Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૪ મુનિજીવનની બાળપાણી - ૨૮ ગુરુમહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિ. - ર૯ ગુરુમહારાજની અનુકૂળતાઓ સાચવવી એ જ સંચમશુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. - ૩૦ આપણા હિતની વાત કડવી હોય તો પણ હસતે મુખે સાંભળવી. ૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરિયાત ઘટાડવી એ સાધુતાની સફળતા છે. ૩ર મરણ જ્યારે તેનું કંઈ ધરણુ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. ૩૩ આપણી પ્રશંસા–વખાણ સાંભળી કુલાઈ ન જવું. તેમજ નિંદા સાંભળી ધ ન કરે. ૩૪ “આત્મામાં અનંત શક્તિ છે' એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સયમ, જ્ઞાન, ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વીત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. ૩૫ સંચમાનકૂલ કેઈ પણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે છે પણ વિચારોથી કાયર કદી ન બનવું. ૩૬ આંખ, કાન, જીભ વગેરે ઇદ્રિ ડાકુ છે, તે આત્માનું બધું પુણ્યધન લૂંટી લે છે, માટે ઈન્દ્રિયે કહે તેમ ન કરવું–પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. ૨૭ મધુર ખાવાની સારી ચીજે કે જોવાલાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મમરણ કરવા પડે છે માટે ઈન્દ્રિયનિગ્રહ સાટે સાવચેત રહેવું.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202