________________
બંધનકરણ
યોગથી યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે ઈત્યાદિ કહ્યું. કયા પુદ્ગલ કંધો ગ્રહણ યોગ્ય છે અને કયા અયોગ્ય છે એ જણાવવા માટે હવે પુદ્ગલવર્ગણાઓની પ્રરૂપણા કરવામાં આવે છે.
પુગલવર્ગણાઓ- આ લોકમાં અનંતાનંત પરમાણુઓ સ્વતંત્ર પરમાણુરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ બધાનો સમુદાય એ પ્રથમ વર્ગણા. બે પરમાણુઓ ભેગા મળીને જે સ્કંધ થાય તે ચણક કહેવાય છે. ત્રણ પરમાણુઓનો સ્કંધ તે ત્રણક, ચારનો સ્કંધ એ ચતુરણક, એમ પંચાણુક વગેરે સ્કંધો જાણવા. આ લોકમાં રહેલા અનંતાનંત વણકોનો સમુદાય એ બીજી વર્ગણા. અનંતાનંત વ્યયુકોનો સમુદાય તે ત્રીજી વર્ગણા. આમ એક એક વધારે પરમાણુઓથી બનેલા સ્કંધોની ચોથી પાંચમી વગેરે વર્ગણાઓ જાણવી. ૧૦૦ પરમાણુઓના સ્કંધોનો સમુદાય એ ૧૦૦મી વર્ગણા. આ રીતે સંખ્યાતા પરમાણુઓના સ્કંધોની સંખ્યાતી વર્ગણાઓ મળે. ત્યારબાદ અસંખ્ય પરમાણુઓથી બનેલા સ્કંધોની વર્ગણાઓ ક્રમસર આવે છે. એ વર્ગણાઓ અસંખ્ય છે. ત્યારબાદ અનંત પરમાણુઓથી બનેલા કંધોની વર્ગણાઓ શરૂ થાય છે. એવી પણ ક્રમસર અનતીવર્ગણાઓ છે. આ બધી વર્ગણાઓના સ્કંધો અલ્પ પરમાણુઓવાળા હોવાથી તેમજ સ્થૂલ પરિણામવાળા હોવાથી જીવને ઔદારિક શરીરરૂપે પણ અગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિક અગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. ત્યારબાદ એક અધિક પરમાણુથી બનેલા એવા સ્કંધોની વર્ગણા છે કે જે સ્કંધોમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતભાગ જેટલા પરમાણુ-પ્રદેશો હોય છે. આ સ્કંધો જીવને ઔદારિકપુદ્ગલ તરીકે ગ્રાહ્ય છે. ત્યારબાદ પણ ક્રમશઃ એક એક અધિક પરમાણુઓવાળા સ્કંધોની અનંતી વર્ગણાઓ છે, જે જીવને ઔદારિક પુદ્ગલ તરીકે ગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિકગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ ઔદારિક ગ્રાહ્ય વર્ગણાઓના સમૂહની પ્રથમ વર્ગણા કે જે ઔદારિકગ્રાહ્યની જઘન્ય વર્ગણા છે તેના એક એક સ્કંધમાં જેટલા પરમાણુઓ હોય છે એના કરતાં, ઔદારિકગ્રાહ્યની ચરમવર્ગણા (ઉત્કૃષ્ટવણા)ના એક એક સ્કંધમાં અનંતમાભાગ જેટલા પરમાણુપ્રદેશો વધુ હોય છે. આ જ રીતે આગળ પણ સર્વત્ર ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું, એટલે કે સ્વજઘન્ય કરતાં સ્વઉત્કૃષ્ટ સ્કંધોમાં જઘન્યસ્કંધગત પરમાણુપ્રદેશો કરતાં અનંતમો ભાગ અધિક પરમાણુપ્રદેશો હોય છે.
ઔદારિકવર્ગણાઓ પૂર્ણ થયા બાદ પણ નિરંતર વર્ગણાઓ મળવી ચાલુ જ હોય છે. પણ ઉત્તરોત્તર એક એક અધિક પરમાણુઓથી બનેલા સ્કંધોના સમૂહરૂપ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org