________________
-દબાયેલાં રહે છે તેને ઉપશમ કહે છે અને કેટલાંક ઉદય આવેલાં કર્મોક્ષય પામતા રહે છે તેને ક્ષય કહે છે. આ ક્ષય અને ઉપશમની એકી સાથે પ્રવૃત્તિ થાય છે તેને ક્ષયોપશમ કહે છે. આ ક્ષયપશમથી પ્રગટ થયેલી આત્માની ઉપયોગ શક્તિને અવધિ દર્શન કહે છે. આ ઉપગથી જીવ ઈન્દ્રિયોની મદદ સિવાય સામાન્ય રીતે "વિશ્વના ઘણે ભાગને અમુક મર્યાદામાં જોઈ શકે છે. ઇન્દ્રિયને મુખ્યકરીને આત્મા વસ્તુને સામાન્ય બાધ કરે છે તેને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહે છે. અહિ આત્મા સ્વતંત્ર કામ કરતું નથી પણું ઈન્દ્રિયોની મદદથી જેવા વિગેરેનું કામ કરે છે. જે ઈન્દ્રિયે રૂપિ હથીયાર બગડેલાં કે જોખમાયેલાં હોય તે આત્માની આ જોવા સાંભળવા આદિની ગતિ કુંઠિત થાય છે–અટકી પડે છે. માટેજ આ દર્શનને પક્ષ દર્શન કહે છે. અને ઉપર બતાવેલાં અવધિ અને કેવલદર્શનને પ્રત્યક્ષ દર્શન કહે છે કેમકે તેમને ઈન્દ્રિયાની મદદની જરૂર પડતી નથી, પણ સ્વતઃ તે જોઈ શકે છે.
આંહી ચક્ષુદર્શનમાં નેત્રો લીધાં છે ત્યારે અચક્ષુ દર્શનમાં બાકીની ચાર ઈન્દ્રિએ લીધી છે. તેમાં મનુષ્ય જીવનમાં નેત્રાની મુખ્યતા છે. આંખ વિનાનું જીવન દુઃખરૂપ છે અને બીજી ઇન્દ્રિય કરતાં નેત્રનો વિષય ઘણે છે તેથી ઈન્દ્રિયાધિન સામાન્ય બાધવાળા દર્શનના બે ભાગ પાડ્યા