Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩૫૫ થઈ હતી. એવુંજ કા સંવત્ ૧૯૫૬ માં એમણે અમદાવાદમાં આરસ્યું હતું, તેનું બ્યાન કાંટાવાળાએ નીચે પ્રમાણે આપ્યું છેઃ
“ એક વર્ષે વરસાદની તંગીથી દુકાળના જેવું નીવડયું, ઢારાને માટે ઘાસચારા ન મળે, તેથી આસપાસના ગામનાં લેાકા રાજ સેંકડા દેર અમદાવાદ લઇ આવે, અને જે દામ આવે તે લઇને તેમને વેચી મારે. કેટલીકવાર તા ઢોર કસાઇઓને ત્યાં જવા માંડયાં, એ જોઇને લાલશ કરે તેમને અચાવવા સારૂ સાબરમતી કાંઠે કાચાં છાપરાં ડોકાવીને ત્યાં પુષ્કળ જનાવર રાખ્યાં, તથા તેમને જીવાડવા માટે ઘાસચારા મેળવવા તનતોડ મહેનત લીધી. ધનવાન પાસેથી ઉઘરાણાં કરીને ધન મેળવે, અને કાઈ કાઈ વાર તા તેએ ગાંઠના પૈસા પણ ખરચી નાખે. એ સંસ્થા જેવા માટે મોટા મેટા દેશી અને અંગ્રેજી અમલદારે આવે અને લાલરા કરને ધન્યવાદ આપે; અને સરકારે તે સેવા બદલ તેમને સન ૧૯૦૩ માં સિટેડ્ડીકેટ એફ મેરિટ અક્ષ્ય હતું.”×
""
હિન્દુ વિધવાઓની દુઃખદ સ્થિતિ માટે એએ બહુ દયા ખાતા; અને વિધવાવિવાહના વિચારને પુષ્ટિ મળે એ હેતુથી સને ૧૮૬૬ માં “ વિધવા વિવાડ ” એ નામનું પુસ્તક મરાઠીમાંથી તરજુમેા કરી એમણે ગુજરાતીમાં પ્રસિદ્ધ કર્યું હતું. કોઈપણ વિધવાની વાત એમના કાને આવતાં, એમનું હૃદય દ્રવી ઉઠતું; અને સ્ત્રીઓ માટે એમને ઘણું સન્માન અને પક્ષપાત હતા.
પંઢરપુરમાં હતા તે સમયે માટે પરાઢિયે ફરવા નિકળેલા ત્યાં એમના પગને કઇંક અથડાયું અને તપાસતાં તે તુરતનું જન્મેલું બાળક માલુમ પડયું. એ બનાવે એમના હૃદયને હચમચાવી મૂક્યું અને એમને લાગ્યું કે આ સ્થાન જાત્રાનું હાઇને, અહિં આવા પ્રસંગો ઝાઝા બનવાના સંભવ છે; તેથી એમણે ત્યાં એક અનાથાશ્રમ કાઢવાનો નિશ્ચય કર્યો અને તે અમલમાં મૂકાયા. આજે મુંબાઈ ઇલાકામાં એ સંસ્થા જુદા જુદા અનાથાશ્રમામાં મુખ્ય સ્થાન લેછે અને તેનું નામ દેશપરદેશમાં જાણીતું છે. એમના એ કાયના ખ્યાલ આવવા સર નારાયણ ચંદાવરકર લાલશ કરી મૃત્યુ નોંધમાં લખે છે,
46
Every Saturday evening, after his Court work, he used to leave for Bombay, arrive here on Sunday, go about among the Shetias, represent to
* સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૮, રૃ, ૫૧.