________________
વિકાસનું મુખ્ય સાધન
[છ
અસાધારણ તથા મુખ્ય સાધનરૂપે જે જવાબદારીને સંકેત કરવામાં આવ્યા છે તે જવાબદારી આ બધીયે મર્યાદિત તથા સંકુચિત જવાબદારીથી જુદી તથા પર છે, કારણ કે તે જવાબદારી કાઈ એક આંશિક તથા સંકુચિત ભાવ ઉપર અવલંબિત નથી. તે જવાબદારી બધાની પ્રત્યે, સદાને માટે, બધાં સ્થળેએ, એકસરખી હોય છે; ભલે પછી તે પેાતાની પ્રત્યે જોવામાં આવે કે કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રિય તથા આધુનિક પ્રત્યેક વ્યવહારમાં કામમાં લેવાતી હોય. તે જવાબદારી એક એવા ભાવમાંથી ઉત્પન્ન થાય છે કે જે ક્ષણિક નથી, સંકુચિત નથી કે મલિન નથી. તે ભાવ પેાતાની જીવનશક્તિના યથાર્થ અનુભવ કરવાના છે. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટે છે ત્યારે તે કયારેય, રોકાતી નથી. સૂતાં–જાગતાં, સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ, તે પેાતાના મા ઉપર કામ કરે છે. તે સમયે મનને! ક્ષિપ્ત તથા મૂઢ ભાવ મનમાં ફરકી નથી શકતા. તે સમયે મનમાં નિષ્ક્રિયતા કે કુંડિતતાના સંચારને સંભવ જ નથી હોતો. આ જ જવાબદારીની સંજીવની શક્તિ છે, જેને કારણે તે ખીજા બધાં સાધના ઉપર આધિપત્ય ધરાવે છે અને જે પામરથી પામર, ગરીબથી ગરીબ, દુળથી દુળ તથા તુચ્છથી પણ તુચ્છ ગણાતા કુલ તથા પરિવારમાં જન્મેલ વ્યક્તિને સંત, મહંત, મહાત્મા તથા ઈશ્વરના અવતાર જેવી બનાવે છે.
ઉપરના વર્ણનથી અત્યાર સુધી એટલું તે ફલિત થયું છે કે માનવીય વિકાસના એકમાત્ર આધાર જવાબદારી જ છે. જવાબદારી પણ કાઈ એક ભાવથી સંચાલિત નથી થતી. અસ્થિર, સંકુચિત તથા ક્ષુદ્ર ભાવેાથી પણ જવાબદારી પ્રવૃત્ત થાય છે અને સ્થિર, વ્યાપક તથા શુદ્ધ ભાવથી પણ તે પ્રવૃત્ત થાય છે. મેાહ, સ્નેહ, ભય, લાભ વગેરે ભાવે। પહેલા પ્રકારના છે અને જીવનશક્તિને યથાર્થ અનુભવ એ બીજા પ્રકારના ભાવ છે.
હવે આપણે એ વિચારવું રહ્યું છે કે જવાખદારીના પ્રેરક, ઉપરના મે પ્રકારના ભાવામાં પરસ્પર શે! ફરક છે, તથા જે પહેલા પ્રકારના ભાવે કરતાં બીજા પ્રકારના ભાવામાં શ્રેષ્ઠતા છે તે તે કયા કારણે છે? જો આ વિચાર સ્પષ્ટ થઈ જાય તે! પછી ઉપરના બેઉ પ્રકારના ભાવેા ઉપર આધાર રાખવાવાળી જવાબદારીઓને ફરક તથા તેમની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતા પણ ધ્યાનમાં આવી જશે.
માહમાં રસાનુભૂતિ છે તથા સુખસવેદન પણ થાય છે, પરંતુ તે એટલું અર્ધું પરિમિત અને એટલુ બધુ અસ્થિર છે કે એના આદિ, મધ્ય કે અંતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org