવી ઢારીએ તૂટતાં વાર લાગશે નહિ અને બલુન પેાતાના ઊંચે ઊડવાનેા મા લેશે; માટે જ કહેવામાં આવે છે કે સમ્યગદ ન થતાં-તત્ત્વ પર પૂર્ણ શ્રદ્ધા થતાં જીવના ઘણું। માર્ગ કપાઈ જાય છે અને તેને પાછા પડવાનું ભાગ્યેજ થાય છે. તે જીવ હવે નિર્વાણુ સુધી વહેતા ઝરામાં પગ મૂકે છે. ત્યાંથી આગળ વધ્યા કરે છે. શ્રદ્ધા પર્વતને પણ હુલાવે છે. શ્રદ્ધા એ પરમબળ છે. શ્રદ્ધા એટલે દૃઢ નિશ્ચય. મનુષ્યને જ્યાં સત્તત્ત્વા પર શ્રદ્ધા થઇ એટલે તેનુ જીવન ઉન્નત થયા વિના રહેતુ નથી. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુમાં કહ્યુ છે કે राजदण्ड भयात्पापं, नाचरत्यधमो जनः । પોમયામધ્ય, સ્વમાવાપુત્તમો લનઃ ।। ૨ ।। અધમ પુરુષ રાજદંડના ભયથી પાપકર્મ કરતા નથી, મધ્યમ પ્રકારના મનુષ્ય પરલેાકના ભયથી ખાટુ કામ કરતા નથી અને ઉત્તમ પુરુષ તેા સ્વભાવથી જ તેવા કામથી અલગ રહે છે. જે ઉત્તમ પુરુષ છે તે તે જ્ઞાનદષ્ટિથી પોતાના– આત્માના સ્વભાવને સમજે છે અને પાપકર્મ કરતા નથી, પણ મધ્યમ પ્રકારનેા મનુષ્ય જો તેને ધર્મનાં તત્ત્વ પર શ્રદ્ધા હાય તેા પાપકર્મ કરે નહિ. પરભવમાં અશુભ કાર્યાનાં અણુભ ફળે બ્રેાગવવાં પડશે, એવી તેને પૂર્ણ પ્રતીતિ હાય તા તેનાથી ખાટાં કામા થાય જ કેવી રીતે ? કેપ્ટન પર શ્રદ્ધા રાખી આપણે વહાણુમાં બેસી સમુદ્રને આળગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy