________________
૫૪
પવિત્રતાને પંથે મેટામાં મોટું અજ્ઞાન છે, માટે જ્ઞાનનો મદ તે કદાપિ કરવો નહિ. કવિ ટેનિસન લખે છે કે –
Let knowledge grow from more to more But more of reverence in us dwell.
આપણે ભલે વિશેષ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીએ, પણ તે જ્ઞાન સાથે આપણામાં પૂજ્યભાવ આવવો જોઈએ. આપણુ કરતાં જ્ઞાનમાં આગળ વધેલાઓ પ્રત્યે પૂજ્યભાવ આવતાં આપણામાં શિષ્યવૃત્તિ-નમ્રતા જાગ્રત થશે.
હવે અભિમાનના ગેરફાયદા વિચારીએ.
સૈથી મોટો ગેરફાયદો એ છે કે અભિમાની મનુષ્ય વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે પિતાના માની લીધેલા સર્વજ્ઞપણમાં મૂંઝાય છે, એટલે તેને પોતાને જ મોટો ગેરલાભ થાય છે. તે કોઈને પણ વિનય કરી શકતો નથી. આ રીતે જ્ઞાનપ્રાપ્તિનું ઉત્તમ સાધન તેની પાસે નહિ હોવાથી તે બીજાઓની કૃપા મેળવી શકતો નથી. તેનો મિત્ર કઈ થતું નથી, તેથી પાસે પૈસા હોય કે સત્તા હોય તે લકે તેવા મનુષ્યની ખુશામત કરે, તેની રૂબરૂમાં તેના કહેવાની હાજી હા કરે પણ તે તેના ખરા ભક્ત કે પ્રેમાળ મિત્ર થાય નહિ. અર્થાત્ અભિમાની મનુષ્ય અતડો રહે છે, કોઈ તેને ખરા જીગરથી હાતું નથી, એટલું જ નહિ પણ તે ઘણું શત્રુઓ બનાવે છે. તે ગમે તેવા કામે કરીને પોતાનું માન સાચવવા મથે છે. પોતાની પાસે ધન ન હોય તે કરજ કરીને પણ ધન ખરચશે, અને પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com