Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 182
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૬૯ એટલે આ ૩૨+ ૮ = ૪૦ પ્રકૃતિઓનો ક્ષયોપશમ હોય છે. આમાં આદ્ય ૧૨ કષાય, મિશ્ર અને મિથ્યાત્વ એ ક્ષયોપોને યોગ્ય સર્વઘાતી રસવાળી છે. જ્યારે શેષ પ્રકૃતિઓ દેશઘાતીરસવાળી છે. લયોપશમ પામનારી આ પ્રવૃતિઓ ત્રણ રીતે ઉદયમાં આવે છે. ૧. સર્વઘાતીરસરૂપે - જ્યારે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય ત્યારે અવધિજ્ઞાનાવરણનો સર્વઘાતીરસ ઉદયમાં હોય છે. આ વખતે અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતો નથી. ૨. સર્વઘાતીરસ સર્વઘાતીરૂપે ઉદયમાં ન આવે, માત્ર દેશઘાતી રૂપે જ ઉદયમાં આવે અને દેશઘાતીરસનો પણ ઉદય હોય. દા.ત. અવધિજ્ઞાનીને અવધિજ્ઞાનાવરણનો દેશઘાતીનો જ ઉદય હોય છે. આ ઉદ્યાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. જેના માત્ર દેશઘાતી રસ જ સત્તામાં હોય અને ઉદયમાં પણ હોય તે પણ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ છે. જેમકે લાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વ મોહનીય. ૩. સર્વઘાતી કે દેશઘાતી એકે ય રૂપે વિપાકોદય ન હોય, માત્ર પ્રદેશોદય હોય. આ વખતે શુદ્ધક્ષયોપશમ હોય છે. દા.ત. આદ્ય ૧૨ કષાયોનો ક્ષયોપશમ.. પ્રદેશોદય ત્રણ પ્રકારે હોય છે - (અ) પરાવર્તમાનપ્રકૃતિઓમાં, પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોય ત્યારે વિવલિત પ્રકૃતિ સ્વસ્વરૂપે ઉદયમાં આવી શકતી નથી. પ્રદેશોદયરૂપે ઉદયમાં આવે છે. તેમ છતાં, જો એ વખતે પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય અટકી જવાથી વિવક્ષિતપ્રકૃતિ સર્વઘાતીસ્વરૂપે જ ઉદયમાં આવી શકે એમ હોય તો આવા પ્રદેશોદયકાળે ક્ષયોપશમ કહેવાતો નથી. કિન્તુ ઔદયિકભાવની યોગ્યતા હોવાથી ઔદયિકભાવ કહેવાય છે. દા.ત. ૧લે ગુણઠાણે અનંતા ક્રોધના ઉદયકાળે માન વગેરે પ્રકૃતિઓ, અથવા ૧ થી ૪ ગુણઠાણે વિપાકોદય પ્રાપ્ત વેદ કે યુગલ સિવાયના વેદ કે યુગલ. આ અવસ્થામાં વિવક્ષિત પ્રકૃતિનો વિપાકોદય ન હોવા છતાં, કોઈ જ આત્મગુણ પ્રગટ થયો હોતો નથી, માટે આને ક્ષયોપશમ ન કહેતાં ઔદયિક ભાવ જ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228