________________
૧૪૮
મુનિજીવનની ખબપેથી કેટલીક વાર આવો આગ્રહ રાખનારા આધાકમી લેવાને પણ જે તૈયાર થતા હોય પરંતુ સુદર્શન ઘનવટીની ગોળી – નિર્દોષ ઔષધ – હોય તો ય તે લેવાને લાચાર હોય તે તે તે “ખાળે ડૂચા અને બારણું ખુલ્લાં જે ન્યાય થયો કહેવાય. આવા સમયે ખૂબ જ જીવંત. વિવેકબુદ્ધિ વાપરીને ગીતાર્થ ગુરુદેવની આજ્ઞાને એકદમ “તહત્તિ કરીને જ સંયમ-યાત્રા આગળ ધપાવવી જોઈએ.
સવાલ (૨૮) : કાંઈક વધુ ટકા સાધ્વીજીઓનું આરોગ્ય ચિંતાજનક બન્યું છે ? એમ નથી લાગતું
જવાબ : હા...મને તેમ લાગે છે ખરું. એનાં. બે કારણે જણાય છેઃ (૧) આહારદિના નિયમની પૂરી સમજણને અભાવ. (૨) માનસિક ચિંતાઓ–એવાં કેટલાંક સાચા કે ખોટાં આર્તધ્યાન-કેઈ યથાઓ.
જૈન સંઘ તેમના આહાર સંબંધમાં ઉપેક્ષા કરે. છે તેવું બિલકુલ નથી; પરંતુ સાધ્વીજીઓની મોટી સંખ્યાને આ બાબતનું વિશેષ જ્ઞાન નહિ હોય તેમ મને લાગે છે. પછી તેઓ ઝટઝટ ડોકટરને ફરિયાદ કરે છે. ડેકટરે પણ ઝટપટ ભારે દવાઓ (ભક્ષ્ય કે અભક્ષ્ય ) લખી આપતા હોય છે, અને સાધ્વીજીએ પણ ગામે ગામે બદલાતા જતા ડેકટરોની બદલતી જતી દવાઓ વાપર્યા જ કરતા હોય છે. કન્યારેક તે આહાર કરતાં ય