________________
મુનિજીવનની બાળથી
૧૨૧ આરાધના ગામડામાં કે નાનાં નગરોમાં થઈ શકે તે મોટાં -નગરમાં ન જ થઈ શકે.
નગરમાં વિરાધનાઓને કેઈ સુમાર નથી. તેમાં ય આત્માનાં દયાનાં કેમળ પરિણામેને એકદમ કઠોર બનાવી નાંખનારી વિરાધના વાડાઓમાં સ્થડિલ-ગમનની છે. ક્યારેક વિચાર કરતાં એમ લાગે છે કે આ પાપની સામે પરાર્થ. કરણનાં કદાચ લાખે પુણ્ય ભેગાં કરાતાં હોય તે ય તે પુ સાવ વામણું-હીણ લાગે એટલું મોટું આ પાપ હશે.
બીજા નંબરમાં ભક્તોની સગવડેનું ઘણું મોટું પાપ મોટા નગરમાં થાય છે. આ ઘણું પાપોને જન્મ આપતું પાપ છે.
ક્યારેક કેટલાક દેશે સેવીને પણ મોટાં નગરમાં રોકાણ કરવાના વિચારે આવે છે અને અમલમાં પણ મુકાય છે, પરંતુ ઊંડાણથી વિચારતાં એમ જ લાગે છે કે આમાં લાભ કરતાં નુકસાન વધુ હશે.
વળી જાતનું ખાઈને કરાતું પરનું કલ્યાણ એ વાસ્તવિક અને ચિરંજીવી કલ્યાણ જ નથી.
છતાં ય કેટલાક મુનિઓ કે આચાર્યોને મોટાં નગરમાં પણ ચાતુર્માસાદિ કરવાની ફરજ પડતી હોય તે સંભવિત છે. પણ તેવા મહાત્માએ ખૂબ જાગ્રત રહે તે તેને વ ગેરલાભ ન થાય તે ય શકય છે.
પરંતુ તે સિવાયના મહાત્માઓ અને સાધ્વીજી મહારાજાનું શું? વળી તેવા વિશિષ્ટ કેટિના પ્રભાવક મહાત્માએ