Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૫૪
sustain much loss in his pay. He has however lost: the tutorship in consequence of the abolition of that institntion.
(3) He has passed the 1st examination in Arts. at the Madras University and has qualified himself as a sub-judge by passing the test in March last.
(4) His experience, general knowledge and high .character are such as to make him worthy of promotion.”
(No. 176 of 1873, dated 20th December 1873.)
તે પછી લાલશંકરના ભાગ્યને ઉદય થયો. એમની દિનપ્રતિદિન ચઢતી થતી ચાલી. એક પછી એક ઉચી પાયરીએ તેઓ પહોંચી, એમને દરજો અને અધિકાર વધતાં ગયાં; તે પણ એમણે કદિ દમામ રાખ્યો નહે; તે પછી આડંબરની વાત જ શી ? આપ કમાઈથી લાખની મિત્તે એમણે સંપાદન કરી હતી પણ જીવનભર એમણે સાદાઈ જ સેવી - હતી. એ એમના આત્માની મેટાઈ હતી.
વિદ્યાર્થી અવસ્થા એમણે ગરીબાઈમાં અને મુશ્કેલીમાં ગાળેલી. સ્વાશ્રયથી તેઓ આગળ વધેલા; અને એમના ગુરૂ મહીપતરામે કેળવણી, જ્ઞાનપ્રચાર, સંસાર સુધારે અને પ્રાર્થના સમાજના નવીન વિચાર અને સંસ્કાર તેમના પર પાડેલા. હવે ગુરૂના આદેશને પ્રચાર કરવાની તેમને તક સાંપડી અને અમને નોંધતાં હર્ષ થાય છે કે જે જે સ્થળે નોકરી અંગે એમનું રહેવાનું થયું તે તે સ્થળે એમણે કન્યાશાળા, પુસ્તકાલય, અનાથાશ્રમ અને પ્રાર્થના સમાજ સ્થાપવાના પ્રયત્ન કર્યા હતા, અને એમના તે પ્રયાસ ફળદાયી નિવડયા હતા.
વિરમગામમાં કન્યાશાળા માટે મકાન નહોતું, તે એમણે એક સખી ગૃહસ્થને ઉભો કરી કરાવી આપ્યું હતું. ધંધુકામાં પુસ્તકાલય કઢાવ્યું, પંઢરપુરમાં અનાથાશ્રમ સ્થાપ્યું, અને જ્યાં તેઓ હોય ત્યાં દર રવિવારે પ્રાર્થના સમાજની મિટિંગ ભરાઈને તેમાં ઉપદેશ અપાય જ.
પંઢરપુરમાં હતા તે દરમિયાન ત્યાં મેટે દુકાળ પડેલે તેને દુઃખ નિવારણાર્થે તેમણે એક ફંડ ઉભું કરેલું અને એમના તે સેવાકાર્યની કદર