Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ ૭.
ખાડિયા રણછેડલાલ છેાટાલાલ કન્યાશાળા ઉઘાડવાની ક્રિયા
ગુજરાત વર્નાક્યુલર સેાસાઈટીની મેનેજીંગ કમિટીએ ઠરાવ કર્યાં મુજબ ખાડીયા રણછોડલાલ છેોટાલાલ કન્યાશાળા ખુલ્લી મૂકવાની ક્રિયા કરવા સારૂ, રાવબહાદુર લાલશંકર ઉમીયાશંકર તથા રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, કન્યાશાળાની વ્યવસ્થાપક મ`ડળીના સેક્રેટરી સાહેબેાની સહીથી આમત્રણ કરીને, સન ૧૮૯૨ ના સપ્ટેમ્બર માસની તા. ૧ લીએ સવારના આઠેં કલાકે, કન્યાશાળાના ઉપયેગ માટે હાલ તરત માલીકે વગર ભાડે આપેલા શે: જેઠાભાઇના ડહેલાના વિશાળ મેડા ઉપર, ખાડિયા ટ્ઠાના ગૃહસ્થાની સભા ભરવામાં આવી હતી. મેડાને આગલે પાસે આમ ત્રેલા ગૃહસ્થા સારૂ દેશી રીત પ્રમાણે ગાદીકિયાની બેઠક રાખવામાં આવી હતી, અને તેની સામે પાસે દાખલ થયલી છેાડીએ જેની સંખ્યા અત્યારથી ૧૦૦ ઉપર થઈ હતી, તેમને કન્યાશાળાનાં મુખ્ય સ્ત્રીશિક્ષકની દેખરેખ નીચે બેસાડી હતી, સભાના સમય થતાં સભાજનાથી મેડે ભરાઇ ગયા હતા.
રા. અ. લાલશંકર ઉમયાશ કરતી દરખાસ્ત અને રા. રા. કેશવલાલ મેાતીલાલની અનુમતિ ઉપરથી રાવબહાદુર રિલાલ અંબાશંકર પ્રમુખસ્થાને બિરાજ્યા હતા.
રાવબહાદુર લાલશંકર ઉમયાશંકરે પ્રથમ ઉડીને ધણું અસરકારક અને માંબું ભાષણ કર્યું અને પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે તેમને પેાતાને તથા ખાડિયાના બીજા કેટલાક ગૃહસ્થાને તે લત્તામાં એક કન્યાશાળાની અગત્ય જણાયાથી, તેમણે એ વિચાર એનરેબલ રાવબહાદુર રણછેડલાલ છેટાલાલને જણાવ્યેા. તે ઉપરથી તેઓ સાહેબે એ વાત તરત ઉપાડી લઇ, ખાડિયામાં એક કન્યાશાળા સ્થાપા સારૂ શ. ૧૨૦૦૦ ની રકમ પોતાના તરફથી આપવાની ખાયેશ દર્શાવી, એ ફૅંડ ગુજરાત વોઁકયુલર સેસાઇટીને સ્વાધીન કીધું.ગુજરાત વૉકયુલર સાસાઇટીએ, ફંડની શરત પ્રમાણે કન્યાશાળાની વ્યવસ્થા માટે એક ખાસ વ્યવથાપક મંડળી નીમી, તેમની મારફતે
આ કન્યાશાળા ઊબ્રાડવા સારૂં કીધેલી ગેાઠવણ પ્રમાણે આજે આ કન્યાશાળા ખાલવામાં આવે છે. ( કાયમ ક્રૂડના રૂ. ૧૨૦૦૦) ઉપરાંત શરૂઆતના ખર્ચ માટે પણ રા. બ. રણછેડલાલે બીજા રૂ. ૩૦૦) આપ્યા છે. ) આ પ્રમાણે કન્યાશાળાની સ્થાપના સંબંધી સધળી સવિસ્તાર હકીકત કહી