________________
પાઠ : ૧૧
અભ્યાસ અને અભ્યાસકાળી
સમગ્ર મુનિજીવનને કાળ તે અભ્યાસકાળ છે. સાધુ સદૈવ શાઆભ્યાસ-નિરત હેય; તેને વળી વય-મર્યાદાનું નિયંત્રણ શેનું ? પાંસઠ વર્ષની જૈફ વયે પણ સાધુ ભગવંત કાંઈ ને કાંઈ ગેખતા હવા ઘટે ભણતા હવા ઘટે.
પણ તેમાં ય મુનિજીવનનાં પહેલાં દસ વર્ષ તે અત્યંત મૂલ્યવાન છે, અભ્યાસ કરવા માટે તે.
તપ, ત્યાગાદિની સાથે શરૂનાં દસ વર્ષ તે દરેક મુનિએ-સાધુ કે સાઠવીએ સ્વાધ્યાયના રસમાં એકાકાર બની જવું જોઈએ. આવશ્યક ક્રિયાઓ, ગુર્વાદિની સેવા અને યથાશક્તિ તાપૂર્વક એણે પુસ્તકના કીડા જ બની જવું જોઈએ એમ કહું તે તે ખેડું નહિ ગણાય.
શાસ્ત્ર-સ્વાધ્યાય સિવાય કશું જ નહિ, એમાં ય ખાસ કરીને કંઠસ્થ કરવા માટેની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું જોઈએ.
ચાર પ્રકરણાદિ અનેક પ્રકરણગ્રંથ તથા કમ્મયડી