________________
કરી છે. સમાજને બોટો ખ્યાલ ન આવે કે મારી દીક્ષા-ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારો વૃત્તાંત પ્રગટ કરવો ઉચિત છે. ઉત્તરાધ્યયન' સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યું કે, મનુષ્ય-જીવનનું ખરું કર્તવ્ય મોક્ષફળ આપનારી દીક્ષા જ છે; છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતો નહીં અને બીજી બાજુથી મને થયું કે, આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે મારે જરા પણ પ્રમાદ કરવો ઉચિત નથી. તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળસંઘ મારા કાર્યને અનુમદશે જ. તથાસ્તુ !
રાજકોટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનોદકુમાર કેમ દેખાતા નથી, એટલે તપાસ થવા માંડી. ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે બહારગામ તાર કર્યા. કયાંયથી પણ સંતોષકારક સમાચાર સાંપડ્યા નહીં. અર્થાત તો મળે જ નહીં. આમ, વિમાસણના પરિણામે પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદી આવી, તે એ હતી કે તે વખતે શ્રી વિનોદકુમારે આજ્ઞા માગેલી કે “બાપુજી! આપની આજ્ઞા હેય તો આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉં, કારણ કે ખીચનમાં પૂ. ગુરુમહારાજ સમર્થમલ મુનિ કે જેઓ સિદ્ધાંત વિશારદ છે, અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે તો મારી ઈચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે.
આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પં. પૂર્ણચંદ્રજી દકને પોતાની પાસે બોલાવ્યા અને વિનોદકુમાર માટેની પિતાની ચિંતા વ્યક્ત કરી. પંડિતજીનું પણ આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યું કે, “ડા સમય પૂ શ્રી વિનોદકુમારે