________________
માયામૃષાવાદવિરમણ
૧૧૩
રનાર મનુષ્ય લાંબો કાળ વિજય પામી શકે નહિ. કુદરત પિતાના નિયમને ભંગ લાંબા સમય સહન કરી શકે જ નહિ, માટે આત્મ અભ્યાસી મનુષ્ય કપટ અને અસત્યને પોતાના હદયમાંથી દેશવટે આપવો.
ઉપદેશસપ્તતિકા નામના ગ્રન્થમાં માયાકપટીની કેવી દુર્દશા થાય છે, તે ઉપર એક દષ્ટાંત આપેલું છે.
શ્રી તિલકપુરમાં ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ નામના બે વણિક રહેતા હતા. ધર્મબુદ્ધિ સરલસ્વભાવી તેમજ પરહિતચિંતક હતા અને પાપબુદ્ધિ કપટી, માયાવી અને વિશ્વાસને છેતરનારો હતો. બંનેને વેપાર નિમિત્તે મિત્રી થઈ. લેકો એમ કહેતા હતા કે-કાષ્ઠ અને કરવત જે આ યુગ છે, તથાપિ પિતાના ઉત્તમપણાથી ધર્મબુદ્ધિએ તે પાપબુદ્ધિને ત્યાગ કર્યો નહિ. બને જણ વેપાર નિમિત્ત બીજે દેશ ગયા અને વ્યવસાય કરી દરેક હજાર સોનામહારે કમાયા. તે બન્ને પોતાના ગામ તરફ પાછા વળ્યા. જ્યારે પિતાનું નગર પાસે આવ્યું ત્યારે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું“ મિત્ર! આટલું બધું ધન નગરમાં કેમ લઈ જવાય? માટે કેટલુંક અહીં જ દાટી મૂકીએ, પછી એગ્ય અવસરે તે લઈ જઈશું, કારણ કે ધનને અનેક પ્રકારે રાજ, ભાગીદાર અને ચેરથી ભય હોય છે.” આમ સાંભળી ધર્મબુદ્ધિએ પાંચ સે સોનામહોર એક વૃક્ષ નીચે દાટી. તેને વિશ્વાસ પમાડવા પાપબુદ્ધિએ પણ તેમજ કર્યું. પછી તેઓ પોત પોતાને ઘેર ગયા. પાપબુદ્ધિ રાત્રે છાનામાને બન્નેનું દાટેલું ધન લઈ ગયે. એક દિવસ પાપબુદ્ધિને ધર્મબુદ્ધિ આવી કહેવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com