Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 121
________________ સંક્રમકરણ મૈં સંક્રમોત્કૃષ્ટા...જેની બંધપ્રાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં સંક્રમપ્રાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ વધુ હોય તેવી પ્રકૃતિઓ. ૧૦૮ શાતા, સમ્ય॰, મિશ્ર, ૯ નોકષાય, ઉચ્ચગોત્ર, દેવદ્ધિક, મનુ॰દ્વિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, આહા૦ ૭, જિન, સ્થિર ષટ્ક, પ્રથમ પાંચ સંઘ-સંસ્થાન, શુભખતિ, આ ૪૮ ચૂર્ણિકારના મતે સંક્રમોત્કૃષ્ટા છે. વૃત્તિકારના મતે આ ૪૮ + ૧૧ શુભ વર્ણાદિ + નીલ + કટુક એમ ૬૧ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટા છે. બંધોત્કૃષ્ટાના વળી બે ભેદ છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધકાળે વિપાકોદય પણ હોય તો ઉદયબંધોત્કૃષ્ટા કહેવાય અને ન હોય તો અનુદયબંધોત્કૃષ્ટા કહેવાય. નરકઢિક, તિ॰દ્વિક, એકે, ઔદા૦૭, છેવ, સ્થાવર, આતપ, ૫ નિદ્રા આ ૨૦ અનુદયબંધોત્કૃષ્ટા છે. આ ૨૦ તેમજ ૪ આયુ સિવાયની શેષ ૮૬ (અથવા ૭૩) ઉદયબંધોત્કૃષ્ટા છે. નરકદ્ધિકનો ઉ૰સ્થિતિબંધ પંચે॰ તિ॰ કે મનુ॰ કરે છે અને ત્યારે એનો વિપાકોદય હોતો નથી એ સ્પષ્ટ છે. આ રીતે શેષ માટે યથાયોગ્ય જાણવું. સંક્રમોત્કૃષ્ટામાં મિશ્ર॰, દેવદ્વિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, મનુ॰ આનુ॰, આહા૦૭ અને જિનનામકર્મ આ ૧૮ અનુદયસંક્રમોત્કૃષ્ટા છે. શેષ ૩૦ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે. બંધોત્કૃષ્ટાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી બંધાવલિકા વીત્યા બાદ સંક્રમ થાય. વળી એ વખતે પણ ઉદયાવલિકા ઉપરની સંક્રમે છે. તેથી બે આવલિકાન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમે છે. અને ત્યારે, ૧ ૧. ધારોકે ૧લા સમયે અશાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦૦૦ સમય બાંધી, ૪ સમયની આવલિકા છે. તો ૧ થી ૪ સમય (બંધાવલિકા) વીત્યાબાદ પાંચમા સમયે સંક્રમ થશે. વળી એ વખતે ૫ થી ૮ એ ઉદયાવલિકા હોવાથી એમાંથી પણ દલિક સંક્રમતું નથી. તેથી કુલ બે આવલિકા (૮ સમય) ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ = ૯૯૨ સમયની સ્થિતિ શાતામાં સંક્રમશે. વળી એ વખતે (૫ મા સમયે) ૫ થી ૮ સમયમાં પણ શાતાના જૂના નિષેકો તો છે જ. તેથી શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫ થી ૧૦૦૦મા સમય = ૯૯૬ સમય આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટ સ્થિતિ થશે. વળી આ ૫ મા સમયે શાતામાં સંક્રમથી આવેલા દલિકો માટે પ થી ૮ સમય સંક્રમાવલિકા છે. તેથી આ સમયોમાં એ પુનઃ અશાતામાં નહીં સંક્રમે. ૯ મા સમયે સંક્રમી શકશે. પણ એ વખતે ૯ થી ૧૨ સમયો ઉદયાવલિકા બન્યા હોવાથી ૧૩મા સમયથી ૧૦૦૦ સમય સુધીના નિષેકોમાંથી સંક્રમ થશે. તેથી શાતાનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ૯૮૮ સમય ૩ આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલો થશે. વળી એ વખતે પણ શાતાના ૯ થી ૧૨ નિષેકો વિદ્યમાન તો છે જ. તેથી એની યસ્થિતિ ૯૯૨ સમય બે આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટની ઉત્કૃષ્ટ સ્થિતિ મળશે. Jain Education International For Private & Personal Use Only = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228