________________
૧૪
મુનિજીવનની બાળપેાથી
મારુ રક્ષણ કરશે. ” ખરેખર તેમ જ થયું. તે મહાત્મા ત્યાર પછી દિવસના ૧૦ થી ૧૫ માઈલ હુંમેશ ચાલીને તીર્થાધિરાજ શ્રીશત્રુંજયની યાત્રા પણ કરી આવ્યા.
(૪૨) તે આચાય –ભગવતશ્રીજી આજીવન એકાસણુ તેા કરતા જ હતા, પણુ નવાઈની વાત તેા એ હતી કે તે એકાસણું માત્ર સાત મિનિટમાં પૂરું થતું હતું. અને તેમાં લેવાતા સાદા ચાર દ્રવ્યમાં ય રાગ ન જાગી પડે તે માટે તેમણે એક કળા શેાધી કાઢી હતી કે માંમાં એક જ માજુથી—એ બાજુ મમરાવ્યા વિના દરેક કાળીઆને તે પસાર કરતા હતા !
(૪૩) એક ખાખી મહાત્મા સામાન્યતઃ કદી કાઇને કવરટપાલ લખતા નથી. ન છૂટકે ટપાલ લખવી પડે તે દરેક ટપાલ દીઠ પંચાંગ પ્રણિપાતપૂર્વક દસ ખમાસમણાં દેવાને તેમણે દડ રાખ્યા છે.
(૪૪) ઉપરાક્ત મહાત્માને બીજો નિયમ એ છે કે રાત્રે સાડા ચાર કલાકથી એક પણ મિનિટની વધુ ઊંઘ થાય તે તે દિવસે એકાસણામાં શાકના સંપૂર્ણ ત્યાગ કરવા ! આ મહાત્મા જો કયારેક દિવસે નિદ્રા લે છે તે એક ઉપવાસના દંડ ભાગવે છે!