Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
राजा विधमान संस्थानिकांत विरळाच आढळेल. समदृष्टि व न्यायप्रियता हे त्यांचे दुसरे ठळक गुण होत. आपली जात, आपला प्रांत, आपली भाषा व
आपली पूर्वपरंपरा यां विषयी योग्य ती हितबुद्धि जागृत असता त्यांनी तिला न्यायाच्या मर्यादा सहसा उल्लंधू दिल्या नाहीत."+
મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદર, જી. સી. આઈ. ઈ,
કચ્છના મહારાજ. “Many standard English works have been translated into Gujarati at the expense of His Highness, who in doing so has a noble object; for not only are the masterminds of English authors revealed to the people of India who have not acquired a knowledge of English but literary men are also : supported and encouraged.”
[Representative Men of the Bombay Presidency, page 15.]
સામાન્ય રીતે ગુજરાત બહાર કચ્છની ગણના થાય છે. કચ્છી બોલી (dialect ) પણ ગુજરાતીથી નંખી પડે છે; પણ પ્રાચીન કાળથી કચ્છ પ્રાંત ગુજરાત સાથે નિકટ સંબંધ ધરાવતે આવે છે. આપણે છેક તેના પ્રાચીન ઇતિહાસમાં નહિ ઉતરીએ; તે પણ મધ્ય યુગમાં સેરઠ અને કચ્છનાં રાજ્ય પરસ્પર સંબંધથી જોડાયેલાં હતાં. સેલંકી રાજા ભીમ પાટણથી ભાગીને કચ્છના કિલ્લા કંથકોટમાં ભરાઈ બેઠો હતે. મહમદ ગઝનવી પણ એજ માર્ગે સ્વદેશ ભણું પાછો ફર્યો હતો અને જામનગરના જામ પણ મૂળ કચ્છ દેશમાંથી સેરઠ ઉતરી આવ્યા હતા. પણ આ બધે ભૂતકાળને વૃત્તાંત થયો. આપણને નિત અર્વાચીન યુગ સાથે છે. ઓગણીસમા સૈકાની છેલ્લી વીસીમાં આપણે એ રાજ્યને ઇતિહાસ તપાસીશું તે આપણે કેટલાક જાણીતા આગેવાન ગુજરાતીઓએ કચ્છમાં જઈ કચ્છ રાજ્યની સુધારણ અને ઉત્કર્ષ સાધવામાં કિમતી સહાયતા આપેલી માલુમ પડશે. એ મુજ-રાતીઓમાં દી. બા. મણિભાઈ જશભાઈનું નામ અગ્રસ્થાને આવે છે.
| વસ, ૨૪ મફે માર્ચ ૧૬૩૩.