________________
મુનિજીવનની બાળપોથી
૧૨૫ ઠીક ઠીક પોષણ મળે છે અને તે કારણસર જ ગુરુથી વેગળા રહેવાની દુર્મતિ સૂઝતી હોય છે.
હાય! દુર્ગતિનાં દુઃખની કારમી પીડામાંથી મુક્ત થવા માટે દીક્ષિત થએલે આત્મા કે ફસડાઈ પડ્યો !. આ લેકના જ ગુરુ-પરાધીનતાદિ દુઃખોથી ત્રાસી ઊંડ્યો અરેર! બિચારાએ વિષાનુષ્ઠાન (!) સેવીને આપઘાત કર્યો !.
હાર્દિક અનુમોદન
(૪૫) એક આચાર્ય ભગવંત ભજન-માંડલીમાં પિતાના શિષ્યને શાસ્ત્રના કૂટ પ્રશ્નો પૂછતા. એમની એવી ઇચ્છા હતી કે આવા પ્રશ્નોના જવાબ શોધવામાં જ શિષ્યાનું મન એકાકાર થઈ જાય તે તેમને આહાર કરતાં રાગાદિ દેશે જાગે નહિ.
શિષ્યના હિત માટેની કેવી મહાકરુણા! મહાવત્સલતા!
(૪૬) ઘણા શિષ્યોના ગુરુને વધુમાં વધુ બે જ મોટા આસન પાથરવાને અભિગ્રહ હતો. કિન્તુ ભકિતના આવેશમાં શિષ્ય ક્યારેક ત્રણ આસન પણ પાથરી દેતા, પરંતુ આ ગુરુદેવ કેટલીક વાર આ વસ્તુ પકડી પાડતા. તેઓ જાતે. ક્યારેક આસન ગણતા અને બે થી વધુ જેટલા આસન હેય. તે સ્વયં બહાર કાઢી નાખતા !