Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 327
________________ વડોદરા, દેશાઈને પ્રમુખપણ નીચે કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાઈટીના આખા મકાનને ધજાપતાકા તથા આસોપાલવના તોરણ વગેરેથી સુશોભિત કરવામાં આવ્યું હતું, તેમજ સભાસ્થાન-પ્રેમાભાઈ હોલ–ને ફુલહાર તથા સુશોભિત વૃક્ષ વેલીઓથી શણગારી આંખને અને મનને શીતળતા આપે એવો દેખાવ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં ભાગ લેવા માટે સોસાઈટીના સર્વે લાઈફ મેંબર ઉપરાંત ગુજરાત કાઠીઆવાડનાં વર્તમાનપત્રો તથા માસિકપત્રોના અધિપતિઓને તેમજ કેળવાએલા, સુશિક્ષિત અને પ્રતિષ્ઠિત સગૃહસ્થને, તથા સન્નારીઓને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. આ આમંત્રણને માન આપી અમદાવાદના હિન્દુ, મુસલમાન, પારસી, યુરેઝીયન વગેરે સર્વે તેમના ગૃહસ્થોએ પધારવા તસ્દી લીધી હતી, એથી ઉત્સવના ચારે દિવસ સભાસ્થાન ચીકાર ભરાઈ રહ્યું હતું. આ ઉત્સવમાં ભાગ લેવા. સારૂ બહાર ગામથી નીચેના ગૃહસ્થ ખાસ પધાયો હતા – રા. બ. રણછોડભાઈ ઉદયરામ, મહુધા.. રા. રા. ધીરજલાલ નરભેરામ કવિ, ભ . : રા. રા. ગઇવન દયાળજી મોદી, , રા. રા. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, મહેસાણા - રા. રા. કાળીદાસ ચુનીલાલ કીનખાબવાળ, વિસનગર નીચેના ગૃહસ્થ જાતે હાજર રહી ન શકવાથી તેમણે તાર તથા પત્રકાર સોસાઈટીને મુબારકબાદી આપી મહોત્સવની ફતેહ ઈચ્છા હતી – ૧ નેકનામદાર રાજાજી સાહેબ, ર રા. બ. હરગે વિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા, લુણાવાડા, ૩ એ. માસ્ટર, એસ્કવાયર આસિસ્ટન્ટ કલેકટર સાહેબ, અમદાવાદ.” - ૪ રા. રા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ, રત્નાગિરી. ૫ પારસી લેખક મંડળના પ્રમુખ મિ. કે. આર. કામા, મુંબઈ ૬ શેઠ કીકાભાઈ પ્રેમચંદ રાયચંદ, ૭ રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી, ' , ૮ રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, ભાવનગર ૯ રા. રા. ન્હાનાલાલ દલપતરામ કવિ, “ રાજકોટ. ૧૦ રા. ર. જન્મશંકર મહાશંકર બુચ, " , ૧૧ રા. રા. નર્મદાશંકર લધાભાઈ. . . . , ૧ર રા. રા. ડાહ્યાભાઈ લલ્લુભાઈ પુરોહિત, વડેદરા : - ૧૩ દેશાઈ રાયસિંહ કેશવભાઈ, , , , વીરમગામ

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352