SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ હવિરમણ કેકેયીએ કહ્યું, “હા, હું રામને મારા ભરત તુલ્ય ગણું છું. અને તેથી મને આનંદ છે.” મંથરાએ કાન ભંભેરતાં કહ્યું. રામ ભલે આદમી છે, પણ તેની માતા કૌશલ્યાને ઓળખે છે? જ્યાં રામ અને કૌશલ્યાના હાથમાં સત્તા આવી, એટલે તમે અને તમારે ભારત ભિખ માગશે માટે કાંઈક તો વિચાર કરો.” આ કલહ ઉત્પન્ન કરાવનારાં વચનોથી કેકેયીને અસર થઈ. અને તેણે કહ્યું “ ત્યારે હવે કરવું શું? ” મંથરાએ તરત જ ઘડી કાઢેલી ચેજના રજૂ કરી–“ તમે એક વાર કહેતા હતા કે દશરથ રાજાએ તમને બે વચન આપેલાં છે, તે તેને લાભ લેવાને આ સમય છે. આજે તમારી પાસે દશરથ રાજા આવે ત્યારે તે બે વરદાનમાંથી એક વરદાનવડે ભરત વાતે રાજ્યગાદી માંગ અને બીજા વરદાનવડે રામ દ વર્ષ જંગલમાં જાય તેવું માગી લેજે રાજા ગમે તેવું સમજાવે તે પણ તમારી હઠ છોડશે નહિ.” આ હલકી સલાહ પ્રમાણે કેકેયી હતી. તેના પરિણામે રામ વનવાસ ગયા અને દશરથ રામના વિયેગે મરણ પામ્યા. આ બધી દુર્દશાનું કારણ કેકેયીને કલહશીલ સ્વભાવ નહિ તે બીજું શું ? કલહના ફાયદા તે આપણે સર્વ જાણીએ છીએ. કહેવત છે કે-કછઆથી તે ગળાના પાણી પણ સૂકાઈ જાય, અર્થાત્ જે ગૃહમાં કલહ પેઠે તે ઘરમાંથી લક્ષમી ચાલી જાય છે, કારણ કે સંપ ત્યાં જંપ છે અને કલહ કુસંપનું મૂળ છે. એકતા એ સરવાળો છે અને કલહ એ બાદબાકી છે. તેમાં બન્નેનું બળ નાશ પામે છે. કલહથી કુસંપ જન્મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy