Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ મુનિજીવનની બાળથી ઘણે સ્વાધ્યાય કર્યો છે કે ઘણી ગુરુસેવા કરી છે, હવે આરામ કરીને આનંદ મેળવું! એવી કલ્પના પણ આપણુ માટે ખતરનાક છે. આથી જ લેહચણ ચાવવા કરતાં કઠિન, અસિધારા ઉપર ચાલવા કરતાં કઠિન મુનિ-ત્રત કહ્યું છે. પણ તેથી શું? હવે કાંઈ હિંમત હારી જવાય? માંડ માંડ હાથમાં આવી ગએલું સંયમ–જીવન શિથિલતાની અગનજવાળાઓમાં ભડથું કરી દેવાય? ના...જરા ય નહિ... ગમે તેવા વિકટ સંગે વચ્ચે રહીને પણ આપણે ચિત્તને સમતલ બનાવીએ. મેહરાજની આ જ કરામત છે કે તે જે વિચારે તર્કો અને કુતર્કો ઉત્પન કરાવીને આપણું વિકાસને થંભાવી દે છે યાવત્ નિષ્ફળ કરી દે છે. ભૂતકાળમાં આવું ઘણીવાર બન્યું, આપણે ય તેની જાળમાં ફસાઈ ગયા, પણ ના...હવે તો એ ભૂલ ન જ કરીએ. વિકાસ એટલે વણથંભ્ય વિકાસ. હવે તે યથાખ્યાત ચારિત્ર, કેવલ્ય અને સિદ્ધત્વ પામીને જ જપીએ. જે જરાક ચૂકીશું તે ઠેઠ નિગદ સુધી – કદાચ અનંતકાળ માટે – ફેંકાઈ જઈશું. અવિરતિના એ ગોઝારા દિનેમાં સબડી સબડીને સાફ થઈ જઈશું. ચૌદ પૂર્વ ઘર મહાત્માએ પણ પળની કઈ ભૂલમાં નિગોદ સુધી પટકાઈ પડયા છે એ શાસ્ત્ર–વચનને સતત નજર સમક્ષ રાખીએ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 202