________________
મુનિજીવનની બાળાથી બેંતાલીસ દેષ વિનાને આહાર આવી ભિક્ષાચર્યાને
માધુકરી” કહેવામાં આવી છે. ભિક્ષા આ રીતે જ લાવવી જોઈએ.
પણ સબૂર! આવી ભિક્ષા લાવ્યા પછી પણ તેને - આરોગ્યા બાદ શરીરમાં પેદા થનારી વીર્ય સુધીની સાત - ધાતુઓમાં દુષ્કર્માદિના ગે કઈ ખળભળાટ પેદા થઈ જાય છે?
ના..ના.. તેમ થાય છે તે સમગ્ર મુનિજીવનની સાધના મનના પાપની એક જ પળમાં ક્યારેક ધારાશાયી બને. હાય! આટલી મોટી હોનારત ! તે પછી કરેલા મેટા શૈભવી સંસારના ત્યાગનું શું ? ઓલી ખાનદાનીનું શું? ગમે તેમ કરીને એ જાતીય આકર્ષણથી ચિત્તને શીવ્ર પાછું ખેંચવું જ રહ્યું. તે માટે જે કાંઈ તપ, આતપનાદિ કષ્ટ સહવું પડે તે સહી લેવું.
રે! પેલે તિર્યંચ જાતિને ખાનદાન નાગ પણ વમેલું પાછું આગતે નથી!
હા...આ જ વાત કરીને મહાસતી સાધ્વીજી રાજીમતીજીએ રહેનેમિજીને પતનની ખીણમાં પટકાતાં ઉગારી લીધા હતા ને? તેમણે કે સણસણતા ચાબખા મારતે ધ આપ્યો હતો !
બસ...બસ તો પણ આણેલી ભિક્ષાના કેઈ પણ કણમાંથી વિકારને ક્ષોભ પેદા થવા નહિ દઉં. આ મારે દઢ સંકલ્પ છે. તે પછી જ મારી ગોચરી વાપરવાની વિધિને આરંભ છે.