Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 189
________________ પરિશિષ્ટ : ૧ મતિ-શ્રુતજ્ઞાના૦, અચક્ષુદર્શનાના ક્ષયોપશમથી અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન નામના ક્ષાયોપશમિક ગુણો પ્રકટ થાય છે. પાંચ અંતરાયના ક્ષયોપથી દાનાદિ ૫ લબ્ધિઓ પ્રકટ હોય છે. ૧૭૬ શુદ્ધ ક્ષયોપશમ - આદ્ય ૧૨ કષાય અને મિથ્યાત્વમોહનીય. આ ૧૩ પ્રકૃતિઓ માત્ર સર્વઘાતી સ્પર્ધકોવાળી જ હોય છે. આના વિપાકોદયકાળે ક્ષયોપશમ હોતો નથી અને ક્ષયોપશમકાળે વિપાકોદય હોતો નથી, માત્ર પ્રદેશોદય હોય છે, એટલે એ શુદ્ધક્ષયોપશમવાળી છે. અનંતાનો ક્ષયો૫૦ ૩ થી ૭, અપ્રત્યાનો ૫ થી ૯, પ્રત્યાનો ૬ થી ૯, અને મિથ્યાત્વનો ૪ થી ૭ ગુણઠાણે ક્ષયોપ૦ હોય છે. મિશ્રમોહનો પણ આ જ રીતે પ્રદેશોદયરૂપ શુદ્ધ ક્ષયોપ૦ ૪ થી ૭ ગુણઠાણે હોય છે. ૩. જો કે મિથ્યાત્વમોહનીયનો રસ ઘટીને દેશઘાતી થઈ શકે છે, તેમ છતાં એ દેશઘાતી રસવાળા દલિકો એક સ્વતંત્ર પ્રકૃતિરૂપે (સમ્ય૰મોહનીયરૂપે) લેખાતા હોવાથી મિથ્યાનો તો સર્વઘાતીરસ જ કહેવાય છે. તેમજ મંદરસવાળા થયેલા તે દલિકોનો વિપાકઉદય હોવા છતાં, એ તો સમ્યમોહના ઉદય તરીકે ગણાતો હોવાતી મિથ્યાત્વનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપ૦ ન કહેવાતા શુદ્ધક્ષયોપશમ કહેવાય છે. ૪ અપ્રત્યાના ક્ષયોપ૦થી દેશવિરતિ, ૪ પ્રત્યાના ક્ષયોપ૦થી સર્વવિરતિ ગુણ પ્રકટ થાય છે. ૪ અનંતા૦ તથા મિથ્યાત્વના ક્ષયોપ૦થી સમ્યક્ત્વ તેમજ મિશ્રગુણઠાણારૂપ ક્ષાયોપશમિક ગુણ પ્રકટ થાય છે. જો કે મિશ્રમોહનીય એ સર્વઘાતી પ્રકૃતિ છે અને એનો સર્વઘાતી રસ જ ઉદયમાં હોય છે, તેમ છતાં મિથ્યાત્વના રસને વિશેષરૂપે ઘટાડીને ૩ પુંજમાંના ૧ પુંજતરીકે એ અસ્તિત્વમાં આવી હોવાથી અને અધિક૨સવાળા મિથ્યાત્વના દલિકોના ઉદયને અટકાવ્યો હોવાથી શાસ્ત્રકારો મિશ્રગુણસ્થાનકનો ક્ષાયોપમિક ભાવમાં સમાવેશ કરે છે. ૪. ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ - અવધિજ્ઞાના૦ મનઃ પર્યવજ્ઞાના, ચક્ષુદર્શના૰, અવધિદર્શના॰ આ ૪ પ્રકૃતિઓ દેશધાતી છે. જેના દેશધાતી સ્પર્ધકો પણ (એટલે કે સર્વઘાતી તો ખરા જ) સત્તામાં હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228